Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001087/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - Hસ્તવ વિવેચક...ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ((((((((((((((. અનંતદર્શન) ( વિશાળ અધ્યકાાવ સુખ, (CC C)0) . છે ( અનંતવીર્ય SOUL ya આત્મા અનંતચાગ્નિ C (અલ. ' 2 O ) ) અક્ષયસ્થિતિ fanthera Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત કર્મસ્તવ નામા ક્રિય કર્માંથ મૂલગાથાઓ, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ગાથાર્થ, ઉપયોગી પારિભાષિક શબ્દકોશ, તથા ઉપયોગી પ્રશ્નોત્તરી સાથે સરળ ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત વિવેચન. : વિવેચનકાર : ધીરજલ@ cલ મહેતા સંશોધક : પૂજ્ય ગણિવર્ય મુનિરાજશ્રી અભયશેખરવિજયજી. મ. સા. પ્રકાશક :C. જેન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત વી. Page #3 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રકાશક જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ " * ૧ ૧ ૪૪૩, માતૃછાયા બિલ્ડીંગ, ચોથે માળે, રામજીની પોળ, આ નાણાવટ, સુરત-૩૯૫૦૦૧. INDIA (ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ) સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧ ૪૪૩, માતૃછાયા બિલ્ડીંગ, પુસ્તકોના વેપારી બીજે માળે, રામજીની પોળ. હાથીખાના-રતનપોળ નાણાવટ, સુરત-૩૯૫૦૦૧. અમદાવાદ-૩૮૦ ૦૦૧. (INDIA) ગુજરાત ' ફોન : ૪૧૦ ૬૬૧ ( INDIA ) (પ્રાત સ્થાન, સુઘોષા કાર્યાલય શ્રી યશોવિજયજી જૈન શેખનો પાડો, રિલીફ રોડ. સંસ્કૃત પાઠશાળા ઝવેરીવાડની સામે, સ્ટેશન રોડ, રંગમહોલના નાકે. અમદાવાદ-૩૮૦ ૦૦૧. મહેસાણા ફોન : ૫૧૩૨૭ . INDIA (ઉત્તર ગુજરાત) ફોન : ૩૮૧૪૧૮ ( INDIA ) પ્રકાશન વર્ષ વીર સંવત-૨૫૨૨-વિક્રમ સંવત ૨૦૫ર. ઇસ્વીસન - ૧૯૯૬ - પ્રથમવૃત્તિ 3000 કિંમત : રૂ. ૩૫-૦૦ : લેસર ટાઈપ સેટીંગ તથા મુદ્રક : ભરત ગ્રાફીક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, ફોતઃ ૧૮૭૯૬૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ • જOU.........છા લેખકઃ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા “કમ' વિષય ઉપર પૂર્વાચાર્યોએ સંસ્કૃતપ્રાકૃત ભાષામાં ગદ્ય અને પદ્ય રૂપે ઘણા ગ્રન્થોનું સર્જન કર્યું છે. શ્રી ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગીમાંના બારમા દૃષ્ટિવાદમાં આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં સૂક્ષ્મતમ રીતે આ વિષય લખાયેલો હતો. તેનો જ આધાર લઈને ત્યાર પછીના મહાત્માઓએ અનેકવિધ ગ્રન્થરચના કરેલી છે. પ્રથમ કર્મગ્રન્થની પ્રસ્તાવનામાં કર્મ સંબંધી રચાયેલ સાહિત્યની કંઈક અંશે રૂપરેખા આપેલી છે ત્યાંથી જોઈ જવા વિનંતિ છે. “ગુણસ્થાનક” આત્મામાં સત્તાગત રૂપે રહેલા જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણોનાં આવરણો દૂર થવાથી તેની જે પ્રગટતા તે જ ગુણસ્થાનક કહેવાય છે. જીવ-જીવે પ્રગટ થયેલા ગુણો તરતમ ભાવે હીનાધિક હોય છે. સૂક્ષ્મ-નિગોદના જીવને અતિશય અલ્પ ગુણ પ્રાગટ્ય હોય છે. તેથી તેઓને પહેલું ગુણસ્થાનક કહેવાય છે તેનાથી ગુણ-પ્રાગટ્યની વૃદ્ધિ થતાં થતાં કેવલજ્ઞાની સર્વજ્ઞ ભગવંતોમાં સૌથી અધિક ગુણપ્રાગટ્ય છે. તેથી તેઓનું તેરમું ચૌદમું ગુણસ્થાનક છે. આ રીતે સમસ્ત સંસારી જીવોમાં વર્તતી ગુણપ્રાગટ્યની હીનાધિકતાનો સંક્ષેપમાં સમાવેશ કરાયેલો છે. આ બીજા “કર્મસ્તવ” નામના કર્મગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકો પ્રથમ સમજાવ્યાં છે. મિથ્યા દષ્ટિ ગુણ સ્થાનકથી ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિ થવા રૂપે ક્રમશઃ ચૌદ ગુણસ્થાનક કહ્યાં છે. જો કે તેમાંના કોઈ પણ એકેક ગુણસ્થાનકમાં તરતમભાવે અનેક ભેદો છે. દાખલા તરીકે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકમાં તીવ્રતમમિથ્યાત્વ, તીવ્રતરમિથ્યાત્વ, તીવ્રમિથ્યાત્વ, મંદમિથ્યાત્વ, મંદતરમિથ્યાત્વ, અને મંદતમમિથ્યાત્વ, ઇત્યાદિ તથા દેશવિરતિ ગુણસ્થાનકમાં એકવ્રતધારી, બે વ્રતધારી, . ત્રણવ્રતધારી યાવત્ બારવ્રતધારી, ઇત્યાદિ પરંતુ આવા પ્રતિભેદોની અવિવક્ષા કરી ને જ, એટલે કે પ્રતિભેદોને મૂલભેદમાં સમાવીને આ ચૌદ ગુણસ્થાનકોનું પ્રતિપાદન છે. પંચસંગ્રહના પહેલા ભાગના પ્રથમ દ્વારમાં પૂ. શ્રી મલયગિરિજી મ. કૃત ટીકામાં સવિશેષ આ ગુણસ્થાનકોનું વર્ણન છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ચોદ ગુણસ્થાનકોમાં વતતા જીવા ક્યા કયા ગુણસ્થાનકે આ આ કમાન ૧૨૦૧૨૨ ૧૪૮ કર્મપ્રકૃતિઓમાંથી કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ! કેટલી ન બાંધે ! અને શા માટે ન બાંધે ? તથા કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી કર્મ પ્રવૃતિઓ ઉદય-ઉદીરણામાં હોય ? કેટલી ઉદય-ઉદીરણામાં ન હોય ? અને શા માટે ન હોય ? તથા કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી કર્મપ્રકૃતિની સત્તા હોય ? કેટલી સત્તા ન હોય અને શા માટે ન હોય ? આ પ્રમાણે ગુણસ્થાનકવાર બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાનો વિષય પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે આ બીજા કર્મગ્રંથમાં સુંદર રીતે આલેખ્યો છે. કર્મગ્રંથની માત્ર ૩૪" જ ગાથા છે. તેટલી જ ગાથામાં ચૌદ ગુણસ્થાનકો, તથા તે પ્રત્યેક ગુણસ્થાનકોમાં પ્રથમ બંધ પછી ઉદય-ઉદીરણા અને અંતે સત્તા સમજાવવામાં આવી છે. ત્રીજા કર્મગ્રંથમાં બાસઠ માર્ગણા ઉપર આવતા બંધસ્વામિત્વને સમજવા આ કર્મગ્રંથ સારી રીતે કંઠસ્થ રાખવો અત્યંત આવશ્યક છે તથા પાંચમા કર્મગ્રંથમાં આવતાં ધ્રુવબંધી આદિ દ્વારો અને છઠ્ઠા કર્મગ્રંથમાં આવતા બંધ ઉદય અને સત્તાના અનેકવિધ સંવેધ ભાંગાઓ સમજવામાં આ બીજા કર્મગ્રન્થનો અભ્યાસ પોતાના નામના અભ્યાસ કરતાં પણ વધુ દઢ હોવો જોઈએ. અન્યથા તે તે કર્મગ્રંથોનો અભ્યાસકાળે રુચિ અને ઉત્સાહ ટકતો નથી. માટે આ કર્મગ્રંથ વારંવાર માત્ર વાંચવા જેવો છે એટલું નહીં પરંતુ સતત કંઠસ્થ કરવા યોગ્ય છે. પ્રતિદિન સંભાળવા યોગ્ય છે. પંચસંગ્રહ તથા કમ્પાયડિ આદિ ગ્રંથોના અભ્યાસકાલે પણ આ કંઠસ્થ હોવો જરૂરી છે. - મિથ્યાત્વ-અવિરતિ-(પ્રમાદ) કષાય અને યોગ આ ચાર (પાંચ) સામાન્યપણે કર્મબંધના હેતુઓ છે. અને પ્રથમકર્મગ્રંથની પ૪ થી ૬૧ ગાથામાં કહેલા હેતુઓ કમબંધના વિશેષપણે હેતુઓ છે. આ સામાન્ય અને વિશેષહેતુઓ દ્વારા આ જીવ પોતાના જ ક્ષેત્રમાં રહેલી કામણ વગણાને ગ્રહણ કરીને “કર્મરૂપે” બાંધે છે. તેને બંધ કહેવાય છે. પોતે જ બાંધેલાં કર્મોને તે તે નિયત કરેલા વિપાકરૂપે ભોગવવાં તે ઉદય કહેવાય છે. અથવા બાંધેલા સાતાદિને અસાતાદિમાં સંક્રમાવીને તે સંક્રમાવેલા કર્મોન તે તે વિપાકરૂપે ભોગવવાં તેને પણ ઉદય કહેવાય છે જે કર્મોનો ઉદયકાળ હજુ પાક્યો ન હોય તેને વીર્ય વિશેપથી ઉદયાવલિકામાં લાવીને વહેલાં ભોગવવાં તે ઉદીરણા કહેવાય છે. અને બાંધેલાં કે સંક્રમથી આવેલાં કર્મોનું આત્મા સાથે રહેવું તે સત્તા કહેવાય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અભવ્યજીવોને સદા પ્રથમ જ ગુણસ્થાનક હોય છે. નવ પૂર્વ સુધીનો શ્રુતાભ્યાસ અને દ્રવ્યથી સર્વવિરતિ ચારિત્ર હોવા છતાં પોતાના અભવ્યપણાના પરિણામિકભાવને કારણે માતત્વ અને તેનાં કારણો પ્રત્યે રુચિ થતી નથી. ભવ્ય જીવામાં પણ કોઈક કોઈક જીવ ધીમે ધીમે આત્મવિકાસ સાધતાં સાધતાં શરમાવતી હિબંધક-સકૃબંધક-અપુનબંધક-અવસ્થા પામીને ત્રણ કરણ કરવા પૂર્વક સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકો પામે છે. યથાપ્રવત્ત કરણ અનેકવાર કરે છે. ગ્રન્થિ ભેદ કર્યા વિના અનેક વખત પાછો ફરે છે. તેમ કરતાં ક્યારેક વીર્ય વિશેપ વૃદ્ધિ પામતાં ચરમ યથાપ્રવૃત્તકરણ કરે છે અને તેના વડે ગ્રન્થિભેદ કરીને સમ્યકત્વ પામે છે. અનાદિ મિથ્યાત્વીને સર્વ પ્રથમ ઉપશમ સમ્યકત્વ જ પ્રાપ્ત થાય છે. ઉપશમ સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવ્યા પછી સમ્યક્ત મોહનીય અને મિશ્ર મહનીયની ઉદ્ગલના કરે છે, ત્યાં જ સમ્યકત્વ મોહનીયની ઉર્વલના કરતાં કરતાં વિશુદ્ધપરિણામ આવ અને તેને ઉદય થાય તો ત્રણ કરણ કર્યા વિના તે જીવ મિથ્યાત્વથી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં આવે છે. અને મિશ્ર મોહનીયની ઉર્વલના કરતાં કરતાં તેનો ઉદય થાય તો ત્રીજા મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે જાય છે. પરંતુ બન્ને મોહનીયની ઉવલના થયા પછી એ જીવ જ્યારે સમ્યકત્વ પામે ત્યારે ફરીથી ત્રણ કરણ કરવાં જ પડે છે અને ઉપશમ સમ્યક્ત્વ જ પામે છેઆ રીતે ઘણીવાર ઉપશમ સમ્યકત્વ આવે છે. પરંતુ પહેલે ગુણઠાણેથી પમાતા આ ઉપશમને જાતિની અપેક્ષાએ એકવાર રૂપે જ ગણાય છે. તથા એક જીવ સંસારચક્રમાં ઉપશમ શ્રેણી ચાર વાર વધુમાં વધુ પામી શકે છે અને તે વખતે ચાર વાર ઉપશમ સ ત્વ હોઈ શકે છે અમ ઉપશમ સમ્યત્વ કુલ ૫ વાર એક જીવન સંસારચક્રમાં મળે છે. ક્ષાયિક સમ્યક્ત્વ ફક્ત એક જ વાર પમાય છે. તે પામ્યા પછી જીવનું તેનાથી પતન થતું નથી. પ્રથમ સંઘયણવાળો મનુષ્ય જ જિનેશ્વર કેવલી આદિનો કાળ હોય ત્યારે આ ક્ષાયિક પામી શકે છે. અત્યારે પંચમકાલે ભરતક્ષેત્રમાં પ્રથમસંઘયણ અને જિનેશ્વરપ્રભુની વિદ્યમાનતા ન હોવાથી નવું ક્ષાયિક પામી શકાતું નથી. પૂર્વભવથી પ્રાપ્ત ક્ષાયિક દુષ્ણસહસૂરિજીની જેમ કઈ જીવને હોઈ શકે છે. - લયોપરાએ સંખ્યત્વ અસંખ્યાતી પર આવે છે અને અસંખ્યાની વાર જાય છે. તેને કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ Page #7 -------------------------------------------------------------------------- ________________ છે. આ ક્ષયોપશમસમ્યક્ત્વવાળો જીવ ૪ થી ૭ ગુણસ્થાનકોમાં હોય છે. ઉપશમ સમ્યત્વવાળો જીવ ૪ થી ૧૧માં હોય છે અને ક્ષાયિક સમ્યત્વવાળો જીવ ૬ થી ૧૪માં વર્તે છે. સમ્યત્વની પ્રાપ્તિમાં જીવોના જન્મમરણના ભવો પાકી જવા રૂપ તથા-ભવ્યતા જ મુખ્ય કારણ છે. તે તથાભવ્યતા અભ્યતર કારણ છે અને વીતરાગ પરમાત્માનો સમાગમ, તેમની વાણીનું શ્રવણ, આદિ બાહ્ય નિમિત્તકારણ છે. બાહા કારણ અને કાન્તિક છે અને અત્યંત૨કારણ એકાન્તિકકારણ છે. છતાં તથા-ભવ્યતા પકવવામાં બાહ્યકારણ વ્યવહાર નથી નિમિત્તરૂપ છે. જેમ બીજમાં અંકુરાના ઉત્પાદનની શક્તિ છે, છતાં તેને પકવવામાં (પ્રગટ કરવામાં) ઇલા-અનિલ અને જલને સંયોગ નિમિત્ત કારણ - છે. તેમ અહીં સમજવું. ( શ્રેણીના ગુણસ્થાનકો અંતર્મુહૂર્ત જ આવે છે. અંતર્મુહૂર્તમાં જ ૮ થી ૧૧ અને ૮ થી (૧૧ વિના) ૧૨ ગુણસ્થાનકોમાં આ જીવ આરોહણ કરે છે. ઉપશમશ્રેણી એક ભવમાં વધુમાં વધુ બે વાર અને સંસારચક્રમાં કુલ ૪ વાર આવે છે. જ્યારે ક્ષપકશ્રેણી ફક્ત એક જ વાર આવે છે. * બંધની બાબતમાં નરકત્રિકાદિ, ૧૬ પ્રકૃતિઓ મિથ્યાત્વ પ્રત્યયિક છે. અનંતાનુબંધી આદિ ૨૫ અનંતાનુબંધી પ્રત્યયિક છે. તીર્થંકર નામકર્મ પરના ઉપકાર કરવા રૂપ ભાવ કરૂણાથી) બંધાય છે. આ ભાવકરૂણાએ પ્રશસ્તરાગપ્રશસ્ત કપાય છે. આવો શુભરાગ સમ્યક્ત્વ હોય ત્યારે જ સંભવે છે માટે તેને બંધ સમ્યકત્વ નિમિત્તક કહ્યો છે. વાસ્તવિકપણે સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. ગુણો એ કર્મબંધનું કારણ નથી પરંતુ કર્મક્ષયનું કારણ છે. દીપો જ કર્મબંધનું કારણ છે. કોઈ કોઈ લોકો વીશસ્થાનકની આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે એમ કહે છે. પરંતુ આરાધના એ બંધનું કારણ નથી કર્મના ક્ષયનું કારણ છે. માટે વીશસ્થાનકની આરાધનાથી તીર્થકર ના મુકર્મ બંધાતું નથી. ભાવકરૂણાથી બંધાય છે. પરંતુ આવી ભાવકરૂણા આ જીવને વીશ સ્થાનકોની આસપાનાના કાળે થવી સંભવિત છે કારણ કે તેમાં આવતાં અરિહંતાદિ પદોએ જેમ જગતના જીવોનું કલ્યાણ કર્યું તેમ હું પણ મારામાં શક્તિ આવે તો જગતના જીવન કલ્યાણના મા લાવું. આવી શુભભાવના આરાધના કાળે સંભવિત છે. તેથી વીશ સ્થાનકની આરાધનાથી તીર્થકરના Page #8 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ બંધાય છે. એવો વ્યવહાર છે. પરંતુ વાસ્તવિકપણે આરાધના તો કર્મક્ષયનું કારણ છે. તેની સાથે જ ભાવકરૂણા હોય તો જ તે ભાવનાથી તીર્થકરના નામકર્મ બંધાય છે. તથા આહારકઠિકના બંધનો હેતુ પણ સંયમ જે કહેવાય છે તે ઔપચારિક છે. કારણ કે સંયમ એ પણ આત્માના ગુણ છે. ગુણોથી જો કર્મબંધ થાય તે આઠમાં ગુણઠાણા કરતાં નવમા આદિ ગુણઠાણામાં સંયમ વધારે સુંદરતમ હોય છે તેથી આહારકલિક વધારે સારું બંધાવું જોઈએ. પણ ત્યાં બંધાતું નથી. માટે સંયમ એ ગુણ હોવાથી કર્મબંધનું કારણ નથી. પરંતુ સંયમ તથા શ્રુતજ્ઞાન પ્રત્યેનો વિશિષ્ટ એવો જે રાગે તે રાગ જ આહારદિકના બંધનો હેતુ છે. પરંતુ આવા પ્રકારો સંયમ અને શ્રુતજ્ઞાન પ્રત્યેનો રાગ સાતમા-આઠમ ગુણઠાણે જ હોય છે. અને તે પણ કોઈક કોઈક જીવને જ હોય છે. અને આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જ આ રાગ સંભવે છે પછી રાગની માત્રા અતિમંદતમ થતાં છેલ્લે ભાગે રાગ જ ઉદયમાંથી નીકળી જાય છે. માટે જે જીવને આવો પ્રશસ્તરાગ હોય તે જ જીવ આહારદ્ધિક બાંધે છે. ઇત્યાદિ સુયુક્તિઓ ગીતાર્થ ગુરુઓ પાસેથી સમજવા વિનંતિ છે. કષાય હોય તો જ સ્થિતિ-રસ બંધાય છે માટે ૧૧-૧૨-૧૩માં ગુણઠાણે સાતાવેદનીયન માત્ર પ્રકૃતિ અને પ્રદેશબંધ જ થાય છે. - સૂક્ષ્મ એ કેન્દ્રિય, સાધારણ વનસ્પતિકાય, અને લબ્ધિ અપર્યાપ્ત જીવો નિયમ મિથ્યાત્વી જ હોય છે. જો કે એ કેન્દ્રિયાદિ જીવોમાં ચેતના ઘણી જ આવૃત છે. તેથી મિથ્યાભાવ વ્યક્ત નથી તો પણ જેમ સૂતેલો સાપ ઝેર વિનાનો નથી, તેમ આ જીવો પણ આવૃત ચેતનાવાળા હોવા છતાં મિથ્યાભાવ રહિત નથી તેથી આ જીવોને અનાભાગ મિથ્યાત્વ કહેવાય છે. - વૈક્રિયદ્ધિકનો ઉદય ભવપ્રત્યયિક જ વિવક્ષિત હોવાથી ચાર ગુણસ્થાનકથી ઉપર ઉદય ગણાવ્યો નથી. આહારક શરીર બનાવવાની શક્તિ એ એક વિશિષ્ટ લબ્ધિ છે. આ લબ્ધિની પ્રાપ્તિ વિશિરણ પ્રાપ્તિથી જ થાય છે. પરંતુ જ્યારે તે લબ્ધિ વિકુર્વે છે ત્યારે એક આત્મા બે શરીરોમાં કાર્યરત હોવાથી અસ્થિરતાના કારણે શાનો તને પ્રમાદાવસ્થા કહે છે. માટે પ્રમત્ત આહારકની વિદુર્વણા કરે છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ ' ઉપશમશ્રેણીમાં ત્રણ સંઘયણનો ઉદય કહ્યો છે અને આ શ્રેણીમાં મૃત્યુ પામે તો વૈમાનિક દેવલોકમાં જાય એમ પાઠ આવે છે. उवसमसम्मत्तद्धा, अंतो आउक्खया धुवं देवो । . जेण तिसु आउएसुं, बद्धेसु न सेढिमारुहइ ॥ १२ ॥ ઉદીરણા એ એક “કરણવિશેષ છે. આઠ પ્રકારનાં કિરણોમાંનું આ કરણ છે. અને કરણ એ મન-વચન-કાયા દ્વારા આત્મપ્રદેશના આન્દોલનાત્મક યોગસ્વરૂપ વીર્યવિશેષ છે. અયોગી ગુણઠાણે યોગાત્મક વીર્ય રૂપ કરણ સંભવતું નથી. માટે કર્મોનો ઉદય અને સત્તા હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. મિથ્યાત્વાદિ ચારે બંધહેતુઓ ન હોવાથી બંધ પણ ત્યાં હોતા નથી. તીર્થકર નામકર્મને રસોદય તેરમા-ચોદમાં ગુણઠાણે હોય છે. પરંતુ પ્રદેશોદય એટલે તીર્થકર નામકર્મના પ્રદેશો સૌભાગ્ય આદેય અને યશ નામકર્મમાં સંક્રમી તે રૂપે ઉદય થવાનું કામ પાછલા ત્રીજા ભવથી જ તીર્થકર નામકર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્ત જ શરૂ થઈ જાય છે. જે ત્રણે ભવોમાં સતત ચાલુ જ રહે છે તેના કારણે તે જીવનું સૌભાગ્ય-આદેયતા અને યશકીર્તિ અન્ય જીવો કરતાં સવિશેષ અધિકાધિક હોય છે. બાંધેલાં કર્મો આત્મા સાથે સ્ટોકમાં હોય તેને સત્તા કહેવાય છે. સત્તામાં અનેકવિધ કર્યો હોવા છતાં જે ભવનું આયુષ્ય કર્મ ઉદયમાં આવે તેને અનુસાર તે ભવનું જ નામ-ગોત્ર કર્મ, ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ વગેરે કર્મો ઉદયમાં આવે છે. અને તેને મળતાં અનુદયવાળાં સજાતીયકર્મો તેમાં મળીને તિબૂક સંક્રમથી ઉદયમાં આવે છે. દાખલા તરીકે-શ્રેણિક મહારાજા આદિની જેમ કોઈએ નરકાયુષ્ય બાંધ્યું ત્યારબાદ વિશુદ્ધ પરિણામો સતત રહેવાથી દેવગતિ-સમચતુરન્સ સંસ્થાન, ઉચ્ચગોત્ર આદિ પુણ્યપ્રકૃતિઓ મૃત્યુકાળના અંત સુધી બાંધી પરંતુ મૃત્યુબાદ નરકાયુષ્ય ઉદયમાં આવવાના કારણે ગતિ નરકની જ, શરીર પણ નરકસંબંધી અશુભવૈક્રિય જ, સંસ્થાન પણ હુંડક જ, ગોત્ર પણ નીચ જ ઉદયમાં શરૂ થાય છે અને મૃત્યુ કાલ પહેલાં બાંધેલી શુભ પ્રકૃતિ કે જે સત્તામાં છે તેનાં એકેક સમયનાં કર્મદલિકો સ્તિબુક સે કમ દ્વારા ઉદયવતી નરકગતિ આદિ અશુભ નાં ક્રમાવીને પર પ્રકૃતિરૂપે ઉદય દ્વારા એટલે પ્રદેરાદય દ્વારા ભોગવાતાં જાય છે. જેથી જેમ જેમ સમય વીતતો જાય છે. તેમ તેમ તે તે સમયમાં ગોઠવાયેલાં સર્વકર્મો Page #10 -------------------------------------------------------------------------- ________________ -- ઉદયવતીનાં વિપાકોદય દ્વારા અને અનુદયવતીનાં પ્રદેશોદય દ્વારા ભોગવાઈને પૂર્ણ થઈ જાય છે. પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મ.ના જીવન વિષે, તથા તેઓએ રચેલા અને અન્ય મહાત્માઓએ કર્મવિષયક રચેલા ગ્રંથોની માહિતી પ્રથમ કર્મગ્રંથની પ્રસ્તાવનામાં આપેલ છે. ત્યાંથી જાણી લેવી. આ બીજા કર્મગ્રન્થનું અમે લખેલું ગુજરાતી વિવેચન પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.ની આજ્ઞાથી પૂજ્ય ગણિવર્ય મુનિરાજ શ્રી અભયશેખરવિજયજી મહારાજશ્રીએ સંપૂર્ણ કાળજી અને ઉપયોગપૂર્વક તપાસી આપેલ છે. જ્યાં જ્યાં યોગ્ય સુધારા-વધારા કરવા તેઓશ્રીની સૂચના મળી છે તે મુજબ સુધારા-વધારા અમે કર્યા છે. તેઓશ્રીનો અમારા ઉપર આ પુસ્તક તપાસી આપવા બદલ અસીમ ઉપકાર છે. જેને વારંવાર આ સમયે નતમસ્તકે સ્મૃતિગોચર કરીએ છીએ. તથા પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલભાઈએ પોતાના કર્મવિષયક વિશાલ અનુભવને અનુસારે પોતાપણું માનીને સુંદર પ્રુફ રીડીંગ કરી આપ્યું છે, તે બદલ તેઓશ્રીનો અમે આભાર માનીએ છીએ. તથા વ્યવસ્થિત ટાઈપસેટિંગ અને પ્રકાશન કરી આપવા બદલ ભરત ગ્રાફિક્સનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ. છદ્મસ્થતા, બીન ઉપયોગ દશા, તથા મતિમત્ત્વતા આદિના કારણે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાવિરૂદ્ધ જે કંઈ આ ગ્રંથમાં લખાઈ ચૂક્યું હોય તેની ત્રિવિધે ક્ષમા માગું છું અને તે ક્ષતિઓ તરફ અમારૂં ધ્યાન દોરવા વિદ્વર્ગને નમ્રભાવે વિનંતિ કરું છે. આજ સુધી અમારા વડે લખાયેલાં અને પ્રકાશિત થયેલાં પુસ્તકોની આછી રૂપરેખા સામે આપેલી છે. તે જોઈ જરૂરિયાત પ્રમાણે પુસ્તકો મંગાવી વાંચી વંચાવી સદુપયોગ કરવા વિનંતિ છે. ૧૧૪૪૩, માતૃછાયા બિલ્ડીંગ, બીજેમાળે, રામજીની પોળ, નાણાવટ, સુરત-૩૯૫૦૦૧ ( INDIA ) ટેલીફોન નં. (૨૬૧) ૪૧૦ ૬૬૧ -['ét. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ (અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત:- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાયિ કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર:- શ્રીમદ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી - ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ, (૮) “કર્મવિપાક' પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન (૯) “કર્મસ્તવ'' દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ' તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) રત્નાકરાવતારિકા :- પ્રમાણ નયતત્ત્વાલોક ઉપરની પૂજ્ય રત્નપ્રભાચાર્ય મ. સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) અર્થ સહિત પૂજાસંગ્રહ :- પંચ કલ્યાણક, અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી પૂજાઓ તથા તેના સરળ ગુજરાતી અર્થો. (હાલ લખાતા ગ્રંથો) (૧) રત્નાકરાવતારિકા - કુલ ૮ પરિચ્છેદ છે. ચાર પરિચ્છેદ લખાયા છે. પ્રકાશિત થાય છે. અને શેષ પરિચ્છેદો લખાય છે. