Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ શત્રુંજયતીર્ણોદ્ધારના પ્રતિકાતા સૂરિવરનું વંશવા એમ લાગે છે કે “શૃંગારમંજરી'માંનું નિરૂપણ સ્પષ્ટ હોઈ એમાં વિદ્યામંડનના અને વિનયમંડનના શિષ્યોને જુદા પાડેલા હોઈ, એ નિરૂપણ વધારે સ્વીકારવા યોગ્ય છે. વિવેકમંડનને 'પ્રબન્ય'માં વિદ્યામંડન “અમારા શિષ્ય' કહે છે. તેનો ખુલાસો એમ હોઈ શકે કે વિદ્યામંડન ગચ્છનાયક હોઈ બધો એમનો શિષ્ય પરિવાર કહેવાય. ગચ્છનાયકને ગુરુ તરીકે નિર્દેશવાની પ્રથા જોવામાં આવે છે જ. ક્ષમાકલ્યાણ અમૃતધર્મના શિષ્ય છે, પણ પોતાની કૃતિઓમાં એ કેટલીક વાર ગચ્છનાયક જિનલાભસૂરિને ગુરુ તરીકે ઉલ્લેખે છે, પોતાને એમના શિષ્ય કહે છે. કાર્યસોંપણીના વર્ણન વખતે તો નિર્દિષ્ટ મુનિઓ કોના શિષ્ય એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું નથી. એ વિદ્યામંડનના તેમ વિનયમંડનના શિષ્ય (કે પ્રશિષ્ય પણ) હોઈ શકે છે. એ વિદ્યામંડનસૂરિનો પરિવાર છે એમ અવશ્ય કહી શકાય. એટલે વિવેકમંડન અને વિવેકથીરને અને સૌભાગ્યમંડનને વિનયમંડનના શિષ્યો લેખવામાં કશો બાધ આવતો નથી. કર્મા શાહે વિનયમંડન માટે ‘પૂજ્ય’ શબ્દ વાપર્યો હોવાનું પ્રબન્ધમાં મળે છે. એટલે કાર્યસોપણી વખતે પણ એમને માટે ‘પૂજ્ય' શબ્દ વપરાયો હોવાનું માનીએ તો તો “શૃંગારમંજરી'ની માહિતી સાથે કશો વિરોધ રહેતો નથી. વિવેકબીરનો “શૃંગારમંજરી'માં ઉલ્લેખ નથી તેનું કારણ એમ હોઈ શકે કે એની રચના વેળા (સં. ૧૯૧૪માં) વિવેકધીરગણિ કદાચ હયાત ન હોય. ‘શૃંગારમંજરી'માં વિનયમંડનના સમગ્ર શિષ્ય પરિવારનાં નામો નથી, પણ વિવેકબીર તો અગ્રણી શિષ્ય હોઈ એમનું નામ, એ હયાત હોય તો દર્શાવ્યું જ હોય. આમ, વિકમંડન, વિવેકથીર, સૌભાગ્યમંડન અને સૌભાગ્યરત્નની ગુરુપરંપરા નિશ્ચિત થઈ શકે છે. જયમંડન, રત્નસાગર અને ક્ષમાપીરની ગુરુપરંપરા સંદિગ્ધ રહે છે. વંશવૃક્ષમાં જયમંડન અને રત્નસાગરને વિદ્યામંડનના શિષ્ય કહેવામાં આવ્યા છે તે માટે 'પ્રબન્ધ'માં પૂરતો આધાર નથી અને સમાધીરને વિવેકબીરના શિષ્ય ગાગવા માટે તો એમાં કંઈ જ નથી - બીજા કોઈ સાધનના ઉપયોગથી જિનવિજયે આમ કર્યું હોય તો જુદી વાત છે. અહીં એક વાત નોંધવી જોઈએ કે મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન ગૂર્જરી કવિઓ'માં તથા કનુભાઈ શેઠે પોતાના સંપાદનમાં “શૃંગારમંજરી'ની પ્રશસ્તિમાં ‘વિજયમાન કુલમંડનઈ શ્રી વિવેકમંડન વિઝાય' એ પંક્તિમાં ‘કુલમંડનીને વ્યક્તિનામ - તેથી વિનયમંડનના શિષ્ય - ગણેલ છે (એને ઘાટા બીબામાં છાપેલ છે કે અધોરેખિત કરેલ છે.) પરંતુ એ સમજફર જણાય છે. અહીં આ પહેલાં ઉદધૃત કરેલી બે કડીઓ વાચતાં જણાશે કે વિવેકમંડના પહેલા શિક્ષણ અને સૌભાગ્યમંડન બીજા શિષ્ય એમ ચોખો કમ દર્શાવ્યો