Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 81
________________ ફૅસંસારર્સ # ફક્ત હિંસાનું તાંડવ # ૨૭ तदेतद् भासन्ते, जगदभयदानं खलु भव स्वरूपानुध्यानं, शमसुखनिदानं कृतधियः। स्थिरीभूते यस्मिन्, विधुकिरणकर्पूरविमला, यशःश्रीः प्रौढा स्याज, जिनसमयतत्त्वस्थितिविदाम् ॥२७॥ આ છે સંસારના સ્વરૂપનું ધ્યાન. સજ્જનો એણે વિશ્વ પ્રત્યેનું અભયદાન કહે છે. પ્રશમસુખનું મૂળ કારળ કહે છે. આ ધ્યાન સ્થિર બને ને જિનાગમના તત્ત્વનું સ્વરૂપ સમજાય એટલે યશની શોભાના ગુણાકારો થઈ જાય. એ યશ જે યાદ અપાવે ચંદ્રકિરણોની અને કપૂરની. // ૨૭ || નોટબંધીની જબરદસ્ત કરુણતામાં મોટા ભાગના લોકોને એક જબરદસ્ત આશ્વાસન હતું - “બિચારા નેતાઓના તો કેટલાય ગયા છે. એમની કંપેરમાં આપણું તો શું ગયું છે ?' રાગ-દ્વેષના બધાં જ તોફાનોને સાવ જ શાંત કરી દેવા માટે સમર્થ છે ભવસ્વરૂપનું ધ્યાન. યાદ આવે શાંતસુધારસ - क्वचिदुत्सवमयमुजवलं, जयमङ्गलनादम् । क्वचिदमन्दहहारवं, पृथुशोकविषादम् ॥ ક્યાંક છે એક છત્રી ઉત્સવ... પ્રકાશ... જયમંગળનાદ.. ને ક્યાંક છે મોટો હાહાકાર... અફાટ શોક ને વિષાદ. ચૌદ રાજલોકને શાસ્ત્રોની આંખે જોવાનો પ્રયાસ કરીએ તો આપણા સુખમાં ય કાંઈ કસ ન લાગે ને દુઃખમાં ય કોઈ દમ ન લાગે. હર્ષ અને શોકનો અર્થ મૂર્ખામી સિવાય બીજો કાંઈ જ ન રહે. બધાં જ વિકલ્પો શમી જાય. મનમાં ચંચળતાનું નામોનિશાન ન રહે. અધ્યાત્મને આપણા મનમાં પ્રવેશવા માટે બીજું કશું જ જોઈતું નથી. શાંતસુધારસ કહે છે - ૮૧ _આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84