Book Title: Aa Che Sansar
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 16
________________ શાંત ચિત્તે કદી વિચારો તો ખરાં. સંસારમાં બેઠાં, એટલે કેટકેટલા કષાયો કરવાના ને કેટકેટલા કષાયો વચ્ચે રગદોળાવાનું! કેટલા ગુસ્સા ! કેટલા ઈગો! કેટલા છળકપટ ! ને કેટલી પૈસાની ભૂતાવળ ! સાપ ને અજગર જેવા આ એક એક કષાયો આપણા આત્માને ડંખ મારતા જ જાય, મારતા જ જાય, ને આપણો આત્મા બધી જ સૂઝબુઝ ખોઈને ક્ષણે ક્ષણે ઢળી પડે, ફરી ફરી પટકાય, અસહ્ય પીડાથી અધમુઓ થઈ જાય, આ સંસારની કેવી કાળી કદર્થના ! રાક્ષસના ગળામાં હાડકાંઓની માળા હોય છે, સંસારના ગળામાં વિષયો છે. હાડકાં શબ્દ કદાચ એના માટે હલકો લાગશે, પણ હકીતમાં તો વિષયો હાડકાં કરતાં ય વધુ ભૂંડા છે. હાડકા અપવિત્રતાનું પ્રતિક ગણાય છે. વિષયો પવિત્રથી પવિત્ર આત્માને ગંદકીથી ખરડી નાંખે છે. હાડકાની હાજરી અસ્વાધ્યાયિક બને છે. (જેમાં સ્વાધ્યાય ન થઈ શકે.) વિષયો આત્માને “સ્વ'ના અધ્યાયથી વિખૂટો પાડી દે છે. હાડકું મડદાંનુ એક અંગ હોય છે, વિષયો અનંતાનંત મડદાઓનો આગામી પર્યાય હોય છે. હાડકાંનો હકીકતમાં કોઈ જ સદુપયોગ હોતો નથી. આત્મહિતના સંદર્ભમાં વિષયો સાવ જ નકામા હોય છે. હાડકાને ચાટનાર ને બટકા ભરનાર કૂતરો હકીકતમાં મૂર્ખ બનતો હોય છે. આત્માને આપવા માટે વિષયો પાસે મૂર્ખતા સિવાય બીજું કશું જ નથી. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક - ण लहइ जहा लिहतो, मुहल्लियं अट्ठियं जहा सुणओ । सोसइ तालुअरसियं, विलिहंतो मन्नए सुक्खं ॥ महिलाण कायसेवी, ण लहइ किंचि वि सुहं तहा पुरिसो । सो मन्नए वराओ, सयकायपरिस्समं सुक्खं ॥ કૂતરો હાડકાંને ચાટે છે, હાડકાને બચકા ભરે છે, પણ હાડકાંમાંથી એને કશું જ મળતું નથી. બચકાં ભરતાં ભરતાં એનું પોતાનું જ તાળવું ફાટે છે. લોહી નીકળે છે. વેદના ય થાય છે, પણ એ લોહીને ચાટતા ચાટતા કૂતરો સમજે છે કે મને આ સ્વાદ હાડકાંથી મળી રહ્યો છે, હાડકાંએ મને કેટલું સુખ આપ્યું ! બરાબર આ જ રીતે સ્ત્રીની સાથે મૈથુન કરતો પુરુષ પણ એમ સમજે એક ખૂંખાર રાક્ષસ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84