Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 31
________________ પાછળ પાગલ બની જાય છે. જે મર્યા પછી સાથે આવવાના નથી, જીવતાં સુધી ય જે દરેક દુઃખને દૂર કરવાના નથી, અરે, જેને સાચવવાની ચિંતામાં ય માણસ દુઃખી દુઃખી થઈ જવાનો છે, ને જેને મેળવતા મેળવતા ય માણસ અડધો થઈ જાય છે, એ પૈસા પાછળ પાગલ બનવું, એ બેભાની નહીં તો બીજું શું છે ? સંસાર-વિષવૃક્ષનું બીજું શસ્ત્ર છે એના ફૂલ. એની છાયાને ક્યાંય ટપી જાય એવા છે એના ફૂલ. એ છે નારી. ફૂલમાં રસ હોય છે. નારીમાં વિલાસ હોય છે. આજની ભાષામાં નખરાં. સંસારની છાયામાં બેસનારને કદાચ થોડું-ઘણું ‘ભાન’ રહી ગયું હોય, તો એને ય પૂરું કરી દે છે નારીનો વિલાસ. આત્માર્થી જીવના માટે હળાહળ ઝેર છે એ. યાદ આવે પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર – विभूसा इत्थी संसग्गो, पणीयं रसभोयणं । रस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ શરીર કે વસ્ત્રોનો શણગાર, સ્ત્રીનો સંપર્ક અને રસદાર ભોજન. આત્માર્થી મનુષ્ય માટે આ ત્રણે વસ્તુ એવું કાતિલ ઝેર છે, જે એક જ પળમાં એની આત્મસાધનાના પ્રાણ હરી લે છે. ‘મને શું થવાનું છે નથી. આગમ કહે છે ?' — આવી નિર્ભયતા એ આત્માર્થીનું લક્ષણ જ बहुस्सुओ य जो कोइ, गीयत्थो वा वि भाविओ । संतेसाहारमाईसु, सो वि खिप्पं तु खुब्भइ ॥ શાસ્ત્રોના પારગામી હોય, ગીતાર્થ હોય, ભાવિત પણ હોય, તો ય ભાવતું ભોજન, તરુણ નારી વગેરે વિષયો ઉપસ્થિત થાય, તો તે ય તે જ ક્ષણે અંદરથી ખળભળી જાય છે. नामापि स्त्रीति संह्लादि, विकरोत्येव मानसम् । किम्पुनर्दर्शनं तासां विलासोल्लासितभ्रुवाम् ॥ ‘સ્ત્રી’ આ નામ પણ મનને ભ્રામક સુખનો અનુભવ કરાવે છે, અને વિકાર પમાડે જ છે. તો પછી સ્ત્રીનું નિરીક્ષણ હોય, ને એ સ્ત્રી પાછી વિલાસથી આંખોની ભ્રમરોને નચાવતી હોય, પછી તો કહેવું જ શું ? નીચમાં નીચ વિકાર સુધી 樂 ૩૧ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84