Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના ધર્મપ્રણાલીને આઘાત કરવાનો ન હતો, છતાં ઈશ્વરના કર્તુત્વ ને સર્વોપરીતાને વિચાર જેમાં અનુસૂત છે તે ખ્રિસ્તી સંપ્રદાયને પોતાના પાયા જમીનદોસ્ત થતા લાગ્યા, જ્યારે શ્રી અરવિંદનો સિદ્ધાંત તર્કસંમત હોવા છતાં એના બાહ્ય પરિણામોને અભાવે “અવાસ્તવિક' લેખાયો એમ પણ બન્યું. આ બન્નેના કાર્યનું સામ્યવૈષમ્ય વિચારવાનું પ્રસ્તુત જ નથી. પરંતુ શ્રી અરવિંદનો સામાજિક દર્શનના આ ગ્રંથમાં ઉત્કાન્તિનો સવાલ સ્વીકૃત સત્યરૂપે હોઈ સહેજ નિર્દેશ કર્યો. એક છેડે ઘણો નક્કર સઘન પદાર્થ જડત્વ અને બીજે છે. અતિમાનસ ચેતના એની વચ્ચે અનેક અવસ્થા આવે છે. એ બધાની સિદ્ધિમર્યાદા શ્રી અરવિંદ તપાસે છે. ભૂમિકા ઐતિહાસિક છે. નિ:શંક, પરંતુ જુદાં જુદાં રાષ્ટ્રો, સમાજો કે સભ્યતાઓની વાત આવતી નથી. શ્રી અરવિંદનો એ ઉપકમ નથી. બલકે એમ કહેવું વધુ ઠીક છે કે અત્યારના ઇતિહાસવિદ અનલ્ડ ટૉઈન્મી એકવીસ જેટલી સભ્યતાઓ (Civilizations) સ્વીકારે છે અને સભ્યતાઓના ઇતિહાસમાં વિકાસ અને વિનાશની એક ચાલુ ધાટી હોય છે એવા સ્પંગ્લરના (જો કે ટઈન્ગીનો મત સંપૂર્ણત: નથી ઍબ્સરને અનુસરતો કે નથી પોલિબિયસને) મંતવ્યને આગળ લંબાવી આહ્વાન અને પ્રત્યુત્તર ('Challenge and Response') ની પ્રક્રિયા દ્વારા જેની વિકાસગતિ છે તે સભ્યતાઓનો ધ્વંસ થવાનાં કારણો મુખ્યત્વે મનુષ્યની નાસ્તિકતા * અનૈતિક્તા છે એમ કહે છે, એને બદલે શ્રી અરવિંદ અનેક પાર્શ્વભૂમિકામાં સમગ્ર માનવસભ્યતાની પર્યાલોચના કવચિતું પૃથક્કરણાત્મક તો કવચિત સમન્વયાત્મક રીતે કરે છે. અત્યાર સુધીના માનવજાતિના પુરુષાર્થનું સરવૈયું કાઢી હવે એની ગતિવિધિ કઈ દિશામાં હશે તે બતાવે છે. એ એક દેખીતો વિરોધાભાસ છે કે રૂઢિચુસ્ત ખ્રિસ્તી ધર્મ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો વિરોધ કર્યો. તે જ ખ્રિસ્તી ધર્મ ટૉઈબી દ્વારા પુન:સ્થાપના માટે મથી રહ્યો હોય એવું લાગે છે. પણ જમાનો બદલાયો છે. ટૉઈબીના શકવત ગ્રંથોનું બહુમાન કરવા છતાં ઇતિહાસ એટલે કોઈ રાજકારણ કે વિગ્રહનો જ નથી હોતો, સભ્યતાઓ યુદ્ધથી નાશ પામતી નથી - માનવસભ્યતા અવિનાશી છે. કારાગકે ખરી રીતે તો તે જીવનપ્રણાલી છે, ધર્મને વચ્ચે લાવવો બિનજરૂરી થઈ રહે છે વગેરે વિરુદ્ધ અભિપ્રાયો વ્યક્ત થયા છે. અને તેમના પ્રતિપાદનને “અંગત’ લેખવામાં આવ્યું છે. ગમે તેમ, શ્રી અરવિંદે આલેખેલી માનવજાતિના ભાવિની વ્યવહારુ પ્રક્રિયામાં અધ્યાત્મનેતાઓનો સ્વીકાર છે, પહેલાં અમુક મનુષ્યોમાં અતિમનસનું અવતરણ થશે, પછી એ Principle બહોળા અભિમુખ જનવર્ગ