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) યોગદૃષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ રીકા સહિત સરળ ગુજરાતી વિવેચન. (૪) “ષડશીતિ' નામના ચોથા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #12 -------------------------------------------------------------------------- ________________ બીજા કર્મગ્રંથના પ્રકાશનમાં મળેલ છે આર્થિક સહયોગ ૫૦૦ કોપી શ્રી કિશોરભાઈ તથા કવિતાબેન લોસએંજીલર્સ કેલીફોનીયા- અમેરિકા. શ્રી જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોનીયા લોસએંજીલર્સ અમેરીકા ૧૫૦ કોપી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા. ૧૦૦ કોપી શ્રી જીતુભાઈ શાહ તથા નીરૂબેન એટલુંટા- અમેરિકા. ૫૦ કોપી શ્રી નૌતમભાઈ મણીભાઈ ઘડીયાળી તરફથી, હસ્તે શ્રી કોકીલાબેન તથા કીરણભાઈ ઘડીયાળી. ન્યુજરસી- અમેરિકા. ૪૨૦૦ રૂ. પૂજય અરૂણ શ્રીજી મ. સાહેબના સદુપદેશથી માંડવીની પોળ, હરકીશનદાસ શેઠની પોળની બહેનો તરફથી, અમદાવાદ, ૧૫000 રૂા. પૂ. આચાર્યદેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સાહેબના સદુપદેશથી શ્રી નાનપુરા જૈન શ્વે) મૂર્તિપૂજક સંઘ તરફથી. ૧000 રૂા. પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સાહેબનાં આજ્ઞાવર્તિની પૂજય સાધ્વીજી મ. શ્રી વિઘુભાશ્રીજી મ. સાહેબના સદુપદેશથી. ૧૦૦૦ રૂ. પૂ. ચંદ્રકલાશ્રીજી મ. સાહેબના સદુપદેશથી શ્રી દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટની બહેનો તરફથી. પુસ્તકના પ્રસારણ નિ.મત્ત મળેલ સહયોગમાં ઉપરોક્ત સર્વે મહાનુભાવોના અમ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાનINDIA) જૈન ધર્મમાં શાસ્ત્રોનું પ્રારંભથી સુંદર અધ્યાપન કરાવનાર આ એક જ સંસ્થા છે. મેં આ સંસ્થામાં રહીને જ આઠ વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કર્યો છે. ભારતભરમાં પાઠશાળામાં ભણાવનાર શિક્ષકબંધુઓ આ સંસ્થામાં તૈયાર થયેલ છે. આજ સુધી લગભગ * દોઢસો ભાઈઓએ અભ્યાસ કરી દીક્ષા પણ સ્વીકારી છે. ન્યાય વ્યાકરણ અને ઉરચ ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. ભણતા વિધાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન અને અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સારો પુરસ્કાર આપવામાં આવે છે. તો આપશ્રીના બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કાર તથા અભ્યાસ માટે આ સંસ્થામાં મોકલવા વિનંતિ છે. તથા આ સંસ્થાને આર્થિક ક્ષેત્રે વધુ દઢ કરવા દાતાઓને નમ્ર વિનંતિ છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાત-અને સમ્યગ્યારિત્રનો ધોધ વરસાવતી આ સંસ્થાને અવશ્ય યાદ કરવા જેવી છે. લાભ લેવા માટે ખાસ વિનંતિ છે. આ સંસ્થામાં દાન આપવાની અનેક યોજનાઓ છે તથા વિક્રમ સંવત ૧૯૫૪માં આ સંસ્થા સ્થપાયેલી છે. બે વર્ષ પછી આ સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થાય છે તેનો શતાબ્દિ મહોત્સવ ઉજવવાનો છે. તો આ શુભ પ્રસંગે રત્નત્રયીનું પ્રસારણ કરતી આ સંસ્થાને અવશ્ય યાદ કરશો. એવી આશા રાખું છું. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #14 -------------------------------------------------------------------------- ________________ -મુનિ અભયશેખરવિજય ગણિ, બોલો અદ્ભૂત છે જૈન શાસન ! એણે આત્માની ઓળખ કરાવી છે. આત્માના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. એ સ્વરૂપમાં ભળેલી વિકૃતિઓ અને એનાં કારણો વર્ણવ્યાં છે. (પ્રથમકર્મગ્રંથમાં) ના, એ એટલેથી જ અટકી ગયું નથી. આ વિકૃતિઓ ક્રમશઃ કઈ રીતે દૂર થાય એનું સવિસ્તર વર્ણન પણ એણે પોતાના વિશાળ શ્રુતસાગરમાં કરેલું છે. કેટલે કેટલે અંશે વિકૃતિઓને લાસ થવાથી આત્મા સ્વકીય આરોગ્ય તરફ કેટલો કેટલો આગળ વધે છે ? શી શી તેની અવસ્થાઓ થાય છે ? તે તે અવસ્થામાં ક્યા ક્યા દોષો ક્ષીણ થાય છે ? એનાથી આત્માને શું લાભ થાય છે ? વિગેરે રસપ્રદ બાબતોનું વર્ણન એ પણ શ્રી જૈન શાસનની, હા, માત્ર જૈનશાસનની જ મોનોપોલી છે. વિશ્વમાં પુદ્ગલથી ભિન્ન એવા સ્વતન્ત્ર આત્મદ્રવ્યની ગુણવિકાસની અપેક્ષાએ ૧૪ અવસ્થાઓ- એ. ૧૪ ગુણસ્થાનક કહેવાય છે. ક્યા ક્યા દોષનો કેટલે અંશે હાસ થવાથી કેવા (હણ પ્રગટ થાય છે અને એના પ્રભાવે કેટલા કેટલા કર્મો બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ જીવને અસરકર્તા રહ્યા નથી આ બધી બાબતોનું સુંદર નિરૂપણ ગ્રન્થકાર આચાર્યભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે બીજા “કસ્તવ” ગ્રંથમાં કર્યું છે. “એક પંથ દો કાજ” એ નયે તેઓશ્રીએ આ વર્ણન કરવાની સાથે સાથે જ શાસનપતિ શ્રીવીરપ્રભુની સ્તવના કરી લીધી છે. માટે એનું નામ “કસ્તવમાં રખાયું છે). Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ બીજા કર્મગ્રંથનું પણ આજ સુધીમાં અનેકવિધ સાહિત્ય પ્રકાશિત થઈ ચુક્યું છે. દરેકની પોતપોતાની શૈલી હોય છે. અનેક સાધ્વીજી ભગવંતોને અનેક વિષયનું અધ્યાપન કરાવનારા શ્રી ધીરૂભાઈ પંડિત પણ, પદાર્થના એકદમ વિસ્તાર કરવાની ને પ્રારંભમાં જ ઉપર ઉપરની પણ ઘણી માહિતી અધ્યેતાવર્ગને આપી દેવાની શૈલી સાથે શ્રી સંઘસમક્ષ પ્રસ્તુત થયા છે. અને અત્યન્ત વિસ્તૃત વિવેચન શ્રી સંઘના કરકમલમાં પુરસ્કૃત કરી રહ્યા છે. તે તે ગુણકાણે સંભવિત સત્તાસ્થાનો, વિવિધ પ્રશ્ન-ઉત્તર, વિગેરે દ્વારા વિષયને વધુ વિશદ બનાવવાનો તેઓએ હિંમતપૂર્વક પ્રયાસ કર્યો છે જે વિસ્તારરૂચિવાળા જીવોને આનંદપ્રદ બનશે. તેમજ આગળ આગળના ગ્રન્થો સુધી કદાચ ન પહોંચી શકનાર અર્થતાને પણ ઉપર-ઉપરના ગ્રન્થોમાં નિરૂપિત વિષયોનો કંઈક આસ્વાદ જરૂર. મળી રહેશે. બીજા કર્મગ્રંથના અધ્યેતાઓને એક ખાસ સૂચન કરવાનું મન થાય છે કે આ ગ્રન્થનો વિષય એ માત્ર વાંચી જવાનો વિષય નથી. પણ ગોખીને યાદ રાખવાનો વિષય છે. વારંવાર પુનરાવર્તન દ્વારા આ પદાર્થોને જેઓ અસ્થિમજ્જા જેવા કરી શકતા નથી તેઓને આગળ ત્રીજા વિગેરે કર્મગ્રંથોમાં ગતિ થવી દુષ્કર બની જાય છે ને ડગલેને પગલે અલના જ થયા કરે છે માટે ખૂબ વિસ્તાર જોઈને આ કર્મગ્રંથને માત્ર વાંચવા-સમજવાનો વિષય બનાવી દેવાની ભૂલ ન કરવી. વિવિધ સાહિત્ય પ્રકાશિત કરવાને શ્રી ધીરૂભાઈનો ઉત્સાહ અદમ્ય છે. ને તદ્રસાત્ તેઓની અનેકગ્રન્થોના વિવેચનાદિની પ્રવૃત્તિ નિરંતર ચાલુ રહેલી જણાય છે. તેઓની આ સાહિત્યયાત્રા શ્રી જૈનશાસનના શ્રુતભંડારને સમૃધ્ધ કરનારી બની રહો એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે વિરમું લિ. શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિતજયશેખર સૂરીશ્વર શિધ્યાણ મુનિ અભયશેખરવિજય ગણિ. Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્મનું માહાત્મ્ય સંસારી પ્રત્યેક જીવો (અયોગી વિના) પ્રત્યેક સમયે કર્મ બાંધે છે. આ કર્મ કાર્મણવર્ગણાનું બને છે. કાર્પણ વર્ગણા સમસ્ત લોકાકાશ વ્યાપી છે. જીવ જે આકાશ પ્રદેશમાં વ્યાપીને રહે છે. ત્યાં રહેલી વર્ગણા જ જીવ વડે ગૃહીત થાય છે. તૈલાદિ દ્રવ્યથી સ્નિગ્ધ શરીરને જેમ રજ ચોંટે છે. તેમ રાગ-દ્વેષ અને મોહાદિથી વ્યાપ્ત જીવને આ કાર્મણવર્ગણા ચોંટે છે, કર્મરૂપે બને છે. અને આત્મદ્રવ્યની સાથે ક્ષીરનીરવત્-લોાિગ્નિવતા લોલીભાવને પામે છે. પ્રતિસમયે બંધાતાં કર્મોની દલિકરચના અબાધાકાળને છોડીને થાય છે. જે કર્મ જેટલી સ્થિતિવાળું બંધાય છે તે કર્મના તેટલા સો વર્ષનો અબાધાકાળ હોય છે. એટલે તેટલા સો વર્ષ પછીના સમયોથી દલિકરચના થાય છે. બધ્યમાન સમયે દલિકરચનાનો આ નિયમ રહે છે. પરંતુ કર્મ બાંધ્યા પછી એક આવલિકા કાળ વીત્યા બાદ તે કર્મમાં અનેક ફેરફારો (કરણ) લાગુ પડે છે. જે કર્મ જેટલી લાંબી સ્થિતિવાળું અને જેટલા તીવ્ર-મંદ રસવાળું બંધાયું હોય છે તેટલી લાંબી સ્થિતિવાળું કે તેટલા તીવ્ર-મંદ રસવાળારૂપે જ ભોગવવું પડે તેવો નિયમ નથી. બધ્યમાન સમયે અધ્યવસાયને અનુસારે કર્મ બંધાય છે પરંતુ બંધાયા પછી અધ્યવસાયોની પરાવૃત્તિને અનુસારે દીર્ઘસ્થિતિવાળું કર્મ ધૃસ્વસ્થિતિવાળું (અપવર્તના) અને ધૃસ્વસ્થિતિવાળું કર્મ દીર્ઘસ્થિતિવાળું (ઉર્તના) થઈને પણ ભોગવાય છે. તેવી જ રીતે તીવ્રસે બંધાયેલું કર્મ પશ્ચાતાપ-પ્રાયશ્ચિત્ત અને આલોચના વડે મંદરસવાળું થઈને પણ ભોગવાય છે અને મંદસે બંધાયેલું કર્મ પાપપ્રશંસા-અભિમાનાદિ વડે તીવ્રરસવાળું થઈને પણ ભોગવાય છે. તથા બાંધેલાં શુભકર્મો પરિણામની પરાવૃત્તિથી અશુભમાં સંક્રમિત પણ થાય છે અને અશુભ બાંધેલાં કર્મો શુભમાં પણ સંક્રમિત થાય છે. એટલે જીવ પોતાના શુભાશુભ પુરુષાર્થ અને પરિણામના આધારે કર્મોને પરાવર્તિત કરી શકે છે. જૈન દર્શનકારો જેને “કુર્મ” કહે છે તેને જ અન્યદર્શનકારો કોઈ ‘“અવિદ્યા’” કોઈ ‘“પ્રકૃતિ” અને કોઈ “માયા” કહે છે. પરંતુ જીવને જન્મજરા-મરણ, દુઃખ-સુખ આદિ ચિત્ર-વિચિત્ર પ્રાપ્ત થતી સ્થિતિમાં કોઈને કોઈ હેતુ સર્વ દર્શનકારોએ માનેલ છે. જીવની સાથે આ અન્યતત્ત્વ જો ભળેલું ન હોય તો શુદ્ધ-બુદ્ધ આત્માની અવિકૃતદશાના કારણે જેમ સિદ્ધ પ૨માત્માને કર્મબંધ થતો નથી તેમ સંસારી જીવને પણ બંધ ઘટી શકે નહીં. Page #17 -------------------------------------------------------------------------- ________________ માટે જીવમાં અનાદિથી કોઈ એવું તત્ત્વ ભળેલું છે કે જે તેના વિપાકેદય દ્વારા આત્માની ચેતનાને રાગ-દ્વેષ-મહાદિ ભાવયુક્ત કલેશવાળી કરે છે. અને તેના વડે અપૂર્વ-અપૂર્વ કર્મબંધ થાય છે. આત્માને આ અન્યદ્રવ્યનો (કર્મનો) સંયોગ તે જ સંસાર અને આત્માને આ અન્ય દ્રવ્યનો (કર્મનો) જે વિયોગ તે મોક્ષ કહેવાય છે. આ રીતે આત્માની જ સંસાર અને મુક્ત એમ બે અવસ્થા છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં કહ્યું છે કે आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः । स एव मुक्त एतौ च, तत्स्वाभाव्यात्तयोस्तथा ॥ ६ ॥ આ આત્મા પોતાનામાં રહેલી યોગ્યતા (ભવ્યતા)ના બળે અને કાલસ્વભાવાદિ અપેક્ષા કારણોની સાહાધ્યના બળે દોષોને વમતો ગુણોને પ્રાપ્ત કરતો ઉપર-ઉપરના ગુણસ્થાનકોમાં આરોહિત થાય છે. ગુણસ્થાનકનો વિકાસ જેમ જેમ વધે છે તેમ તેમ કર્મોના-બંધ-ઉદય-ઉદીરણા-અને સત્તાનાં બળ ઘટે છે. કર્મોને તોડવાનો માત્ર આ જ એક ઉપાય છે કે દોષોનો હ્રાસ કરવો અને ગુણોની વૃદ્ધિ કરવી, ચૌદે ગુણસ્થાનકોમાં દોષ હાનિ અને ગુણવૃદ્ધિને કારણે જ આ કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ બંધાદિની હાનિ યુક્તિયુક્ત ઘટે છે. જો કર્મોને દૂર કરવામાં દોષહાનિ અને ગુણવૃદ્ધિ તરફ ધ્યાન આપવામાં ન આવે તો કર્મો તીવ્ર બનતાં છતાં આ જીવને અનંત દુઃખની ખાણમાં નાખી દે છે. કર્મોની બળવત્તરતા થતાં જીવ દુઃખી અને ગુણોથી પતિત થાય છે. માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.શ્રીએ જ્ઞાનસારાષ્ટકમાં કર્મોની પ્રાબલ્યતા નીચે મુજબ જણાવી છે येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षा नाप्यते ॥ २१-२ ॥ आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च ।। भ्राम्यन्तेऽनन्तसंसारमहोदुष्टेन कर्मणा ॥ २१-५ ॥ કર્મોની દારૂણતા સમજીને ઉત્તમ મુમુક્ષુ મહાત્માઓએ તેના વિનાશ અને પરાભવ માટે સદા જાગૃત રહેવું જોઈએ. તથા દિન-પ્રતિદિન વધુ અધ્યાત્મપ્રિય બનવું જોઈએ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રફ સંશોધનની સાથે.... સાથે.... માનનીય પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઇએ ગત સાલ કર્મગ્રન્થનું પ્રથમ પુસ્તક “પ્રથમ કર્મગ્રંથ કર્મવિપાક” પ્રકાશિત કરી સરલ ભાષામાં કર્મના મર્મને સમજાવવા એક શુભ પ્રયત્ન કરેલ. અભ્યાસી જીવોની તે ગ્રન્થની અભ્યર્થનાને પોતાના પ્રયત્નની સફળતા સ્વીકારી આ “દ્વિતીય કર્મગ્રન્થ-કમતવ” પંડિતજીની આગવી શૈલીમાં પ્રકાશિત થઈ રહેલ છે. લખાણમાં કોઈ ભાષાની ભભક નથી કે કોઈ તેવો શબ્દાર્ડબર નથી, માત્ર સીધી-સાદી સરળ ભાષામાં જ્ઞાન પિપાસુ જીવોના હૈયામાં ઉતરી જાય તેવી વિશિષ્ટ શૈલીથી ગ્રંથકારનો આશય બરાબર જળવાય તે રીતે આ વિવેચન છે. લખવાને પ્રયત્ન થયેલ છે. વિવેચનમાં સામાન્ય ક્રમ મુજબ પ્રથમ ગ્રંથકાર પૂ. આ. દેવ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. રચિત મૂળ ગાથા, છાયા ત્યારબાદ મહત્વના શબ્દોના અર્થ, મૂળ ગાથાનો સામાન્ય અર્થ અને ત્યારબાદ તેના ઉપર વિવેચન સરળ ભાષામાં રજૂ કરેલ છે. ત્યારબાદ આ જ ગ્રન્થને વધુ સ્પષ્ટ કરવા તેમજ સુગ્રાહ્ય બનાવવા સરળ પ્રશ્નોત્તરી તેમજ વિવેચનમાં આવતા કઠિન શબ્દોના અર્થ આપેલ છે. આ વિવેચનમાં આત્મવિકાસની ભૂમિકાને અનુરૂપ ગુણસ્થાનકોનું સ્વરૂપ સુંદર રીતે સમજાવેલ છે. તો સાથે સાથે એક સમયે આત્માને કર્મની કેટલી પ્રકૃતિઓ વળગેલ છે તેનું વિશદરીતે વર્ણન કરતાં તે ગુણસ્થાનકોમાં જ ભિન્ન-ભિન્ન વિવક્ષાએ એક આત્માને સત્તાગત કર્મો કેટલાં અને કેવી રીતે હોઈ શકે તેનું સ્પષ્ટીકરણ કરેલ છે. છેલ્લા ૪૦થી પણ વધુ વર્ષોથી જૈન જગતમાંપૂ.સાધુ-સાધ્વીજી મ.સાહેબોને અધ્યયન કરાવતાં પંડિતજીએ આ વિષયમાં ઊંડું મંથન કરેલ છે. તેમજ દેશ-પરદેશમાં જ્ઞાનાર્થી જીવોને જૈનધર્મનું સ્વરૂપ સમજાવવાનો તેમનો વિશિષ્ટ અનુભવ છે તેથી અનુભવપૂર્ણ તેમનું આ આલેખન પણ અભ્યાસક વર્ગને ખૂબ ખૂબ ઉપકારક બનશે. આ ગ્રંથના વાંચન-મનન દ્વારા અભ્યાસી આત્માઓ કર્મમુક્તિને પ્રાપ્ત કરે એજ અભ્યર્થના દોશી રતિલાલ ચીમનલાલ લોદરાવાળા અધ્યાપક હેમચન્દ્રચાર્ય જેન પાઠશાળા અમદાવાદ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ફર્મગ્રંથનું સંક્ષેપમાં પુનરાવર્તન) આપણે હવે બીજો કર્મગ્રંથ “કર્મસ્તવ” શરૂ કરીએ છીએ, તેમાં પ્રથમ કર્મગ્રંથમાં આવેલ વિષય અત્યન્ત કંઠસ્થ હોવો જરૂરી છે. કારણ કે તેના ઉપર જ બીજા-ત્રીજા આદિ કર્મગ્રંથોની રચના છે. તેથી સંક્ષેપમાં આપણે પ્રથમ કર્મગ્રંથ સંભાળી જઈએ. જે મુખપાઠ ન હોય તો મુખપાઠ કરી લેવો ખાસ જરૂરી છે. મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓ દ્વારા આત્માની સાથે કામણવર્ગણાનું ક્ષીર-નીરની જેમ અથવા લોહાગ્નિની જેમ એકમેક થઈ જવું, તેનું કર્મરૂપે રૂપાન્તર થવું તે કર્મ કહેવાય છે તે ચાર પ્રકારે બંધાય છે. (૧) જ્ઞાનાદિ ગુણને ઢાંકવાનો સ્વભાવ તે પ્રતિબંધ. (૨) બંધાયેલ કર્મ આત્મા સાથે કેટલો ટાઈમ રહેશે ? તેના કાલમાપનું નક્કી થવું તે સ્થિતિબંધ. (૩) કર્મોના પાવરનું-જુસ્સાનું નક્કી થયું તે રસબંધ. (૪) કર્મોના પ્રદેશોનું પ્રમાણ નક્કી થયું તે પ્રદેશબંધ. કર્મના આઠ ભેદ છે. તેના પ્રતિભેદો ૧૨૦૧૨૨૧૪૮ અને ૧૫૮ છે. તે આ પ્રમાણે - (૧) જ્ઞાનાવરણીય કર્મ - આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરનાર જે કર્મ છે. તેના પાંચ ભેદો છે. જ્ઞાનના ભેદો પાંચ છે માટે જ્ઞાનાવરણીય કર્મના પણ પાંચ ભેદો છે. (૧) મતિજ્ઞાનાવરણીય કર્મ. (૨) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ. (૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ. (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ (૫) કેવલજ્ઞાનાવરણીય કર્મ. . (૨) દર્શનાવરણીય કર્મ : વિષયને સામાન્યપણે જાણવું તે દર્શન તેને આવરણ કરનારૂં જે કર્મ તે દર્શનાવરણીય કર્મ. તેના ૪૧૫ = કુલ ૯ ભેદ છે. (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન. (૪) કેવલદર્શન, આ ચાર આત્મગુણોને ઢાંકનારાં જે કર્મો તે ચાર દર્શનાવરણીય કર્મ. તથા Page #20 -------------------------------------------------------------------------- ________________ સુખે સુખે જાગૃત થવાય તે નિદ્રા. ૧. દુઃખે દુઃખે, મુશ્કેલીથી, પ્રયત્નવિશેપથી જાગૃત થવાય તે નિદ્રાનિદ્રા. ૨. બેઠાં બેઠાં અને ઉભાં ઉભાં ઉંઘ આવે તે પ્રચલા, કે. ચાલતાં ચાલતાં ઉંધ આવે તે પ્રચલાપ્રચલા. ૪. દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે કરે છતાં ખબર ન પડે તેવી ગાઢ નિદ્રા ત થીણદ્ધિ અથવા સ્યાનધેિ. ૫. એમ ૪ દર્શનાવરણીય તથા પાંચ નિદ્રા કુલ ૯ દર્શનાવરણીય (૩) વેદનીય કર્મ - જીવને સાંસારિક ભોગ-સુખોની સાનુકુળતા અને પ્રતિકુળતા અપાવનારું જે કર્મ છે. તેના ૨ ભેદ છે. * (૧) સુખ રૂપે અનુભવાય તે સાતાવેદનીય. (૨) દુ:ખ રૂપે અનુભવાય તે અસતાવેદનીય. (૪) મોહનીય કર્મ - આત્માને સંસારમાં મુંઝવે-મોહ પમાડે. વિવેકશૂન્ય કરે તે મહનીય કર્મ, તેના મુખ્ય ર ભેદ છે. (૧) દર્શનમોહનીય. (૨) ચારિત્ર મોહનીય. તેમાં દર્શન મોહનીયના ૩, અને ચારિત્રમોહનીયના ૧૬+૯ = ૨૫ ભેદ છે. (૧) જિનેશ્વર પરમાત્માનો ધર્મ રૂચે જ નહીં તે મિથ્યાત્વમોહનીય. (૨) જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રૂચિ- અરૂચિ ન થાય. નાલીકેર દ્વીપના મનુષ્યોને અનાજ ઉપર હોય તેમ તે મિશ્રમોહનીય. (૩) જિનેશ્વર પરમાત્માનો ધર્મ રૂચે. પરંતુ તેમાં શંકા-કાંક્ષાદિ થાય તે સમ્યકત્વ મોહનીય. ચારિત્રમોહનીયના અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય. પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન એમ ચાર કપાયા તથા તેના દરેકના ક્રોધ માન-માયા-લોભ એમ ચાર-ચાર ભેદો કરતાં કુલ ૧૬ ભેદો થાય છે તથા હાસ્ય-રતિ-અરતિભય-શોક-દુર્ગછા. પુરુષવેદ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ એમ ૯ નોકષાય મહનીય છે. આ પ્રમાણે ૩ + ૧૬ + ૯ = ૨૮ મોહનીયકર્મની પ્રકૃતિઓ છે. તેમાં મિશ્ર મો હનીય અને સમ્યકત્વ મોહનીય આ બે કર્મો મિથ્યાત્વમોહનીયના જ મંદ-મંદતર રસથી બને છે. માટે પોતાના રૂપે બંધાતી નથી. તેથી બંધમાં રદ, ઉદયમાં ૨૮, ઉદીરણામાં ૨૮, અને સત્તામાં ૨૮ પ્રકૃતિઓ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ મહનીય દર્શનમાનીય ચારિત્રમોહનીય કપાય નોકપાય મિથ્યાત્વ મ. મિશ્ર મો. સમ્યકત્વ મો. ૧ ૧ ૧ અનંતાનુબંધી અપ્રત્યાખ્યા, પ્રત્યાખ્યા, સંજવલન જ ૪ ૪ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા પુરુષવેદ સ્ત્રીવેદ નપુંસકવેદ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ . (૫) આયુષ્યકર્મ - જીવને પોતપોતાના ભવમાં જકડી રાખે, નીકળવા ન દે તે આયુષ્યકર્મ. તેના ૪ ભેદ છે. (૧) નરકભવમાં પ્રતિબંધ કરે, નીકળવા ન દે તે નરકાયુષ્ય (૨) તિર્યંચભવમાં પ્રતિબંધ કરે, નીકળવા ન દે તે તિર્યંચાયુષ્ય. (૩) મનુષ્યભવમાં પ્રતિબંધ કરે, નિકળવા ન દે તે મનુષ્યાયુષ્ય. (૪) દેવભવમાં પ્રતિબંધ કરે, નિકળવા ન દે, તે દેવાયુષ્ય. (૬) નામકર્મ : જીવને સાંસારિક શરીર તથા શરીરસંબંધી સામગ્રી આદિ અપાવનારૂં જે કર્મ તે નામકર્મ. તેના ૪૨૯૩ ૧૦૩ અને ૬૦ ભેદો જેના પેટાભેદો થઈ શકે તે પિંડપ્રકૃતિ. તે ૧૪ છે. જેના પટાભેદ ન હોય તે પ્રત્યેકપ્રતિ તે ૮ છે. ત્રસ આદિ ક્રમશઃ દશ પ્રકતિ તે ૧૦ છે. સ્થાવર આદિ ક્રમશઃ દશ પ્રકૃતિ ને ૧૦ છે. ૪૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ આ ૪૨ નો અંક ૯૩૧૦૩ અને ૬૭ના અંકને સમજવા માટે ઉપયોગી છે. બંધ-દય ઉદીરણો અને સત્તા આદિમાં ૪૨ નો વ્યવહાર ક્યાંય નથી. ચૌદ પિંડપ્રકૃતિના પેટાભેદો દધ થાય છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે. (૧) ગતિના ४ (૬) સંઘાતનના ૫ (૨) જાતિના ૫ (૭) સંઘયણના C (૩) શરીરના ૫ (૮) સંસ્થાનના हु ૪ વર્ણના ધ ર (૪) ઉપાંગના ૩ (૯) (૫) બંધનના ૫ (૧૦) ગંધના ૨ ફુલ ૬૫ આ ૬૫ પેટાભેટોમાં ૮ પ્રત્યેક, ૧૦ ત્રસદશક, અને ૧૦ સ્થાવરદશક ઉમેરો તો ૬૫ + ૮ + ૧૦ + ૧૦ = ૯૩ થાય છે. કેટલાકે આચાર્યો પાંચ બંધનને બદલે ૧૫ બંધન માને છે તેમ ગણીએ તો ૧૪ પિંડપ્રકૃતિના પેટાભેદો ૬૫ને બદલે ૭૫ થાય છે તે ૭પ માં ૮ + ૧૦ + ૧૦ ઉમેરીએ તો ૧૦૩ થાય છે. બંધ-ઉદય-અને ઉદીરણામાં પાંચ બંધન અને પાંચ સંઘાતને એમ ૧૦ શરીરની સાથે સમાત અને સહવર્તી હોવાથી શરીરની અંદર જ ગણાય છે. તથા વર્ણના ૫, ગંધના ૨, રસના ૫, અને સ્પર્શના ૮, એમ પેટાભેદ ૨૦ ને બદલે વર્ણ-ગંધ રસ અને સ્પર્શ એમ ચાર જ ગણાય છે તેથી ૫ બંધન, ૫ સંઘાતન, અને વર્ણાદિના ૧૬ ભેદોની સંખ્યા કુલ (૫ + + + ૧૬ =) ૨૬ ભેદો ઓછા કરવાથી ૧૪ પિંડપ્રકૃતિના ૩૯ ભેદો થાય છે. તેમાં ૮ પ્રત્યેક, ૧૦ ત્રસદશક, અને ૧૮ સ્થાવરદશક ઉમેરવાથી નામકર્મની ૬૭ પ્રકૃતિ થાય છે. બંધ-ઉદય-અને ઉદીરણામાં આ ૬૭ જ લેવાય છે. બંધમાં ઉદયમાં 30 36 પિંડપ્રકૃતિના પ્રત્યેકપ્રકૃતિના ८ - સદર્શકના C 16 સ્થાવરદશકના કુલ 10 6 (૧૧) રસના (૧૨) સ્પર્શના (૧૩) આનુપૂર્વીના (૧૪) વિહાયોગતિના ઉદીરણામાં ૩૯ ૧૯ ૧૦ 69 સત્તામાં ૬૫૫ ८ ૧૭ ૧૯ ૯૩/૧૦૩ ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૭) ગાત્રકમ – જીવને ઉંચા-નીચા કુળમાં જન્મ અપાવે છે. તેના ૨ ભદ છે. ઉચ્ચ ગોત્ર તથા નીચગાત્ર. (૧) ઉંચા -ક્ષત્રિયાદિ કુળોમાં જન્મ અપાવે તે ઉચ્ચગાત્ર. (૨) નીચા-ભિક્ષુકાદિ કુળમાં જન્મ અપાવે તે નીચગોત્ર. (૮) અંતરાયકર્મ - આત્માના દાન-લાભ આદિ ગુણોમાં વિન્ન કરનારૂં છે કર્મ તે અંતરાયકર્મ. તેના પાંચ ભેદો છે. દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય એમ પાંચ ગુણોમાં વિન કરનારા તરીકે અંતરાય કર્મ પણ પાંચ પ્રકારે છે. હવે આ આઠે કર્મોની ઉત્તરપ્રકૃતિઓ જે ૧૨૦-૧૨-૧૪૮ છે. તે ચૌદ ગુણસ્થાનકો ઉપર બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં વિચારવાની છે. બંધમાં ૧૨૦ પ્રકૃતિ ગણાશે, ઉદય અને ઉદીરણામાં સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય ગણવાથી ૧૨૨ ગણાશે, અને સત્તામાં આ બે મોહનીય તો ગણવાની જ છે તપરાંત ૫ બંધન, પ સંઘાતન, અને વર્ણાદિની ૨૦ ગણવાથી ૧૪૮ની સંખ્યા ગણાશે. (પંદરબંધન ગણીએ તો ૧પ૮ પણ થાય છે) | શાના દર્શના | વદ.