Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 43 તપનું તેજ અવરોધ કરતા પરંતુ ત્યાગ અને વૈરાગ્યવૃત્તિ ધારણ કરી બન્ને દેહાધ્યાસ છૂટે તેનો પ્રયત્ન કરતા. તે સિવાય મુક્તિ નથી. ચિત્ત નિર્મળ થતું ગયું, બુદ્ધિ સ્થિર થતી ગઈ એટલે સારાસારનો વિવેક પણ ધ્યાનમાં આવ્યો. આનંદના આધ્યાત્મિક વિકાસ વખતે એક જાગવા જેવો પ્રસંગ બન્યો. ગોશાલક નામનો ભગવાનનો એક શિષ્ય વર્ષો સુધી ભગવાન સાથે રહી મનદુ:ખ થતાં જુદો થયો. કારણ એટલું જ કે ભગવાને એને કોઈને બાળી મૂકવાની તેજલેશ્યા સિદ્ધિમંત્ર શીખવ્યો નહીં. ગોશાલકે પોતે તપ દ્વારા એ સિદ્ધિ અને નિમિત્તજ્ઞાન મેળવ્યું અને પછી પોતાને તીર્થકર મનાવવા લાગ્યો. સોળ વર્ષ સુધી એ ખુમારીમાં ફર્યો અને શ્રાવસ્તી નગરીમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે એના એક સમયના ગુરુ પણ અહીં પધાર્યા છે. ભગવાનના બીજા મહા પ્રજ્ઞાવાન શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમે લોકોને કહેતા સાંભળ્યા. ‘આજે આપણી નગરીમાં બે તીર્થંકર પધાર્યા છે.” અભિમાનનો કેફ ચડે ત્યારે મનુષ્ય સત્યને પારખી શકતો નથી. ગોશાલક જાણતો હતો કે લોકો ભગવાનને ભાવથી પૂજે છે. સોળ વર્ષોથી મેં કમાવેલી કીર્તિ ધૂળમાં મળી જશે. માર્ગમાં આનંદને જોતાં રોક્યો અને કહ્યું: કહી દેજો તમારા ગુરુને મારી સ્પર્ધા ન કરે. મારા શિષ્યોને ભરમાવે છે. સદાલપુત્ર મને છોડી ગયો. મારા નિયતિવાદનું ખંડન કરે છે તો પરિણામ સારું નહીં આવે.” આ અવનિ પરથી ભગવાનની હસ્તી મિટાવવા એણે ભગવાન સામે જ તેજલેશ્યાની જ્વાલા ફેંકી પણ એ જ્વાલાએ ભગવાનને પ્રદક્ષિણા કરી અને પછી ગોશાલક તરફ વળી એને જ ભસ્મીભૂત કર્યો. ગોશાલકે પોતે જ પોતાનો ઘાત કર્યો. | આનંદ આત્મસાધના તરફ વધુ પ્રગતિ કરી રહ્યા હતા. પાંચ મહાવ્રતનું અનુસરણ કરતાં મન, વચન અને કર્મના વ્યાપારોને સન્માર્ગે વાળ્યા હતા. એ ઉપાસનાથી એમને હૃદયની શુદ્ધિ થઈ રહી હતી. તપ એ સંયમનું બીજું સ્વરૂપ છે અને એ તપનું તેજ એમના મુખ ઉપર ઝગારા મારી રહ્યું હતું. મિત્તી કે સન્ન મૂળુ, વેર મારું ળ! સર્વ જીવમાત્ર પ્રત્યે મને મૈત્રીભાવના હો, કોઈ પ્રત્યે વેરભાવ ન હો. આનંદ જાણતા