Book Title: Maharshi Metaraj
Author(s): Jaybhikkhu
Publisher: Sarabhai Nawab

View full book text
Previous | Next

Page 11
________________ ને સમાજમાં ય “સમતાગુણના દષ્ટાંત સિવાય એમને વિશેષ સ્થાન મળ્યું નથી. ઘણું ઘણું ગ્રંથના અવલોકન બાદ એમના વિષે થોડીઘણી લીંટીઓ અને એકાદ બે અધૂરી સજઝાયો માત્ર મેળવી શકાઈ છે. મને લાગે છે, કે છેલ્લા વખતની ધર્મજડતાએ એ જીવનને બની શકયું તેટલું ગોપવ્યું હશે, અથવા અનેકાનેક સ્વસ્વમતપોષક વાદવિવાદ ઉપજાવી ગૌણ કરી મૂક્યું હશે. મારે અને મહર્ષિ મેતારજને સંયોગ અણધાર્યો થયેલ છે. પેટ પૂરવાની રોજગારીની રોજિંદી ધમાલમાં “સ્વાધ્યાય'ને સદા એ છો અવકાશ મળ્યા કર્યો છે. છતાં ય એકવાર આડાંઅવળાં પાનાંઓ ફેરવતાં આ શદ્ર મુનિ હાથ પર આવી ગયા. આવતાંની સાથે જ એણે આકર્ષણ કરી લીધું. નાનું શું જીવન છતાં કેવું રંગબેરંગી ! કેવું તેજસ્વી ! ધર્મ, અર્થ, કામ ને મોક્ષઃ ચારે પુરુષાર્થને કેવાં ચરિતાર્થ કરી જાણ્યાં ! જાણે માનવીની રાજની પ્રાર્થનાઓનું સ્વમ ! જેટલી ઝડપથી એણે આકર્ષણ કર્યું એટલી ઝડપથી જ એણે એક સાપ્તાહિક પત્ર માટે દશેક અઠવાડિયાં ચાલે તેટલું વાર્તાસ્વરૂપ લઈ લીધું. આ પછી “સ્થૂલિભદ્ર' જગ્યું, પણ એથી પેલા શુકમુનિની વાર્તા આછી બનવાને બદલે વધુ જીવન પામતી ગઈ. કથાનાયકનું જીવન તો સાવ અલ્પ હતું, પણ એમાંથી નવક્રાન્તિનાં અનેક બળોનું દર્શન લાધતું ચાલ્યું. એ શમુનિની આસપાસ જીવતી વ્યક્તિઓના વ્યક્તિત્વનું જાદુ થયું. સ્થાવાદના પરમ પ્રચારક જ્ઞાતપુત્ર મહાવીરની ઉપદેશધારા ક્યાં ક્યાં ને કેવી કેવી રીતે વહી હતી, તેનું એક સળંગ દર્શન પ્રાપ્ત થયું. અને એ બધામાંથી આજના યુગને માટે ગુરુમંત્ર સમાન એક બોધપાઠ મળ્યો. જે યુગમાં માનવી માત્રને મન સમર્પણ ભાવના–કંઈ કરી જવાની તમન્ના હોય છે, એ યુગ જ મહાન હોઈ શકે છે. દ્રવ્યલેભ, સત્તાલોભ કે કીર્તિભ કરતાં માનવી માનવી માટે કરવામાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 344