Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 20
________________ કોઈ જ બાંધછોડ કરવાની તૈયારી ન હોય, તો એ આત્મા બ્રહ્મચર્યનો પાર પામે છે. શાસ્ત્રજ્ઞાન, તપસ્યા તથા ઉગ્ર સંયમના બીજા લક્ષણો ચાહે ગમે તેટલા હોય પણ ગુરુકુલવાસ ન હોય, તો એ આત્મા પૂરે પૂરા જોખમમાં છે. કારણ કે નવ વાડનું તાત્ત્વિક પાલન પણ ગુરુકુલવાસમાં જ શક્ય છે. માટે જ પૂ. ઉમાસ્વાતિ મહારાજા તત્ત્વાર્થભાષ્યમાં કહે છે गुरुकुलवासो ब्रह्मचर्यम् ગુરુકુલવાસ એ જ બ્રહ્મચર્ય છે. જો મુનિ માટે પણ આ જ વાસ્તવિકતા હોય, તો ગૃહસ્થની શું વાત કરવી ? જો પવિત્ર રહેવું હોય, સદાચારને જાળવવો હોય, ચારિત્રની ચાદરને કાળી ન કરવી હોય તો સંયમજીવન લઈને ગુરુકુળવાસમાં સ્થિર થઈ જવું એ જ એક ઉપાય છે. વિજય શેઠ એ એક આશ્ચર્ય ઘટના છે. માટે જ એ ૮૪૦૦૦ સાધુઓની તોલે આવ્યા હતાં. ખુદ તીર્થંકરે આ પ્રમાણપત્ર આપ્યું હતું. બધાનો તો એમાં નંબર ક્યાંથી લાગી શકે ? આપણે ઈચ્છીએ તો આપણું બધું જ ધર્મ-ધન બચાવી શકીએ છીએ, ક્ષેમકુશળ આ જંગલને પાર કરી શકીએ છીએ, હંમેશ માટે આપણા ઘરમાં આરામ ફરમાવી શકીએ છીએ. If we wish. કામ-ભીલ હાથ ઘસતો રહી જશે. ખરેખર. ખતરનાક જંગલ ૨૦

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84