________________
આપણા આત્માનું ખરું અહિત તો એક જ વ્યક્તિ કરી શકે તેમ છે અને તે આપણે પોતે છીએ.
જે સંસારે જે સગપણે જે પરિવારે આપણને અનંત વાર તમાચા માર્યા છે, એ હજી આપણને ‘આપણા’ લાગે છે ને જે દેવ-ગુરુ-ધર્મ આપણા એકાંત હિતને સાધીને આપણો અનંત ભવિષ્યકાળ સુધારી દેવાના છે, એ હજી ય આપણને ‘પારકા’ લાગે છે, એ જ આપણી સૌથી મોટી કમનસીબી છે.
સંસાર પાસેથી આપણે માત્ર ને માત્ર એક જ વસ્તુની અપેક્ષા રાખવા જેવી છે ને તે છે ઉદ્વેગ... કંટાળો... વૈરાગ્ય... જ્વલંત વૈરાગ્ય. સંસારની શક્તિ પણ આ જ આપી શકવાની છે અને સંસાર પાસેથી કાંઈ લેવા જેવું હોય, તો એ પણ આ જ છે. Please, try to achieve it, wish you all
the best.
李
૪૭
આ છે સંસાર