Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ સમૂહ-આત્માઓએ પણ પોતપોતાની પ્રકૃતિને માર્ગ વિકાસ સાધવાનો છે અને એ વિકાસ દ્વારા પરસ્પરને સહાય કરવાની છે. માનવતાના એક સર્વસમાન કાર્યની અંદર આખીયે માનવજાતિને સહાય કરવાની છે.” એ તો સ્પષ્ટ જ છે કે છેલ્લા દોઢસો-એક વર્ષમાં જે રીતે સમાજશાસ્ત્ર વિકસ્યું છે એ રીતે કોઈ મત * વિશેષ દર્શાવવાનો લેખકનો હેતુ નથી કે શ્રી અરવિંદ Sociophilosophical વિચારણા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોય એવું પણ નથી. શ્રી અરવિંદની સમાજશાસ્ત્ર વિષયક દષ્ટિ હૉબ્સ કે મેકિયાવેલીની માફક વર્તમાનમાં જ પુરાઈ રહેતી નથી કે ટગેટ, લેસિંગ કે ફર્ગ્યુસનની જેમ સામાજિક ફેરફારોમાં ભાગ ભજવનાર નિયમો શોધી કોઈ સામાન્ય વ્યાપ્તિ ઉપર આવવું માત્ર પર્યાપ્ત માનતી નથી. બલકે માનવનો સભ્યતાની સઘળી સંકુલ ગતિઓનો તાગ લઈ, હજારો વરસોના પુરુષાર્થથી માનવજાતિએ વિકસાવેલ બહુરંગી સભ્યતાના ભાવિસ્વરૂપનું ચિત્ર આપવા પ્રવૃત્ત થાય છે. આપણા જમાનાના ઉત્તમોત્તમ સંસ્કાર - વારસાપ આ મહાપુરુષોની વાણીના સંપર્કમાં મુકાવું એ જાતે જ એક વરેણ્ય અનુભૂતિ થઈ રહે છે. એ પરાવાણી પોતાના અપૂર્વવિશિષ્ટ સામર્થ્યથી આત્મક્રાન્તિની દિશામાં આગળ ગતિ કરાવી રહો.