| મોહઆયુષ્યનામ ગોત્ર | અંત. કુલ બંધ | ૫ | ૯ | ૨ | ૨૬ | ૪ | ૬૭ | ૨ | ૫ ૧૨૦ ઉદય | | ૯ | ૨ | ૨૦ | ૪ | ૬૭ ૨ | ૫ ૧૨૨ ઉદીરણા ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ |૬૭ ૨ ૫ ૧૨૨ | | સત્તા | ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ | ૯૩ ૧૦ - ૨ | ૫ ૧૪૮ ૧૫૮ | આ પ્રમાણે પહેલા કર્મગ્રંથનું સંક્ષેપમાં આપણે પુનરાવર્તન કરી ગયા. હવે બીજા કર્મગ્રંથની શરૂઆત કરીએ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #24 -------------------------------------------------------------------------- ________________ કર્મરતવ નામના દ્વિતીય કર્મગ્રંથની મૂળગાથાઓ तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माई । बंधुदओदीरणया, सत्तापत्ताणि खवियाणि ॥१॥ मिच्छे सासणमीसे, अविरयदेसे पमत्त अपमत्ते । नियट्टि अनियष्टि, सुहुमुवसम खीण सजोगिअजोगि गुणा । ॥२॥ अभिनवकम्मग्गहणं, बंधो ओहेण तत्थ वीससयं । तित्थयराहारगदुगवजं, मिच्छंमि सतरसयं ॥ 3 ॥ नरयतिग जाइथावर चउ, हुंडायवछिवट्ठनपुमिच्छं । सोलंतो इगहियसय, सासणि तिरिथीणदुहगतिगं ॥४॥ अणमझागिइसंघयणचउ, निउज्जोअ कुखगइस्थित्ति । पणवीसंतो मीसे, चउसयरि दुआउयअबंधा ॥५॥ सम्मे सगसयरि जिणाउबंधि, वइरनरतिगबियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठी तियकसायंतो ॥६॥ तेवट्टि पमत्ते सोग, अरइ अथिरदुग अजस अस्सायं । वुच्छिज्ज छच्च सत्त व, नेइ सुराउं जया निद्रं ॥७॥ गुणसट्ठि अप्पमत्ते, सुराउं बंधंतु जइ इहागच्छे । अन्नह अट्ठावन्ना, जं आहारगदुगं बंधे ॥८॥ अडवन्न अपुव्वाइंमि, निद्ददुगंतो छपन्न पणभागे । सुरदुगपणिंदि सुखगइ, तसनवउरलविणुतणुवंगा ॥ ९ ॥ समचउरनिमिणजिणवन्न, अगुरुलहुचउ छलंसि तीसंतो । चरमे छवीसबंधो हासरईकुच्छभयभेओ ॥ १० ॥ अनियट्टि भागपणगे, इगेगहीणो दुवीसविहबंधो । पुमसंजलणचउण्हं, कमेण छेओ सतर सुहुमे ॥११॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ चउदंसणुच्चजसनाणविग्घदसगंति सोलसुच्छेओ । तिसु सायबंधछेओ, सजोगिबंधंतुणंतो अ ॥ १२॥ उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससयं । सतरसयं मिच्छे मीस-सम्मआहारजिणणुदया ॥ १३॥ सुहूमतिगायवमिच्छं, मिच्छतं सासणे इगारसयं । निरयाणुपुव्विणुदया, अणथावरइगविगलअंतो ॥ १४ ॥ मी सयमणुपुवी - णुदया मीसोदएण मीसंतो । चउसयमजए सम्मा-णुपुव्विखेवा बियकसाया ॥ १५ ॥ मणुतिरिणुपुव्वि विवट्ट, दुहग अणाइज्जदुग सतरछेओ । सगसीइ देसि तिरिगई, आउ निउज्जोय तिकसाया ॥ १६ ॥ अट्ठच्छेओ इगसी, पमत्ति आहारजुगलपक्खेवा | श्रीणतिगाहारगदुगछेओ, छस्सयरि अपमत्ते ॥ १७ ॥ सम्मत्तंतिमसंघयणतियगच्छेओ बिसत्तरि अपुव्वे । हासाइछक्क अंतो, छसट्ठि अनियट्टिवेयतिगं ॥ १८ ॥ संजलणतिगं छछेओ, सट्ठि सुहुमंमि तुरियलोभंतो । वसंतगुणे गुणस, रिसहनारायदुगअंतो ॥ १९ ॥ सगवन्न खीण दुचरमि निद्ददुगंतो अ चरमि पणपन्ना । नाणंतरायदंसणचउ, छेओ सजोगि बायाला ॥ २० ॥ तित्थुदया उरलाथिर - खगइदुग-परित्ततिग-छ- संठाणा । अगुरुलहुवन्नचउ-निमिण-तेयकम्माइसंघयणं ॥ २१ ॥ दूसर सूसर साया - साएगयरं च तीस वुच्छेओ । बारस अजोगि सुभगा इज्ज सन्नयरवेयणीयं ॥ २२ ॥ तसतिग पणिदि मणुयाउ गई जिणुच्चं ति चरमसमयतो । उदउव्वुदीरणा परमपमत्ताई सगगुणेसु ॥ २३ ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ एसा पयडितिगूणा वेयणीयाहारजुगल थीणतिगं । मणुआउ पमत्तंता, अजोगि अणुदीरगो भगवं( भयवं) ॥२४ ॥ सत्ता कम्माण ठिई, बन्धाईलद्धअत्तलाभाणं । संते अडयालसयं, जा उवसमु विजिणु बियतइए ॥ २५ ॥ अपुव्वाइचउक्के, अण तिरिनिरयाउ विणु बिआलसयं । सम्माइचउसु सत्तग-खयंमि इगचत्तसयमहवा ॥२६॥ खवगं तु पप्प चउसु वि, पणयालं नरयतिरिसुराउ विणा । सत्तग विणु अडतीसं, जा अनियट्टी पढमभागो ॥ २७ ॥ थावरतिरिनिरयायव-दुग थीणतिगेग विगल साहारं । सोलखओ दुवीससयं, बिअंसि बिअतियकसायंतो ॥ २८ ॥ तइयाइसु चउदसतेर-बारछपणचउतिहियसय कमसो । नपुत्थिहासछगपुंस-तुरियकोहमयमायखओ ॥ २९ ॥ सुहुमि दुसय लोहंतो, खीणदुचरिमेगसओ दुनिद्दखओ । नवनवइ चरमसमये, चउदंसणनाणविग्धंतो ॥ ३० ॥ पणसीइ सजोगि अजोगि, दुचरिमे देवखगइगंधदुगं । फासट्ठ वन्नरसतणु-बंधण-संघायपण निमिणं ॥ ३१ ॥ संघयण अथिर संठाण, छक्क अगुरुलहु चउ अपज्जत्तं । सायं व असायं वा, परित्तुवंगतिग सुसर नियं ॥ ३२ ॥ बिसयरिखओ य चरिमे, तेरस मणुयतसतिग जसाइजं । सुभगजिणुच्चपणिंदिय, सायासाएगयरछेओ ॥ ३३ ॥ नर अणुपुव्वि विणा वा, बारस चरिमसमयंमि जो खविउं। पत्तो सिद्धिं देविंदवंदियं नमह तं वीरं ॥३४ ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદિનેશ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત કમcવળામાં દ્વિતીય કર્માંથ Page #28 -------------------------------------------------------------------------- ________________ जयन्तु श्रीवीतरागाः પૂજ્યપાદ વિવિધ ગુણગણાલંકૃત આચાર્યદેવશ શ્રીદવન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબવિરચિત કર્મસ્તવ નામા દ્વિતીય કર્મગ્રંથ ‘કર્મવિપાક" નામનો પ્રથમ કર્મગ્રંથ પૂર્ણ કરી હવે આપણે કર્મસવ" નામનો બીજો કર્મગ્રંથ શરૂ કરીએ. પ્રથમ કર્મગ્રંથમાં મૂળ ૮ કર્મો અને તેની ૧૪૮ ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ સવિસ્તર પણ સમજાવવામાં આવી છે. બીજો કર્મગ્રંથ શરૂ કરતાં પહેલાં તે મૂળ ૮ કર્મો અને ૧૪૮ ૧૫૮ ઉત્તરપ્રકૃતિને કંઠસ્થ કરી લેવી અતિશય જરૂરી છે. કારણકે તેના જ ઉપર આ બીજા કર્મગ્રંથમાં બંધ-ઉદયઉદીરણા અને સત્તા સમજાવવામાં આવશે. બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાના અર્થો હમણાં પહેલી ગાથામાં જ સમજાવવામાં આવશે. કોઇ પણ ગ્રંથ શરૂ કરતાં પહેલાં શાસ્ત્રકારો નિર્વિન ગ્રંથસમાપ્તિ માટે અને વિદ્યાનું માણસો આ ગ્રંથ વાંચવા-ભણવાની પ્રવૃત્તિ આદરે એટલા માટે (૧) મંગલાચરણ, (૨) વિષય. (૩) સંબંધ અને (૪) પ્રયોજન આ ચાર (અનુબંધ ચતુષ્ટય) પ્રથમ ગાથામાં જ લખે છે તે શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા માટે આ ગ્રંથના કર્તા પૂજય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ આ પ્રથમ ગાથામાં મંગલાચરણ આદિ અનુબંધચતુષ્ટય જણાવે છે तह थुणिमो वीरजिणं, जह गुणठाणेसु सयलकम्माइं । बंधुदओदीरणया, सत्तापत्ताणि खवियाणि ॥ १ ॥ { થી તુ: fકનું થી અનેfmi ! बन्धोदयोदीरणा-- सत्ताप्राप्तानि क्षपितानि । Page #29 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ શબ્દાર્થ ત૨ = તથા-તેમ-તે પ્રકારે થfણ = અમે સ્તુતિ કરીશું áર ન = મહાવીર પ્રભુની, નઢ = જેમ. જે પ્રકારે, ટાળવું - ચોદે ગુણસ્થાનકોમાં. મને મારું = સર્વ કર્મોન. વંધુરદ્વારથી = બંધ-ઉદય અને ઉદીરણામાં તથા સત્તાપત્તળ = સત્તામાં પ્રાપ્ત થયેલાં રવૃત્રિયાણ = ખપાવ્યાં છે. ગાથાર્થ- ચૌદ ગુણસ્થાનકોમાં બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલાં સર્વે કર્મોને (પ્રભુ મહાવીર સ્વામીએ) જે રીતે ખપાવ્યાં છે. તે રીતે (બતાવતાં બતાવતાં) અમે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરીશું. || ૧II વિવેચન- જ્ઞાન-દર્શન-ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે. તે ગુણો કર્મોથી ઢંકાયેલા છે. ધર્મકાર્યના પ્રયત્ન વિશેષથી આ ગુણો આત્મામાં પ્રગટ થાય છે. કર્મો દૂર થવાથી આવિર્ભૂત બને છે. વાદળથી ઢંકાયેલો સૂર્ય વાદળ દૂર થવાથી જેમ પ્રગટ થાય છે તેમ કર્મો દૂર થવાથી જીવમાં ગુણો પ્રગટ થાય છે. સર્વે જીવોમાં સ્વરૂપે સરખે સરખા અનંત-અનંત ગણે છે. પરંતુ કર્મોના આવરણના ઓછા-વધતા પણાને લીધે ઓછા-વધતા પ્રગટ થાય છે. તેથી પ્રગટ થયેલા તે ગુણોની તરતમતાને લીધે જીવોમાં પણ ભેદ પડે છે. તેને જ “ગુણસ્થાનક" કહેવાય છે. ગુણોનું સ્થાન, ગુણોનું હોવું, ગુણોની તરતમતા, ગુણોનું ઓછાવધતાપણું, હીનાધિકપણે ગુણોનું હોવું તે ગુણસ્થાનક, પ્રગટ થયેલા ગુણોમાં જીવ-જીવે ગુણોની હીનાધિકતા હોવાથી આવાં ગુણસ્થાનકો જેટલા જીવ એટલાં (અર્થાત્ અનંતાં) થાય છે. પરંતુ સર્વ જીવોને સુખે સમજાય એટલે તેનો ચૌદ ભેદોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરસ્પર થોડી-થોડી તરતતા (હીનાધિકતા) ને નહી ગણીને મુખ્ય અથવા અધિક તરત મતાથી આ ગુણસ્થાનકો ક૫વામાં આવ્યાં છે. જે બીજી ગાથામાં જણાવાશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ પ્રભુ મહાવીર સ્વામીનો આત્મા પણ અનાદિકાળથી આપણા સર્ષની જેમ જ પ્રથમ મિષ્ટિ ગુણસ્થાનક જ હતા. અને ધમપ્રયત્ન જાગવાથી તે આત્મા અનુક્રમે આત્મિક-વિકાસ સાધતા સાધનો સામાન્યથી ચોદે ગુણસ્થાનકો પસાર કરીને મોક્ષે ગયો છે. તે ચોદે ગુણસ્થાનક ચડવામાં કર્મની ૧૪૮ ૧૫૮ ઉત્તરપ્રકૃતિમાંથી બંધ-ઉદયઉદીરણા અને સત્તામાં તેઓશ્રીએ ઓછી છી જે રીતે કરી છે. તે રીતિ મુજબ કયા કયા ગુણસ્થાનકે કેટલી કેટલી કર્મપ્રકૃતિઓ બંધાદિમાંથી ઓછી થતી જાય છે તે દર્શાવતાં દર્શાવતાં અમે પ્રભુશ્રી મહાવીરસ્વામીની સ્તુતિ કરીશું. વ્યક્તિમાં રહેલ “અસાધારણ” અને “યથાર્થ” ગુણ ગાવા તેને સ્તુતિ કહેવાય છે. પ્રભુ શ્રી મહાવીર સ્વામીમાં પણ સકલકર્મોનો મૂલથી નાશ કરવા રૂપ જે ગુણોત્કર્ષ હતો તે અસાધારણ અને યથાર્થ જ હતો. તેથી તે કર્મોના નાશના પ્રકરણને જણાવવું એ પણ પ્રભુ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ જ કહેવાય છે. પ્રભુશ્રી મહાવીર સ્વામીમાં વપરાયેલા વીર શબ્દના નીચે મુજબ ૪ અર્થો થાય છે. (૧) વિશે-તપુનર્માવેન તિ વીર:- વિશેષ કરીને એટલે કે ફરીથી પાછું આવવું ન પડે તે રીતે જે મોક્ષમાં ગયા તે વીર. અથવા ફરીથી આત્મામાં પાછાં આવે નહીં તે રીતે કર્મોને જેઓએ દૂર કયાં છે. તે વીર કહેવાય છે. (અહીં ર્ ધાતુ ગમન અને અપનયન અર્થમાં છે અને આગળ વિ ઉપસર્ગ છે.) (૨) વીરત મ શત્રુ પ્રતિ- કષાય-ઉપસર્ગ-અને પરિષહાદિ આત્માના શત્રુઓ પ્રત્યે જે બહાદૂરી બતાવે, તેઓનો પરાભવ કરે, તેઓની સામે હાર ન ખાય તે પણ વીર કહેવાય છે. (અહીં વીરું ધાતુ પરાક્રમ અર્થમાં છે.) (૩) વિશિષ્ટ ર (નં) વર્ગ : áર: વિશિષ્ટ એવું ઇર એટલે જ્ઞાન છે. જેનું તે વીર, અર્થાત્ સર્વ દ્રવ્ય- ક્ષેત્ર-કાળભાવનું સંપૂર્ણ અને યથાર્થ એવું વિશિષ્ટ જ્ઞાન જેનું છે તે વીર કહેવાય છે. (અહીં fa ઉપસર્ગ પૂવર્ક ૬ ધાતુથી વર્ગ પ્રત્યય છે) Page #31 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ (૪) વિશિષ્ટા Í:-લક્ષ્મ:, તાં રાતિ=મન્થેમ્સ: યતિ વૃત્તિ વીર: વિશિષ્ટ=સર્વભુવનમાં આશ્ચર્યકારી એવી સ્વર્ગ અને મોક્ષની જે લક્ષ્મી છે. તે લક્ષ્મી ભવ્યજીવોને જે આપે છે તે વીર કહેવાય છે. (અહીં વિ પૂર્વક રૂ શબ્દ છે અને રૂ ધાતુ છે.) ઉપરોક્ત ચાર અર્થો થી યુક્ત એવા પ્રભુશ્રી મહાવીરસ્વામીની અમે અહીં સ્તુતિ કરીએ છીએ. પરંતુ માત્ર કોઇ નામધારી મહાવીર હોય તેની અમે સ્તુતિ કરતા નથી. આ મંગળાચરણ થયું. હવે બંધાદિ ચારના અર્થો આ પ્રમાણે છે. 30 (૫) બંધ- મિથ્યાત્વ-અવિરતિ-કષાય- અને યોગાદિ નિમિત્તો દ્વારા કાર્મણ વર્ગણાના પરમાણુઓનું જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામી આત્માની સાથે દુધ અને પાણીની જેમ અથવા લોઢા અને અગ્નિની જેમ એકમેક થવું. પરસ્પર બંધાઇ જવું તે બંધ કહેવાય છે. (૬) ઉદય- તે બાંધેલા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ફળ આપવાનો સમય પાકે ત્યારે અથવા ઘાસની ગરમીથી કેરી જેમ વહેલી પકાવાય તેમ અપવર્તનાદિ કરણ વડે કર્મોને વહેલાં ઉદયમાં લાવીને તેના ફળને ભોગવવું તે ઉદય કહેવાય છે. (૭) ઉદીરણા- જે કર્મો હાલ ઉદયમાં ચાલે છે તે જ કર્મોના ભાવિમાં ઉદયમાં આવનારા કર્મપરમાણુઓને ત્યાંથી ખસેડીને વહેલા ઉદયમાં લાવવા અને ચાલુ સમયમાં ભોગવવાં તે ઉદીરણા કહેવાય છે. (૮) સત્તા- બંદિ દ્વારા પ્રાપ્ત થયેલ કર્મોનું તે જ રૂપે આત્મા સાથે હોવું-રહેવું તે સત્તા કહેવાય છે. બાંધેલ કર્મો નિર્જરાથી નાશ પામે છે અને સંક્રમ થવાથી બીજા કર્મ રૂપે થઇ જાય છે. આ (નિર્જરા અને સંક્રમ) એ બન્ને કર્મોની વિક્ષિત પ્રકૃતિરૂપે સત્તાને ટાળનાર છે. એટલે જે જે કર્મો બંધ દ્વારા કર્મત્વ (નામના આત્મસ્વરૂપને પોતાપણાને-કર્મપણાને પામ્યાં છે. તે તે કર્મોને તે તે કર્મપણામાંથી નિર્જા અને સંક્રમ દ્વારા બદલી શકાય છે પરંતુ તે ન બદલતાં, તેના તે કર્મપણે રહેવા દેવાં તેને સત્તા કહેવાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ૩૧ આ બીજા કર્મગ્રંથમાં ચોદે ગુણસ્થાનકે કેટલાં કેટલાં કર્મો બંધઉદય-ઉદીરણા સત્તામાં હાય. ક્યાં કેટલાં કેટલાં ઓછાં થાય તે જવાશે. આ વિષય અથવા અભિધેય કહેવાય છે. સંબંધ અને પ્રયોજન અધ્યાહારથી સમજી લેવાં, પ્રભુશ્રી મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે માટે પ્રભુશ્રી મહાવીર સ્વામીનું જે આગમ, તેને અનુસારે જ આ ગ્રંથ કહેવાશે આ સંબંધ જાણવો. અને સ્વ-પરનો ઉપકાર કરવો એ પ્રયોજન જાણવું. (અહીં મૂળગાથામાં “રાયા'' જે શબ્દ છે. ત્યાં સ્વાર્થમાં પ્રત્યય થયેલ છે એમ જાણવું. પરંતુ તૃતીયાવિભક્તિ છે એમ ન જાણવું) . ૧ - ચૌદ ગુણસ્થાનકો ઉપર બંધાદિ ચાર જણાવવાનાં છે માટે હવે પ્રથમ ચૌદ ગુણસ્થાનકો ગ્રંથકારશ્રી જણાવે છે. मिच्छे सासणमीसे, अविरयदेसे पमत्त अपमत्ते। नियट्टिअनियहि, सुहुमुवसमखीणसजोगिअजोगिगुणा ।॥२॥ (मिथ्यात्वं सास्वादनमिश्रमविरतदेशं प्रमत्ताप्रमत्तम् । निवृत्त्यनिवृत्ति सूक्ष्मोपशमक्षीणसयोग्ययोगिगुणाः ॥ २॥) । શબ્દાર્થ - કિછે = મિથ્યાષ્ટિ ગુણસ્થાનક, સીસીસ = સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક, વર = અવિરત અને દેશવિરત, પત્તપમત્તે = પ્રમત્ત અને અપ્રમત્ત, નિટ્ટ- ટ્ટિ = નિવૃત્તિ અને અનિવૃત્તિ, સુદુ મુવમ = સૂક્ષ્મસં૫રાય અને ઉપશાન્તમોહ, રવીપાસના ગો1િ = ક્ષીણમોહ, સયોગી અને અયોગી. મુOT = એમ કુલ ૧૪ ગુણસ્થાનકો છે. ગાથાર્થ- (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) મિશ્રદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તસંયત, (૭) અપ્રમત્તસંયત, (૮) નિવૃત્તિકરણ. (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સુમરંપરાય. (૧૧) ઉપશાન્તમોહ (૧૨) ક્ષીણમા () યોગિકેવલી, અને (૧૪) અયોગિકેવલી એમ કુલ ૧૪ ગુણસ્થાનકો છે. | ૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ વિવેચન- ગુણોની તરતમતા. ગુણોની હીનાધિકતા, ગુણોનું ઓછા-વધતા અંશે હોવું તેને ગુણસ્થાનક કહેવાય છે. પ્રારંભનાં ગુણસ્થાનકોમાં છા-ઓછા ગુણો હોય છે. ઉપરા-ઉપરના ગુણસ્થાનકોમાં વધારે-વધારે ગુણો હોય છે. અન્તિમ ચૌદમા ગુણસ્થાનકમાં સૌથી વધારે ગુણો હોય છે. હવે આપણે ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ જોઇએ. (૧) મિથ્યાષ્ટિગુણસ્થાનક મિથ્યા એટલે વિપરીત-ઉલટી-ઉધી છે. દૃષ્ટિ=સમજણ જ્યાં તે મિથ્યાષ્ટિ. એવા જીવનું જે ગુણસ્થાનક તે મિથ્યાષ્ટિગુણસ્થાનક, જયાં સુદેવ-સુગુરુ અને સુધર્મને કુદેવાદિ રૂપે જોવામાં આવે અને કુદેવકુગુરુ અને કુધર્મને સુદેવાદિ રૂપે જોવામાં આવે, સંસારવર્ધક હેય ભાવોને ઉપાદેય રૂપે જોવામાં આવે અને મોક્ષદાયક ઉપાદેય ભાવોને હેયરૂપે જોવામાં આવે, સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રત્યે, તેમની આજ્ઞા અનુસાર વર્તનારા સંસારના સર્વથા ત્યાગી પંચમહાવ્રતધારી ગુરુ પ્રત્યે, અને તેમના પ્રતિપાદિત ધર્મ પ્રત્યે રૂચિ ન થાય, પ્રેમ ન જાગે તેવા જીવનું જે ગુણસ્થાનક તે પ્રથમ મિથ્યાષ્ટિ ગુણસ્થાનક. મિથ્યાત્વ મોહનીય કર્મ- ના ઉદયથી જીવની દૃષ્ટિ આવી બને છે. તત્ત્વોને અતત્ત્વ માને, અતત્ત્વોને તત્ત્વ માને. આમાં દૃષ્ટિદોષ જ કારણ છે. જેમ ધતુરાનું પાન કરેલા મનુષ્યને ધોળી વસ્તુમાં પીળાપણાની દૃષ્ટિ થાય છે. જેમ સ્નેહી અથવા મિત્ર ઉપર પણ અવિશ્વાસ ઉત્પન્ન થતાં પ્રત્યેક પ્રવૃત્તિમાં વહેમભરી જ દષ્ટિ બની જાય છે તેવી જ રીતે મિથ્યાત્વમોહના ઉદયથી સૂદેવાદિ ઉપર જીવની દૃષ્ટિ કુદેવાદિ રૂપ અને કુદેવાદિ ઉપર સુદેવાદિ રૂપ બની જાય છે. આ મિથ્યાત્વના જુદી જુદી રીતે અનેક પ્રકારો છે. (૧) અવ્યક્ત મિથ્યાત્વ અને (૨) વ્યક્ત મિથ્યાત્વ, એકેન્દ્રિય જીવોથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં પાટ અજ્ઞાન હોવાથી અવ્યક્ત મિથ્યાત્વ છે અને સંજ્ઞા પંચેન્દ્રિયમાં સમજણ પૂર્વકનું મિથ્યાત્વ છે તે અન્ન-મિથ્યાત્વ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ 3.3 તથા (૧) લૌકિક મિથ્યાત્વ અને (૨) લોકોત્તર મિથ્યાત્વ એમ પણ ૨ ભેદો છે. સાંસારિક ભોગ સુખો મેળવવા માટે, મળેલાને સાચવવા માટે, અથવા તેની વૃદ્ધિ માટે ગમે તેવા દેવ-દેવીઓની ઉપાસના કરવી તે લૌકિક મિથ્યાત્વ. અને તીવ્ર આસક્તિથી એ જ સાંસારિક ભોગસુખો મેળવવા માટે કે મળેલાને સાચવવા માટે કે તેની વૃધ્ધિ માટે વીતરાંગ પરમાત્માની કે ત્યાગી સુગુરુ આદિની ઉપાસના કરવી તે લોકોત્તરમિથ્યાત્વ. તથા (૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ, (૩) પરિણામ મિથ્યાત્વ અને (૪) પ્રદેશ મિથ્યાત્વ એમ ચાર ભેદો પણ મિથ્યાત્વના છે. જિનેશ્વર પરમાત્માના વચનોથી વિપરીત ઉપદેશ આપવો તે પ્રરૂપણા મિથ્યાત્વ, જિનેશ્વર પરમાત્માની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરવી-કરાવવી તે પ્રવર્તન મિથ્યાત્વ. મનમાં એકાન્ત-એકનયનો હઠ આગ્રહ, એકનય તરફ જ મનમાં બદ્ધદષ્ટિવાળા બનવું તે પરિણામ મિથ્યાત્વ, અને મિથ્યાત્વમોહનીય કર્મના પ્રદેશોને ઉદયમાં લાવી મંદરસાદિ રૂપે કરી