________________
Demands ને જો જ્ઞાનીઓ પાસે રજુ કરી દઈએ, તો જ્ઞાનીઓ એમ જ કહેશે, કે તમારે હકીકતમાં એટલું જ કહેવાનું હતું કે “તમારે આધ્યાત્મિક સુખ જોઈએ છે' - તમે જે જે વસ્તુની વાત કરો છો તેનું નામ આ છે.
આધ્યાત્મિક સુખ સ્વાધીન છે. બહારના કોઈ સાધનોની, સ્વજનોની, પરિસ્થિતિઓની કે ઘટનાઓની એને કોઈ અપેક્ષા જ નથી. સહજ સ્વવશ સ્વમાત્રાશ્રય છે એ સુખ. લોકો કહે છે બીજાની કાર કરતા પોતાની સાયકલ સારી. જ્ઞાનીઓ કહે છે કે આધ્યાત્મિક સુખ એ પર્સનલ હેલિકોપ્ટર કરતા વધારે મૂલ્યવાન છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્સનલ-શબ્દનો ખરો અર્થ આધ્યાત્મિક સુખના સંદર્ભમાં જ સંગત થાય છે.
આધ્યાત્મિક સુખ શાશ્વત છે. જાણે વસંત આવી ને ઋતુચક્ર ત્યાંનું ત્યાં થંભી ગયું. This is the ever green bliss... સવ-વહાર નું એક માત્ર ઉદાહરણ અધ્યાત્મિક સુખ છે.
આધ્યાત્મિક સુખ પૂર્ણપણે તૃષ્ણામુક્ત છે. સ્વસ્થતા ને શાંતિનું એકછત્રી સામ્રાજ્ય એમાં છવાયેલું છે. જોઈએ’ની બધી જ જંજાળોના જ્યાં સીમાડા આવી જાય છે એ છે આધ્યાત્મિક સુખ. “કશું જ ન જોઈએ” – ની અસ્મિતા જ્યાં ઐશ્વર્ય બની જાય છે, એ છે આધ્યાત્મિક સુખ.
આધ્યાત્મિક સુખમાં ભયનું કોઈ જ સ્થાન નથી. ગેરહાજરીનો ભય હાજરીને ય ફિક્કી બનાવી દે આ સંસારની કમનસીબી છે. “અધ્યાત્મમાંથી કશું ય તૂટી શકે, બગડી શકે કે જઈ શકે એ શક્ય જ નથી.
આધ્યાત્કિમ સુખના અસ્તિત્વ માટે તાર્કિક પ્રમાણો કે શાસ્ત્રીય પ્રમાણોનો કોઈ જ તોટો નથી. But I suggest you, Please once experience it. પછી તમને કશું જ કહેવાની જરૂર નહીં રહે. પછી તો તમે ખુદ બોલશો. તમારો અનુભવ બોલશે.
S
ખરેખર પાનખર