Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પદ્મ નિશ્પી તપવી પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની કૃપાથી ઢમાર અને હાલારીઓ જાગૃતિને કારણ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે રામારી અને વિશ્વને જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકસિત શ્રી જૈન શાસન અઠવાડિકને
હાર્યાર્દકશુભેચ્છા
ચામડીવિનાના શરીર જેવોબિહામણોસંસાર
આ શરીર ઉપર ચામડી જોન હોય, તો આ શરીર કેવુંબિહામણું લાગે?તેમ આ સંસાર(પર પણ પુણ્યનો ઓછાડઅને માયાનેપ્રપંચ જોન હોય, તો આ સંસાર એથીય વધારે બિહામણો લાગે એવો છે. આપણા શરીર ઉપરની આ ચામડી જો ઉતારી નાંખવામાં આવે, તો ખુદ આપણને પણ અત્યારે આપણું બનેલું જે શરીર છે, તે પણ જોવું ભારે પડી જાય ને? એને જોતાં ચીતરી ચઢે એવુંચ બને ને ? આજે અરીસામાં પોતાનું મોઢું અને શરીર જોઈને રાજી થનારા છે, પણ એમાં રાજી થવું એ બેવકૂફી નથી ?
ચામડીનું પડ ન હોય, તો આ શરીર કેવું છે, એનો વિચાર તમને કદી પણ આવે છે? ખરે, શરીર ઉપર ચામડી હોવા છતાં પણ જ્યારે મોઢા ઉપર જરા ચાઠાં પડી જાય છે ત્યારે, અગર તો આ શરીર ઉપર ગડગુમડ થઈ જાય છેત્યારેપણ એ મોઢુંઅને એશરીર જોવુંગમે નહિ, એવું બની જાય છે ખરું? તેમ આ સંસારમાં પણ પુણ્યનો ઓછાડબિછાવાયેલો છેને માચાનો પ્રપંચવિસ્તરેલો છે, માટે સંસાર જ્યારે સુખવાળો હોય, ત્યારે સારો લાગે, એવુંજ્ઞાની જીવોને માટે બની જાય છે. પુણ્યની કોઈ અસર નહિ, માયાપ્રપંચની કોઈ અસર નહિ, અને તે પછી જો સંસાર કેવો છે, એની કલ્પના પણ રો, તોય તમને લાગે કે, આ સંસારમાં વસ્તુત: કશું જ સારું નથી.
એમ. ડી. શાહ
૨૨A૬૦૩, અશોકનગર, કલ્યાણ રોડ, ભીવંડી.
શનિ દાન પ્શન જ જરૂ