ભોગવવાં તે પ્રદેશમિથ્યાત્વ. તથા કાળને આશ્રયી પણ મિથ્યાત્વના ત્રણ ભેદો થાય છે. (૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાન્ત, (૩) સાદિ સાન્ત. અભવ્ય જીવોને આ ગુણસ્થાનક અનાદિકાળથી છે જ અને કદાપિ તે જીવો મોક્ષે જવાના ન હોવાથી અનંતકાળ આ ગુણસ્થાનક રહેવાનું છે. માટે અનાદિ અનંત ૧, સંસારમાં જે ભવ્યજીવો છે તેઓને પણ આ ગુણસ્થાનક છે તો અનાદિકાળથી જ, પરંતુ ભવ્ય હોવાથી ભાવિમાં મોક્ષનો યોગ થવાનો સંભવ છે, એટલે જ્યારે મોક્ષે જવા માટે ઉપરના ગુણસ્થાનકોમાં ચઢે ત્યારે આ ગુણસ્થાનકનો અંત આવે માટે અનાદિસાન્ત ૨, જે જીવો. આ ગુણસ્થાનક છોડી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પુનઃ પડીને પાછા મિથ્યાત્વે આવે છે તેઓને મિથ્યાત્વનો પ્રારંભ હોવાથી સાદિ, અને આવા સમ્યક્ત્વ પામેલા જીવો પડે તો પણ વધુમાં વધુ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪. દ્વિતીય કર્મગ્રંથ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળે મોક્ષે જવાના જ હોવાથી મિથ્યાત્વનો અંત કરનારા બને છે માટે સાદિ-સાન્ત ૩, - તથા (૧) આભિગ્રહિક, (૨) અનાભિગ્રહિક, (૩) સાંશયિક, (૪) આભિનિવેશિક, અને (૫) અનાભોગિક એમ ૫ ભેદો પણ છે. પોતે માનેલું હોય તે જ સાચું છે એમ માની લેવું તે આભિગ્રહિક. સર્વ ધર્મો સરખા જ છે. બધા જ સત્ય છે એમ માની લેવું તે અનાભિગ્રહિક. જિનેશ્વર પ્રભુના ધર્મમાં (અરુચિપૂર્વક) શંકાઓ કરવી તે સાંશયિક. પોતાનું માનેલું અસત્ય છે એમ જાણવા છતાં હઠાગ્રહથી પકડી રાખવું તે આભિનિવેશિક વસ્તુ તત્ત્વ જાણવું જ નહીં, અજ્ઞાની જ રહેવું તે અનાભોગ મિથ્યાત્વ. આ પ્રમાણે મિથ્યાત્વના અનેક રીતે અનેક ભેદો થઈ શકે છે. તેવા મિથ્યાત્વી જીવના જે જ્ઞાનાદિ (અલ્પપ્રમાણમાં) ગુણો હોય છે તે ગુણોને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે.' પ્રશ્ન- જો જીવ મિથ્યાદષ્ટિ જ છે અવળી બુદ્ધિ જ છે તો તેને ગુણો કેમ હોઈ શકે ? અને જો ગુણો (સદ્ગુણો) છે તો પછી તેવા જીવને મિથ્યાદષ્ટિ કેમ કહેવાય ? પ્રકાશ અને અંધકારની જેમ મિથ્યાદષ્ટિપણું અને સદ્ગણોનું હોવું તે બન્ને પરસ્પર વિરોધી છે. ઉત્તર- પ્રશ્ન બરાબર છે. જો કે મિથ્યાદષ્ટિ જીવમાં વાસ્તવિક પણે તો અરિહંત પરમાત્માએ કહેલ જીવ-અજીવ આદિ તત્ત્વ વિષયક દૃષ્ટિ તો વિપરીત જ છે, એટલે તે સંબંધી ગુણો નથી જ. તથાપિ આ મનુષ્ય છે, આ પશુ છે, આ માતા-પિતા છે, આ પુત્ર-પુત્રી છે'' ઇત્યાદિ વ્યાવહારિક ચૂલદષ્ટિ સમ્યગ્દષ્ટિના જેવી જ અવિપરીત=સાચી હોય છે તે અલ્પગુણને આશ્રયી તેને ગુણસ્થાનક કહેવાય છે. છેલ્લે છેલ્લે નિગોદાવસ્થામાં રહેલા જીવને અવ્યક્ત જ્ઞાન હોવા છતાં પણ સ્પર્શ-રસ આદિનું જ્ઞાન અવિપરીત જ હોય છે. તેને આશ્રયી ગુણસ્થાનક કહેવાય છે. (જુઓ પંચસંગ્રહ દ્વાર ૧ ગાથા ૧૫ ની ટીકા). Page #36 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ : અથવા બીજો ઉત્તર એ છે કે “મૂળમાં જ સર્વ જીવો ગુણમય, છે. ગાઢ મિથ્યાત્વની અવસ્થામાં આ ગુણો ઢંકાયેલા હોવા છતાં અંદર પડેલા તો હોય જ છે. માટે ઉપચારથી ગુણસ્થાનક કહેવાય છે. અને અપુનર્બન્ધકાદિ મંદ મિથ્યાત્વની અવસ્થામાં એ વાસ્તવિક ગુણસ્થાનક બને છે. કારણકે ગુણોનો પ્રાદુર્ભાવ શરૂ થાય છે તથા ઉપર ઉપરના ગુણસ્થાનકની ભૂમિકા તૈયાર થઇ હેવાથી પણ એ ગુણસ્થાનક કહેવાય છે. . પ્રશ્ન- જો તેવા મિથ્યાદૃષ્ટિમાં “આ મનુષ્ય છે” ઇત્યાદિ જ્ઞાન અવિપરીત (યથાર્થ) છે એમ માનીને તેને ગુણસ્થાનકે કહેવા જેટલી તમે ઉદારતા બતાવો છો તો પછી ખરેખર તેવો અલ્પગુણ યથાર્થ હોવાથી તે અલ્પગુણને આશ્રયી તેને સમ્યગ્દષ્ટિ પણ કહેવો જ જોઇએ કારણકે મનુષ્યાદિની દૃષ્ટિ તો સમ્યગૂ જ છે ને ? * . ઉત્તર- તમારી વાત સત્ય છે પરંતુ આ મનુષ્ય. છે ઇત્યાદિ બાહ્ય-સ્થૂલદષ્ટિને આશ્રયી સમ્યગૃષ્ટિપણું કહેવાતું નથી. એમ જો કહીએ તો સર્વે જીવો સમ્યગ્દષ્ટિ જ થાય. માટે એમ ન કહેતાં જીવઅજીવ-પુણ્ય-પાપ આદિ પરમાત્મા વડે કહેવાયેલાં તત્ત્વો ઉપર સચિને આશ્રયી સમ્યગદૃષ્ટિ. કહેવાય છે. તેવી રુચિ તો આ જીવને છે જ નહી- માટે સમ્યગુદૃષ્ટિ કહેવાતો નથી. તથા “આ સર્વથા મનુષ્ય જ છે” વગેરે એકાન્ત માનતો હોવાથી પણ મિથ્યાદૃષ્ટિ છે. ' પ્રશ્ન- તો પણ ખરેખર ન્યાયની રીતિએ તો આવા જીવને છેવટે મિશ્રદૃષ્ટિ તો કહેવો જ જોઈએ, પણ મિથ્યાષ્ટિ નહીં. કારણકે - જીવ-જીવાદિ તત્ત્વો ઉપર અરુચિ છે અને આ મનુષ્ય છે ઇત્યાદિ ભૂલવ્યવહારમાં રૂચિ છે. એમ બને હોવાથી મિશ્રદષ્ટિ કહેવો ઉચિત છે. પરંતુ મિથ્યાદૃષ્ટિ કેમ કહેવાય ? * ઉત્તર- આ વાત બરાબર નથી કારણકે જિનેશ્વર પરમાત્માનાં સર્વ વચનો માન્ય રાખે, પરંતુ જો તેમાંનું એક પદ પણ ન માને તો પણ સર્વજ્ઞ પ્રભુ ઉપર સર્વજ્ઞપણાનો વિશ્વાસ ન હોવાથી મિથ્યાષ્ટિ જ કહેવાય છે, તો આ જીવને તો સર્વજ્ઞકથિત સર્વતત્ત્વ ઉપર અરુચિ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દ્વિતીય કર્મગ્રંથ જ છે, માટે સ્થૂલવ્યવહારવાળી રુચિમાત્રથી સમ્યગ્દષ્ટિ કહેવાતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “પથવિ સદ્ન્તો સુન્નત્યં છિદ્રિો '' સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિમાં આ જ અંતર છે કે જે સમ્યગ્દષ્ટિ છે તે પોતાને સર્વજ્ઞકથિત જીવ-અજીવ આદિ તત્ત્વ સમજાય કે ન સમજાય તો પણ સર્વજ્ઞપ્રભુ ઉપર સર્વજ્ઞ અને વીતરાગપણાની શ્રદ્ધાથી સત્ય કરીને જ સ્વીકારે છે જ્યારે મિથ્યાદૃષ્ટિ જીવને પોતાને જેટલું સમજાય તેટલું સત્ય મૃાને છે અને ન સમજાય તેને મિથ્યા માને છે. એટલે સર્વજ્ઞપ્રભુ પ્રત્યે સર્વજ્ઞતાનો અને વીતરાગતાનો વિશ્વાસ ન હોવાથી એક-બે પદો વિના સઘળી દ્વાદશાંગી માનવા છતાં પણ તે મિથ્યાષ્ટિ જ કહેવાય છે. આવા પ્રકારના જીવનું અલ્પ વ્યાવહારિક ગુણોવાળું જે ગુણસ્થાનક તે પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે. તેનો કાળ ત્રણ પ્રકારે છે. (૧) અભવ્ય જીવોને આશ્રયી અનાદિ-અનંત. (અપરિમિતકાળ). (૨) ભવ્યજીવોને આશ્રય અનાદિ-સાન્ત. (આદિ નહી પણ અંત આવે). (૩) સમ્યકત્વ પામ્યા પછી પડેલા જીવને આશ્રયી સાદિ-સાન્ત. (આદિ પણ હોય અને અંત પણ હોય) તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન.. (૨) સાસ્વાદન ગુણસ્થાનક આ ગુણસ્થાનકનાં બે નામ છે. (૧) સાસાદન અને (૨) સાસ્વાદન. आयं (औपशमिक सम्यक्त्वलाभं) सादयति-अपनयतीति सासादनम् ઔપથમિકસમ્યકત્વને જે લાભ તેને આય કહેવાય છે. તેનો જે નાશ કરે, અનંતાનુબંધી કષાયને ઉદય એવો છે કે જેના પ્રતાપે પ્રાપ્ત થયેલ ઔપથમિક સમ્યકત્વ ચાલ્યું જાય તે આસાદન, અને તે અનંતાનુબંધીના ઉદય સહિત જે ગુણસ્થાનક તે સાસાદન ગુણસ્થાનક કહેવાય છે. અહીં ગાય ના ૨ • લોપ થયો છે. સ+માર્ચ+સન = ૩ નો લોપ થવાથી લાલન શબ્દ બને છે. આસાનેન સદ વર્તતે ય: સ: સીસાન:. Page #38 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૩૭ બીજું નામ સ્વાન છે. અહીં સ+ગાસ્નાન શબ્દ છે. સમ્યક્ત્વનો જે રસ, તેના યત્કિંચિત્ પણ આસ્વાદની સાથે જે વર્તે તે સાસ્વાદન. જેમ ખીર ખાતી વખતે વિશિષ્ટ મધુર રસનો આસ્વાદ થાય છે. તે જ ખીરનું વમન કરતાં તેવો નહીં પણ મલીન યત્કિંચિત્ મધુર રસ અનુભવાય જ છે. તેમ ઔપશ્મક સમ્યક્ત્વના કાળમાં જ અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી મલીન એવો સમ્યક્ત્વનો જે રસાસ્વાદ આવે તે સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકની પ્રાપ્તિ પહેલા ગુણસ્થાનકથી કદાપિ થતી નથી. પરંતુ પહેલા ગુણસ્થાનકે રહ્યો છતો જીવ ત્રણ કરણ કરીને ઔપમિક સમ્યક્ત્વ પામીને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને ત્યાંથી પડતાં આ બીજું સાસ્વાદન ગુણસ્થાનક આવે છે, માટે સાસ્વાદનને સમજવા સારું પ્રથમ ત્રણ કરણ સમજવાં જરૂરી છે તે આ પ્રમાણે છે. કરણ એટલે અધ્યવસાય- આત્માના પરિણામ, તેને કરણ કહેવાય છે. તેના ત્રણ ભેદો છે. (૧) યથાપ્રવૃત્તકરણ, (૨) અપૂર્વકરણ, (૩) અનિવૃત્તિકરણ. ગંભીર અને અપાર એવા સંસાર સાગરમાં અનાદિ કાળથી ભટકતો ભટકતો આ જીવ તેની તથાભવ્યતા પાકવાથી (તેમાં રહેલી યોગ્યતા વિશિષ્ટ બનવાથી) નદી-ગોળઘોલના ન્યાયે તેના આત્મપરિણામ કંઇક શુદ્ધ બને છે તેને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. પર્વતની પાસે વહેતી નદીમાં પર્વત ઉપરથી પવનના યોગે ગબડેલા નાના નાનાં પત્થરો પાણીના વેગમાં તણાતા-તણાતા આમતેમ અથડાતા ફુટાતાસહજપણે ગોળ અને લીસ્સા થાય છે. પણ સમજી શોચીને બુદ્ધિ પૂર્વક ગોળ અને લીસ્સા થતા નથી. તેની જેમ આ જીવ પણ સાંસારિક સુખદુઃખોને અનુભવતો સહજપણે (સમજી-શોચીને બુદ્ધિપૂર્વક નહી) જે સ્મશાનીયા વૈરાગ્યની જેમ કોમળ અને કંઇક શુદ્ધ પરિણામવાળો બને તે પરિણામને યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દ્વિતીય કર્મગ્રંથ ચા= સહેજે સહેજે પ્રવૃત્ત આવેલો, બહુ જ પ્રયત્નપૂર્વક નહી લાવેલો એવો જે ર અધ્યવસાય તે યથાપ્રવૃત્તકરણ. આ યથાપ્રવૃત્ત કરણ કરવાથી યુષ્યકર્મ વિના શેષ સાતકર્મોની સ્થિતિ આ આંત્માએ જે દીર્ઘ (૭૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની) બાંધેલી છે તે તમામ તુટી જાય છે અને સાતે કર્મોની સ્થિતિ માત્ર એકેક કોડાકોડી સાગરોપમમાં પણ કંઇક ન્યૂન અર્થાત્ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થઇ જાય છે. યથાપ્રવૃત્તકરણ એ. કારણ છે અને સ્થિતિ તુટવી તે તેનો વિપાક અર્થાત્ ફળ છે. કાર્ય છે. આ કરણથી સ્થિતિ તુટવા વડે જીવ લઘુકર્મી બન્યો એ જ મહાન લાભ છે. આ યથાપ્રવૃત્તકરણ ભવ્ય-અભવ્ય બન્ને પ્રકારના જીવો કરે છે. પરંતુ અભવ્ય જીવો અહીંથી આગળ વધી શકતા નથી, અહીં રહી જાય છે, અથવા પુનઃ દીર્ઘસ્થિતિ બાંધી પડી જાય છે. ભવ્યજીવોમાં કોઇક પડી જાય છે. કોઇક ત્યાં જ વર્તે છે અને જેનો વીર્ષોલ્લાસ અધિક છે તે કોઇક આગળ વધે છે. આ યથાપ્રવૃત્તકરણ ભવ્ય-અભવ્ય જીવો પણ ઘણી વાર કરે છે પરંતુ કોઇક જ વખત, માત્ર ભવ્યજીવ જાય છે, તેના યથાપ્રવૃત્ત કરણને જ અતિવીર્યોલ્લાસથી આગળ વધી. હું ચરમ-યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. જે જીવો આ યથાપ્રવૃત્તકરણ કરવા વડે સાતકર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી ક૨ીને પુનઃ હવે સંસારચક્રમાં બે જ વાર ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે. તેઓને દ્વિર્બન્ધક કહેવાય છે. જેઓ પડીને ફક્ત એક જ વાર સાતકર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના છે તે સમૃદ્ધધક કહેવાય છે. અને જેઓ પડવાના નથી અથવા પડે તો પણ પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના જ નથી તેઓ અપુનર્બન્ધક કહેવાય છે. દ્વિર્બન્ધક કરતાં સમૃદ્ધ્ધક, અને સમૃદ્ધધક કરતાં અપુનર્બન્ધક ઉજ્જવલ પરિણામી છે. આ જીવો તીવ્રભાવે પાપ કરતા નથી. કદાચ કોઈ પાપ કરવું પડે તો પણ મંદભાવે કરે છે. સાંસારિક કોઇ પણ પ્રસંગોને બહુમાન આપતા નથી, ઉચિત આચરણની મર્યાદામાં જે વર્તે છે. ચરમ-યથાપ્રવૃત્તકરણમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૩૯ આવેલો જીવ સદ્દગુરુનો યોગ મળતાં જ ધર્મશ્રવણ કરે છે. તેનાથી સંસારને અસાર જાણી અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ એ જ મારા શત્રુ છે મને ગાંઠની જેમ દુઃખ આપે છે. રાગ અને દ્વેષને ગાંઠ (પેટમાં થયેલી સારણગાંઠ આદિની જેમ પીડાકારી ગાંઠ જેવા) માને છે. શાસ્ત્રીયભાષામાં તેને ગ્રન્થિ કહેવાય છે. ' આ ગ્રન્થિ પાસે પહોંચેલા જીવોને ગ્રન્થિદેશે આવેલા જીવો કહેવાય છે. આ ગ્રન્થિ જોઇને લગભગ ઘણા જીવો ભયભીત થયા છતા પડી જાય છે અથવા ત્યાં જ રહી જાય છે. આગળ વધવા ઉત્સાહિત થતા નથી. આ યથાપ્રવૃત્તકરણ થયું. . જે આત્માના વર્ષોલ્લાસ તીવ્ર છે. રાગ-દ્વેષની આ ગ્રંન્થિને ચૂરવા સમર્થ છે. ધર્મશ્રવણથી જેનું મન વિશિષ્ટ વૈરાગ્યભીનું બની ચુકયું છે. જ્ઞાનથી સંસારને અસાર સમજે છે. સાંસારિક સુખોને જ દુઃખ સમજે છે, તેવો કોઇ આત્મા અનાદિ સંસારમાં કદાપિ ન આવેલા અપૂર્વ વૈરાગ્ય યુક્ત અધ્યવસાય વાળો બને છે આ તીવ્ર વૈરાગ્યવાળા અધ્યવસાયને જ શાસ્ત્રોમાં અપૂર્વકરણ કહેવાય છે. પહેલાં કદાપિ નથી આવ્યું માટે અપૂર્વ કહેવાય છે. તે કરણ કરવાથી રાગ-દ્વેષની જે અનાદિકાળની ગુપ્ત-ઇન-કઠણ ગાંઠ હતી તે ભેદાય છે. ચૂરાય છે, તીવ્ર રાગ-દ્વેષાદિ મંદ બની જાય છે. જેથી આત્મા તે રાગાદિથી હવે પરાભવ પામતો નથી. જેમ સોપારીસુંઠ અથવા ગંઠોડાનો ટુકડો અખંડ હોય તો ખાતાં દાંત ભાંગી નાખે. તે જ સોપારી-સુંઠ-અથવા ગંઠોડાનો ટુકડો મિલ્ચરથી ચૂરા રૂપે કરતાં ફાકીની જેમ તુરંત પેટમાં ચાલ્યો જાય છે. જીવનો પરાભવ કરી શકતો નથી. તેમ અહીં પણ રાગવૈષનો ગ્રન્થિભેદ થવાથી હવે તે રાગ-દ્વેષ મંદ થવાથી જીવનો પરાભવ કરી શકતા નથી. અપૂર્વ અધ્યવસાય તે અપૂર્વકરણ અને તેનું કાર્ય પ્રન્થિભેદ જાણવો. - તથા આ અપૂર્વ વર્ષોલ્લાસ રૂપ અપૂર્વ કરણ વડે આ જીવ તે જ કાળે કર્મોને હળવાં કરવા માટેનાં બીજાં પણ ૪ કાર્યો કરે છે. . (૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) અપૂર્વસ્થિતિબંધ. Page #41 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ (૧) પૂર્વે યથાપ્રવૃત્તકરણ વડે સાતકર્મોની સ્થિતિ જે અંતઃકોડાકોડી કરેલી છે. તેમાંથી પણ આ અપૂર્વકરણ દ્વારા સ્થિતિનો ઘાત કરે છે. સત્તામાં જે સ્થિતિ છે- તેના અગ્રિમ ભાગથી ઉત્કૃષ્ટપણે સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ તોડે છે. આ બધું કાર્ય માત્ર અંતર્મુહૂર્તના કાળમાં જ કરે છે. આવો સ્થિતિનો ઘાત પહેલાં કદાપિ કર્યો નથી માટે અપૂર્વસ્થિતિઘાત કહેવાય છે. તેવા હજારો સ્થિતિઘાત એક અપૂર્વકરણના અંતર્મુહૂર્ત કાળમાં થાય છે. •૪૦ (૨) કર્મોની સ્થિતિઘાત વડે જે જે સ્થિતિ ખંડિત કરવામાં આવે છે તેમાં રહેલા તીવ્રરસનો ઘાત કરવામાં આવે તે રસઘાત, એટલે કે તે ત્રુટિત થયેલી સ્થિતિમાં જે રસ (કર્મોની તીવ્રશક્તિ) છે તેના બુદ્ધિથી અનંતભાગો કલ્પીએ, તેમાંથી ૧ ભાગ રાખી શેષ અનંતભાગ પ્રમાણ રસનો ઘાત કરે છે તેને ૨સઘાત કહેવાય છે. પુનઃ જે એકભાગ રાખ્યો તેના બુદ્ધિથી અનંતભાગ કલ્પી એકભાગ રાખી શેષ અનંતભાગોનો નાશ કરે છે તે બીજો રસઘાત કહેવાય છે. એક અપૂર્વકરણમાં હજારો સ્થિતિ ઘાત, અને એક-એક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થવાથી લગભગ હીનરસવાળું બનેલું તે કર્મ ઉપરની સ્થિતિથી ખરીને ઉદયકાળમાં જ ગોઠવાઇ જાય છે અને ઉદિતકર્મની સાથે જ ભોગવાઇ જાય છે. (૩) સ્થિતિઘાત અને રસઘાતથી ખંડિત અને હીન રસવાળા બને તે કર્મદલિકોને સ્થિતિના અગ્રિમભાગથી ઉતારીને જલ્દી પૂર્ણ કરવા માટે આ જીવ ઉદયસમયથી અંતર્મુહૂતકાળમાં પ્રતિસમયે અસંખ્યાતગુણાકારે જે ગોઠવે તેને ગુણશ્રેણી કહેવાય છે. સેંકડો સાગરોપમ પ્રમાણ ઉપરની સ્થિતિનું કર્મ માત્ર અંતમુહૂર્તના કાળમાં જ ગોઠવાઇ જાય છે અને ઉદિત કર્મની સાથે ભોગવાઇ પણ જાય છે.. ૧. અશુભ પ્રકૃતિઓની સ્થિતિજ્ઞાતથી ત્રુટિત અને અત્રુટિત એમ સત્તામાં રહેલી તમામ સ્થિતિમાં આ રસઘાત થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કમસ્તવ (૪) અત્યાર સુધી પરિણામની ધારા તીવ્ર અને મંદ થતી હતી, એટલે કર્મોની સ્થિતિ ક્યારેક ઉત્કૃષ્ટ, ક્યારેક મધ્યમ, ક્યારેક જઘન્ય (ગુણસ્થાનકની ભૂમિકા પ્રમાણે), પુનઃ ક્યારેક ઉત્કૃષ્ટ આ જીવ બાંધતો હતો, પરંતુ આ અપૂર્વકરણમાં અપૂર્વ વિશુદ્ધિ હોવાથી એક સ્થિતિબંધ પૂર્ણ થયા પછી બીજો સ્થિતિબંધ, અને બીજો સ્થિતિબંધ પૂર્ણ થયા પછી ત્રીજો સ્થિતિબંધ નિયમા પલ્યોપમના સંખ્યાતમા ભાગે હીન-હીન જ બાંધે, પણ અધિક ન બાંધે, તે. અપૂર્વસ્થિતિબંધ. આ પ્રમાણે આ અપૂર્વકરણમાં આ જીવ એક તો ગ્રન્થભેદ કરે છે વળી સ્થિતિઘાતાદિ આ ચાર અપૂર્વ કાર્યો કરે છે. જેનાથી ભવાભિનંદીપણું ઓછું થતું જાય છે અને આત્માભિનંદીપણું વધતું જાય છે. સમ્યકત્વ પામવા માટેની ભૂમિકા રૂપ પૂર્વ તૈયારી થતી જાય છે. રાગ-દ્વેષનું મંદ થઈ જવું, અપૂર્વ વીર્ષોલ્લાસનું વધવું, સ્થિતિ-રસનું ઘટવું, શુભપ્રકૃતિઓના રસનું વધવું, નવું નવું કર્મ ઓછું જ બાંધવું. આ બધું અપૂર્વકરણનું જ કાર્ય છે. આ પ્રમાણે અપૂર્વકરણ કરીને હવે અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણ એટલે કે જ્યાં પરિણામની તરતમતા નથી તે અથવા જ્યાંથી સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના પાછો ન ફરે, અવશ્ય સમ્યકત્વ પામે જ, તે પહેલાં નિવૃત્તિ (પાછા હઠવાનું) ન કરે તેવો આંત્માને જે અધ્યવસાય. તેનું નામ અનિવૃત્તિકરણ. આ કરણનો પણ કાળ અંતર્મુહૂર્ત જ હોય છે. પ્રતિસમયે વિશુદ્ધિ વધારે વધારે વધતી જાય છે. સ્થિતિઘાતાદિ ચાલુ જ છે. હજુ ગુણસ્થાનક પહેલું મિથ્યાષ્ટિ જ છે.. મિથ્યાત્વમોહનીયના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા બધું જ ચાલુ છે. એમ કરતાં અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ પસાર થાય અને જયારે એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આ મિથ્યાત્વના ઉદયને અટકાવવા માટે જ “અંતરકરણ” કરે છે. એટલે કે આત્મા પાર્સ મિથ્યાત્વમોહનીય કર્મની જે અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ સત્તામાં પડેલી છે અને ક્રમશ: ઉદયમાં આવે છે. તે સ્થિતિમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દ્વિતીય કર્મગ્રંથ અનિવૃત્તિકરણનો જે એક સંખ્યાતમો ભાગ બાકી છે તેટલી (નાના અંતર્મુહૂર્ત પ્રમાણે) સ્થિતિ ભોગવવા માટે રહેવા દઈને તેની ઉપરની એક અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને ત્યાંથી ખાલી કરવાનું, દલિક વિનાની સ્થિતિ કરવાનું કામ આ જીવ કરે છે, આમ વચ્ચે આંતરૂ કરવાથી સ્થિતિના ખરેખર આંતરા સાથે ત્રણ ભાગો થઇ જાય છે. અને આંતરા વિના ગણીએ તો. નીચે અને ઉપર એમ બે ભાગો થાય છે. અંતરકરણ વાળી વચ્ચેની સ્થિતિમાં મિથ્યાત્વ મોહનીયકર્મનાં જે જે દલિકો છે તેને ઉદીરણા અને અપવર્ણના કરણ વડે નીચેની સ્થિતિમાં નાખે છે અને કેટલાંક દલિકોને ઉદ્વર્તના કરણ વડે ઉપરની સ્થિતિમાં નાખે છે એમ ઉપર-નીચેની સ્થિતિમાં નાખવા વડે અંતરકરણમાંથી સ્થિતિનાં દલિક સર્વથા ખાલી કરે છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને પ્રથમસ્થિતિ- હેઠલી સ્થિતિ અથવા નાની સ્થિતિ કહેવાય છે. અને અંતરકરણની ઉપરની સ્થિતિને બીજીસ્થિતિ-ઉપરની સ્થિતિ અથવા મોટી સ્થિતિ કહેવાય છે. પહેલી સ્થિતિને ભોગવતો, અંતરકરણને ખાલી કરતો, અને ઉપરની મોટી સ્થિતિને ઉપશમાવતો આ જીવ આગળ વધે છે. ઉપશમાવવું એટલે કે મિથ્યાત્વમોહનીય કર્મની સ્થિતિ જે ઉદીરણા અને અપવર્તના આદિ કરણો વડે વહેલી પણ ઉદયમાં લાવી શકાય તેમ હતી તે સ્થિતિને ત્યાં જ રહે, વહેલી ઉદયમાં ન આવે તેવી કરવી. તેને ઉપશમાવવું કહેવાય છે, તેનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે. અનિવૃત્તિકરણ ૫ સંખ્યાતા ભાગ | ૧ સં. ભાગ અંતરકરણ | બીજીસ્થિતિ " | પહેલી સ્થિતિ ' | મોટી સ્થિતિ પહેલી સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેને ઉદયથી ભોગવે ત્યારે જીવ મિથ્યાત્વી છે. તે જ વખતે અંતઃકરણના દલિકોને પહેલી-બીજી એમ બન્ને સ્થિતિમાં નાખીને ત્યાની ભૂમિ ખાલી કરે છે. ચોખ્ખી કરે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કર્મસ્તવ છે તેથી જ તેને અન્તર (આંતરું) કરણ (કરવું) એમ કહેવાય છે. અને બીજી સ્થિતિને ઉદય, ઉદીરણા આદિ કરણોને માટે અયોગ્ય કરી દિબાવી દે છે તેને ઉપશમ કહેવાય છે. એમ કરતો આ જીવ અનિવૃત્તિકરણના સંખ્યાતમા ભાગરૂપ જે પ્રથમ સ્થિતિ છે તેમાંથી બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ અને એક આંવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા અટકાવે છે પછી તે પ્રથમસ્થિતિ જ્યારે પૂર્ણ થાય અને અંતરકરણમાં આ જીવ જેવો પ્રવેશ કરે તે જ સમયે મિથ્યાત્વમોહનીય કર્મ ઉદયમાં ન હોવાથી ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. જે મ વનમાં લાગેલો દાવાનળ આગળ વધતો વધતો ઉખરભૂમિને અથવા બળેલાં કાષ્ટાદિને પામીને દાહ્યવસ્તુ ન મળવાથી બૂઝાય છે. તેમ આ મિથ્યાત્વરૂપ દાવાનળ . પણ અંતરકરણના પ્રથમસમયે જ આ જીવને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિકો નથી અને ઉપરની સ્થિતિનાં મિથ્યાત્વનાં દલિકો ઉપશાન્ત છે. એટલે ઉદીરણા આદિ કરણી વડે પણ ઉદયમાં આવવાનાં નથી. તેથી મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવાથી મોક્ષના બીજભૂત, પૂર્વે કદાપિ પ્રાપ્ત નહીં કરેલું એવું આ ઉપશમ સમ્યકત્વ જીવને પ્રાપ્ત થાય છે. સમ્યકત્વની આ વિશુદ્ધિ વડે ઉપરની સ્થિતિમાં જે ઉપશાન્ત મિથ્યાત્વમોહનીય છે તેમાં રહેલ રસને હણી-હણીને તે કર્મમાં દલિકોને અલ્પ-અલ્પ રસવાળાં કરે છે. તેને જ શાસ્ત્રોમાં ત્રિપુંજીકરણ કહેવાય છે. એક જ મિથ્યાત્વમોહનીયના જે કર્મપરમાણુઓમાંનો રસ મંદ- બેઠાણીઓ અથવા એકઠાણીયો થઇ જાય છે તેને સમ્યકત્વમોહનીય કહેવાય છે. જે કર્મ પરમાણુઓમાં મધ્યમ બેઠાણીઓ રસ થઈ જાય છે તે મિશ્રમોહનીય કહેવાય છે અને હજુ પણ જે કર્મપરમાણુઓમાં તીવ્ર બેઠાણી, ત્રણઠાણીયો અને ચાર ઠાણીઓ રસ વર્તે છે તેને મિથ્યાત્વમોહનીય જ કહેવાય છે. સમ્યક્ત્વના પ્રથમસમયથી જ ઉપરની બીજી સ્થિતિનાં મિથ્યાત્વનાં દલિકોનું ત્રિપુંજીકરણ ચાલું થાય છે. એટલે કે મિથ્યાત્વનાં દલિકોને મિશ્રમેહનીય. