Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ‘ઉપદેશ-પદીનાં બુદ્ધિચાતુર્યનાં કથાનકો વાઘ બાંધે છે. જેથી ચડેલું લોહી ઊતરે! રાજા કૂકડાને બીજા કૂકડા વગર યુદ્ધ કરાવવાનું જણાવે છે, ત્યારે રોક કડા સામે અરીસો મૂકે છે. જે સાધનના માપે તેલ મપાય તે સાધનના માપે જ તેનું તેલ લેવામાં આવે, છતાં આ માપથી લેનાર ગાય નહીં-રાજાની આ શરત પણ રોહક અરીસો ધરીને તેના માપથી તેલ લઈ, તે જ પ્રમાણે તેલ આપ્યાનો ઉકેલ અજમાવે છે. રાજા રેતીનાં દોરડાં મંગાવે છે, તો રોહક કહેવડાવે છે, નમૂનો મોકલો તો તેવાં દોરડાં બનાવી આપીએ! રાજા મરણાસન્ન હાથીને મોકલી કહેવડાવે છે કે હાથીના સાચા સમાચાર મોકલવા પરંતુ મૃત્યુ પામ્યો છે એવા સમાચાર ન મોકલવા. હાથી મૃત્યુ પામે છે ત્યારે રોહક હાથી ઊઠતો, બેસતો, ખાતો, પીતો જોતો નથી એમ કહી શરત પૂરી કરે છે. રાજા ગામના કૂવાને નગરમાં મોકલવાનું જણાવતાં રોહક જણાવે છે કે એને લઈ જવા કૂઈને મોકલે તે કૂવો પાછળ ચાલ્યો આવશે. રાજા ગામની પશ્ચિમે વનખંડ છે તેને પૂર્વ દિશામાં લાવવાનું કહેતા રોહક ગામને પશ્ચિમ દિશામાં વસાવી વનખંડને પૂર્વ દિશામાં લાવવાની શરત પૂરી કરે છે. જા અગ્નિ કે સૂર્યની ગરમી વગર ખીર રાંધવા જણાવે છે ત્યારે રોહક છાગ-કચરાના ઢગલાની વચ્ચે ઘરે મૂકી તેની ઉગતાથી ખીર રાંધીને મોકલે છે. રાજા જિતશત્રુ રોહકને ઉજ્જયિની બોલાવે છે પરંતુ શરત કરે છે કે કેડી પર ન ચાલવું કે રસ્તા બહાર ન ચાલવું, અંધારિયા કે અજવાળિયામાં ન ચાલવું, રાત્રે કે દિવસે ન નીકળવું, છાંયે કે તડકે ન ચાલવું, સૂર્યના શાપ કે આકાશમાં છત્ર ધારણ કરીને ન ચાલવું, વાહનનો ઉપયોગ ન કરવો ને પગપાળા પ્રવાસ ન કરવો, સ્નાન કરીને કે મલિન દેહ ન આવવું, આનો ઉકેલ કાઢીને રોહક અમાવાસ્યા જે કુબગ અને શુક્લપક્ષની સંધિ છે ત્યારે દિવસરાતના સંધિ સમયે-સંધ્યાકાળ-ગાડાના ચીલા વચ્ચેના માર્ગ પર ઘેટા પર બેસીને ચારાગીનું છત્ર બનાવી, હાથપગ ધોઈ રાજદ્વારે પ્રવેશ્યો. આ રીતે આ રોચક કથી આગળ ચાલે છે ને તેમાં રાજા અને સંવાહક તથા રાજા અને મંત્રીને ચાતુર્યનાં કથાનકો સંકળાય છે. રાજા અને સંવાહકનાં કથાનક હકકથા સાથે સાંકળ્યાં છે. પરંતુ તે અન્ય કુળ-મૂળનાં છે અને મંત્રી-ચાતુર્ય કથાનક સાથે બંધબેસે તેવાં નથી. કોઈ મંત્રી, કથામાં