Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 53 8. પાવાગઢ તાંબર જૈન તીર્થ: પ્રાચીનતાની ગૌરવગાથા - પન્યાસ શ્રી જગચ્ચન્દ્રવિજયજી ગુજરાત એ જેનોના અનેક તીર્થોથી શોભતી ભૂમિ છે. ગુજરાતની ધરતી પર રહેલા મહાન પહાડો-પર્વતો ઉપરના જિનમંદિરો જૈન ધર્મની વિજયપતાકા લહેરાવી રહ્યાં છે. કુમારપાળના સમયનું ગુજરાત “અહિંસા પરમોધર્મ ના સર્વ કલ્યાણકારી, અહિંસા આદિના મહાન સિદ્ધાંતોને આચરણમાં મૂકી જૈન ધર્મનો વિજયડંકો વગાડતું હતું. અને એના કારણેજ બીજા પ્રાંતોની અપેક્ષાએ ગુજરાતની પ્રજા વધુ અહિંસક અને વધુ સહિષણું જોવા મળે છે. આ માટે યશ આપવો જોઈએ મહાન રાજર્ષિ કુમારપાળ અને અહિંસા તથા કરણાને સાક્ષાત અવતારમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને. આ બન્નેના મેળાપે ગુજરાતનો ઇતિહાસ જ બદલી નાંખ્યો. અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદ અને આત્મકલ્યાણના મૂક સંદેશા આપતાં તીર્થો, મંદિરો અને ધામોથી ગુજરાતમાં વડોદરા શહેરથી 50 કિ.મી. દૂર પંચમહાલ જીલ્લામાં પાવાગઢ નામનો પહાડ આવેલો છે. આ વિસ્તારમાં પાવાગઢ પહાડ મધ્યમાં આવેલ છે. પ્રાચીન અવશેષોથી સમૃદ્ધ બનેલ પાવાગઢ તીર્થ-જેનોનું મહાન તીર્થ હતું તે ઇતિહાસનાં પૃષ્ઠોથી જાણવા મળ્યું. આ પહાડ એક વખત શ્વેતામ્બર જૈનોના મોટા તીર્થસ્થાન રૂપે હતો. ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળ સુધીમાં શ્વેતામ્બર જૈન મંદિરો ત્યાં અસ્વિમાં હતાં, પરન્તુ બની ગયેલા આત્માની - સુલતાનીના પ્રસંગોથી ત્યાં આજે ઉપર