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ 1 TS દ્વિતીય કર્મગ્રંથ અને સમ્યકત્વમોહનીયમાં અસંખ્યાતગુણ પ્રતિસમયે સંક્રમાવે છે. સમ્યકત્વના પ્રથમ સમયે જ ત્રણ દર્શનમોહનીયની સત્તા (ત્રિપુજ) થઇ જાય છે. ત્યારબાદ પ્રતિસમયે તે જ સંક્રમ ચાલુ રહે છે અને સમ્યકત્વ મોહનીય તથા મિશ્રમોહનીયની લતા વધુ પુષ્ટ બને છે. કોઇ ઠેકાણે મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિના ચરમસમયે વર્તતો જીવ બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયના ત્રણjજે કરે છે એમ પણ આવે છે. સમ્યત્વવાળી અવસ્થામાં મિથ્યાત્વનો મિશ્નસમ્યત્વ મોહનીયમાં પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે સંક્રમ કરવાનું આ કામ ચાલુ જ રહે છે. તેનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે. અંતરકરણ | મિથ્યાત્વમોહનીય તીવ્ર ૨,૩,૪ ઠાણીયો રસ. જીવ સાસ્વાદન | મિશ્રમોહનીય મધ્યમ બેઠાણીયો રસ | સમ્યકત્વમોહનીય મંદર,તથાએકઠાણીયોરસ ત્રણ પુંજને કરતો, અંતરકરણમાં વર્તતો જીવ પરમ આફ્લાદ રૂપ ઉપશમ સમ્યત્વને અનુભવતો અંતરકરણમાં આગળ વધે છે. આ અંતરકરણનો કાળ અંતર્મુહૂર્ત છે તેમાં જઘન્યથી ૧ સમય અને - ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો અંતરકરણને કાળ બાકી હોય ત્યારે અંતરકરણમાં જ કોઈ જીવને સમ્યકત્વને મલીન કરી નાખે તેવો “અનંતાનુબંધી” કષાયનો ઉદય થાય છે. જો કે મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધીની એવી જોડી છે કે બન્ને સાથે જ લગભગ બંધ-ઉદયમાં આવે છે. એટલા જ માટે અંતરકરણમાં માત્ર મિથ્યાત્વમોહનીય કર્મનાં દલિકોને જ ઉપર-નીચેની સ્થિતિમાં નાખીને ખાલી કરેલ હતાં, પરંતુ અનંતાનુબંધીનાં દલિકોને ત્યાંથી ઉપાડીને ઉપર-નીચે નાખીને ખાલી કરેલ નથી, છતાં મિથ્યાત્વમોહનીયને ઉદય અટકી જવાથી તેને સાથીદાર અનંતાનુબંધી પણ ક્ષયોપશમભાવને પામે છે. જેથી આ આત્મા નિર્મળ શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કોઈ કોઈ જીવને અંતરકરણ પૂર્ણ થવા આવે ત્યારે અન્તિમ ૧ સમયથી ૬ આવલિકાના Page #46 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ૪પ કાળમાં મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવા છતાં પણ અનંતાનુબંધીનો લયોપશમમાંથી ઉદય થઇ જાય છે. તેને જ આ બીજું “સાસ્વાદન” ગુણસ્થાનક કહેવાય છે. કારણકે મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પહેલું ગુણસ્થાનક કહેવાય નહીં અને અનન્તાનુબંધી કષાયનો ઉદય થવાથી સમ્યકત્વ ગુણસ્થાનક ટકે નહીં, તેથી ચોથા ગુણસ્થાનકેથી પડતાં અને પહેલે પહોંચતાં પહેલાં અનંતાનુબંધીનો ઉદય થવાથી સમ્યક્તના મલીન આસ્વાદવાળું આ બીજું ગુણસ્થાનક જીવને આવે છે. આ બીજું ગુણસ્થાનક જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ફક્ત ૬ આવલિકા કાળ જ ટકે છે. ત્યારબાદ આ જીવ નિયમા મિથ્યાત્વપુજનો ઉદય થવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે જ જાય છે. " આ સાસ્વાદન ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વથી પડતાં જ આવે, છે. જેટલી વાર ઉપશમ સમ્યકત્વ પામી શકે છે તેટલીવાર વધુમાં વધુ સાસ્વાદન પામી શકાય છે. ઉપશમ સમ્યકત્વ. ચાર વાર ઉપશમશ્રેણી પ્રારંભે ત્યારે ચાર વાર પામી શકાય છે. અને મિથ્યાત્વગુણસ્થાનકથી ત્રણ કરણ કરવા પૂર્વક અંતરકરણ કરવા દ્વારા જે ઉપશમસમ્યકત્વ પમાય છે. તે જો કે અસંખ્ય વાર પામી શકાય છે તથાપિ તે એક સરખી જ પ્રક્રિયાથી લભ્ય હોવાથી એક જ ગણાય છે. એમ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ઘણીવાર પ્રાપ્ત કરી શકાતા ઉપશમ સમ્યને પણ એક જ વાર ગણીએ તો વધુમાં વધુ ઉપશમ સમ્યક્ત પાંચ વાર પામી શકાય છે માટે સાસ્વાદન પણ પાંચ વાર પામી શકાય છે. - મિથ્યાત્વ ગુણસ્થાનકે આવ્યા પછી સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીયની ઉદવલના કરીને આ જીવ તે બન્નેનાં દલિકોનો પુનઃમિથ્યાત્વ મોહનીયમાં પ્રક્ષેપ કરે છે. તે કરતાં એક-એક મોહનીયમાં એક-એક એમ કુલ પલ્યોપમના અસંખ્યાતમા ૨ ભાગ જેટલો કાળ જાય છે. તેમાં સમ્યકત્વ મોહનીયની ઉવલના થતી હોય તે દરમ્યાન પુનઃ જો સમ્યકત્વ પામે તો ક્ષયોપશમસમ્યકત્વ પામે છે. જો મિશ્રમોહનીયની ઉર્વલના થતી હોય તે દરમ્યાન જો ઉપર ચડે તો Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દ્વિતીય કર્મગ્રંથ નિયમો મિશ્ર (ત્રીજા) ગુણસ્થાનકે જ જાય છે. પરંતુ બન્નેની ઉદ્વલના પૂર્ણ થઇ ગયા પછી જો સમ્યક્ત્વ પામે તો અનાદિ મિથ્યાત્વીની જેમ જ ત્રણ કરણ કરવા વડે પુનઃ ઉપશમસમ્યક્ત્વ પામે છે. (૩) મિશ્રર્દષ્ટિ ગુણસ્થાનક અનાદિ મિથ્યાત્વી જીવ ઉપર સમજાવ્યું છે તે મુજબ ત્રણ કર્રણ કરી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉપશમસમ્યક્ત્વની વિશુદ્ધિ વડે જ મિથ્યાત્વપુંજના ત્રણ ભાગ કરી અંતરકરણની સ્થિતિ પૂર્ણ કરી જેવો બહાર આવે તેવો જ જો તે કાળે ત્રણપૂંજમાંથી મિશ્રમોહનીયનો ઉદય શરૂ થાય તો તે આ જીવને ત્રીજું મિશ્રર્દષ્ટિગુણસ્થાનક કહેવાય છે. તેનો જધન્ય ઉત્કૃષ્ટ બન્ને રીતે ફક્ત અંતર્મુહૂર્ત જ કાળ છે. મિશ્રમોહનીયનો ઉદય હોવાથી તે કાળે આ જીવને જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રુચિ પણ નથી હોતી, અને અરુચિ પણ નથી હોતી, નાલિકેર દ્વીપના મનુષ્યોને જેમ ધાન્ય ઉ૫૨ રુચિ-અરુચિ ન હોય તેમ. • આ ગુણસ્થાનક જેમ સમ્યક્ત્વથી પડતાં ત્રણપૂંજમાંથી મિશ્રપુંજ ઉદયમાં આવવાથી આવે છે. તેમજ સમ્યક્ત્વી જીવ મિથ્યાત્વે ગયા પછી સમ્યક્ત્વ-મિશ્ર પુંજની ઉદ્વલના કરતો હોય અને સમ્યક્ત્વપુંજની ઉલના થઈ ચૂકી હોય, મિશ્રપુંજની ઉલના પૂર્ણ ન થઈ હોય તો તે કાળે પણ મિશ્રપુંજ ઉદયમાં કોઇક વખત આવી જાય છે. ત્યારે પહેલા ગુણઠાણેથી પણ આ જીવ મિશ્રગુણસ્થાનકે આવે છે. આ પ્રમાણે મિશ્રગુણસ્થાનક સમ્યક્ત્વથી તથા મિશ્રની ઉલના કરતા એવા મિથ્યાત્વથી પ્રાપ્ત કરી શંકાય છે. અનાદિ મિથ્યાત્વીને સીંધું આ ગુણસ્થાનક આવતું નથી. કારણ કે. તેની પાસે મિશ્રમોહનીય સત્તામાં જ નથી કે જેથી તેનો ઉદય થઇ શકે. (૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક જિનેશ્વર પરમાત્માનો ધર્મ જેને રુચે છે. ગમે છે. સુદેવ-સુગુરુ અને ધર્મની પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ જેને છે તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે Page #48 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ ૪૭ સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ સંસારના ભોગ-સુખોને જે ત્યજી શકતો નથી. સંસારના તમામ ભોગસુખોને અસાર-તુચ્છ-હેય સમજવા-જાણવા છતાં તે છોડવા જે અસમર્થ હોય એવા જીવનું જે ગુણસ્થાનક તે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. - આ ચોથા ગુણસ્થાનકે રહેલા જીવો ત્રાણ પ્રકારના સમ્યકત્વવાળા હોય છે (૧) પૉમિક (૨) ક્ષાયોપથમિક (૩) સાયિકસભ્યત્વ. (૧) જ્યા અનંતાનુબંધી ૪ અને મિથ્યાત્વમોહનીયાદિ દર્શનસિક ૩, એમ કુલ સાત કર્મપ્રકૃતિઓ એવી ઉપશાન્ત કરી હોય કે જે આ સાતમાંની કોઈ એક પણ પ્રકૃતિનો રસદિય કે પ્રદેશોદય ન હોય એવી ઉપશાન્તવાળી જે અવસ્થા તે ઔપશમિક્સમ્યકત્વ. આ સાતે કર્મપ્રકૃતિઓને પોતાના રૂપે ઉદયુથી જે ભોગવવી તે રસોદય, અને સજાતીય એવી પરપ્રકૃતિમાં ભેળવીને પરપ્રકૃતિ રૂપે ભોગવવી તે પ્રદેશોદયે. જેમ કે અનંતાનુબંધી કષાયને અનંતાનુબંધી રૂપે ઉદયમાં ભોગવવા તે તેનો રસ્તોદય, અને અનંતાનુબંધી કષાયનાં દલિકોને અપ્રત્યાખ્યાનીય.આદિમાં ભેળવીને અપ્રત્યાખ્યાનીયાદિ રૂપે ભોગવવાં તે અનંતાનુબંધીનો પ્રદેશોદય અર્થાત્ ક્ષયોપશમ કહેવાય છે. તેવી જ રીતે મિથ્યાત્વમોહનીયને મિથ્યાત્વમોહનીય રૂપે ભોગવવી તે મિથ્યાત્વમોહનીયનો રસોદય અને મિથ્યાત્વમોહનીયને સમ્યકત્વમોહનીય. અને મિશ્રમોહનીય રૂપે બનાવીને ભોગવવી તે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયનો રસદિય કહેવાય પરંતુ મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય. અર્થાત્ ક્ષયોપશમ કહેવાય છે. પ્રાથમિક ઓપશમિક સભ્યત્વમાં આ ‘દર્શન મોહનીયનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી. સર્વથા શાન્ત અવસ્થા હોય છે. પરંતુ અનંતાનુબંધીનો ક્ષયોપશમ (પ્રદેશોદય) હોય છે. તથા શ્રેણીસંબંધી ઉપશમમાં દર્શનત્રિકની ઉપશમના હોય છે. અને અનંતાનુબંધીની મુખ્યત્વે વિસંયોજના અને મતાન્તરે ઉપશમના હોય છે. ' (૨) જ્યાં અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ " દ્વિતીય કર્મગ્રંથ આ ૬ કર્મપ્રકૃતિઓનો પ્રદેશોદય હોય અથવા ક્ષય હોય અને સમ્યક્ત્વ મોહનીયને રસોદય હોય તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. અનંતાનુબંધી ૪ કપાયો અપ્રત્યાખ્યાનીયાદિમાં ભળીને તે રૂપે ઉદયમાં આવે છે. અને મિથ્યાત્વમિશ્રનાં દલિકો સમ્યત્વમોહનીય રૂપે કરીને જીવ વેદે છે માટે ૬ નો પ્રદેશોદય હોય છે. અને સમ્યક્વમોહનીયનો રસોદય હોય છે. અથવા ક્ષાયિક પામતાં પહેલાં યથાયોગ્ય આ છે ને ક્ષય પણ થતો ય છે. અને સમ્યકત્વ મોહનીયનો રસોદય ચાલુ હોય છે. તેને પણ ક્ષાયાપશમિક સમ્યકત્વ કહેવાય છે. ઉદયમાં આવે તેવા મિથ્યાત્વમોહનીયના રસને હણવો તે ક્ષય અને હાલ ઉદયમાં ન આવતી પરંતુ ઉદીરણા અને અપર્વતનાના બળે ઉદયમાં આવી શકવાના સંભવવાળી મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરવો. તેનું નામ ક્ષય + ઉપશમ = ક્ષયોપશમ તેનાથી મળતો જે સમ્યકત્વ ગુણ લાયોપથમિક.' ' (૩) ઉપરોક્ત દર્શનસપ્તકનો સર્વથા ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રાપ્ત થાય તે ક્ષાયિક સમ્યકત્વ. આ સમ્યકત્વમાં દર્શનસપ્તકની બીલકુલ સત્તા જા હોતી નથી. આ પ્રમાણે ચોથે ગુણઠાણે ત્રણ પ્રકારનાં સમ્યકત્વ હોઈ શકે છે. પરંતુ ભોગોનો ત્યાગ ન હોવાથી અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. - વિરતિને (અણુવ્રત-મહાવ્રતને) યથાર્થ પણે જાણવાં, દેવ-ગુરુ સમક્ષ પૂર્ણપણે સમજીને ગ્રહણ કરવાં, અને ગ્રહણ કર્યા પછી યથાર્થપણે પાલન કરવાં તે જ યથાર્થ વિરતિધરતા છે. તેના ૮ ભાંગા થાય છે તેમાં અન્તિમ આઠમા ભાંગામાં જીવ દેશવિરતિધર અથવા સર્વવિરતિધર કહેવાય છે. પ્રથમના સાત ભાંગામાં અંવિરતિ ગણાય છે. તેમાં પણ પ્રથમના ચાર ભાંગામાં મિથ્યાષ્ટિ છે. અને પછીના ત્રણ ભાગમાં અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧ . ૩ ૪ ૫ ૬ 6) ང་ વ્રતોને " 33 * 11 33 '' '' 93 યથાર્થપણે "" : ' .. 33 - '' 31 "" ન જાણે .. 11 36 જાણે 33 31 33 ન આદરે | ન પાલે પાલે ન પાલે પાલે " આદરે "" નઆદરે 17 આદરે ,, નપાલે પાલે ન પાલે પાલે સામાન્ય જીવો અજ્ઞાન તપસ્વી પાર્શ્વસ્થ ગચ્છનિર્ગત અગીતાર્થસાધુ શ્રેણીક,કૃષ્ણ ૪૯ અનુત્તર વિમાનવાસી સંવિપાક્ષિક દેશિવરિત આ આઠભાંગામાં પ્રથમના ચારભાંગામાં વર્તનારા જીવોને સમ્યજ્ઞાન ન હોવાથી મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક ગણાય છે. ૫/૬/૭ આ ત્રણભાંગામાં વર્તનારા જીવો સભ્યજ્ઞાન યુક્ત હોવાથી ચોથા ગુણઠાણાવાળા ગણાય છે, અને ૮ મા ભાંગામાં વર્તનારા જીવો પાંચમાછઠ્ઠા ગુણઠાણાવાળા ગણાય છે. સર્વવરિત આ ગુણસ્થાનકનો કાળ વધુમાં વધુ સાધિક ૩૩ સાગરોપમ છે. કારણ કે અનુત્તરવાસી દેવનું આયુષ્ય ૩૩ સાગરોપમ છે અને તેને ચોથું ગુણસ્થાનક છે, ત્યાંથી ચ્યવી મનુષ્યમાં આવી ૮ વર્ષથી અધિક ઉંમરવાળો થાય અને સંયમાદિ સ્વીકારે ત્યારે પાંચમુ-છઠ્ઠું ગુણસ્થાનક આવે છે માટે ગર્ભકાલ સાથે તે વર્ષો અધિક જાણવાં તથા જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ જાણવો. ઉપશમ સમ્યક્ત્વનો કાળ જઘન્ય-ઉત્કૃષ્ટ બન્ને રીતે નાનું-મોટું અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. ક્ષયોપગમ સમ્યક્ત્વનો કાળ સાધિક ૬૬ સાગરોપમ હોય છે. વિજયાદિ અત્તરના ૩૩ + ૩૩ ના બે ભવો કરવા વડે તથા વચ્ચેના મનુષ્યભવો વડે અધિક આ કાળ જાણવો. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ૦ દ્વિતીય કર્મગ્રંથ ક્ષાયિક સમ્યક્ત્વનો સાદિ-અનંતકાળ જાણવો. કારણ કે તે સમ્યકત્વ આવ્યા પછી જતું જ નથી. જૈનશાસ્ત્રોમાં આ સમ્યકત્વના અપેક્ષાવિશેપે અનેક પ્રકારો બતાવ્યા છે. તે આ પ્રમાણે (૧) તત્ત્વોનું યથાર્થ જ્ઞાન ન ધરાવનાર, તત્ત્વજ્ઞાનના અજાણ, એવા આત્માની જિનેશ્વર પરમાત્માના કહેલાં વચનો અને તત્ત્વો એ જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા પૂર્વકની તત્ત્વરુચિ તે દ્રવ્યસમ્યકત્વ (ર)તત્ત્વોનું યથાર્થ જ્ઞાન ધરાવનાર, સ્યાદ્વાદ-નય-નિપાસપ્તભંગી-સાપેક્ષવાદ આદિના જાણકાર જીવની જિનેશ્વર પરમાત્માના કહેલાં વચનો અને તત્ત્વો એ જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા પૂર્વકની ભાવથી તત્ત્વરુચિ તે ભાવસમ્યકત્વ. . અથવા બીજી રીતે ૨ પ્રકાર (૧) ઉપદેશ-પ્રતિમા–ગુરુ આદિ બાહ્યા કોઇ પણ નિમિત્ત વિના સહજસ્વભાવે પોતાના આત્માના અભ્યતર વૈરાગ્યયુક્ત પરિણામથી જે સમ્યકત્વ થાય તે નિસર્ગસમ્યકત્વ. (૨) ઉપદેશ-પ્રતિમા–ગુરુ આદિ બાહ્ય કોઈ પણ નિમિત્તો દ્વારા પોતાના આત્માના અભ્યન્તર વૈરાગ્યયુક્ત પરિણામથી જે સમ્યકત્વ થાય તે અધિગમસમ્યકત્વ. અથવા ત્રીજી રીતે ૨ પ્રકાર(૧) સમ્યક્ત્વમોહનીયના ઉદયવાળું જે સમ્યકત્વ અર્થાત ક્ષયોપશમ સમ્યક્ત્વ, જેમાં સમ્યક્ત મોહનીયના પુદ્ગલનું વદન ચાલુ છે તે પૌગલિકસમ્યકત્વ. (૨) સમ્યકત્વમોહનીયનો જયાં ઉદય નથી અર્થાત્ ઓપશમિક અને ક્ષાયિક સમ્યત્વ. કે જેમાં પુદ્ગલનું વેદન નથી તે અપગલિકસમ્યકત્વ. અથવા ચોથી રીતે ર પ્રકાર(૧) શુદ્ધ આત્મપરિણામનો હેતુ બને તેવો જિનેશ્વર પરમાત્માના તત્ત્વોને માનવાનો. પ્રરૂપવાનો વ્યવહાર કરવો. સભાસમક્ષ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કમસ્તવ સમ્યકત્વ વ્રત કરવું. અન્યને નહીં માનવાનો નિયમ કરવો તે વ્યવહારસમ્યકત્વ. (૨) જ્ઞાન-દર્શન અને ચારિત્રની રમણતા પૂર્વકનો શુદ્ધ આત્મપરિણામ, જિનેશ્વર પરમાત્માની અનન્ય રુચિવાળો ઉપયોગ પૂર્વકનો હાર્દિક જે આત્મપરિણામ તે નિશ્ચય સમ્યકત્વ. - સભ્યત્વના ૩ પ્રકારો પણ છે. . (૧) જેમ દીપક પોતાની નીચે અંધારું રાખે છે (કોડીયાનો દીપક) અને બહાર ચોતરફ પ્રકાશ પાથરે છે તેમ જે આત્મામાં પોતાનામાં સમ્યત્વ ગુણા ના હોય પરંતુ બીજાને ઉપદેશથી સમ્યકત્વ પ્રાપ્ત કરાવે તે દીપકસમ્યકત્વ (અભવ્યાદિજીવનમાં આવા સમ્યકત્વનો વ્યવહાર હોય છે). (૨) જિનેશ્વર પરમાત્મા વડે કહેવાયેલાં તત્ત્વો ઉપર દૃઢ સચિવાળો, અને આચારો તરફ પરમપ્રીતિવાળો, એવો પરિણામ તે રોચકસમ્યકત્વ. (૩) પોતાના આત્મામાં સંયમ અને તપને લાવે, જિનેશ્વરપરમાત્મા વડે કહેવાયેલા આચારોને દઢપણે અંગીકાર કરે તે કારકસમ્યકત્વ. આ પ્રમાણે (૧) ઉપશમ, (૨) ક્ષયોપશમ, (૩) ક્ષાયિક, એમ પણ ત્રણ ભેદો છે. ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક-વેદક એમ ૪ ભેદો પણ છે. અને સાસ્વાદન સાથે પાંચ ભેદો પણ છે. વધારે વિસ્તાર શાસ્ત્રાન્તરથી જાણવા. (૫) દેશવિરતિ ગુણસ્થાનક ' ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષાયિક આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું સમ્યત્વ હોતે છતે, સર્વવિરતિ (સર્વથા સંસારનો ત્યાગ કરવા) ની લાલસા હોવા છતાં પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી તે ન સ્વીકારી શકવાના કારણે અપ્રત્યાખ્યાનીય કપાયના ક્ષયોપશમથી એક વ્રત-બે વ્રત આદિ રૂપે યત્કિંચિત્ સાંસારિક ભોગોનો ત્યાગ કરવાપૂર્વક ભૂલત્યાગ તે દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ | દ્વિતીય કર્મગ્રંથ - આ ગુણસ્થાનક સ્વીકારનાર શ્રાવક-શ્રાવિકા કહેવાય છે. તેઓ ચૂલહિંસાત્યાગ, સ્થૂલ મૃષાવાદ ત્યાગ આદિ શ્રાવકનાં બારવ્રતોમાંથી ૧ વ્રત, ૨ વ્રત. વ્રત. એમ યાવતું બાર વ્રત ગ્રહણ કરનારાં પણ હોય છે. તથા ત્રણ પ્રકારની અનુમતિ (અનુમોદન) માંથી બે અનુમતિનો ત્યાગ કરી માત્ર-સંવાસાનુમતિ જ સેવનારા જીવો ઉત્કૃષ્ટ દેશવિરતિધર કહેવાય છે. ત્રણ અનુમતિ આ પ્રમાણે છે- (૧) પોતાના માટે અથવા પરના માટે તથા ઉભયના માટે હિંસાદિથી કરાયેલા ભોજન આદિનો જ ઉપયોગ કરે તે પ્રતિસેવનાનુમતિ. (૨) પુત્ર-પત્ની આદિ કોઇ સગાવહાલાઓ-કુટુંબીજનો દ્વારા કરાયેલા પાપકર્મોને કેવળ સાંભલે, સાંભળવા છતાં તે કામોથી પુત્રાદિને ન રોકે, અર્થાત્ મનથી અનુમતિ આપે તે પ્રતિશ્રવણાનુમતિ. (૩) તથા પુત્રાદિ પરિવારો વડે કરાતા પાપને ન સાંભળે, મનથી સારૂ-સારું છે એમ ન માને, માત્ર પોતાનો પુત્ર આદિ છે એવી મમતા જ રાખે તે સંવાસાનુમતિ. - ગૃહસ્થ બારવ્રત ધારણ કરી શકે છે. અગિયાર પડિમા વહન કરી શકે છે. ત્રણ અનુમતિમાંથી બે અનુમતિ ત્યજી શકે છે. તે ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. આ ગુણસ્થાનક માત્ર તિર્યંચ-મનુષ્યોને જ હોય છે. તે પણ અયુગલિકોને જ (સંખ્યાત વર્ષના આયુષ્યવાળાને જ). દેવનારકી અને યુગલિકોને માત્ર ચાર જ ગુણસ્થાનકો હોય છે. આ ગુણસ્થાનકે ઉપશમ-ક્ષયોપશમ-અને ક્ષાયિક એમ ત્રણે સમ્યકત્વ હોઇ શકે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ હોય છે. કારણ કે સંખ્યાત વર્ષવાળા મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય વધુમાં વધુ પૂર્વક્રોડ વર્ષનું હોય છે તેમાં આઠ વર્ષની ઉંમર પછી દેશવિરતિ આવી શકે છે. " સમ્યકત્વની પ્રાપ્તિ વખતે સાતકર્મોની સ્થિતિ જે અંત:કોડાકોડી સાગરોપમની થઇ છે તેમાંથી પલ્યોપમપૃથકત્વ સ્થિતિ ઓછી થયે છતે આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકે આવનારા આત્માઓમાં આવા ગુણો પ્રગટ થાય છે. (૧) એકવ્રતથી બાર વ્રત Page #54 -------------------------------------------------------------------------- ________________ કસ્તિત્વ ૫૩ સુધીનાં વ્રતોનું ધારણ કરવાપણું. (૨) શીલવંત. (સદાચારી). (૩) ગુણવંત (ગુણીયલ જીવન), (૪) ઋજુવ્યવહાર (કપટ-માયા વિનાનો સરળ વ્યવહાર), (૫) ગુરૂશુભૂપક (વડીલોની-ગુરુઓની અને