Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 77
________________ માટે મસમોટી હોનારતોને નિમંત્રણ આપવા જેવી આ મૂર્ખતા છે. પૂરણપોળીમાં એક કાંકરી ય આખી મજા મારી નાંખે એ હકીકત છે. જ્યારે સંસાર તો કાંકરીપોળીમાં ક્યાંક પૂરણનો કણ હોય તો હોય – આવી દશા લઈને બેઠો છે. આમાં ક્યાં મોહાવું ? જ્ઞાનીઓ કહે છે - भोगा भुजङ्गभोगाभा, विषं सांसारिकं सुखम् । હ્રિય: શ્રિયશ્ચ તમૂળ, થમાદ્રિયને વુધ:? ॥ નાગની ફણા જેવા છે ભોગો, ને ઝેર છે સાંસારિક સુખ. સ્ત્રી અને સંપત્તિ એમના મૂળ છે. ક્યો ડાહ્યો માણસ એમને ચાહે ? બહાર જે કાંઈ પણ છે એ આપણને એક જ વસ્તુ આપી શકે છે, જે છે દુઃખ. બહારનું બધું જ પરાધીન હોય છે અને પરાધીનતામાં દુઃખ ન હોય એ શક્ય જ નથી. સુખ તો સ્વાધીનતામાં જ સંભવી શકે અને સ્વાધીનતા તો ભીતરના સામ્રાજ્યમાં જ છે. યાદ આવે યોગદૃષ્ટિસમુચ્ચય सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ પરવશ બધું જ દુઃખ, સ્વવશ બધું જ સુખ. આ જ છે સુખ અને દુઃખની શોર્ટ ડેફિનેશન. 李 પરાધીન સાધનોથી પરાધીન સાધ્યોને સાધતા પરાધીન સાધક બનવા કરતાં સ્વાધીન સાધનોથી સ્વાધીન સાધ્યને જ સિદ્ધ કેમ ન કરવું ? હકીકતમાં ખરું સાધ્ય ભીતરનું જ છે. એના સાધનો પણ ભીતરમાં જ છે. બાહ્ય વસ્તુને લક્ષ્ય બનાવવી, એના માટે દોડવું, એ ન મળતા નિરાશ થવું ને એ મળતા નાચી ઉઠવું આ બધું જ મૂર્ખતાનું પ્રદર્શન છે. Please, don't be fool. સંયમજીવનના પ્રશમસામ્રાજ્ય સિવાય આ જીવનમાં બીજું કંઈ જ લક્ષ્ય બનાવવા જેવું નથી. એ મળી જાય તો તમે જ આ દુનિયાના બેતાજ બાદશાહ છો. ખરેખર. ७७ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84