Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 29
________________ ફરી ફરી સળગતી રહે છે. જેનું નામ છે શોક. ચકમકના પથ્થર ઘસો અને આગ ન થાય એ હજી શક્ય છે. સંસાર માંડો ને શોકમાં શેકાવું ન પડે એ શક્ય નથી. Photographer has to tell you - smile please. Why? શોક, નિરાશા, ઉદાસી, અજંપો, અરતિ, અરુચિ - આ બધું સંસારનો એક ભાગ છે. ચિતા વગરનું સ્મશાન હોઈ શકે, તો જ શોક વગરનો સંસાર હોઈ શકે. ફરક હોય, તો એટલો જ કે ચિતા મડદાંને બાળે છે, શોક જીવતાને બાળે છે. શોક-મુક્ત થવું હોય, તો સંસારમુક્ત થયા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. સ્મશાનમાં જ્યાં-ત્યાં જ્યાં જુઓ ત્યાં રાખ વિખેરાઈ હોય છે. સંસારમાં ય એક રાખ પથરાયેલી છે, જેનું નામ છે અપયશ. તમે લાખ-ધમપછાડા કરો કે હજાર પ્રયાસ કરો, નિંદા, બદનામી, મહેણાં-ટોણા આ બધાંના ભોગ તમારે બનવું જ પડે. પછી તમારો કોઈ વાંક હતો કે ન હતો, એ જુદો વિષય બની જાય છે. સદોષ માટે આ નિંદા એ મોત જેવી પીડાદાયક હોય છે, તો પછી નિર્દોષની તો શું વાત કરવી ? But, this is Sansar. સ્મશાન અને સંસાર - આ બેમાં કોઈ ફરિયાદનો કે વાંધો ઉઠાવવાનો કોઈ અવકાશ જ નથી. તમે ફરિયાદ કરો તો ય એનો કોઈ અર્થ નથી. એ તો આવા જ હતાં, આવા જ છે, ને આવા જ રહેવાના છે. તમે ફક્ત એની બહાર નીકળી શકો છો, ને એ રીતે જ એની બધી જ કરુણતાથી મુક્ત થઈ શકો છો. If you wish. s૮ : દ આ છે સંસાર

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84