Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 50
________________ કોઈને મોટું સુદ્ધા નહીં દેખાડી શકે. ઓ કામ ! તને જેટલા ધિક્કાર આપીએ એટલા ઓછા છે. માંડ માંડ અનંતકાળે ગુણોની ગરિમા પાડનારને સાવ જ પશુ જેવો બનાવી દેનાર તું છે. પર્વત જેવા ઘેર્યને પણ સાવ જ પાણી પાણી કરી દેનાર તું છે. સાવ અનુચિત ઘટનાને સહજ રીતે ઘટાવી દેનાર તું છે. ધિક્કાર... ધિક્કાર... વિજાતીય - વ્યક્તિથી માંડીને તમામ આધુનિક સાધનો પ્રત્યેનો તીવ્ર અણગમો... નવ વાડનું સુવિશુદ્ધ પાલન અને જિનવચનનું નિરંતર પરિભાવન - આના દ્વારા જ “કામથી બચી શકાય. શુદ્ધ સાધુતા વિના આ શક્ય જ નથી. ગૃહસ્થ માટે તો આ સ્વપ્ન જ નહીં, સ્વપ્નનું પણ સ્વપ્ન છે. સ્વસ્થ ચિત્તે વિચાર કરીએ આપણે, કોના પગ પકડવા ? કોની આજ્ઞા માનવી ? પ્રભુની કે મોહની. પ્રભુની આજ્ઞા માનીએ તો શીઘ્ર નિસ્તાર છે અને મોહની આજ્ઞા માનીએ તો અનંત સંસાર છે. અનંત વાર આપણને નરકમાં મોકલનાર મોહની આજ્ઞા માનવી અને આપણને સદ્ગતિની પરંપરા સાથે મોક્ષ સુધી પહોંચાડનાર પ્રભુની આજ્ઞાને અવગણવી - આમાં અવળચંડાઈ સિવાય બીજું કશું જ નથી, આ અવળચંડાઈ માત્ર પ્રભુ સાથે જ નથી, આપણી જાત સાથે પણ છે. Please, Let's stop this stupidity. ચાલો, જિનાજ્ઞાને આપણું જીવન બનાવીએ. સંસારની દુર્ઘટનાને સમાપ્ત થઈ જવા માટે આથી વધુ કોઈ જ અપેક્ષા નથી. I a sle દર્દનાક દુર્ઘટના -

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84