Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 23
________________ નવ મહિના પેટમાં ભાર ઉંચકીને નરક જેવી પીડા સહીને જેને જન્મ આપ્યો, લેશ પણ અરુચિ વિના જેના મળ-મૂત્ર-કફ વગેરે હોશે હોશે સાફ કર્યા, ભૂખ્યા રહીને જેને જમાડ્યો, ઉજાગરા કરીને જેને ઉંઘાડ્યો, ભીને સૂઈને જેને સૂકે સૂવાડ્યો ને જેની પાછળ તન-મન-ધન બધી જ રીતે ઘસાઈ છુટ્યા એ જ દીકરો તમાચો મારવા જેવું કામ કરે એ વિશ્વાસઘાત નહીં તો બીજું શું છે ? મન આમ પણ ચર્ચાળ છે. વિષયસેવનની બાબતમાં એની ચંચળતા અનેકગણી બની જાય છે. કેટકેટલી સ્ત્રીઓને પત્નીરૂપે જોતો પતિ ને કેટકેટલા પુરુષોને પતિરૂપે જોતી પત્ની એ આ સંસારની કડવી સચ્ચાઈ છે. આ સ્થિતિમાં “મારો પતિ કે મારી પત્ની એ એક છળ-પ્રપંચ નથી તો બીજું શું છે ? યાદ આવે શાંતસુધારસ - ગર્ભિન્ન વિચિત્તવા - આત્માન્ ! શા માટે ખોટા મમત્વોમાં મોહાય છે ? હકીકતમાં આમાંથી કશું જ તારું નથી. તું જ તારી જાતને છેતરે છે, ને તું જ તારી જાતે દુઃખી દુઃખી થાય છે. ખબર છે મારું કશું પણ નથી, છતાં પણ છોડવાનું ગજું પણ નથી. અનાદિકાળની આ ભૂલને સુધારવાનો આ અવસર છે. વિવેકની જ્યોતિને પ્રગટાવવાનો આ અવસર છે. એક વાર એ જ્યોતિ પ્રગટે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું. સ્વ અને પરનો ભેદ સ્પષ્ટ થઈ જવાનો, ને એની સાથે જ આ દર્દનાક પ્રપંચ પર પૂર્ણવિરામ મુકાઈ જવાનું. Come, Let's enlighten this light inside us. You are welcome. ૨૩ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84