________________
एवं लोको भाव्यमानो विविक्त्या, विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः । स्थैर्य प्राप्ते मानसे चात्मनीना, सुप्राप्यैवाध्यात्मसौख्यप्रसूतिः ॥ વિવેકપૂર્વક વિશ્વસ્વરૂપનું ચિંતન મનને સ્થિર કરી દે છે. ને મન સ્થિર થઈ જાય એટલે અધ્યાત્મસુખનો જન્મ સુલભ બને છે, એ જન્મ જે આત્માને અમર બનાવી દે છે.
બાર ભાવનાઓમાંથી બે ભાવના આ સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી છે – (૧) સંસાર ભાવના (૨) લોકસ્વરૂપ ભાવના. આ ભાવનાઓથી ભાવિત બને તે આત્મા સમગ્ર વિશ્વને અભયદાન આપે છે. કારણ કે આ ભાવનાઓથી જે ખરા અર્થમાં ભાવિત બને અને ભવસ્વરૂપનું તાત્ત્વિક અર્થમાં ધ્યાન કરે તે સંસારમાં રહી જ ન શકે. સૂરજની આજુ-બાજુ જો અંધારું ટકી શકે, તો આ ભાવના ને ધ્યાનની આજુ-બાજુ સંસાર ટકી શકે. ષકાયની વિરાધના, પત્ની-પુત્રાદિ પરિવાર, ધંધા-નોકરીની જંજાળ, રાગ-દ્વેષના તોફાન, કષાયોની કાળાશ, વિષયતૃષ્ણાની પ્રબળતા – આ બધું ત્યાં જહોઈ શકે જ્યાં ભવસ્વરૂપનું ચિંતન નથી. ધ્યાન નથી. આ ચિંતન અને ધ્યાન આવે એટલે આત્મા સંસારની સમસ્ત જંજાળોથી મુક્ત થઈને જ રહે છે. સાચી સમજ હંમેશા સક્રિય હોય છે. બધું સમજીને જેઓ સંસારમાં જ બેઠાં રહે છે, તેઓ હકીકતમાં કશું જ સમજ્યા નથી.
ભવસ્વરૂપના ધ્યાનથી આત્મા સંસારનો ત્યાગ કરે છે. એની સાથે જ એ સ્વ-હિંસા અને પર-હિંસા બંનેથી મુક્ત થાય છે. રાગ-દ્વેષના અભાવથી સ્વ-હિંસાથી મુક્ત થાય છે. પદ્ધયયતનાના પ્રભાવથી પર-હિંસાથી મુક્ત થાય છે. આ બંને હિંસાનો અભાવ નિમિત્ત-અભાવથી સિદ્ધ થાય છે. આ નિમિત્તઅભાવ પ્રાયિક છે. સંસારમાં સ્વ-પર હિંસાના નિમિત્તો પ્રબળ અને અવશ્ય છે. સંયમમાં આ નિમિત્તો શિથિલ અને વિરલ (Rare) છે. એ નિમિત્તોને સંયમમાં નિષ્ફળ પણ કરી શકાય છે. અને ક્યારેક એ નિમિત્તો સફળ પણ થઈ જાય, તો પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી શકાય છે. શુદ્ધિ થાય એટલે નિમિત્તોની સફળતા પર ચોકડી લાગે છે.
સ્વ + પર = વિશ્વ. “સ્વ + પર’ની પ્રત્યે અભયદાન અપાય એટલે સંપૂર્ણ ફકત હિંસાનું તાંડવ
૮ર