Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ શિક્ષણ અને નૈતિકતા 179 સિદ્ધાંતો આ. સમાજના લોકો તેને સ્વીકારે, માને, તે માટે તે નિયમો ધર્મના સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત થયા. અને હકીકતે ધર્મના સમસ્ત સિદ્ધાંતો ભલે તેના સ્વર મુક્તિ માટે હોય પણ મૂળરૂપે તો તેમાં માનવને માનવ તરીકે જીવન જીવવાની કળા શીખવવાના છે. જો ધાર્મિક ક્રિયાકાંડ, માન્યતા વગેરેને આપણે ધર્મના ચશમાને બદલે સામાજિક વ્યવસ્થાના નિયમોના ચશ્માથી જોઈશું તો સ્પષ્ટ થશે કે તે સમસ્ત નિયમો વાસ્તવમાં વ્યવસ્થિત રીતે જીવન જીવવાની કળા જ શીખવે છે. માનવ-માનવ વચ્ચે પ્રેમ વધે, મૈત્રી પુષ્ટ થાય, શક્તિશાળી-કમજોર વચ્ચે ઘર્ષણ ના થાય, તે અંગે માર્ગદર્શન આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વસ્તુ મારા માટે ઉપયોગી કે બિનઉપયોગી છે લાભકર કે કણકર છે, તે વસ્તુ બીજાને માટે પણ તેવી છે આ ભાવના આ ધર્મના શિક્ષણથી જ પ્રાપ્ત થાય છે. ધર્મ અર્થાતું સામાજિક જીવન જીવવાના સિદ્ધાંતો જન-જન સમજે * આચરણ કરે તે હેતુથી તેના શિક્ષણનો ફેલાવો થયો. લોકો સત્યથી પરિચિત થયા અને કહ્યું છે તેમ ‘વિદ્યાએ અન્ય અંધકાર, દૂષણથી મુક્ત કર્યા. “ના વિદ્યા યા વિમુ” શિક્ષણે માણસને વિનયી બનાવ્યો. તેના શિક્ષણની ચમક તેનાથી વધી. વિદ્યા વિનયન શોભતે' કહેવાયું. ખેર ! આ વિદ્યા કે શિક્ષણની એટલી ગરિમા માન્ય રહી કે રાજા, ધર્મ કરતાં તે પૂજ્ય બની, વિદ્યાધનની વિશિષ્ટતા રહી છે કે તે જેમ-જેમ ખર્ચાય તેમ-તેમ વધે. વિદ્યા અર્થાતુ શિક્ષાગને બાપ જન-જનને વિકસિત કરે છે. તેનાં કિરણો સૂર્યની જેમ હૃદયકમળને વિકસિત કરે છે. હકીકતે કોઈ પણ દેશની પ્રગતિ, સંસ્કાર કે સાંસ્કૃતિક મૂલ્યાંકનનો આધાર તેની શિક્ષિત પ્રજાના બાહુલ્ય પર આધારિત હોય છે. શિક્ષણ વિવિધ કળાઓને પ્રોત્સાહિત કરે છે, સર્જનાત્મક ભાવના પ્રેરે છે, મસ્તિકમાં ગુલાબ ઉગાડે છે. જે કલા સર્જનની ભાવના જન્માવે છે તેના મૂળમાં શિક્ષણ હોય છે. ભારતવર્ષમાં ગુરુકુળો શિક્ષણનાં ધામ હતાં. વિદ્યાથી ગુરુના આશ્રમમાં રહી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી સર્વપ્રકારની વિદ્યાઓ શસ્ત્ર અને શાસ્ત્ર બધું જ શીખતો. હકીકતે તે જીવનમાપનની કળાની સાથે જીવન-જીવવાની કળા પણ શીખતો. તેનાં શિક્ષણમાં સ્વાવલંબન, સંસ્કાર રહેતા. તે જીવનના કોઈ ક્ષેત્રમાં નિષ્ફળ નીવડતો નહિ. તે ધર્મના મૂળ સિદ્ધાંતો સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહાચર્ય અને અપરિગ્રહના પાઠ ભાગતો. વિદ્યાથીને તેની રૂચિ અને ક્ષમતા