________________
આ છે zસંસાર
નખશિખ તલખાનું #
૪)
गले दत्त्वा पाशं, तनयवनितास्नेहघटितं,
निपीड्यन्ते यत्र, प्रकृतिकृपणाः प्राणिपशवः । नितान्तं दुःखार्ता, विषमविषयैर्घातकभटै
र्भवः सूनास्थानं, तदहह महासाध्वसकरम् ॥४॥
પુત્ર અને પત્ની પ્રત્યેનો સ્નેહ એ છે ગળામાં નાખેલું બંધન, પીડા એટલી છે જેનું વર્ણન ન થઈ શકે, ઘાતકી ખાટકી જેવા વિષયો જ્યાં બિચારા જીવો પર તૂટી જ પડ્યા છે, કતલખાનામાં જે દશા પશુની થાય છે, એ જ દશા સંસારમાં જીવોની થાય છે. સંસાર એક કતલખાનું જ છે. ભયાનક શબ્દ તો ક્યાંય મોળો પડી જાય, એટલું, હદ બહારનું એ ભયાનક છે ||૪||
બંધનની કેટલીક સ્થૂળ વ્યાખ્યાઓમાં આપણે ફસાઈ ગયા છીએ. એ કપડાનો પટ્ટો હોય, લોખંડની સાંકળ કે બેડી હોય, કચકચાવીને બાંધેલી રસ્સી હોય, etc. etc. but reality is different. બંધનનો અર્થ આટલો જ નથી. લોઢાની બેડી પણ જો છુટ્ટી-અલગ પડી હોય, તો એ બંધન નથી. સ્વજન વગેરે એવી વ્યક્તિ જેનાથી છુટ્ટા પડવું શક્ય ન હોય, તો એ બંધન છે. બંધનનો સીધો સાદો અર્થ એ જ છે, કે જેનાથી તમે છૂટી ન શકો. પત્ની એ બંધન છે. દીકરો એ બંધન છે. ઘર એ બંધન છે. હજી ઊંડાણમાં ઉતરીએ એટલે ખ્યાલ આવશે - સ્નેહ એ બંધન છે. જે સંસારના કતલખાનામાંથી આપણને છૂટવા દેતું નથી.
આપણે જેમને “આપણા સમજીએ છીએ, એ હકીકતમાં આપણા ગળામાં બાંધેલું બંધન હોય છે. છૂટી જવાનું બધું જ સામર્થ્ય હોવા છતાં ય, ભાગી જવાની બધી જ શક્તિ હોવા છતાં ય એ બંધન નડતરરૂપ બને છે. ને આપણે નખશિખ કતલખાનું
૧૨