Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 92 નાભેયજિન વિશપ્તિસ્વરૂપ સ્તવનમ્ આમંત્રણથી ગાંધારથી દિલ્હી પધાર્યા. ત્યાં અકબર બાદશાહને પ્રતિબોધ આપ્યો. તે પછી તેઓએ વિહાર કર્યો. ત્યારે અકબરની વિનંતીથી પોતાના પ્રતિનિધિ તરીકે જગદ્ગુરુશ્રીએ આ ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રગાળીને મૂક્યા હતા. અકબર બાદશાહ રવિવારે પ્રાત:કાળે ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રજીના મુખથી સૂર્યસહસ્રનામનું શ્રવણ કરતા હતા. આ સૂર્યસહસ્રનામનું શ્રવણ કરાવવાને કાજે ઉપાધ્યાય ભાનુચન્દ્રજીએ અકબર બાદશાહ સાથે ઠેઠ કાશ્મીર સુધી વિહાર કર્યો છે. શંત્રુજયનો પ્રસિદ્ધ જજિયાવેરો માફ કરવાની ઘટના આ જ વખતે, કાશમીરના જયણલંકા સરોવરના કાંઠે બની. અતિશય ઠંડીના કારણે શ્રી ભાનુચન્દ્રજી થીજી ગયા, તે જોઈને, આવા કષ્ટથી પ્રભાવિત થઈને, અકબર બાદશાહ આગ્રહપૂર્વક કંઈક માગવાનું કહે છે. તે વખતે ઉપાધ્યાય ભાનુચન્દ્રજી શત્રુંજયના કરમોચનની માંગણી મૂકે છે; જેનો સ્વીકાર થાય છે. આ ઘટનાનું વર્ણન પણ પોતે જ નામેયનિવિજ્ઞાતિમાં ૫૦થી 58 - એ નવ શ્લોકમાં કર્યું છે. સાથે ગોવધબંધી માટે પણ વાત કરે છે અને તેનો પણ સ્વીકાર થાય છે. આ રીતે ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રજીગણિ એક પ્રભાવસંપન્ન પુરુષ તરીકે પણ પ્રસિદ્ધ છે. કારણ ગમે તે હોય, ઉપાધ્યાય શ્રી ભાનુચન્દ્રજી કૃત આત્મનિન્દાગર્ભિત સ્તોત્રની બે પ્રત મળે છે. બંને અલગ અલગ સંવતની છે. બંનેની શ્લોક સંખ્યા પણ જુદી જુદી છે. એકની 63 છે અને બીજીની 83 છે. આ બંને પોથીઓનો પરિચય આ પ્રમાણે છે. શ્રી ભાવનગર વે. મૂ. જૈન સંઘ શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢીના જ્ઞાનભંડારમાં દાબડા કમાંક: 49, પોથી : 489, પ્રતિ: 2772 પત્ર: 4, પ્રત્યેક પત્રમાં પંક્તિ 11, શ્લોકસંખ્યા: 63 છે. પ્રતિલેખકની પુષ્પિકા આ પ્રમાણે છે - इतिश्री जिनस्तवनं // श्री शत्रुजयकरमोचनादिसुकृतकारि महोपाध्याय श्री 19 श्री भानुचन्द्र गणि चरणसरोजमधुव्रत पंडित श्री उदयचन्द्रगणिनालिखितं ग० प्रेमचन्द्रकृते, संवत 1677 वर्षे आसो मासे शुक्ल पक्षे पंचमीदिवसे बुधवारे करहडानगरे इति भावकं भूयात्। આપણે આ પ્રતને મ. એવી સંજ્ઞાથી ઓળખીશું. બીજી પ્રત અમદાવાદ દેવશાનો પાડો શ્રી વિમલગચ્છનો ભંડાર, દાબડા ક્રમાંક: 140, પોથી : 5487, પત્ર: 8 પ્રત્યેક પત્રમાં પંક્તિ : 15 -કોઈક પાનામાં 14 અને છેલ્લા પાનાની બીજી પૂઠીમાં 11. કેટલાંક પત્રમાં હુંડીમાં (હાંસિયામાં) ટિપ્પણ સ્વરૂપે શબ્દાર્થ તથા પાઠાન્તરની પંક્તિઓ