Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 84
________________ આ ધ્યાન સ્થિર થાય એટલે કલ્યાણોની પરંપરા આત્માનું સ્વાગત કરે છે. અંતે સિદ્ધિસુંદરી એના કંઠમાં વરમાળા પહેરાવે છે ને ચાંદની ને કપૂરની યાદ આપે એવો યશ* સર્વત્ર પ્રસરી જાય છે. રૂમેવ પરમં શ્રેય:... Please, try to achieve it. This is the only result of your intelligency. Please, let it be successfull. * યશ - Here is the double meaning. એક જે દેખાઈ આવે છે તે કીર્તિ. બીજો અર્થ છે ગર્ભિતપણે મુકેલ કર્તાનું નામ - ગૃહસ્થપણે જશવંત. દીક્ષિતપણે મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા. જેમણે પોતાની અદ્ભુત કૃતિ-અધ્યાત્સારમાં ભવસ્વરૂપચિંતનનો આ અણમોલ ઉપહાર આપ્યો છે. સેંકડો રાત્રિસ્વાધ્યાયો એમના આ શબ્દોને સથવારે વૈરાગ્યથી તરબતર બની ગયા છે. “શિખરિણી છંદના આ આરોહ-અવરોહોએ વૈરાગ્યના શિખર પર આરોહણ કરવામાં હસ્તાવલંબ પણ આપ્યો છે, ને અંહકારાદિ દોષોથી અવરોહણ કરવામાં સહાય પણ કરી છે. આજે આ ધારાને સમાપ્ત કરી રહ્યો છું ત્યારે પૂરેપૂરો અસંતોષ છે કે મહોપાધ્યાયશ્રીની શિખરિણી'ની તુલનામાં આ તળેટી પણ નથી. એનો મને ખાસ અફસોસ પણ નથી. ‘શિખરિણીનું સ્તર તો એમના જેવા શિખરસ્થો જ લાવી શકે ને ? બસ, એમની પાછળ ચાલવા મળ્યું, વૈરાગ્યના સ્પંદનોને કંઈક સ્પર્શવા મળ્યું ને એ અણમોલ રસની કંઈક લહાણી કરવા મળી... મારું અહોભાગ્ય... પરમ તારક પરમ શ્રદ્ધેય શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય, તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્. ક્ષતિનિર્દેશ કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના. ફકત હિંસાનું તાંડવ,

Loading...

Page Navigation
1 ... 82 83 84