ઉપકારીઓની સેવા કરનાર), (૬) પ્રવચન કુશલ (જૈન શાસ્ત્રો-સિદ્ધાન્ત સમજવામાં પ્રવીણ-દક્ષ. (જુઓ યોગશતક) પ્રશ્ન- શ્રાવકની ૧૧ પડિમા કઇ કઇ ? ઉત્તર- (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રતપ્રતિમા (૩) સામાયિકપ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) કાયોત્સર્ગ પ્રતિમા, (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા, (૭) સચિત્તવર્જન પ્રતિમા, (૮) આરંભવર્જન પ્રતિમા, (૯) પ્રેગ્યવર્જન પ્રતિમા, (૧૦) ઉદિત્યવર્જન પ્રતિમા, (૧૧) શ્રમણભૂત પ્રતિમા. આ પાંચમા ગુણસ્થાનકે તિર્યંચો ઉપશમ અને ક્ષયોપશમ એમ બે સમ્યકત્વવાળા જ હોય. કારણ કે તિર્યંચોને જો ક્ષાયિકસમ્યકત્વ હોય તો યુગલિકના ભવમાં જ પૂર્વભવથી લઇને આવેલા હોય છે અને યુગલિકને ચાર જ ગુણસ્થાનક હોય છે. મનુષ્યોને ત્રણે સમ્યકત્વ પાંચમ ગુણઠાણે હોઇ શકે છે. (૬) પ્રમત્તસંયત- (૭) અપ્રમત્તસંયત. સંસારના સર્વભાગો, આંરભસમારંભ અને હિંસાદિ સર્વ પાપાચરણાઓનો સંપૂર્ણપણે ત્યાગ કરી “સર્વથા વિરતિ” સ્વીકારનાર આત્માનું જે ગુણસ્થાનક તે છઠ્ઠ-સાતમું ગુણસ્થાનક. આ ગુણસ્થાનકોમાં આવનાર આત્મા સંસારનો સર્વથા ત્યાગી હોવાથી સંયત કહેવાય છે. પ્રત્યાખ્યાનાવરણ કપાયના ઉદયને રોકીને ક્ષયોપશમ કરવા દ્વારા આ ગુણસ્થાનકોએ જીવ આવે છે. પરંતુ દર્શનાવરણીય કર્મ, સંજવલન કષાય તથા નવ નોકપાયાના ઉદયને લીધે ક્યારેક નિદ્રા, વિષય, કષાય અને વિકથા આદિ પ્રમાદવશ બની જાય છે ત્યારે “પ્રમત્તસંવત” નામનું છઠ્ઠું ગુણસ્થાનક આવે છે અને જ્યારે કર્મોના ઉદયની નિર્બળના આવે છે ત્યારે ત્યારે નિદ્રાદિ પ્રમાદા વિનાનું “અપ્રમત્તસંયત” ગુણસ્થાનક Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ દ્વિતીય કર્મગ્રંથ આવે છે. આ બન્ને ગુણસ્થાનકો સાધુ જીવનમાં વારાફરતી આવ્યા જ કરે છે. તેથી આ બન્નેમાંનું કોઇ પણ એક ગુણસ્થાનક જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત જ હોય છે. બંનેનો સાથે મળીને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. આ ગુણસ્થાનકોમાં વર્તનારા જીવો સર્વથા પ્રાણાતિપાતનો ત્યાગ આદિ પાંચ મહાવ્રતવાળા હોય છે. મન-વચન-કાયાથી પાપો કરવાકરાવવા-અને અનુમોદવાના સર્વથા ત્યાગી હોય છે. છ કાયની હિંસા અને મન સાથે છ ઇન્દ્રિયોના વિષયભોગો, એમ બારે પ્રકારની અવિરતિ ના ત્યાગી હોય છે. તેથી જ “સર્વવિરતિધર” કહેવાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે સાતકર્મોની જે સ્થિતિસત્તા છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઓછી થયે છતે આ ગુણસ્થાનકો આવે છે. આ બન્ને ગુણસ્થાનકોમાં પણ ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષયિક સમ્યકત્વ હોય છે. જે જીવો સમ્યકત્વ પ્રાપ્ત કરી ચોથે-પાંચમે ગુણસ્થાનકે આવ્યા છે. તેઓ જ આ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. અથવા પહેલા ગુણસ્થાનકથી સમ્યકત્વ સાથે સંયમ પામે તો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકને પણ પામી શકે છે. પરંતુ સમ્યકત્વ પામ્યા વિનાના મિથ્યાષ્ટિ જીવો જો દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરે તો પણ તેમને પહેલું જ ગુણસ્થાનક ગણાય છે. સંસારનો સર્વત્યાગ કરવા છતાં છઠ્ઠુંસાતમું ગુણસ્થાનક આવતું નથી. અર્થાત્ સમ્યકત્વ વિના જ્ઞાન અને ચારિત્ર એ જ્ઞાન-ચારિત્ર ગણાતાં નથી. આ બન્ને ગુણસ્થાનકોમાં આ જીવ અન્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત વારાફરતી આવ-જા કરે છે. પરંતુ એક ગુણસ્થાનકમાં વધુ રહેતા નથી. પ્રશ્ન- પ્રભુ મહાવીર સ્વામીને સાડાબાર વર્ષની દીક્ષિત છvસ્થાવસ્થામાં માત્ર બે ઘડી જ નિદ્રા આવી છે. તે અપ્રમત્તસયત નામનું સાતમું ગુણસ્થાનક માત્ર અંતર્મુહુર્ત જ ઉત્કૃષ્ટથી હોય તે કેમ ઘટે ? તથા વર્તમાનકાળના અને ભૂતકાળના કોઇ પણ મહાન ગીતાર્થ Page #56 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ૫૫ સંવેગી ઉત્તમ આચાર્યને પણ ચાર-પાંચ કલાકની નિદ્રા તો સહેજે હોય જ છે, તે તેઓને પ્રમત્તગુણસ્થાનકના કાળ ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત જ હોય તે કેમ ઘટે ? ઉત્તર- પ્રશ્ન સત્ય છે. પરંતુ પારદ્રવ્ય તરફની પરિણતિ થવીલાગણી થવી. તેને પણ પ્રમાદ કહેવાય છે. સંજવલનાદિ કષાયોના ઉદયથી પ્રભુશ્રી મહાવીરસ્વામીનો આત્મા પણ નિદ્રા ન આવવા છતાં લાગણી-કરૂણા. પરદ્રવ્ય પ્રત્યેનો ઝુકાવ એ રૂપ સૂક્ષ્મપ્રમાદવાળા ગુણસ્થાનકે અલ્પકાળ પણ જાય જ છે. માત્ર એટલું વિશેષ છે કે અપ્રમત્તગુણસ્થાનકે તે મોટું અંતર્મુહૂર્ત રહે છે અને પ્રમત્તગુણસ્થાનકે નાનું અંતર્મુહૂર્ત રહે છે. પરંતુ બન્ને ગુસ્થાનકો આવે જ છે. વ્યવહારનયથી નિદ્રા-વિકથા-કષાય એ જેમ પરભાવ દશા હોવાથી પ્રમાદ છે તેમ નિશ્ચયનયથી આ આત્મા પરદ્રવ્ય પ્રત્યે રાગવાળો-લાગણીવાળોકરૂણાવાળો-પરોપકાર કરવાની મમતાવાળી બને તે પણ સૂક્ષ્મમોહપ્રશસ્તમોહ અથવા પરભાવદશા જ હોવાથી તેને નિશ્ચયનયથી પ્રમાદ કહેવાય છે. પ્રારંભના ગુણસ્થાનકોમાં એ ઉપયોગી છે અને ઉપરનાં ગુણસ્થાનકોમાં એ પ્રતિબંધક બને છે. તથા વર્તમાનકાલીન અને ભૂતકાલીન મહાન્ ગીતાર્થ-સંગી આચાર્યોને વ્યવહારનયથી નિદ્રા ૪૫ કલાક ચાલુ હોવા છતાં પણ નિશ્ચયનયથી_સંયમાવસ્થામાં “આત્મજાગૃતિ” રૂપ સ્વભાવ દશાની પરિણતિ પ્રવર્તતી જ હોય છે. તેથી જ નિદ્રાકાલે પણ પડખું ફેરવતાં પ્રમાર્જનાનો વિવેક અને કુક્ડીપાય પસારેણ ગાથામાં કહ્યા મુજબ શરીરના અંગોને સંકોચીને, વસ્ત્રાદિથી ઢાંકીને જ સુવે છે. બીભત્સ રીતે, કે વાસનાની વૃદ્ધિ થાય તે રીતે જે નથી વર્તતા તે નિદ્રાકાલમાં પણ આત્મ-જાગૃતિ ચાલુ જ છે. માત્ર નિદ્રા પ્રતિબંધક હોવાથી આ આત્મજાગૃતિ પ્રગટપણે દેખાતી નથી તેથી આવા સાધુસંતોને નિદ્રામાં પણ અપ્રમત્તગુણસ્થાનક નિશ્ચયનયથી જાણવું. Page #57 -------------------------------------------------------------------------- ________________ | દ્વિતીય કર્મગ્રંથ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ઘણી વાર જીવ આવ-જા કરે છે. ત્રણે સમ્યકત્વવાળો હોય છે. ભરત-ઐરાવત ક્ષેત્રમાં આ કાળે વધુમાં વધુ એક થી સાત જ ગુણસ્થાનકો છે. છઠું-સાતમું ગુણસ્થાનક મનુષ્યને જ માત્ર હોય છે અને તે પણ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા અયુગલિકને જ હોય છે. ચોથાથી પાંચમે, પાંચમાંથી છકે, છઠ્ઠાથી સાતમે વિશુદ્ધિ વધારે વધારે હોય છે એટલે વિશુદ્ધિનો પ્રકર્ષ (વધારો-વધારો) કહેવાય છે અને અશુદ્ધિનો અપ્રકર્ષ (ઘટાડો-ઘટાડા) કહેવાય છે. તેવી જ રીતે સાતમાથી છકે, છઠ્ઠાથી પાંચમે, પાંચમાથી ચોથે, વિશુદ્ધિનો અપ્રકર્ષ અને અવિશુદ્ધિનો પ્રકર્ષ કહેવાય છે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક આ ગુણસ્થાનકથી શ્રેણી નો પ્રારંભ થાય છે. જેમ એક માળથી બીજે માળે ચડવા માટે ગોઠવેલા પગથીયાંની પંક્તિને શ્રેણી (નીસરણી) કહેવાય છે. તેમ મોહનીયકર્મને ઉપશમાવતો અથવા ક્ષય કરતો આ આત્મા સડસડાટ (વચ્ચે અટક્યા વિના તથા વધુ વિરામ કર્યા વિના) ઉપર-ઉપરના ગુણસ્થાનકોમાં ચડે તેને શ્રેણી કહેવાય છે. આ શ્રેણી બે પ્રકારની છે. આત્મા મોહનીય કર્મને ઉપશમાવતો ચડે તે ઉપશમશ્રેણી અને મોહનીય કર્મનો વિનાશ કરતા જે આત્મા ઉપરઉપરના ગુણસ્થાનકોમાં ચડે તે ક્ષપકશ્રેણી. ઉપશમ-શ્રેણીમાં ચડનાર આત્મા મોહનીયકર્મને ઉપશમાવીને (દબાવીને-અંદર સત્તામાં રાખીને) ચડે છે, એટલે આગળ જઈને અગિયારમા ગુણસ્થાનકથી નિયમો પડે જ છે. જયારે ક્ષપકશ્રેણીમાં ચડનાર, આત્મા મોહનીયકર્મનો વિનાશક હોવાથી ચડ્યા પછી પડતો નથી. માટે ઉપશમશ્રેણીમાં ૮-૯-૧૦-૧૧ માં ગુણસ્થાનકે જઇને ત્યાંથી પડીને ૧૦:-૮-મે આવી જાય છે. કોઈ જીવ છદ્દે અથવા ચોથે અથવા મિથ્યાત્વે પણ આવી જાય છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં ચડનાર આત્મા ૮-૯-૧૦-૧૩મે થી ૧૩ મે ચૌદમે જઇને વિરામ પામે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ફમતવ પ૭ મોહનીયકર્મની પ્રકૃતિને ઉપશમાવવાનું કે ભય કરવાનું કામ બખર નવમા-દશમા ગુણસ્થાનકે જીવ કરે છે આદમ ગુણસ્થાનકે તો તની પૂર્વતૈયારી રૂપ ભૂમિકા જ પ્રગટ કરે છે. 1 “અપૂર્વ પ્રથમ કદાપિ નું આવેલા એવા આત્માના “કરણ” અધ્યવસાય જયાં વર્તે છે. તે અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ આઠમ ગુણસ્થાનકે આત્માના એવા અપૂર્વ અધ્યવસાયો આવે છે કે જે પ્રથમ ૧થી૩ ગુણસ્થાનકોમાં સંભવે જ નહીં, તેથી આ ગુણસ્થાનકનું નામ “અપૂર્વકરણ ગુણસ્થાનક" કહેવાય છે. આ ગુણસ્થાનક આવેલ આ આત્મા અપૂર્વ અધ્યવસાયોના બળે કાપિ ન કરેલાં એવાં અપૂર્વ પાંચ કાર્યો અહીં કરે છે. (૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસંક્રમ, (૫) અપૂર્વસ્થિતિબંધ. સ્થિતિઘાતાદિ ચાર કાર્યોનું સ્વરૂપ પહેલા ગુણસ્થાનકથી સમ્યકત્વ પામતી વખતે ત્રણ કરણના પ્રસંગે સમજાવ્યું છે તેમ જ જાણવું. તફાવત માત્ર એટલો જ છે કે પહેલા ગુણસ્થાનક કતાં આઠમાં ગુણસ્થાનકે અતિશય ઘણી વિશુદ્ધિ હોવાથી થોડા કાળમાં સ્થિતિઘાતાદિ સવિશેષણપણે કરે છે. તથા પૂર્વોક્ત ચાર કાર્યો ઉપરાંત એક અધિક ગુણસંક્રમ નામનું ફાર્ય પણ અહીં કરે છે. ગુણસંક્રમ એટલે અબધ્યમાન અશુભ કર્મપ્રકૃતિઓ જે જે સત્તામાં છે તે દરેકને બધ્યમાન પ્રકૃતિમાં પ્રતિસમયે અસંખ્યાતગુણાકારે સંક્રમાવે છે પલ્ટાવે છે તેને ગુણસંક્રમ કહેવાય છે. આ પ્રમાણે સ્થિતિવાતાદિ આ પાંચ કાર્યો પૂર્વે કદાપિ ન કયાં હોય તેવાં કાર્યો આ જીવ કરે છે માટે આ ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ કહેવાય છે. તથા આ ગુણસ્થાનકનું બીજું નામ “નિવૃત્તિકરણ” પણ છે. મૂળગાથામાં આ જ નામ કથન કરેલું છે. નિવૃત્તિ એટલે ફેરફારો મહાવત-અસમાનતા, પરસ્પર અથવસાયોની ચિત્ર-વિચિત્રતા. અનાદિ કાળથી જે જે જીવો ભૂતકાળમાં આ ગુણસ્થાનક પામ્યા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દ્વિતીય કર્મગ્રંથ છે. વર્તમાન કાળમાં હાલ પામે છે અને ભવિષ્યકાળમાં જે જે જીવો આ ગુણસ્થાનકને પામશે તે ત્રણ કાળના સર્વ જીવોને સામે રાખીને જો એ તો તેઓ સર્વે આઠમા ગુણસ્થાનકના પ્રથમ સમયમાં જે હતાછે અને આવશે તે સર્વે જીવો પ્રથમ સમય વતી હોવા છતાં પરસ્પર અધ્યવસાયો તેઓના સરખા હોતા નથી. કોઇક જીવના થોડા વિશુદ્ધ, કોઇક જીવના વધારે વિશુદ્ધ અને કોઇક જીવના અતિશય ઘણા વિશુદ્ધ હોય છે. એવી જ રીતે તે જ જીવો જ્યારે આઠમા ગુણસ્થાનકના બીજા સમયમાં આવ્યા છે. આવે છે અને આવશે તે સર્વ જીવોના અધ્યવસાય પણ પરસ્પર હીનાધિક વિશુદ્ધિવાળા જ હોય છે. એમ સર્વ સમયોમાં પરસ્પર હીનાધિક વિશુદ્ધિવાળા અધ્યવસાયસ્થાનકો હોવાથી આ ગુણસ્થાનકનું બીજું નામ “નિવૃત્તિકરણ” છે. પ્રશ્ન- આ આઠમા ગુણસ્થાનકમાં ભૂતકાળમાં અનંતા જીવો * આવ્યા હશે, ભાવિમાં પણ અનંતા જીવો આવશે, વર્તમાનમાં ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય. એમ ત્રણે કાળના મળીને કુલ અનંત જીવો આવેલા અને આવવાવાળા છે. આ દરેક જીવના જો અધ્યવસાયો ભિન્ન-ભિન્ન તરતમતાયુક્ત વિશુદ્ધિવાળા જ હોય તો તો અધ્યવસાય સ્થાનો કુલ અનંતા થશે. શાસ્ત્રોમાં તો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ જ (અર્થાત્ અસંખ્યાતા જી અધ્યવસાય સ્થાનો જણાવેલાં છે. તો આ વાત સંગત કેમ થાય? ઉત્તર- અનંતા જીવો પૈકી ઘણા-ઘણા જીવોના અધ્યવસાયો પુરસ્પર સરખા પણ હોય છે. પરંતુ સર્વેના સરખા હોય એમ બનતું નથી. જેમ સ્કુલના એક વર્ગમાં (S-S-C માં) ધારો કે ૧OOO દસ હજાર છોકરાઓ પરીક્ષામાં બેઠા, તેઓનું સર્વનું પરિણામ સરખું આવતું નથી, કોઇકને ૨૫ માર્ક, કોઇકને ૧૬ માર્ક, કોઇકને ૧૭ માર્ક યાવત્ કોઇકને ?'-૧CO માર્ક પણ આવે છે. છતાં ૨૫ માર્કવાળા પણ ઘણા હોય છે૧૬ માર્કવાળા પણ ઘણા હોય છે. એટલે જેમ :- 0:00 વિદ્યાર્થીઓની વાતમતા ૧થી૧૦૦ ગુણાંકમાં સમાઇ જાય છે તેમ Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ પ૯ અહીં અનંતા જીવોના અધ્યવસાયસ્થાનોની તરતમતા અસંખ્યાતામાં સમાઇ જાય છે. પ્રશ્ન- આઠમા ગુણસ્થાનકના પ્રતિસમયમાં જે અસંખ્યાતા અધ્યવસાયસ્થાનો છે તેની તરતમતા (વિશુદ્ધિની હાનિ-વૃદ્ધિ) સમજવા માટે શું કોઇ પ્રકારો બતાવ્યા છે ? ઉત્તર- હા, એકેક સમયના અસંખ્યાતા અધ્યવસાયસ્થાનકોમાં વિશુદ્ધિની છ જાતની હાનિ-વૃદ્ધિ હોય છે. તેને ષસ્થાનપતિત અથવા છઠ્ઠાણવડિયાં કહેવાય છે. તે આ પ્રમાણે આઠમા ગુણસ્થાનકના પ્રથમસમયવર્તી અનંતા જીવોમાં સૌથી ઓછામાં ઓછી વિશુદ્ધિ, જે જે જીવોની છે તેઓને પહેલું અધ્યવસાયસ્થાન, તેનાથી જે જીવોની યત્કિંચિત્ વિશુદ્ધિ વધારે છે તે જીવોને પૂર્વના અધ્યવસાયસ્થાનક કરતાં અનંતભાગ અધિક વિશુદ્ધિવાળું બીજું અધ્યવસાયસ્થાનક. તેના કરતાં કંઇક અધિક વિશુદ્ધિવાળા જે જે જીવો છે તે જીવોનું જે અધ્યવસાયસ્થાનક તે પહેલા અધ્યવસાયસ્થાન કરતાં કંઇક વધારે અનંતભાગઅધિક વિશુદ્ધ કહેવાય છે. એ જ રીતે ચોથું અધ્યવસાયસ્થાનક પહેલા કરતાં અતિવધુ અનંતભાગ અધિક 'વિશુદ્ધિ વાળું કહેવાય છે. આ પ્રમાણે અસંખ્યાતાં અધ્યવસાયસ્થાનો પહેલા અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ વધારે વધારે અનંતભાગ અધિક વિશુદ્ધિવાળાં બને છે. ત્યારપછીનું અધ્યવસાયસ્થાનક પહેલા અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ “અસંખ્યાતભાગઅધિક' વિશુદ્ધિવાળું બને છે. તેના પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાનકો પહેલાની અપેક્ષાએ વધારે વધારે અસંખ્યાતભાગ અધિક બનતાં જાય છે. આ પ્રમાણે પછી કેટલાંક અિધ્યવસાય સ્થાનો પહેલા અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ સંખ્યાતભાગ અધિક, પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાન સંખ્યાતગુણ અધિક, પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાનો અસંખ્યાતગુણ અધિક અને ત્યાર પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાનો પહેલાની અપેક્ષાએ અનંતગુણ અધિક Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ દ્વિતીય કર્મગ્રંથ વિશુદ્ધિવાળા થાય છે. દાખલા તરીકે ધારો કે એક સમયમાં અસંખ્યાતા જે અધ્યવસાયસ્થાનો છે તે ૧૦OO છે. તે એક હજારને વિશુદ્ધિને અનુસારે લાઇનસર ગોઠવીએ તો પહેલા અધ્યવસાયસ્થાન કરતાં રથી ૧૦૦ અનંતભાગ અધિક, એક નંબરની અપેક્ષાએ ૧૦૧ થી ૨૨૫ અસંખ્યાતભાગ અધિક, એકનંબરની અપેક્ષાએ ૨૨૬ થી ૩૭૫ સંખ્યાતભાગ અધિક, પ્રથમની જ અપેક્ષાએ ૩૭૬ થી ૫૫૦ સંખ્યાતગુણ અધિક, પ્રથમની જ અપેક્ષાએ ૫૫૧ થી ૭૫૦ અસંખ્યાતગુણ અધિક, અને પ્રથમની જ અપેક્ષાએ ૭૫૧ થી ૧૦૦૦ મા અનંતગુણ અધિક વિશુદ્ધિવાળાં છે. આ જ રીતે અન્તિમ ૧૦૦૦ મા અધ્યવસાયની અપેક્ષાએ ૯૯૯ મું, ૯૯૮ મું એમ ઉતરતા ક્રમે અનંતભાગહાનિ, અસંખ્યાતભાગહાનિ, સંખ્યાતભાગહાનિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ, અને ૧૦૦૦માની અપેક્ષાએ ૧૫૦ થી ૧ સુધીનાં અનંતગુણ હાનિવાળાં અધ્યવસાય સ્થાનકો છે. (આ સંખ્યાનો આંક સમજાવવા પુરતો માત્ર કલ્પેલો છે). આ પ્રમાણે એ કસમયમાં અનંત જીવો છે. અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે અને માંહોમાંહે વિશુદ્ધિની છે જાતની વૃદ્ધિહાનિ છે. તેને ષસ્થાનપતિત-છઠ્ઠાણવડિયાં કહેવાય છે. આ જ પ્રમાણે બીજા સમયમાં-ત્રીજા સમયમાં ચોથા સમયમાં પણ છે જાતની વૃદ્ધિહાનિ હોય છે. માટે જ આ ગુણસ્થાનકનું નામ નિવૃત્તિકરણ રાખવામાં આવેલ છે. અહીં પ્રથમ સમયમાં જઘન્યવિશુદ્ધિ કરતાં છઠ્ઠાણવડિયાં પડતાં હોવાથી પ્રથમ સમયની જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. તેના કરતાં બીજા સમયની જઘન્યવિશુદ્ધિ અનંતગુણ અધિક છે. તેના કરતાં બીજા જ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ અધિક છે. તેના કરતાં ત્રીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ અધિક છે. એમ પ્રતિસમયમાં જાણવું. આના ઉપરથી જ સમજાશે કે પ્રથમસમયમાં જે અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે. તેના કરતાં દ્વિતીય સમયવર્તી અને તેના કરતાં Page #62 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૬૧ તૃતીય સમયવત અધ્યવસાય સ્થાનો તદન ભિન્ન છે, એમ પ્રતિસમયે ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનો છે. વળી પ્રથમસમયવર્તી જે અસંખ્યાત અધ્યવસાય સ્થાન છે તેના કરતાં દ્વિતીય સમયવર્તી જે અસંખ્યાત અધ્યવસાય સ્થાને છે તે કંઇક અધિક છે, કારણકે પ્રથમ સમયમાં ઘણા-ઘણા જીવોનું જે સરખું-સરખું અધ્યવસાય સ્થાન હતું તે બીજા સમયમાં જતાં કોઇ કોઇ જીવનું અધ્યવસાય સ્થાન જુદું પણ પડી જાય છે, કારણકે કોઈકમાં અલ્પ વિશુદ્ધિ વધે છે અને કોઇકમાં વધારે વિશુદ્ધિ વધે છે. આ ગુણસ્થાનકનો કાળ ઉપશમશ્રેણી આશ્રયી જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. કારણકે ઉપશમશ્રેણીગત આત્મા આઠમાં ગુણસ્થાનકે પ્રવેશ કરી આયુષ્ય પૂર્ણ થવાથી એકસમયબેસમય આદિ રહીને પણ મૃત્યુ પામી દેવલોકમાં જઈ શકે છે, માટે જઘન્ય ૧ સમય પણ કાળ હોય છે. પરંતુ ક્ષપકશ્રેણિ આશ્રયી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ કાળ હોય છે. કારણ કે તેમાં મૃત્યુ સંભવતું જ નથી. આ ગુણસ્થાનક વધુમાં વધુ એક જીવને આખા સંસારચક્રમાં અનેક ભવભ્રમણ કરતાં નવ વાર પ્રાપ્ત થાય છે ચાર વાર ઉપશમ શ્રેણી ચડતાં ચાર વાર ઉપશમ શ્રેણીથી પડતાં અને એક વાર ક્ષપકશ્રેણીમાં ચડતાં એમ ૯ વાર આવે છે. પરંતુ એકભવમાં કર્મગ્રંથના મિતે વધુમાં વધુ ૨ વાર ઉપશમ શ્રેણી માંડી શકાતી હોવાથી આ ગુણસ્થાનક ૪ વાર આવી શકે છે. એકવાર ઉપશમ શ્રેણી માંડીને ક્ષપકશ્રેણી માંડે તોરણ વાર આવી શકે છે. પરંતુ સિદ્ધાન્તકારના મતે તો એકભવમાં વધુમાં વધુ બે જ વાર ઉપશમશ્રેણી માંડતો હોવાથી અને એકવાર પણ ઉપશમ શ્રેણિ માંડનાર ક્ષપકશ્રેણિ નું માંડતા હોવાથી ઉપશમશ્રેણી માંડે તો ચાર વાર અને ક્ષપકશ્રેણી માંડે તો એક જ વાર આ ગુણસ્થાનકે આવે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ દ્વિતીય કર્મગ્રંથ (૯) અનિવૃત્તિકરણ ગુણસ્થાનક આઠમા ગુણસ્થાનકથી વધારે વિશુદ્ધિવાળું, ઉપશમ અને ક્ષપકશ્રેણીમાં જ આવનારું આ ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકમાં સામાન્યથી ત્રણે કાળના અહીં આવેલા- અને આવનારા જીવોના અધ્યવસાયસ્થાને કોઈ પણ એક સમયમાં માંહોમાંહે સરખા જ હોય છે. પરસ્પર તરતમતા કે વિશુદ્ધિની વૃદ્ધિનહાનિ હોતી નથી અને તેના જ કારણે એક સમયમાં અસંખ્યાતા અધ્યવસાયો કે તે અધ્યવસાયસ્થાનોમાં પસ્યાનપતિતતા-છઠ્ઠાણવડિયાં પણ હોતાં નથી. એક સમયમાં એક જ અધ્યવસાયસ્થાન, તેનાથી અનંતગુણ જ વિશુદ્ધિવાળું બીજા સમયમાં જુદું જ એક અધ્યવસાયસ્થાન, તેનાથી અનંતગુણ વિશુદ્ધવાળું ત્રીજા સમયમાં જુદું જ એક ત્રીજું અધ્યવસાયસ્થાન હોય છે. એમ નવમા ગુણસ્થાનકના જેટલા સમય તેટલાં અધ્યવસાયસ્થાનો જાણવા અને પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિ જાણવાં. પરંતુ વિશેષ વિવક્ષા કરીએ તો ઉપશમ આશ્રયી, ક્ષપક આશ્રયી, અને પતિત આશ્રયી અધ્યવસાયસ્થાનો ભિન્ન ભિન્ન પણ પ્રત્યેક સમયમાં હોય છે.) આ પ્રમાણે એકસમયવર્તી અસંખ્યાત અધ્યવસાયો આઠમાની જેમ અહીં નથી. એકસમયમાં પરસ્પર તરતમતા અર્થાત્ નિવૃત્તિ અહીં નથી, તેથી આ ગુણસ્થાનકનું નામ અનિવૃત્તિકરણ કહેવાય છે. આ ગુણસ્થાનકે પણ આઠમા ગુણસ્થાનકની જેમજ સ્થિતિઘાતાદિ પાંચ કાર્યો પ્રવર્તે છે. પરંતુ વિશુદ્ધિ વધારે હોવાથી આઠમા ગુણસ્થાનક કરતાં અતિશય વધારે પ્રમાણમાં સ્થિતિઘાતાદિ પ્રવર્તે છે. તથાં કાળપ્રમાણ આઠમાની જેમ જ ઉપશમશ્રેણી આશ્રયી જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. તથા ક્ષપકશ્રેણી આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટ એમ બન્નેને આશ્રયી અંતર્મુહૂર્ત જ હોય છે. પ્રાપ્તિ પણ વધુમાં વધુ ભવચક્રમાં ૯ વાર, એકભવમાં કર્મગ્રંથના મતે ૪ વાર, ૩ વાર, અને સિદ્ધાન્તના મતે ૪ વાર અને એકવાર સમજવી. Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ શ્રેણીમાં ચડનારા આત્માઓ માત્ર ઉપશમસમ્યકત્વી અને ક્ષાયિકસમ્યકત્વી જ હોય છે, ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા હોતા નથી. કારણકે “સમ્યકત્વ મોહનીય” નો ઉદય હોતે છતે શ્રેણીમાં ચડી શકાતું નથી, માટે અનંતાનુબંધી ૪ અને દર્શનત્રિક એમ સાતનો સર્વથા ઉપશમ અથવા ક્ષય કર્યા પછી જ આ શ્રેણિમાં ચડી શકાય છે. અથવા અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકનો ઉપશમ કરીને પણ ઉપશમશ્રેણિમાં ચડી શકાય છે. નવમાં ગુણસ્થાનકે આવેલ જીવો ઉપશમ શ્રેણિમાં મોહનીય કર્મની (દર્શનકસતક અને સંજવલન લોભ વિના) ૨૦ પ્રકૃતિઓ ઉપશમાવે છે અને ક્ષપકશ્રેણીમાં ૨૦ પ્રકૃતિઓ ખપાવે છે. ઉપશમ શ્રેણીમાં ઉપશમસમ્યકત્વી પણ હોઈ શકે છે અનંતાનુબંધીનો વિસંયોજક પણ હોઇ શકે છે અને ક્ષાયિકસમ્યક્વી પણ હોઈ શકે છે. પરંતુ ક્ષપકશ્રેણીમાં નિયમ ક્ષાયિકસમ્યકત્વી જ હોય છે. જે જીવોએ ક્ષાયિક સમ્યક્ત્વ પામતાં પહેલાં પરભવનું આયુષ્ય બાંધી લીધું હોય તો પરભવમાં જવાનું બાકી હોવાથી ક્ષપકશ્રેણી મંડાતી નથી, તેવા જીવો ક્યારેક ઉપશમશ્રેણી માંડે છે. (૧૦) સૂમસંપરાય ગુણસ્થાનક સૂમ એટલે બારીક, ઝીણો, અંશમાત્ર રૂ૫, સંપ૨ાયે= કષાય, સંજ્વલન લોભવિશેષ જ્યાં ઉદયમાં બાકી છે. બાકીની મોહનીયકર્મની સર્વપ્રકૃતિઓ જ્યાં ઉપશાન્ત અથવા ક્ષીણ થઈ ચુકી છે. એવા આત્માનું જે ગુણસ્થાનક તે સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક કહેવાય છે. મોહનીયકર્મની સાત પ્રકૃતિઓ સાતમા ગુણસ્થાનક સુધીમાં, અને વીશ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનકે, સર્વથા ઉપશાન્ત અથવા ક્ષીણ થયેલ છે. સૂક્ષ્મ સં. લોભમાનો જ ઉદય ચાલુ છે તેને આ ગુણસ્થાનકે ઉપશાન્ત અથવા ક્ષીણ કરવાનો છે તેથી આ ગુણસ્થાનકનું નામ સુમપરાય” જાણવું. આ ગુણસ્થાનકનો કાળ પણ આઠમા-નવમા ગુણસ્થાનકની જેમ જ ઉપશમશ્રેણીમાં જઘન્યથી ૧ સમય. અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે, તથા ક્ષપકશ્રેણીમાં અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. આ ગુણસ્થાનકની Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ દ્વિતીય કર્મગ્રંથ પ્રાપ્તિ પણ ભવચક્રમાં ૯ વાર એક ભવમાં કર્મગ્રંથના મતે ૪૩ વાર અને સિદ્ધાન્તના મતે ૪૧ વાર જાણવી. (૧૧) ઉપશાન્ત મોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનક અગિયારમા ગુણસ્થાનકે માત્ર ઉપશમ શ્રેણીવાળા જ જીવો આવે છે. ક્ષપકશ્રેણીવાળા આવતા નથી. તેઓ મોહના ક્ષયવાળા હોવાના કારણે દશમા ગુણસ્થાનકથી સીધા બારમાં ગુણસ્થાનકે જાય છે. મોહનીયકર્મની ૭+૨૦+૧=૨૮ એમ સર્વ પ્રકૃતિઓ ઉપશમાવીને પછી જ અગિયારમા ગુણસ્થાનકે આવે છે માટે અગિયારમા ગુણસ્થાનકનું નામ ઉપશાન્તમોહ કહ્યું છે. મોહનીયકર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં ન હોવાથી વીતરાગ જ હોય છે માટે વીતરાગ શબ્દ જોડેલો છે. વીતરાગ કહેવાથી કોઈ કેવલજ્ઞાની વીતરાગ ન સમજી લે, એટલે છબસ્થ શબ્દ જોડેલો છે. બારમા ગુણસ્થાનકવાળા જીવો પ્રણવીતરાગ છદ્મસ્થ છે. તેનાથી છુટા પાડવા ઉપશાન્તમોહ શબ્દ જોડલ છે. આ ગુણઠાણે મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓની સત્તા હોઈ શકે છે, અનંતાનુબંધિની વિસંયોજના કરનારને ૨૪ની હોઈ શકે છે તથા ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએ ૨૧ની સત્તા પણ સંભવી શકે છે, પરંતુ મોહનીયની એક પણ પ્રકૃતિનો ઉદય નથી. જેથી રાગદ્વેષ પ્રવર્તતા નથી માટે વીતરાગ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ શેષ ત્રણ ઘાતકર્મોનો હજુ ઉદય હોવાથી છદ્મસ્થ છે. મોહ દબાવેલ હોવાથી ઉપશાન્તમોહ છે. આ ગુણસ્થાનકે આવેલ જીવ દબાવેલ મોહ ઉદયમાં આવવાના કારણે નિયમો પડે જ છે. તેનું પતન બે પ્રકારે હોય છે. (૧) ભવક્ષયથી અને, (૨) કાળક્ષયથી, જે આત્માઓ અગિયારમા ગુણસ્થાનકે આવ્યા છતાં આ ભવનું મનુષ્યાયુષ્ય પૂર્ણ થવાથી (ભવનો ક્ષય થવાથી) મૃત્યુ પામીને પડે છે, તે ભવક્ષય કહેવાય છે. આ રીતે મૃત્યુ પામનાર આત્માઓ અગિયારમા ગુણસ્થાનકથી સીધા ચોથે ગુણસ્થાનકે જાય છે. ૧. કમ્મપયડી'ના મતે અનંતાનુબંધિનો વિસંયોજક અથવા ક્ષાયિક સમ્યકત્વી જ ઉપશમશ્રેણિ પ્રારંભે છે. માટે ૨૪-૨૧ એમ બે જ સત્તાસ્થાનક હોય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ૬૫ કારણ કે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામનાર વૈમાનિક દેવમાં જ' (મતાન્તરે અનુત્તરવિમાનમાં ) જાય છે અને ત્યાં ચોથું ગુણસ્થાનક જ હોય છે. પરંતુ અગિયારમાં ગુણસ્થાનકે આરૂઢ થયા પછી તે ગુણસ્થાનકનું કાલ (સમય) પૂર્ણ થવાથી ઉતરી જવું પડે તે કાલક્ષય કહેવાય છે. કાલક્ષયે પડનાર જેમ આરૂઢ થયો હતો તેમ જ ક્રમે ઉતરે છે. અને તે તે ગુણસ્થાનકોમાં અટકાવેલા બંધ-ઉદય-ઉદીરણા-સંક્રમ-અપવર્તનાઉદ્વર્તના આદિને શરૂ કરતો કરતો નીચે ઉતરે છે. યાવત્ ૭-૬ સુધી તો આવે જ છે. પરંતુ કોઇક જીવ ત્યાં વિરામ પણ પામે છે અને કોઇક જીવ વધુ ગબડતો પાંચમે-ચોથે-બીજે જઇને પહેલે ગુણઠાણે પણ જાય છે. અહીં ઉપશમશ્રેણી જ માત્ર હોવાથી જઘન્યથી ૧ સમયકાળ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તકાળ છે અને ભવચક્રમાં ૪ વાર, એકભવમાં કર્મગ્રંથના મતે ૨ વાર, અને સિદ્ધાન્તના મતે પણ ૨ વાર જીવ આવી શકે છે. જે જીવ એક ભવમાં એક વાર ઉપશમશ્રેણી માંડે છે તે જીવ તે જ ભવમાં કર્મગ્રંથના મતે ક્ષપક શ્રેણી માંડી શકે છે પરંતુ સિદ્ધાન્તના મતે તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. તથા જો એક જ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડી હોય તો કર્મગ્રંથના મતે પણ આ જીવ ક્ષપકશ્રેણી માંડતો નથી. (૧૨) ક્ષીણમોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનક મોહનીય કર્મની અઠ્યાવીસે પ્રકૃતિઓ જે આત્માએ સર્વથા ખપાવી નાખી છે. તેનું નામ ક્ષીણમોહ. મોહ સર્વથા ક્ષીણ થયેલ હોવાથી જે વીતરાગ બન્યા છે તે ક્ષીણમોહ વીતરગ. તેરમા-ચોદમાં ગુણસ્થાનકવાળા પરમાત્મા પણ આવા જ ક્ષણમહવીતરાગ છે તેમનાથી ૧. પૂ. ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મ0 કૂત “કર્મગ્રંથ ૧-૨ પ્રશ્નોત્તરીમાં પૃષ્ઠ ૧૦૬ પ્રશ્ન-ઉત્તર ૧૪૧માં એવો ખુલાસો કર્યો છે કે ઉપશમશ્રેણિનો પ્રારંભ જો પ્રથમ સંઘયણવાળો હોય અને જો મરે તો અનુત્તર વિમાનમાં જાય છે અને જો બીજા-ત્રીજા સંઘયણવાળો જીવ પ્રારંભક હોય અને જો મરે તો અનુત્તર વિના સિવાય શેષ વૈમાનિકમાં જાય. = = Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ | દ્વિતીય કર્મગ્રંથ જુદા પાડવા છદ્મસ્થ શબ્દ જોડલ છે અર્થાત્ મોહનીયકર્મ ક્ષીણ થવા છતાં જે આત્માના જ્ઞાનાવરણીયાદિ કર્મો હજુ પૂર્ણપણે ક્ષીણ થયાં નથી તેવા આત્માનું જે ગુણસ્થાનક તે ક્ષણમોહવીતરાગ છબસ્થ ગુણસ્થાનક, એકલું વીતરાગ છદ્મસ્થ જો લખે તો અગિયારમા ગુણસ્થાનકવાળા પણ મોહના ઉદય રહિત હોવાથી વીતરાગ છે અને જ્ઞાનાવરણીયાદિના ઉદય સહિત હોવાથી છદ્મસ્થ છે. માટે ૧૧-૧૩-૧૪ ગુણસ્થાનકોથી છુટું પાડવા માટે ઉપરોક્ત શબ્દો બારમા ગુણસ્થાનકમાં જોડેલા છે. આ ગુણસ્થાનક ક્ષપકશ્રેણીમાં જ આવે છે. માટે ૮-૯-૧૦મા ગુણસ્થાનકે મોહનીયકર્મની સર્વપ્રકૃતિઓનો સર્વનાશ કરી આ જીવ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે આવે છે. અહીં મૃત્યુનો યોગ સંભવતો જ નથી, તેથી અજઘન્ય-ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્ત જ છે. ક્ષપકશ્રેણી તથા તે સંબંધી ગુણસ્થાનકો ભવમાં એક જ વાર આવે છે માટે આ બારમું તથા તે પછીનાં તેરમું -ચૌદમું ગુણસ્થાનક પણ એક ભવમાં કે સંસારચક્રમાં એક જ વાર મળે છે. આયુષ્ય વિનાના સાતકર્મોમાં મોહનીયકર્મ એ રાજા તુલ્ય છે. તે કર્મ સર્વથા નષ્ટ થયેલું હોવાથી અને અહીં આવેલ જીવ અતિશય વિશુદ્ધ હોવાથી જ્ઞાનાવરણીયાદિ શેષ ત્રણઘાતી કર્મોને તોડવાને સવિશેષ પ્રયત્ન કરે છે. તે ત્રણકર્મ સંબંધી સ્થિતિઘાતાદિ વધારે જોરમાં થાય છે. બારમા ગુણસ્થાનકનો છેડો આવતાં આવતાં તે જ્ઞાનાવરણીયાદિ ત્રણે કર્મોનો પણ અંત જ થાય છે. ત્યારબાદ આ જીવ તેરમા ગુણઠાણે જાય છે. (૧૩) સયોગિકેવલી ગુણસ્થાનક ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરી કેવલજ્ઞાન-કેવલદર્શન-અનંતચારિત્ર અને અનંતવીર્ય છે આત્માઓએ પ્રગટ કર્યું છે તેવા આત્માનું જે ગુણસ્થાનક તે સયોગિકેવલી ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે આવેલા આત્માઓને મયોગ, વચનયોગ, અને કાયયોગ હોય છે તેથી સયોગી કહેવાય છે. . પ્રશ્ન- કેવલજ્ઞાની ભગવંતોને મનયોગ-વચનયોગ-અને કાયયોગ ક્યારે ક્યારે સંભવી શકે છે ? કેવી રીતે હોય છે ? ' અ * *** Page #68 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ઉત્તર- કેવલજ્ઞાનીપ્રભુને મનયોગનો ઉપયોગ કોઇને મનથી જ ઉત્તર આપવામાં કરવો પડે છે. જયારે અન્ય ત્રામાં રહેલા મન:પર્યવજ્ઞાની મુનિ અથવા રૈવેયક-અનુત્તરવાસી દેવ ભગવાનને શબ્દ દ્વારા (વચનથી) પ્રશ્ન ન પૂછતાં મનથી જ પ્રશ્ન પૂછે છે, ત્યારે કેવલી ભગવંત તેઓને ઉત્તર પણ મનથી જ આપે છે. તેના પ્રશ્નના ઉત્તરને અનુરૂપ મનો વર્ગણાને મન રૂપે ગોઠવે છે. જેને મન:પર્યવજ્ઞાની મુનિ અથવા રૈવેયક કે અનુત્તરવાસી દેવ દેખે છે. તે દેખીને મનોવર્ગણાની તે રચનાના આધારે પોતાના પ્રશ્નનો ઉત્તર અનુમાનથી જાણી લે છે. આ રીતે મનથી પુછાતા પ્રશ્નોના ઉત્તરો આપવામાં કેવલી પ્રભુને મનોયોગ હોય છે. દેશનાદિ વખતે વચનયોગ હોય છે અને આહારનિહાર-વિહાર તથા મેષોન્મેષાદિમાં કાયયોગ હોય છે. - આ ત્રણેયોગો સાથે વર્તતા એવા જે કેવલીભગવાન, તેઓનું જે ગુણ સ્થાનક તે સયોગિકેવલીગુણસ્થાનક. આ ગુણસ્થાનક મનુષ્યોને જ આવે છે સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડવર્ષ હોય છે. તેમાં પણ નવ વર્ષની ઉંમર પછી જ કેવલજ્ઞાન થાય છે તેથી આ ગુણસ્થાનક- ને ઉત્કૃષ્ટકાળ દેશોનપૂર્વક્રોડ વર્ષ અને જઘન્યકાળ અંતર્મુહૂર્ત હોય છે. ક્ષપકશ્રેણી ચડતો આત્મા ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનકો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે પસાર કરીને ઝડપી ચડીને અહીં સ્થિર થાય છે. મનુષ્યભવનું શેષ સંપૂર્ણ આયુષ્ય અહીં જ દેશનાદિ દ્વારા પરોપકાર કરતાં-કરતાં લગભગ પૂર્ણ થવા આવે ત્યાં સુધી રહે છે. જ્યારે તેમાં ગુણસ્થાનકને માત્ર અંતર્મુહૂર્ત જ કાળ બાકી રહે ત્યારે આ કેવલીભગવન્તો “આયોજિકાકરણ” કરે છે. તેનું જ બીજું નામ આવશ્યકકરણ અને આવર્જિતકરણ પણ છે. દરેક કેવલીભગવંતો અવશ્ય કરે જ છે. માટે તેનું બીજું નામ આવશ્યકકરણ છે. આ રીતે આત્માના સ્વરૂપ તરફ સવિશેષ આવર્જિત (સન્મુખ) કરાયો છે તેથી તેને આવર્જિતકરણ પણ કહેવાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ६८ દ્વિતીય કર્મગ્રંથ આ આયોજિ કાકરણ કર્યા બાદ જો વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યથી અધિક હોય તો તે ભગવાન કેવલી સમુદ્યાત કરે છે અને જો વેદનીયાદિ ટાણે કમ આયુષ્યની સાથે સમાન લાગે તો કેવલીસમુદ્યાત કરતા નથી. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ કેવલીઓ આયોજિકાકરણ કરે છે પરંતુ કેવલી સમુદ્યાત કોઇક કેવલીભગવંતો કરે છે કોઇક કેવલીભગવંતો કરતા નથી. સમુઘાત કર્યા વિના પણ અનંત કેવલી ભગવંતો મોક્ષે ગયા છે. પ્રશ્ન- વેદનીયાદિ વધારે હોય તે કેવલીમુદ્દાત કરે, સમાન હોય તે ન કરે, એમ કહ્યું. પરંતુ જે કેવલીઓને વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યથી હીન (ઓછાં) હોય તેઓ શું કરે ? સમુઘાત કરે કે ન કરે ? કરે તો કયા કર્મોનો કરે ? ઉત્તર- કોઇ પણ કેવલીભગવન્તને વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યથી હીન (ઓછાં) હોતાં નથી જ. કારણકે તે ત્રણ કર્મો પ્રતિસમયે બંધાય છે જ્યારે આયુષ્યકર્મ પૂર્વના ભવમાં જ અને તે પણ એક જ વાર બંધાય છે. માટે વેદનીયાદિ કર્મો કદાપિ ઓછાં હોતાં જ નથી માટે સમુદ્રઘાત કરવા-ન કરવાની વાત રહેતી જ નથી. હવે કેવલીસમુઘાત એટલે શું ? તે સંક્ષેપમાં સમજાવાય છે કે કેવલ- જ્ઞાની ભગવાન્ પોતાના શરીરમાંથી પોતાના આત્માના પ્રદેશોને તૈજસ-કાશ્મણ શરીર સાથે બહાર કાઢી ઉપર-નીચે લોકાકાશના છેડા સુધી સ્વશરીર પ્રમાણ લાકડીના આકારે લંબાવે છે તેને દંડ કહેવાય છે. આ ક્રિયા કરતાં ફક્ત એકસમય થાય છે. ત્યારબાદ બીજા સમયે તે જ દંડમાંથી પૂર્વ-પશ્ચિમ (અથવા ઉત્તર-દક્ષિણ) ચૌદ રાજલોકપ્રમાણ લોકના છેડા સુધી કપાટ (બે કમાડ જેવા આકારે) આત્મપ્રદેશો લંબાવે છે. ત્યારબાદ ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ (અથવા પૂર્વ-પશ્ચિમ) ચૌદ રાજ લોકપ્રમાણ મળ્યાન રૂપે લોકાન્ત સુધી આત્મપ્રદેશો લંબાવે છે. ત્યારબાદ ચોથા સમયે આંતરામાં આત્મપ્રદેશો Page #70 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ વિસ્તૃત કરીને સર્વલોકવ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરામાંથી, છઠ્ઠા સમયે મન્થાનમાંથી, સાતમા સમયે કપાટમાંથી, અને આઠમા સમય દંડમાંથી આત્મપ્રદેશો સંકોચીને આઠમા સમયે શરીર થાય છે. કેવલજ્ઞાની ભગવાનની આ એક વિશિષ્ટ પ્રક્રિયા જ વેદનીયાદિ ત્રણ કર્મોને તોડીને આયુષ્યની સાથે સમાન કરે છે. આ પ્રસંગ તર્ક કે બુદ્ધિનો વિષય નથી તેઓની આ પ્રક્રિયા જ કર્મક્ષયનું કારણ છે. ત્યારબાદ હવે આ કેવલજ્ઞાની ભગવાન્ મન-વચન-કાયાના યોગને નિરોધ કરવાનું કાર્ય શરૂ કરે છે. પ્રશ્ન- યોગનિરોધ શા માટે કરે છે ? યોગ-નિરોધ કરવાનું કારણ શું ? ઉત્તર- (૧) ભવોપગ્રાહી એવાં જે વેદનીયાદિ ૪ અઘાતી કર્મો છે. તેનો સર્વથા નાશ કરવા માટે, (૨) હાલ જે શુકૂલલેશ્યા છે તે હોતે છતે કર્મ બંધાય છે. તેથી લેણ્યાથી અતીત (રહિત) થવા માટે, (૩) આત્માની અત્યંત જે અકંપ (સ્થિર) અવસ્થા, તે મેળવવા માટે, (૪) અને પરમનિર્જરા (સર્વકર્મોનો ક્ષય રૂપ જે પરમ નિર્જરા તેના) કારણભૂત એવા શુક્લધ્યાનને મેળવવા માટે, (૫) એક સમયના સાતવેદનીયના બંધને પણ અટકાવવા માટે પ્રભુ ત્રણ યોગોનો નિરોધ આરંભ છે. (૧) પ્રથમ બાદર કાયયોગના આલંબનથી બાદર મનોયોગ રૂંધે છે. (૨) પછી બાદ કાયયોગના આલંબનથી બાદર વચનયોગ રૂંધે છે. (૩) પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાદર, કાયયોગ રૂધે છે. (૪) પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનોયોગ સંધે છે. (૫) પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી સૂક્ષ્મ વચનયોગ રૂંધે છે. ત્યારબાદ સૂમકાયયોગના જ આલંબનથી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી એવા શુકલધ્યાનને ધરતી આ આત્મા સૂક્ષ્મકાયયોગને પણ ધે છે. આ જીલ્લા સૂક્ષ્મકાયયોગનો વિરોધ કરવાના અવસરે આલંબન લેવા લાયક અન્ય યોગ ન હોવાથી સ્વ- આલંબનથી જ નિરોધ કરે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭. દ્વિતીય કર્મગ્રંથ છે જેમ મોટા જાડા કાને છેદતો સુથાર તે જ કાષ્ટનું આલંબન લે છે તેમ અહીં જાણવું. હજુ સુધી આત્મપ્રદેશો શરીરની સાથે વ્યાપ્ત છે. શરીરમાં જ્યાં જયાં પોલાણ છે ત્યાં ત્યાં વચ્ચે વચ્ચે આત્મપ્રદેશો નથી. તેને બદલે હવે આ સૂક્ષ્મકાયયોગનો વિરોધ કરતી વખતે શુક્લધ્યાનના પ્રતાપથી વદન-ઉદર-આદિ શરીરના પોલાણભાગોમાં પણ આત્મપ્રદેશને લાવીને નક્કર ગોળા જેવો આત્મપ્રદેશોનો ઘન બનાવે છે. તેના કારણે તે આત્માનું શરીર જેમનું તેમ જ રહે છે પરંતુ આત્માની લંબાઇ-પહોળાઈ અને જાડાઇ બે તૃતીયાંશ થઇ જાય છે. આ પ્રમાણે યોગનિરોધ કરી, બે તૃતીયાંશ અવગાહનાવાળો બનતો આ આત્મા (૧) સાતાવંદનીયના બંધનું, (૨) શુક્લલશ્યાને અને (૩) તેરમા ગુણસ્થાનકને સમાપ્ત કરી ચૌદમે આવે છે. (૧૪) અયોગીકેવલી ગુણસ્થાનક મન-વચન અને કાયાના યોગો સર્વથા નથી જેને એવા કેવલી ભગવાનનું જે ગુણસ્થાનક તે અયોગિકેવલીગુણસ્થાનક. આ ગુણસ્થાનકે આવેલો આત્મા “બુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી” ધ્યાનવાળો હોય છે. , અહીં યોગરહિત હોવાથી આત્મપ્રદેશો મેરૂ પર્વતની જેમ અત્યન્ત સ્થિર હોય છે. તેને જ “શૈલેશીકરણ' કહેવાય છે. મિથ્યાત્વાદિ ચારે પ્રકારના કર્મબંધના હેતુઓથી રહિત આ આત્મા છે. તેથી તે આત્માને બીલકુલ કોઈ કર્મ આવતું (બંધાતું) નથી. તેને “સર્વસંવરભાવ” અથવા “અનાશ્રવભાવ” કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ ચોદ સ્વરોમાં જે સ્ત્ર પાંચ સ્વરો છે (-૩-૩-22-7) તેનું ઉચ્ચારણ કરતાં (બોલતાં) જેટલો સમય લાગે તેટલો જ કાળ જાણવો અર્થાત્ મધ્યમ અન્તર્મુહૂર્ત કાળ હોય છે. પ્રશ્ન- તેરમા ગુણસ્થાનકના છે અને ચૌદમ ગુણસ્થાનકે “મનયોગ' તો છે જ નહીં, તો પછી તે બન્ને જગ્યાએ અનુક્રમ સૂક્ષ્મ કિયા અપ્રતિપાતી અને છિન્મ કિયા અપ્રતિપાતી એમ જે બે પાનો Page #72 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૭૧ કહ્યાં તે કેમ ઘટે ? અર્થાત્ મન હોય તો એકાગ્રતા રૂપ ધ્યાન સંભવે. પરંતુ જ્યાં મન જ નથી ત્યાં ધ્યાન શું ? ઉત્તર- અહીં મનની એકાગ્રતા તે ધ્યાન ન સમજવું. પરંતુ જ્યારે મન હોય છે ત્યારે મનની ચંચળતાને (અસ્થિરતાને) રોકવી તે જેમ ધ્યાન કહેવાય છે તેમ આત્મપ્રદેશોની ચંચળતાને રોકવી તે પા ધ્યાન કહેવાય છે. તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રદેશોની ચંચળતા (અસ્થિરતા) કદાપિ અટકતી જ નથી, તેથી ત્યાં આત્મપ્રદેશોની ચંચળતાને રોકી શકે એવા ધ્યાનની વિવક્ષા કરી જ નથી. પરંતુ અહીં મન-વચન-બાદર કાયયોગ ગયા પછી તેરમાના છેડે આત્મપ્રદેશોની ચંચળતા (અસ્થિરતા) લગભગ અટકી ગઇ છે માત્ર સૂક્ષ્મકાયયોગ પુરતી જ ચાલુ છે તે પણ નિરુધ્યમાન છે. માટે “આત્મપ્રદેશો! સ્થિરતા' એ રૂપ ધ્યાન કેવલીમાં સમજવું. ચૌદમે સર્વથા અયોગી હોવાથી પૂર્ણપણે આત્મપ્રદેશોની સ્થિરતા રૂપ શુક્લધ્યાનનો ચોથો પાયો હોય છે. પ્રશ્ન- કેવલજ્ઞાની ભગવાનને તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી સૂક્ષ્મવચનયોગ રૂંધે ત્યાં સુધી કયું ધ્યાન હોય છે ? ઉત્તર- ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ૪-૪ ભેદોમાંથી એકે ધ્યાન હોતું નથી. કારણ કે ક્ષીણમોહી હોવાથી પૌલિક ભાવમાં જવા રૂપ મન-વચન-કાયાના યોગો તેઓને હોતા જ નથી કે જેથી મનની એકાગ્રતા’’ એ પ્રથમ અર્થવાળું ધ્યાન ઘટે. તથા હજુ સયોગી હોવાથી “આત્મપ્રદેશોની સ્થિરતા' એ રૂપ પણ ધ્યાન થતું નથી. માટે કેવલીભગવન્તોને શાસ્ત્રોમાં ધ્યાનાન્તરિકા દશા કહી છે. બન્ને અર્થોમાંથી એક પણ પ્રકારનું ધ્યાન હોતું નથી. માના આ પ્રમાણે પાંચ હસ્વ સ્વરના ઉચ્ચારણ કાળ પ્રમાણ ચૌદમા ગુણસ્થાનકે ચારે અવાતી કર્મોને વદતો-વેદતો ક્ષય કરવા દ્વારા ચૌદ ચરમ સમયે આ જીવ આવે છે. તે ચરમ સમયે સર્વ અધાતીકર્મો ખપાવી, શરીરનો ત્યાગ કરી. અશરીરી, શુદ્ધ, બુદ્ધ, અમૂર્ત, એવો શુદ્ધ Page #73 -------------------------------------------------------------------------- ________________ | દ્વિતીય કર્મગ્રંથ કંચન જેવો આ આત્મા જે સમયે નિર્વાણ પામે તે જ સમયે (સમયાન્તરને સ્પર્યા વિના), તથા જેટલા આકાશ પ્રદેશોમાં પોતાની અવગાહના છે તેટલા જ આકાશપ્રદેશોને સ્પર્શી (અધિક એક પણ પ્રદેશાન્તરને નહીં સ્પર્શતા) આ જીવ સમશ્રેણીથી મોક્ષે જાય છે. લોકાન્તથી ઉપર ધર્માસ્તિકાયાદિની સહાય ન હોવાથી અલોકમાં આ જીવ જતો નથી. લોકાન્ત જઇને અટકે છે. ત્યાં શાશ્વત-અનંતકાળસ્વગુણરમણતામાં જ નિર્ગમન કરે છે. પ્રશ્ન- મોક્ષે જતાં શરીર-કે કર્મ આ જીવને નથી. તો સાત Sાજ જેટલી ઊર્ધ્વગતિ આ જીવ કેવી રીતે કરે ? ઉત્તર- અશરીરી પણ આ આ જીવ ચાર કારણોસર ગતિ કરે છે. (૧) પૂર્વપ્રયોગ= હીંડોળો જેમ પૂર્વ પ્રયોગથી ચાલે છે તેમ જીવ - વાળમાં ઘણું જ ચાલેલો છે તેના સંસ્કારથી એક સમય ગતિ કરે છે. (૨) બધચ્છદ=જે જે બન્ધનો હોય છે તેનો વિચ્છેદ જ્યારે થાય છે ત્યારે અંદરની વસ્તુ ઉછળે છે જેમ પાંજરું ખોલતાં વાઘ-સિંહ - બીને દોડે છે તેમ શરીર અને કર્મનું બંધન તુટતાં જ જીવ ઊર્ધ્વગતિપણે ઉછળે છે. અહીં એરંડાનું દૃષ્ટાન્ત પણ જાણવું. - ) અસંગત- પરદ્રવ્યનો સંગ દૂર થતાં વસ્તુ ઉપર આવે છે. જેમ ક તુંબડાને લાગેલ માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ઘડો ઉપર આવે છે. તેમ જીવને લાગેલ કર્મનો લેપ દૂર જતાં જીવ ઉપર જાય (૪) તથા ઊર્ધ્વગતિ સ્વભાવ- જેમ પુદગલ એકલું હોય તો અધોગતિ સ્વભાવવાળું છે, તેમ જીવ પણ કમરહિત એકલે હોય ત્યારે ઊર્ધ્વગતિ કરવાનો તેનો સહજ સ્વભાવ છે. આ પ્રમાણે મોક્ષગત આત્માઓ સહજ સ્વરૂપવાળા અનંતજ્ઞાનાદિ ગુણોના સુખમાં પરમ આનંદ અનુભવે છે. || ર II ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ સમાપ્ત થયું Page #74 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ હવે આ ચૌદે ગુણસ્થાનકોમાં આઠે કર્મની ઉત્તરપ્રકૃતિઓના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા સમજાવવાનાં છે. તેમાં સૌ પ્રથમ બંધનું લક્ષણ સમજાવીને ચૌદે ગુણસ્થાનકોમાં બંધ સમજાવે છે. अभिनवकम्मरगहणं, बंधो ओहेण तत्थ वीससयं । तित्थयराहारगदुगवज्जं, मिच्छंमि सतरसयं ॥ 