________________
આ છે સંસાર-જંગલ, આમ જુઓ તો ભીલની કોઈ જ હેસિયત નથી, પણ એને સામી વ્યક્તિની નબળી કડી ખબર છે. જોરાવરથી ય જોરાવર માણસ એક જ નબળી કડીથી ધોબીપછાડ હાર ખાઈ જાય છે. જીવનભરના સુખ-ચેનના સપના જોતો માણસ ફરીથી ભિખારી થઈ જાય છે, ને ફરીથી દર દુરના ધક્કા ખાતો થઈ જાય છે.
આનાથી ય વધુ દુઃખની વાત તો એ છે કે એની જે નબળી કડી હતી, એ ખુદ જ કેટલી નબળી હતી ! એમાં લોભાવા કે મોહાવા જેવું હતું જ શું ? નારીનું જે જે અંગ પુરુષને આકર્ષે છે એની ફક્ત ચામડી દૂર કરીને એની સામે રજુ કરવામાં આવે, તો શું એ થ્ થુ નહીં કરી નાંખે ? શું એને ચિતરી નહીં ચડે. એક પુરુષ સ્ત્રીમાં જે જોતો હોય છે, એ જ એક કૂતરો કૂતરીમાં જોતો હોય છે, એ જ એક ગધેડો ગધેડીમાં જોતો હોય છે, ને એ જ એક ભૂંડ ભૂંડણમાં જોતો હોય છે. જો ભૂંડણ ભૂંડી છે, તો સમજી લો કે સ્ત્રી પણ ભૂંડી છે જ. કારણ કે સૌન્દર્ય તો બેમાંથી એકે ય માં નથી. સૌન્દર્ય તો જોનારની નજરમાં હતું, ના, બલ્કે જોનારની ભ્રમણામાં હતું.
સ્ત્રીને પુરુષમાં જે રૂપ દેખાય છે, ત્યાં પણ આ જ બધી વાતો લાગુ પડે છે. મોહ એ અંધાપા કરતાં પણ વધુ ભયાનક છે. અંધાપામાં ફક્ત દેખાતું નથી. મોહના ઉદયમાં ઊંધું દેખાય છે. અંધ વ્યક્તિને તો ખ્યાલ નહીં આવે, તો ત્યાં ને ત્યાં ઊભી રહેશે, મોહધીન કમ સે કમ હાથ-પગ તો ભાંગશે જ.
કામ-ભીલ હજારો રૂપ કરીને આપણને લૂંટી લેવા માટે તલપાપડ છે. એ ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે રીતે તૂટી પડે, ને આપણને સાવ જ ભિખારી બનાવી દે, એવી પૂરેપૂરી શક્યતા છે. બચવું છે ? તો માત્ર આ બધી વાતો કામ નહીં આવે, માત્ર શાસ્ત્રોના અભ્યાસો કામ નહીં આવે, એના માટે તો જોઈશે સથવારો. મજબૂત સથવારો ને જડબેસલાક સુરક્ષા સાથેનો સથવારો, જેને જ્ઞાનીઓ ગુરુકુલવાસ કહે છે.
વાતો આપણે ભલે ને ગમે તેટલી મોટી મોટી કરીએ, નબળી કડી એ નબળી કડી જ છે, અને ભીલ એ ભીલ જ છે. શાસ્ત્રજ્ઞાન કદાચ ઓછું હોય, પણ ગુરુકુલવાસની મર્યાદાનું સજ્જડ પાલન હોય, નવ વાડની મર્યાદામાં
આ છે સંસાર
૧૯