________________
રૃસંસા૨કે
# હડહડતું જુઠાણું ?
प्रभाते सजाते, भवति वितथा स्वापकलना,
द्विचन्द्रज्ञानं वा, तिमिरविरहे निर्मलदृशाम् । तथा मिथ्यारूपः, स्फुरति विदिते तत्त्वविषये,
भवोऽयं साधूना-मुपरतविकल्पस्थितिधियाम् ॥ २२॥
સવાર થાય એટલે નિદ્રા જતી રહે છે. તિમિર-રોગ જાય ને દૃષ્ટિ નિર્મળ થઈ જાય, એટલે બે ચન્દ્ર દેખાતા બંધ થઈ જાય છે. બરાબર આ રીતે તત્ત્વપ્રતિભાસ થાય, એટલે પ્રત્યક્ષ દેખાય છે કે સંસાર એટલે એક હડહડતું જુઠાણું, તરંગીના બધાં જ વિચારોથી મુક્ત હોય છે સજ્જનો. એમની દૃષ્ટિમાં સંસાર આથી વધુ બીજું કશું જ નથી. II ૨૨ II
નિદ્રાનો સંબંધ રાત્રિ સાથે હતો, સવાર થઈ એટલે નિદ્રા ગઈ. એવો ચક્ષુરોગ હોય છે, જેમાં એક વસ્તુ હોય તે બે દેખાય. એ રોગનું નામ છે તિમિર. ગઈ કાલ સુધી જે વ્યક્તિને આ રોગથી બે ચન્દ્ર દેખાતા હતા, આજે એનો એ રોગ જતો રહ્યો ને એને ખ્યાલ આવ્યો, કે મને જે ‘બે ચન્દ્ર' એવું લાગતું હતું એ ખોટું હતું. બરાબર આવી જ ઘટના બને છે સંસારને ઓળખવાની બાબતમાં.
અનાદિકાળથી રાત્રિ હતી. મોહનું ઘેન હતું. અજ્ઞાન-તિમિરનો રોગ હતો, બિચારો જીવ સંસાર માટે કંઈક બીજું જ ધારતો હતો... એને કોઈક બીજા જ
સ્વરૂપે જોતો હતો. એને એમાં સુખ દેખાતું હતું, હિત દેખાતું હતું, સૌન્દર્ય દેખાતું હતું, પોતીકાપણું દેખાતું હતું. એના બધાં જ પ્રતિભાસનો સાર આ હતોસંસાર બહુ સારો. બસ, આ એક જ પ્રતિભાસના આધારે જીવ એવી પ્રવૃત્તિ કરતો રહ્યો, જેનાથી એ સતત દુઃખી દુઃખી થતો ગયો. હજાર પછડાટ ખાવા છતાં ય એને કદી વિચાર સુદ્ધા ન આવ્યો, કે મારી કોઈ ભૂલ તો નથી થતી હડહડતું જુઠાણું