3 ॥ (અભિનવ-ર્મબ્રહાં, બન્ધ ગોત્રન તંત્ર વિંશતિશતમ્ । तीर्थंकराहारक-द्विक-वर्जं मिथ्यात्वे सप्तदशशतम् ) શબ્દાર્થ= અભિનવ= નવા નવા, મ્માદળું= કર્મોનું ગ્રહણ તે, વંધો= બંધ કહેવાય છે. હે= ઓથે-સામાન્યથી, તત્ત્વ= ત્યાં, વીસયં= એકસોવીસ પ્રકૃતિઓ છે, તિર્થંયરાહાર દુવિÍ= તીર્થંકર નામ કર્મ અને આહારક દ્વિક વિના બાકીની, મિ ંમિ= મિથ્યાત્વ ગુણઠાણે, સતરસયં= એકસો સત્તર કર્મ પ્રકૃતિઓ બંધાય છે. ૭૩ ગાથાર્થ- નવા નવા કર્મનું જે ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. ત્યાં ઓધે એકસો વીશ પ્રકૃતિઓ બંધાય છે. અને તીર્થંકર નામકર્મ તથા આહારક દ્વિક વર્જીને બાકીની ૧૧૭ પ્રકૃતિઓ મિથ્યાત્વે બંધાય 9. 113 11 વિવેચન- શરીરવર્તી આ આત્મા જે ક્ષેત્રમાં વર્તે છે તે જ ક્ષેત્રમાં રહેલી કર્મ બનવાને યોગ્ય કાર્યણવર્ગણાને મિથ્યાત્વાદિ બંધહેતુઓ દ્વારા ગ્રહણ કરી કર્મરૂપે પરિણમાવે તેને બંધ કહેવાય છે. કાર્યણવર્ગણાનું કર્મ સ્વરૂપે રૂપાન્તર થવામાં મિથ્યાત્વાદિ બંધહેતુઓ નિમિત્ત બને છે અને આ આત્મા કર્તા બને છે. પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી મિથ્યાત્વ-અવિરતિ-કપાય આદિના પરિણામ જીવમાં ઉત્પન્ન થાય છે. આ વૈભાવિક પરિણામને ભાવકર્મ કહેવાય છે અને પૂર્વબદ્ધ તથા વર્તમાનકાળે બંધાતા કર્મ પુદ્ગલોને દ્રવ્યકર્મ કહેવાય છે. એટલે પૂર્વબદ્ધ કર્મ પરમાણુ (દ્રવ્યકર્મ) થી આત્માના પરિણામ કે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ દ્વિતીય કર્મગ્રંથ મિથ્યાત્વાદિ ભાવવાળા બને છે તે ભાવકર્મ અને તેનાથી નવાં નવાં કર્મપુદગલાનું જે ગ્રહણ તે દ્રવ્યકર્મ. આમ આ અનાદિથી પરંપરા ચાલે છે. એક કર્મનું બીજા ક્રમમાં પ્રાપ્ત થવું-પલટાવું-રૂપાન્તર થવું તે સંક્રમ કહેવાય છે. માટે મૂળસૂત્રકારે “અભિનવ” શબ્દ લખ્યો છે કે પ્રતિસમયે નવા નવા કર્મોને આ આત્મા જે ગ્રહણ કરે તે બંધ કહેવાય છે. બંધમાં ઓથે (સામાન્યથી) ૧૨૦ કર્મપ્રકૃતિઓ છે. ચૌદ ગુણસ્થાનકમાંથી કોઇ પણ એક ગુણસ્થાનકને આશ્રયીને જયાં વિવક્ષા નથી. પરંતુ ચોદે ગુણસ્થાનકોમાં મળીને સામાન્યથી કેટલી કર્મપ્રકૃતિઓ બંધાય ? એમ જ્યારે વિચારાય ત્યારે તેને ઓઘ કહેવાય છે. ત્યાં ૧૨૦ પ્રકૃતિઓ છે. જ્ઞાનાવરણીય આયુષ્યકર્મ દર્શનાવરણીય ૯ નામકર્મ વેદનીય ગૌત્રકર્મ મોહનીયકર્મ અંતરાયકર્મ ૭૮=૧૨૦ | ર છે ” પેટ ૦ છે જ ! મોહનીય કર્મમાં સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય આ બે ફર્મ મિથ્યાત્વમોહનીયને હણવાથી (મંદરસવાળી કરવાથી) થાય છે. પણ પોતાના સ્વરૂપે બંઘાતી નથી, તેથી બંધમાં ગણાતી નથી. નામકર્મમાં ૫ બંધન અને પ સંઘાતન શરીર સમાન હોવાથી શરીરમાં અંતર્ગત ગણાય છે અને વર્ણાદિ ચારના ઉત્તરભેદો પ-ર-પ-=૨૦ જુદા જુદા ન ગણતાં સામાન્યથી માત્ર વર્ણ-ગંધ-રસ-સ્પર્શ એમ ચાર જ ગણાય છે. એટલે નામકર્મની બંધમાં ૬૭ લેવાય છે. આ વાત કર્મવિપાકમાં સમજાવી છે. એટલે ચોદે ગુણસ્થાનકે થઇને સામાન્યથી (ઘે) આઠ કમની ૧૨૦ પ્રકૃતિ બંધાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ૭પ ગુણસ્થાનક વાર બંધ ૧૨૦માંથી તીર્થંકર નામકર્મ અને આહારદ્રિક (શરીર અને અંગોપાંગ) એમ ત્રણ વિના શેષ ૧૧૭ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વગુણસ્થાનકે બંધાય છે. સામાન્યથી તીર્થંકરનામકર્મ સમ્યત્વ હોય ત્યારે જ બંધાય છે. અને આહારદ્ધિક સંયમ હોય ત્યારે જ બંધાય છે મિથ્યાત્વગુણસ્થાનકે સમ્યક્ત કે (ભાવથી) સંયમ નથી માટે આ ત્રણ પ્રકૃતિઓ બંધાતી નથી. જો કે કોઇ કોઇ પુસ્તકોમાં તીર્થંકરનામકર્મનો બંધ સમ્યકત્વના નિમિત્તથી અને આહારદ્ધિકને બંધ સંયમના નિમિત્તથી થાય છે એમ લખેલ છે. પરંતુ સમ્યકત્વ અને સંયમ તો આત્માના ગુણ છે. અને ગુણો એ કર્મબંધનું કારણ બનતા નથી, પરંતુ કર્મક્ષયનું કારણ બને છે. જો ગુણો કર્મબંધનું કારણ હોય તો મોક્ષગત આત્માને ઘણાં જ કર્મો બંધાય માટે દોષો જુ કર્મબંધનું કારણ છે. વળી કર્મબંધના હતુઓમાં પણ મિથ્યાત્વઅવિરતિ-કષાય-પ્રમાદ-અને યોગ એમ ૪પ કારણો જ આવે છે. તે બંધહેતુઓમાં ગુણો કહ્યા જ નથી. માટે તીર્થકરનામકર્મ અને આહારકઠિકના બંધનો હેતુ પણ આ પાંચ હેતુઓમાંથી કષાય જ કારણ છે. માત્ર સાંસારિક ભાવોનો રાગ-દ્વેષ હોય તો “અપ્રશસ્તકષાય” કહેવાય છે અને આત્મામાં ગુણ લાવવા માટે જ (આત્મવિકાસવર્ધક જ) રાગ-દ્વેષ કરાયા હોય તો તે ઉપચારથી પ્રશસ્તકષાય કહેવાય છે. તે જ કંઇક શુભ હોવાથી તીર્થંકર નામકર્મ અને આહારકટિકના બંધહેતુ બને છે. સર્વ સંસારીજીવોને જિનેશ્વર પરમાત્માના ધર્મના રાગી બનાવવાની પરમ પરોપકાર કરવાની ભાવકરુણા-લાગણી એ જિનનામના બંધનો હેતુ બને છે. છતાં આવી ભાવકરુણા સમ્યકત્વ હોતે છતે આવે છે. કારણ કે મિથ્યાત્વઅવસ્થામાં પોતાને જ જયાં વીતરાગધર્મ રૂસ્યા નથી તે બીજાને આપવાની કરૂણા ક્યાંથી આવે ? માટે આવી ભાવ કરુણા સમ્યકત્વકાળ જ આવે છે તેથી જિનનામના બંધનો હેતુ સમ્યકત્વ કહ્યો છે. વસ્તુત: ભાવકરુણા રૂપ પ્રશસ્ત કપાય જ જિનનામના બંધનું કારણ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ વળી જો સમ્યક્ત્વ ગુણને જિનનામના બંધનું કારણ માનીએ તો ઉપશમ-યોપશમ-જ્ઞાયિકમાંથી કયું સમ્યક્ત્વ જિનનામના બંધનું કારણ હોઇ શકે ? ત્રણમાંનું કોઇ પણ હોય તો ય સર્વ સમ્યક્ત્વીને જિનનામ બંધાતું નથી. તથા ક્ષયોપશમ સમ્યક્ત્વ સાત ગુણસ્થાનક સુધી, ઉપશમ સમ્યક્ત્વ અગિયાર ગુણસ્થાનક સુધી અને ક્ષાયિક સમ્યક્ત્વ ચૌદ ગુણસ્થાનક સુધી હોય છે જ્યારે તીર્થંકરનામકર્મ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ બંધાય છે કોઇ પણ સમ્યક્ત્વની સાથે તેનો અવિનાભાવ સંબંધ નથી. માટે ભાવકરુણા રૂપ પ્રશસ્ત કષાય જ બંધહેતુ છે. તે કષાય હાસ્યાદિષટ્કરૂપ છે અને હાસ્યાદિષટ્ક આઠમા સુધી જ છે. જો કે હાસ્યાદિષટ્ક આઠમાના ચરમ સમય સુધી હોય છે. તો પણ બંધહેતુ થાય તેવા છઠ્ઠા ભાગ સુધી જ છે. ત્યારબાદ પ્રલીયમાન હોવાથી અતિ મંદ છે. તેથી બંધ હેતુ બનતા નથી. આવી ભાવ કરૂણા જો આવે તો સમ્યક્ત્વ હોય ત્યારે જ આવે છે અન્યથા આવતી નથી માટે સમ્યક્ત્વને જિનનામના બંધનો હેતુ ઉપચારે કહ્યો છે. ૭૬ એવી જ રીતે શ્રુત અને સંયમ પ્રત્યેનો અદ્વિતીય પક્ષ (રાગ) અર્થાત્ સંયમ યુક્ત પ્રશસ્તકષાય એ જ આહારકદ્વિકના બંધનો હેતુ છે. પરંતુ આવો પ્રશસ્તરાગ સંયમ હોતે છતે જ આવે છે અન્યથા આવતો નથી, માટે ઉપચારે સંયમને આહારકનો બંધહેતુ કહ્યો છે. સુજ્ઞપુરુષોએ આ ચર્ચા સૂક્ષ્મબુદ્ધિથી જાણવી. તીર્થંકરનામકર્મ અને આહારકટ્રિક આ ત્રણે નામકર્મની પ્રકૃતિઓ છે માટે પ્રથમગુણઠાણે નામકર્મની ૬૭ ને બદલે હવે ૬૪ બંધાય છે. પ્રથમ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય પુ, દર્શનાવરીય વેદનીય રીતે મોહનીય ૨૬, આયુષ્ય ૪, નામકર્મ ૬૪, ગોત્ર ૨, અને અંતરાય પ, એમ કુલ ૧૧૭ બંધાય છે. ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ હવે બીજાગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે ? તે જણાવે છે. नरयतिग जाइथावर, चउ हुंडायवछिवट्ठनपुमिच्छं । सोलंतो इगहियसय, सासणि तिरिथीणदुहगतिगं ॥ ४॥ (नरकत्रिकजातिस्थावरचतुष्क-हुंडकातपछेदस्पृष्टनपुंमिथ्यात्वम् । षोडशान्त एकाधिकशतं, सास्वादने तिर्यग्स्त्यानर्द्धिदुर्भगत्रिकम् ) શબ્દાર્થ- નરતિ = નરકત્રિક, નારંથાવર૩= જાતિચતુષ્ક અને સ્થાવર ચતુષ્ક, હુંડી= હુંડક અને આતપ, જીવટુંક છેવટુંસંઘયણ, નપુfમજી = નપુંસકવેદ, મિથ્યાત્વ, સોતંત = આ સોળ પ્રકૃતિઓનો અંત થાય છે. રૂદિય= એક અધિક સો, સાસ= સાસ્વાદન ગુણઠાણે, આંતરિ= તિર્યંચત્રિાક, થUT = થીણદ્વિત્રિક, તુતિ દૌર્ભાગ્યત્રિક. ગાથાર્થ- નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હુંડક, આતપ, છેવટું સંઘયણ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, આ સોળ પ્રકૃતિઓને પહેલે ગુણઠાણે અંત થતાં સાસ્વાદને ૧૦૧ બંધાય છે. ત્યાં બીજાના છેડે તિર્યચત્રિક, થીણદ્વિત્રિક, દૌર્ભાગ્યત્રિક તથા. || ૪ || વિવેચન- નરકગતિ-નરકાનુપૂર્વી-નરકાયુષ્ય એમ નરકત્રિક, એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય એમ ચાર જાતિ, સ્થાવર-સૂક્ષ્મઅપર્યાપ્ત-સાધારણ એમ સ્થાવરચતુષ્ક, હુંડક-આતપ-છેવટું, નપુંસક વેદ અને મિથ્યાત્વ મોહનીય એમ કુલ ૧૬ પ્રકૃતિઓનો પહેલા ગુણસ્થાનકે બંધને આશ્રયી અંત (વિનાશ) થાય છે જેથી સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ બંધાય છે. અહીં મૂળગાથામાં “નારૂથાવરવડ' માં જે ૨૩ શબ્દ છે તે જાતિ અને સ્થાવર એમ બન્નેમાં જોડવાનો છે. તથા સર્જાતી માં જે અંત (વિનાશ) શબ્દ છે તેનો અર્થ ‘તત્ર માવ ૩રત્રામાવ:' તે ગુણસ્થાનકે બંધાય છે તે પછીના ગુણસ્થાનકમાં બંધાતી નથી. એમ અર્થ જાણવો. હવે પછી પણ જે પ્રકૃતિનો જ્યાં જ્યાં બંધવિચ્છેદ કહેવાય, તેનો અર્થ તે ગુણસ્થાનકે બંધાય પરંતુ પછીના ગુણસ્થાનકોમાં ન બંધાય એવો કરવા. Page #79 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ આ ૧૬ પ્રકૃતિઓમાં નરકાયુષ્ય એ એક આયુષ્યકર્મની પ્રકૃતિ છે. નપુંસક વેદ અને મિથ્યાત્વાહનીય આ બે મોહનીયકર્મની છે. અને શેષ ૧૩ પ્રકૃતિઓ નામકર્મની છે. એટલે તે તે કર્મમાંથી તેટલી તેટલી બાદ કરતાં બાકી રહેલી કર્મપ્રકૃતિઓ બીજે ગુણસ્થાનકે બંધાય છે. ૩૮ ૫ | આયુષ્યની ૪ ને બદલે ૩ નામકર્મની ૬૭૩, ૧૩=૫૧ ૨ | ગોત્રકર્મની મોહનીયની ૨૬ ને બદલે૨૪ અંતરાયકર્મની ४० જ્ઞાનાવરણીયની દર્શનાવરણીયની વેદનીયકર્મની > નરક આદિ આ ૧૬ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વના કારણે જ થાય છે. મિથ્યાત્વ પહેલે ગુણઠાણે જ છે. માટે આ ૧૬ નો બંધ પણ પહેલે જ થાય છે સાસ્વાદનાદિ અન્ય ગુણસ્થાનકોમાં આ પ્રકૃતિઓનો બંધ થતો નથી. વળી આ ૧૬ પ્રકૃતિઓ નરક-એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય યોગ્ય હોવાથી તથા અત્યન્ત અશુભ હોવાથી મિથ્યાર્દષ્ટિ જીવ જ બંધ કરે છે. તેથી શેષ ૧૦૧ પ્રકૃતિઓ સાસ્વાદને બંધાય છે. ૫ ૬૧=૧૦૧ હવે ત્રીજે ગુણસ્થાનકે કેટલી બંધાય ? તે સમજાવવા બીજા ગુણસ્થાનકે કઇ કઇ પ્રકૃતિઓનો બંધ અટકી જાય છે તે જણાવે છે તિર્યંચત્રિક (તિર્યંચગતિ-આનુપૂર્વી-આયુષ્ય), થીણદ્વિત્રિક (નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા-થીણā), દૌર્ભાગ્યત્રિક (દુર્ભાગ-અનાદેય અને અપયશ) એમ કુલ ૮ તથા, (બીજી ગાથાની સાથે સંબંધ ચાલુ છે) અહીં છેલ્લો ત્રિ શબ્દ ત્રણેમાં જોડવો. ॥ ૪॥ अणमज्झागि संघयणचड, निउज्जोअ कुखगइत्थिति । पणवीसंतो मीसे, चउसयरि दुआउयअबंधा ॥ ५ ॥ શબ્દાર્થ- અળ= અનંતાનુબંધી ચાર, માળિ= મધ્યનાં ચાર Page #80 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ સંસ્થાન, સંધ૩= સંઘયણ ચાર, નિડ = નીચગોત્ર અને ઉદ્યાતનામકર્મ, કરસ્થિત્તર અશુભવિહાયોગતિ અને સ્ત્રીવેદ, પખવાસંતા= પચ્ચીશ પ્રકૃતિઓનો અંત થાય છે. ક્ષેત્ર મિશ્રગુણસ્થાનકે, વડ = ચુમ્મોતેર, ડુબાડ= બે આયુષ્યન, બબંધક અબંધ થવાથી તે પI ગાથાર્થ- અનંતાનુબંધી ૪, મધ્યના ૪ સંસ્થાન, ૪ સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાયોગતિ, અને સ્ત્રીવેદ એમ ૨૫ પ્રકૃતિઓનો બીજે ગુણસ્થાનકે અંત થાય છે. એટલે મિશ્રગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. કારણકે શેષ બે આયુષ્યને પણ અબંધ હોય છે. તે પ 1 વિવેચન- ચોથી ગાથાના અન્તમાં કહેલી ૯ પ્રકૃતિઓ, તથા અનંતાનુબંધી ૪ કપાય, મધ્યન (રથીપ) સંસ્થાન, મધ્યનાં (રથીપ) સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોતનામક, અશુભવિહાયગતિ, અને સ્ત્રીવેદ એમ કુલ ૨૫ પ્રકૃતિને બીજ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. એટલે બીજે ગુણઠાણે બંધાય છે પરંતુ ત્રીજે ગુણઠાણે બંઘાતી નથી. કારણકે આ પચ્ચીસે પ્રકૃતિને બંધ અનંતાનુબંધીના નિમિત્તે થાય છે. અને અનંતાનુબંધીનો ઉદય માત્ર બે જ ગુણસ્થાનક સુધી હોય છે. તેથી અનંતાનુબંધીના અભાવના કારણે આ પચ્ચીસ પ્રકૃતિઓનો બંધ ત્રીજે ગુણઠાણે થતો નથી. બીજે ગુણઠાણે ૧૦૧ બંધાય છે. તેમાંથી આ ૨૫ બાદ કરીએ તે હકીકતથી ૭૬ પ્રકૃતિઓ થાય છે. છતાં ગાથામાં ૭૪ પ્રકૃતિઓ જ મિશ્ર ગુણઠાણે બંધાય એમ કહ્યું છે તેનું કારણ એ છે કે “બે આયુષ્યનો અબંધ” છે. જે આ ગાથાના અન્તિમપદમાં કહ્યું છે. આયુષ્યકર્મ કુલ ૪ છે. નરકાયુષ્ય ૧૬માં પહેલે, અને તિર્યંચાયુષ્ય ર૫માં બીજે નીકળી ગયેલ છે જ. એટલે બાકી રહેલ મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્ય આ બે આયુષ્ય પણ ત્રીજે ગુણઠાણે બંધાતાં નથી. તેથી ૨૫+૨=૨૭ પ્રકૃતિઓ ૧૦૧ માં થી ઓછી થાય છે. માટે મિશ્રગુણસ્થાનકે ૧૦૧-૨૭=૩૪ બંધાય છે. પ્રશ્ન- ૨૫ને બંધવિચ્છેદ કહ્યો અને બે આયુષ્યને જુદો અબંધ કીધો, આમ કહેવાનું કારણ શું ? સીધેસીધો ર9 નો જ બંધવિચ્છેદ Page #81 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ કેમ ન કહ્યો? બંધવિચ્છેદ અને અબંધ એ બન્ને શબ્દોનો અર્થ તો સરખા જ છે ને ? ઉત્તર- અહીં બન્ને શબ્દોના અર્થ સરખો નથી. બંધવિચ્છેદ એટલે જે પ્રકૃતિઓ આ ગુણસ્થાનકે બંધમાંથી નીકળી ગઈ. તે હવે પછી ઉપરના કોઈ પણ ગુણઠાણામાં આવવાની જ નથી. ગઇ ત ગઇ, ફરીથી આવવાની નથી. તેને બંધવિચ્છેદ કહેવાય છે. આ પચ્ચીશ પ્રકૃતિનો જે બંધવિચ્છેદ થયો તે પચ્ચીશ ત્રીજે-ચોથે-પાંચ-છ ઇત્યાદિ કોઇ પણ ઉપરના ગુણઠાણામાં બંઘાતી નથી. ફરી ત્યાં ઉમેરાવાની નથી. જયારે “અબંધ” એટલે માત્ર આ ગુણસ્થાનકે ન બંધાય, પરંતુ આગળના ગુણસ્થાનકોમાં પુનઃ બંધાય તે અબંધ. આ બે આયુષ્ય ત્રીજે ગુણઠાણે ન બંધાય, પરંતુ ચોથા ગુણઠાણે પુનઃ બન્ને આયુષ્ય બંધાવાનાં જ છે. અને ૫-૬-૭માં ગુણઠાણે પણ આ બેમાંથી દેવાયુષ્ય બંધાવાનું છે. એટલે આ બે આયુષ્યના અટકતા બંધને બંધવિચ્છેદ ન કહેતાં “અબંધ” કહ્યો છે. મિશ્રગુણસ્થાનકમાં વર્તતા જીવો નીચે મુજબ ૪ કાર્યો તથાસ્વભાવે કરતા નથી. (૧) અનંતાનુબંધીનો બંધ, (૨) અનંતાનુબંધીનો ઉદય, (૩) પરભવના આયુષ્યનો બંધ, અને (૪) મૃત્યુ. તેથી બાકી રહેલ દેવ-મનુષ્ય આયુષ્યનો અબંધ કહ્યો છે. જે ૨૫+૨=૨૭ પ્રકૃતિઓ બંધમાંથી અટકી જાય છે, તેમાં ૩ દર્શનાવરણીય કર્મની છે. અનંતાનુબંધી ૪, સ્ત્રીવેદ એમ ૫ મોહનીય કર્મની છે. તિર્યંચ- મનુષ્ય અને દેવ એમ ૩ આયુષ્યકર્મની છે. નીચગોત્ર ૧ ગોત્રકર્મની છે. શેષ ૧૫ નામકર્મની છે. તેથી તે તે કર્મોમાંથી આ પ્રવૃતિઓ ઓછી કરવી. | ૫ | જ્ઞાનાવરણીય કર્મની ૫ | | આયુષ્યકર્મની દર્શનાવરણીયની ૬ | નામકર્મની પ૧–૧૫ -- ૩૬ મિશ્ર વેદનીયકર્મની રે ગોત્રકર્મની ૨ -૧ - ૧ ગુણસ્થાનકે મોહનીયકર્મની ૨૪- ૧૯ ] અંતરાયકર્મની કે પ ] કુલ ૪૨ = ૧૪ ૩૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮૧ કમસ્તવ ૮૧ હવે ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય તે જણાવે છે. सम्मे सगसयरि जिणाउबंधि, वइरनरतिगबियकसाया । उरलदुगंतो देसे, सत्तट्ठी तियकसायंतो ॥ ६॥ (सम्यक्त्वे सप्तसप्तति र्जिनायुर्बन्धे, वज्रनरत्रिक-द्वितीयकषायाः । औदारिकद्विकान्तो देशे सप्तषष्टिस्तृतीयकषायान्तः ।) શબ્દાર્થ= = અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, સીરિક સીતેર બંધાય છે. વળી વંધ= જિનનામકર્મ અને બે આયુષ્યનો બંધ થવાથી. વૈ= વજ ઋષભનારાચસંઘયણ, નરતિ = મનુષ્યત્રિક, વિયસીયા= બીજો કપાય તથા ૩૨rત= દારિક દ્રિક એમ ૧૦ નો અંત થાય છે. સે= દેશવિરતિ ગુણઠાણે, સત્ત= સડસઠ બંધાય છે. તિયવસાચંતો = ત્રીજા કષાયનો અંત. ગાથાર્થ- જિનનામકર્મ અને બે આયુષ્યનો બંધ થવાથી ચોથા સમ્યક્ત ગુણઠાણે ૭૭ કર્મ પ્રકૃતિઓ બંધાય છે. વઋષભ, મનુષ્ય ત્રિક, બીજો કષાય, અને ઔદારિક દ્વિક એમ ૧૦ ને અંત થવાથી દેશવિરતિ ગુણઠાણે ૬૭ બંધાય છે. ત્યાં ત્રીજાકષાયનો અંત થવાથી. I ૬ I વિવેચન- ત્રીજે મિશ્રગુણસ્થાનકે જે ૭૪ બંધાય છે તેમાં જિનનામ કર્મ અને દેવ-મનુષ્પાયુષ્ય ઉમેરવાથી ચોથા ગુણસ્થાનકે ૭૭ બંધાય છે. જે પ્રશસ્તકષાયથી જિનનામ બંધાય છે. તે પ્રશસ્તકષાય સમ્યકત્વ હોતે છતે જ હોય છે. ચોથે ગુણઠાણે સમ્યકત્વ છે. માટે જિનનામ બંધાય છે. સમ્યગ્દષ્ટિ તિર્યચ-મનુષ્યો નિયમાં દેવાયુષ્ય બાંધે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકી નિયમાં મનુષ્યાયુષ્ય બાંધે છે. માટે બે આયુષ્યનો પણ બંધ વધે છે એમ ૭૪+૩ કુલ ૭૭ પ્રકૃતિઓ ચોથે બંધાય છે. આ ત્રણમાં ૧ નામકર્મની છે અને ૨ આયુષ્યકર્મની છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૩૨ દ્વિતીય કર્મગ્રંથ જ્ઞાનાવરણીય પI આયુષ્યકર્મ ચોથી દર્શનાવરણીય ૬ નામકર્મ ૩૬+૧= ૩૭ ગુણઠાણે વેદનીયકર્મ ૨ ગોત્રકર્મ બંધાય મોહનીયકર્મ ૧૯ | અંતરાયકર્મ ૪૫ = ૭૭. ચોથા ગુણસ્થાનકના અંતે વજૂ8ષભનારાચ સંઘયણ, મનુષ્ય ત્રિક, બીજો કષાય, ઔદારિકટ્રિક એમ કુલ ૧૦ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે, તેથી ૭૭ - ૧૦=૬૭ પ્રકૃતિઓ પાંચમે ગુણઠાણે બંધાય છે. પાંચમે બીજા કષાયનો ઉદય ન હોવાથી તે બંધાતો નથી. ને વેઠું, તે વિશ્વરૂ' આવું શાસ્ત્રવચન છે. તથા બીજાકષાયનો ઉદય દેશવિરતિની ઘાતક છે તેથી દેશવિરતિ આવે ત્યારે તેનો ઉદય હોત નથી. અને ઉદયના અભાવથી બંધ પણ નથી. બાકી રહેલી ૬ પ્રકૃતિઓમાં મનુષ્યત્રિક મનુષ્ય પ્રાયોગ્યબંધ થતો હોય ત્યારે જ બંધાય તેવી છે. અને વજૂઋષભનારાચ તથા ઔદારિકદ્ધિક મનુષ્ય-તિર્યંચ પ્રાયોગ્ય બંધ થતો હોય ત્યારે જ બંધાય તેવી છે. પરંતુ આ દેશવિરતિ ગુણસ્થાનકમાં વર્તનારા (નિયંચ-મનુષ્યો) અવશ્ય દેવગતિ પ્રાયોગ્ય જ બંધ કરે છે. જેથી આ છ પ્રકૃતિઓ બંઘાતી નથી. દેવ-નારકીના જીવો આ ૬ પ્રકૃતિઓ બાંધે છે પરંતુ તેઓને દેશવિરતિ ગુણસ્થાનક નથી. માટે દેશવિરતિ ગુણઠાણે આ છ બંઘાતી નથી. આ ૧૦ પ્રકૃતિમાં ૪ મોહનીયની, ૧ આયુષ્યની, અને ૫ નામકર્મની છે. તે તે કર્મોમાંથી બાદ કરવી. જ્ઞાનાવરણીયની ૫ આયુષ્યની દેશવિરતિ દર્શનાવરણીયની ૬ | નામકર્મની ૩૨ ગુણઠાણે દિનીયકર્મની ગોત્રકમની બંધાય મોહનીયની ૧૯૮૪ ૧૫ | અંતરાયની ૫ | છે. ