Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 157 ધાર્મિક શિક્ષણની આવશ્યકતા બૌદ્ધિક રીતે તો ધરી શકાતો નથી જ નથી. છતાં કશુંક કર્તરૂપે હોય તો જ કાર્ય સંભવે એ મત જેને ગ્રાહ્ય હોય તે અનુમાનપૂર્વક સૃષ્ટિના સરજનહારની કલ્પનાને અનુસરી શકે છે. એ ઈશ્વર છે, એ કારણોનું પણ કારણ છે. એ સર્વજ્ઞ છે, સર્વ શક્તિમાન છે, સર્વવ્યાપી છે અને સચરાચરનો તેનામાં વાસો છે. જેની બુદ્ધિ-શક્તિ તીણતમ છે તેઓ પણ આટલે સુધી પહોંચી શકે છે. આ કોઈ સંપ્રદાય નથી, આ એક માન્યતા, સિદ્ધાન્ત, શ્રદ્ધા છે અને તે સર્વત્ર સર્વ મનુષ્યોને સ્વીકાર્ય બની શકે તેમ છે. આપણી કારણોના કારણની શોધ ભલે જારી રહેતી, પણ આ સ્વીકૃત કારણસમાં સરજનહાર આગળ આપણે નમ્ર બનીએ, એ સર્વમાં વ્યાપ્ત છે, તો સજીવો પ્રત્યે આપણે પ્રેમ દાખવીએ, કોમળ અને અહિંસક બનીએ. વિજ્ઞાન શુધ્ધ સત્ય અને આપણી કલ્પના વડે સમજાયેલું સત્ય એ બેનો સમન્વય કરીએ. આપણા બાહ્યાભ્યતરને એકરૂપ કરીએ, અભિમાન છોડીએ અને સ્વીકૃત કર્તવ્યોને નિઝાથી વળગીએ. આટલું તો કરીએ જ ને? આ જ ધર્મતત્ત્વ છે. પોતાની જાત ઉપરાંત સમગ્ર સમષ્ટિનો સ્વીકાર અને તેની પ્રત્યેની કર્તવ્યભાવના એ જ ધર્મતત્ત્વ છે. બાહ્યોપચાર અને કર્મકાંડ એ ધર્મતત્ત્વ નથી. જગત એવડું નાનું બની ગયું છે અને જગતમાં વ્યાપ્ત ચૈતન્ય તત્ત્વની એકતા પ્રતિ વિજ્ઞાન એટલું બધું ઝૂકી ગયું છે કે સમસ્ત વિશ્વને વ્યાપક ધર્મભાવથી આવરી લેવાનું હવે શક્ય બન્યું છે. એમ પણ કહી શકાય કે ઈશ્વરમાં માનવા ન માનવાની સાથે પ્રશ્નને ગૂંચવ્યા વિના પાણ ધર્મતત્ત્વનું પાલન કરી શકાય એમ છે. મૈ તેવી વિષા વિધેમ એ યુગપ્રશ્ન નથી. ઉમ્ સત્ વિપ્ર વદુધા વતિ એ યુગની વિજ્ઞાનશુદ્ધ ધર્મભાવના છે. પણ કશીક શ્રદ્ધાનું આલંબન ધર્મના પાલનને વધુ સુગમ બનાવી શકે એમ છે. ધર્મ વિને તો મનુષ્યને ચાલવાનું જ નથી. ધર્મ જ ધારણ કરે છે. મનુષ્ય ધર્મ શોધો છે, પ્રબોધ્યો છે, જીવન-સાતત્યના પુરુષાર્થ સાથે તેને સાંકળ્યો છે અને હૃદયની લાગણીઓથી એને પોળો છે. આ ધારણ કરનાર તત્વ વિશે મનુષ્ય બાળકને શિક્ષણ દ્વારા સભાન બનાવવાની જરૂર છે. મનુષ્ય શરીર, મનુષ્ય મન, મનુષ્ય ક્રિયા, મનુષ્ય વ્યવહાર, મનુષ્ય સમાજ અને માનવીય સંબંધો આ સર્વ વિશે મનુષ્યને સભાન બનાવવો ઘટે છે.