Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ સાર્વજનિક સંસ્થાઓ અને તેની કાર્યવાહી 137 અંતે મને ખબર પડી કે મેનેજિંગ ટ્રસ્ટીએ બજારભાવ કરતાં અરધાથી પણ ઓછા ભાવે સોદો નકકી કર્યો હતો. મારે આમાં ઊંડા ઊતરવું પડ્યું અને સોદો રબાતલ કરવો પડ્યો. છેવટે એ ભાઈ અસલના ભાવ કરતાં લગભગ 125 ટકા વધારે ભાવ આપીને જગા લેવા કબૂલ થયા. આમાં મેનેજિંગ રસ્ટીની કોઈ બદદાનત ન હતી પાગ તેમણે બજારભાવની જાત તપાસ કરી ન હતી અને કોઈની વાત પર વિશ્વાસ મૂકી દીધો હતો. આ 6 : " પરથી એટલું ફલિત થાય છે કે ટ્રસ્ટીઓમાં પણ ખંત, પરિપકવતા અને જાતે જ તપાસ કરવાની નિષ્ઠા હોવી જોઈએ. આજે શેરોના લેણદેણની (Inside Trading) વાત બહુ સંભળાય છે. કેટલાક દેશોમાં તો એ ગુનાપાત્ર પણ છે. આપણા દેશમાં તો આવું ઘણું બને છે પાગ આપણા જેન આચારવિચારની વિરુદ્ધની આ વાત હોઈ તેનાથી પણ સાવચેત રહેવું જોઈએ. જો આપણે કોઈ કંપનીમાં ડિરેક્ટરપદે હોઈએ અથવા મેનેજમેન્ટના સ્ટાફની રૂએ આપાગને એની કાર્યવાહીની જાણ હોય અને પાસ કરીને તેના નાણાંકીય અને હિસાબી (Finance and Accounting) કામકાજની આપણને જાણકારી હોય ત્યારે તો તે કંપનીના શેરોની લેવડદેવડ બજારમાં ન કરવી જોઈએ એમ હું માનું છું. મને કોઈ મારી કંપનીના શેર બાબત પૂછે તો મારો એક જ જવાબ હોય છે. “તમારા શેરદલાલની સલાહ લઈને આગળ વધો. હું એમાં કાંઈ કહી શકું તેમ નથી.” ઘણાંખરાં ટ્રસ્ટમાં કાયમી ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. આવા સમયે જૂના ટ્રસ્ટીના સ્થાને નવા ટ્રસ્ટી લાવવાનું મુશ્કેલ બને છે તે સમયે પણ જો આવા કાયમી ટ્રસ્ટી જેઓ લગભગ અશક્ત હોય, અંગો શિથિલ થઈ ગયા હોય અને ચાલવાની શક્તિ પણ ન રહી હોય તો તેમણે પાણ પદનો મોહ જતો કરી નવા લોહી માટે રસ્તો કરી આપવો જોઈએ. આ પણ એક પ્રકારનો અપરિગ્રહ જ કહેવાય. સંસ્થામાં રહેલા શક્તિશાળી અને સક્રિય કાર્યકરોને ત્યારે એમ કહેવાની ફરજ પડે કે આ અશક્ત અને વૃદ્ધ દાદાજી હવે નિવૃત્તિ લે તો સારું તે અગાઉ તેવી વ્યક્તિઓએ સ્વેચ્છાએ હોદાં છોડી દેવો જોઈએ. હું તો એમ માનું છું કે સંસ્થા આપણને કહે કે હજી તમે થોડાં વર્ષો સેવા આપો તે મોટામાં મોટું માન છે. વાની પ્રેરણા સ્વયંભૂ હોવી જોઈએ, જબરજસ્તીથી લદાયેલી ન હોવી જોઈએ.