Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 42
________________ આ છે સંસાર * ફક્ત સ્વાર્થની સગાઈ ૧૪ पिता माता भ्राता - ऽप्यभिलषितसिद्धावभिमतो, गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् । जनाः स्वार्थस्फाता - वनिशमवदाताऽऽशयभृतः, प्रमाता कः ख्याता-विह भवसुखस्यास्तु रसिकः ॥ १४ ॥ પિતા હોય, માતા હોય કે સગો ભાઈ પણ કેમ ન હોય ? સ્વાર્થપૂર્તિ થતી હોય, તો એ બધાં સગાં છે, ને નહીં તો એ બધાં અજાણ્યા છે. અહીં આપણે ગમે તેટલાં સારા હોઈએ, આપણા સારાપણાને સ્વજનો જાણતા પણ હોય, ને એમની પાસે અઢળક રૂપિયા પણ હોય, તો ય આપણી જરૂર વખતે આપણને કશું જ મળી શકતું નથી. સ્વજનોને કશો ભાવ જ નથી એવું નથી. એમને ખૂબ ભાવ છે. ખૂબ ઉલ્લાસ છે. દિવસ-રાત હંમેશા થનગનાટ છે. પણ એક માત્ર પોતાના સ્વાર્થને સર કરવામાં. આ છે સંસાર. ફક્ત સ્વાર્થની સગાઈ. સંસાર જો ઓળખાઈ જાય, બરાબર ઓળખાઈ જાય, તો એના કહેવાતા સુખમાં કોઈ જ રસ ટકી શકે તેમ નથી. ।। ૧૪ ।। પિતા ક્યાં સુધી પિતા ? એ કમાતા હોય ને આપણું ભરણપોષણ કરતાં હોય ત્યાં સુધી. માતા ક્યાં સુધી માતા ? એ ઘરના કામ-કાજ કરી શકે ત્યાં સુધી. ભાઈ ક્યાં સુધી ભાઈ ? એ ભાઈ પાસે હાથ ન લંબાવે ત્યાં સુધી. પત્ની ક્યાં સુધી પત્ની ? એ અકસ્માત્માં વિકલાંગ ને કદરૂપી ન થઈ જાય ત્યાં સુધી. મિત્ર ક્યાં સુધી મિત્ર ? એના ધંધામાં મોટી ખોટ ન જાય ત્યાં સુધી. આપણે આખી જિંદગી ભ્રમમાં હોઈએ છીએ કે ‘આ બધાં સગાં-વ્હાલા છે. આ બધાને મારી સાથે સગપણ છે.' We are nothing but a ફક્ત સ્વાર્થની સગાઈ ૪૨

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84