Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 194 અમૃત મહોત્સવ સ્મૃતિ . ગુણવત્તા બન્ને દષ્ટિએ આ મહાનગર પણ આમાં કેટલું પાછું પડે છે. તો પછી બીજાં શહેરોની તો વાત જ શી ? જે છે તે છાત્રાવાસો પણ મોટેભાગે યુનિવસીટી કે સરકાર દ્વારા સિંચાલિત હોય ત્યારે ચીલાચાલુ ઘરેડ પ્રમાણે ચાલતાં હોય. એમાં રહેવા-ખાવાનો ખર્ચ બહુજ ઓછાને પોસાય એમાં જગ્યા મેળવવી મુશ્કેલ, છાત્રાવાસના નિયમો પાળવાને બદલે તોડવા માટેજ વધુ ઘડાતા હોય. પરિણામે શિક્ષા મુશ્કેલીઓ કે જાતીય આવેગ-આક્રમણો વિષે માર્ગદર્શન આપવાની વ્યવસ્થાનો સદંતર અભાવ, અને પરિણામે છાત્રાવાસો અને સવિશેષે કન્યા છાત્રાવાયો એટલે સંચાલકો માટે સમસ્યાનો પટારો, મા-બાપો માટે પોતાની દીકરીને ઉછાંછળી અને ઉદ્ધત બનાવવા માટેનું સુફિયાણું સ્થાન અને સ્વયં છાત્રાઓ માટે સંયમરહિત, નિબંધ જીવનપદ્ધતિ વિકસાવવાની તાલીમશાળા બની રહે ખાનગી છાત્રાલયો કે વિવિધ જ્ઞાતિનાં સંગઠનો દ્વારા સંચાલિત છાત્રાલયો ઘણીવાર પ્રવેશ માટેની ચિત્રવિચિત્ર મર્યાદાઓ સમયાનુસારી ન હોવાને લીધે હાસ્યાસ્પદ લાગતી પણ કડકાઈથી લાદવામાં આવેલી આકરી શિસ્ત અને સગવડભર્યા રહેઠાણ અને રહેણાકને લીધે અને કોઈ કોઈ વાર ખુલ્લ ખુલ્લી રીતે રહેવા ખાવાના ખર્ચમાં અપાતી ધર્માદા સ્વરૂપની રાહતને લીધે અછતમંદ અને અભાવગ્રસ્ત વિદ્યાથીઓના આશ્રયસ્થાન જેવા બની રહે છે, અને વ્યક્તિત્વ-વિકાસના પ્રશ્નો ઊભા કરે છે. આમ કન્યા-કેળવણીના વધતા જતા વ્યાપની સાથે, કન્યા-કેળવાગીના આર્ષદ્રષ્ટાઓએ આ વ્યાપને ટકાવતી તંત્રવ્યવસ્થા બનાવતી વ્યવસાયલક્ષી તાલીમ આપતા અભ્યાસક્રમોન હવે વધુને વધુ અગત્ય આપવામાં આવી રહી છે, ત્યારે આ તાલીમનો વધુમાં વધુ લાભ લઈ શકાય એવી સગવડો પાગ પૂરી પાડવી રહી. જરૂર છે એવા છાત્રાવાસોની ક્યાં કન્યાઓને શિસ્તબદ્ધ અને સંયમિત દિનચર્યા અનુસરવી પડે પણ સ્વમાન સાચવીને, ગૌરવભેર રહીને જ્યાં ગૃહકાર્ય અને અભ્યાસનો સુમેળ સાધી શકાય એવી કાર્યવ્યવસ્થા ગોઠવવામાં આવી હોય, જ્યાં પ્રવેશ માટે ના જ્ઞાતિબંધન નડે, ન આર્થિક અભાવ કે ન સ્થળનો અભાવ પજવે. પ્રત્યેક કન્યાશાળા કે મહાશાળામાં એકાદ મોટો ઓરડો ફાજલ પાડીને એક નાનો સરખો છાત્રાવાસ પૂરો પાડી શકાય. સંસ્થાને અનુકુળ સમયપત્રક