Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શું ગુરુ દ્રવ્ય દેવ પ્રૂવ્ય નથી ?
શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ ૧૫ અંક : ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૩
જીજીવ્યા ના દીવથી?
(આ લેખ સાબરમતી સ્મૃતિ મંદિરમાં પૂ. ગુરુદેવોની મૂર્તિની પ્રતિષ્ઠાની બોલી ને દેવદૂવ્યમાં જાય છે. તે બોલી સ્મારકમાં લઈ જવાની વાત ઉભી થઈ. હાજર રહેતી પૂજયોની વાત સાંભળી નહિ અને શાસ્ત્રી નિરાધાર ૪ વિચારો ને મુંગે મોઢે અમલ કરવાની યોજના કરી એને તે વાતને સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રીય વિચારધારાને દૂધર વનારની વાત ધ્યામાંજ લીધી નહિ.
પરંતુ પાલીતાણામાં વાચનામાં થયેલા 'સન્માર્ગદર્શન'માં છાપીને આવિચારભેદનો એક પક્ષીય પ્રચાર ૪ શરૂ કર્યો. આ વાત વાંચીને તેમણા સ્પષ્ટ વિચારો દેવ દ્રવ્યમાં લઈ જવાના છે અને તે વિચારો તેઓશ્રીએ તેમજ ૪ સ્પષ્ટ જણાવ્યા હોવા છતાં એક પક્ષીય વિચારો પ્રચારી દીધા છે ત્યારે આ લેખના લેખક પૂ. આચર્યદેવશ્રીએ શાસન રક્ષાના પ્રયત્ન રૂપે ગુરુમૂર્તિની બોલીઓ દેવદ્રવ્યમાંજ થાય તેવું પ્રતિપાદન કર્યુ છે તે શાસ્ત્રના પાઠોદ્વારા ૪ સિધ્ધ કરેલ છે.
લેખક પૂ. આચાર્યદેવશ્રીને સમુદાયની વ્યવસ્થા માટે સ્વ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મ. એ સમુદાયના ગચ્છાધિપતિ તરીકેના ભલામણ કરી છે અને સમુદાયની સમસ્ત વ્યવસ્થા લખી આપી છે. એવા ગચ્છનાયકને યોગ્ય પૂ.શ્રીના સ્પષ્ટ શાસ્ત્રીય વિચારોથી સૌ સ્પષ્ટ શાસ્ત્રીય વિચારવારા બન્ને ને જિન આજ્ઞાના આરાધક બની એજ અભિલાષા – સંપાદક)
ગુરુ વ્યના વિષયમાં પૂ.પા. આચાર્યભગવન્ત શ્રી રામનન્દ્રરીશ્વરજી મ.સાના સમુદાયમાં કેટલાક વખતથી વિચારભેદ ઉપસ્થિત થયો છે. એમાં એક વર્ગ ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા વગેરેના ચઢાવાદિનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય એમ માને છે અને એક વર્ગ ગુરુમંદિર–સ્મૃતિમંદિરાદિના નિર્માણમાં વાપરી શકાય એવું માને છે. મારી માન્યતા એ દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય એવી છે. મારી માન્યતા જણાવવા જેવા આચાર્યાદિને જણાવી છે. સમુદાયના ઘણા મહાત્માઓ મારી માન્યતા જાણે છે કે આ. વિચક્ષણસૂ. 'ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા વગેરે ચઢાવા વગેરેનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય'–એવી માન્યતા ધરાવે છે.
આટલા વખત સુધી એ દ્રવ્ય ગુરુમંદિર–સ્મૃતિમંદિરમાં વાપરવાની વાત પ્રચારના
તખ્તા ઉપર નહોતી આવી ત્યાં સુધી મારી માન્યતાને પ્રચારમાં લાવવાની બાબતમાં હું મૌન હત . જયા૨ે પૂ.આ.દે.શ્રી રવિપ્રભ સૂ.મ.ની નિશ્રામાં આ. શ્રી હેમભૂષણ સૂ.મ. તથા આ.શ્રી કીર્તિયશ સૂ.મ.એ સાધુ–સાધ્વીઓને તથા સન્માર્ગપત્રમાં જણાવ્યા પ્રમાણે ઓછાવત્તા પ્રમાણમાં ઉપસ્થિત શ્રાવકોને ત્રણ દિવસની વાચનામાં સમજાવવા દ્વારા પ્રચારકાર્ય શરૂ કર્યું. ત્રણ ત્રણ દિવસની વાચનાના અંતે સન્માર્ગપત્રમાં જણાવવામાં અને પ્રચારવામા આવ્યું કે '' ત્રણ દિવસની વારાના બાદ શ્રોતા (ઉપસ્થિત શ્રાવકો), સૂરિવરો તેમજ સાધુ-સાધ્વી ભગવન્તોએ ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો". સન્માર્ગ પત્રથી આ રીતની જાણકારી મળ્યા પછી મને એમ થયું કે હવે મૌન બેસી રહેવું જરાય ઉચિત નથી કેમ કે આ દેવદ્રવ્યનો વિષય છે. દેવદ્રવ્યનો ગેર ઉપયોગ
૧૧૦૮