Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 11
________________ જ કેમ ? મન પણ બળે છે, જીવ પણ બળે છે. સુખ પણ બળે છે. આલોક પણ બળે છે ને પરલોક પણ ભડકે બળે છે. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક - परिहरसु तओ तासिं दिहिँ दिट्ठिविसस्स व अहिस्स । ___जं रमणीणयणबाणे चरित्तपाणे विणासंति ॥ જેની નજરમાં ય ઝેર હોય, એવા સાપને કોણ નજર સામે લાવે ? કોણ એનાથી દૂર ન ભાગે ? બરાબર એ જ રીતે નારીની દૃષ્ટિને પણ એવોઈડ કરવી જોઈએ. આ તો એ બાણ છે, જે ચારિત્રને ખતમ કરી નાખે છે. સંસારનું એક એક અંગ અંગારો છે. એને જ્યાંથી પણ અડો, તમારે દાઝવાનું છે, બળવાનું છે, ને ખૂબ ખૂબ પસ્તાવાનું છે. ભીતરમાં ભરેલી વિષયોની ભૂતાવળ આમાં દુકાળમાં અધિક માસ-નો ઘાટ ઘડે છે. કેટકેટલા વિકારોની આગ ઉમેરાય છે, ને ભડકે બળે છે આખો સંસાર. ખરો સવાલ એ નથી, કે આ સ્થિતિમાં સુખ હોઈ શકે કે નહીં? ખરો સવાલ તો એ છે, કે આ સ્થિતિમાં સુખ શોધનાર વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોઈ શકે કે નહીં? Please, ask yourself, who are you? Normal or abnormal ? તમે જે પણ હો, જ્ઞાનીઓએ હવે તમને કશું જ કહેવાનું રહેતું નથી. જ આ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84