Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈન ધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧૫૦
૦ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
એ
પરમનિષ્પઢી તપસ્વી પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મઢારાજની કૃપાથી હાલાર અને હાલારીઓ જાગૃતિને કારણ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે સલારી અને વિશ્વને
જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકસિત
શ્રી જૈન શાસન અઠવાડિકને
શુભેચ્છા
भाचार्य श्री कैलास मागर सूरि ज्ञान मनि।
મા જ ન દેત્રે कास, जि. गांधीनगर, पीन-३८२००९
મોક્ષદુ:ખમાંય જોઇએ અને સુખમાંય જોઇએ
આ જીવે સંસારમાં અત્યાર સુધીમાં કટ કેટલું વેક્યું છે, એ જો તમે જાણો, તો તમને લાગે કે, મોક્ષના માર્ગે મહેનત શરૂ થઇ ગયા પછીથી ભારેમાં ભારે કષ્ટો આવે તો પણ એ કષ્ટો, પૂર્વે આ જીવે વેઠેલાં કષ્ટના હિસાબે કોઇ ગણતરીમાં ગણાય નહિ. પેલાં કટોરીબાઇરીબાઈને ભોગવેલાં, અજ્ઞાનપણે ભોગવેલાં, જ્યારે આ કષ્ટો આનંદથી ભોગવવાનાં, સમજપૂર્વક ભોગવવાનાં. એટલે એક વાર નક્કી કરી લો કે, મારે માત્ર મોક્ષ જ જોઇએ, ઊંઘમાંથી તમે ઝબકી જાવ અને બોલો તોય મોક્ષ જ જોઇએ, એવી મોક્ષની તાલાવેલી કેળવો દુ:ખમાંય જેને હૈયે એક મોક્ષ જજોઇએ, એમ હોય, તેને માટે મોક્ષ બહુ સહેલો બની જાય. એક માત્ર મોક્ષના જ માર્ગે મહેનત કરવા માંડી, એટલે એ મહેનત કરતાં કરતાં કર્મ ક્ષીણ થઇ જાય અને સકલ કર્મ ક્ષીણ થઇ ગયા પછીથી એક સમયમાં તો આત્મા સિદ્ધશીલા ઉપર લોકાગ્રે પહોંચી જાય.
સારમાં જીવને સુખ મળે તોય તે ક્વચિત્ મળે. ક્વચિત્ મળેલું સુખ પણ પૂરું તો કોઇનેય મળે નહિ; અને એ સુખ સદાટક્યું રહી શકે નહિ! એવા સુખની ઝંખના કર્યા કરીને આ જીવે દુ:ખ બહુ વેક્યાં; બહુ વાર વેઠ્યાં. મોક્ષનું સુખ એવું છે કે, એ મળ્યું એટલે મળ્યું; એમાં કશી જ ઉણપ હોય નહિ અને કદી પણ એ જાય નહિ! જોઇએ છે મોક્ષ? જેને મોક્ષ જોઇતો હોય, તેને ધર્મજ ગમે કે બીજું કંઇ ગમે? પાપના યોગે બીજું કાંઇ ગમે, તોય એ ગમે નહિ અને એક ધર્મ જ ગમે. એને તો દુ:ખમાં ને સુખમાં એક ધર્મ જ ખરેખર ગમે ને ? આ એકલો ધર્મ જ જેને ગમે, તેને નિર્જરા સધાય, પણ પાપ બંધાય નહિ અને જો પુણ્ય બંધાય, તો તે પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય. મોક્ષની પ્રાપ્તિ થવામાં જેટલો કાળ એને કાઢવો પડે, તેમાં એનું પુણ્યાનુબંધી પુણ્ય પણ ધર્મમાં સહાયક થાય, પણ એનું અન્ત:કરણ એવું બની જવું જોઇએ, ‘મારે એક માત્ર મોક્ષ જ જોઇએ અને એ માટે ધર્મજ જોઇએ!”
શ્રીમતી જયાબેન ગુલાબચંદ મૂલચંદ મારૂ પરિવાર
મોટા માંઢા, હાલ લંડન, 20 - ARDEN RODA, LONDON,
JV - 3. 3AN
૮૫૭