Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 57
________________ આ છે સંસાર * ભયાનક યુદ્ધભૂમિ * ૧૯ मृगाक्षीदृग्बाणै - रिह हि निहतं धर्मकटकं, विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः । भ्रमन्त्युर्ध्वं क्रूरा व्यसनशतगृध्राश्च तदियं, महामोह क्षोणी - रमणरणभूमिः खलु भवः ॥ १९ ॥ વીંધાઈ ગઈ છે જ્યાં ધર્મસેના સ્ત્રીની દૃષ્ટિના બાણોથી. ખરડાઈ ગયાં છે જ્યાં હૃદયના ભાગો રાગના લોહીથી. સેંકડો આપત્તિઓના ક્રૂર ગીધડાં જ્યાં ઉપર ચકરાવા લઈ રહ્યા છે. આ છે સંસાર. ભયાનક યુદ્ધભૂમિ. મહામોહરાજા જ્યાં બધી જ રીતે ત્રાટકે છે આપણા ઉપર. ।। ૧૯|| યુદ્ધ એ એવી વસ્તુ છે, જેમાં બધી રીતે નુકશાન છે, હારો તો તો તમે ગયા જ. જીતો તો ય જે નુકશાન થયું, એ તો થયું જ છે. મહારાણા પ્રતાપને હરાવીને રાજા માનસિંહ દિલ્લીના દરબારમાં ગયા, ત્યારે અકબરે એમની પ્રશંસા કરવાને બદલે એમને રીતસર ખંખેરી જ નાખ્યા હતાં. કારણ કે અકબરના પૂરા ૫૦,૦૦૦ સૈનિકો એ યુદ્ધમાં ખપી ગયા હતાં. અકબરને હાર કરતાં પણ એ જીત ભારે પડી ગઈ હતી. યાદ આવે પેલી કવિતા હવે આ તામ્રપત્રને ક્યાં લગાડશો ? જીતો જો યુદ્ધ, હાથ ગુમાવાયો હોય છે. યુદ્ધનો અર્થ વિનાશ છે. માટે જ નીતિવાક્યામૃતમ્ ગ્રંથ કહે છે पुष्पैरपि युद्धं नीतिविदो नेच्छन्ति । કરવા માંગતા નથી. નીતિના જાણકારો ફૂલથી પણ યુદ્ધ મોહરાજાની ભયાનક યુદ્ધભૂમિ જેવો છે એ આત્મા માટે પૂરે પુરું જોખમ ભરેલું છે. આ યુદ્ધભૂમિમાં આત્માની હાર આ સંસાર. આ યુદ્ધભૂમિમાં ઉતરવું 李 આ છે સંસાર ૫૭

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84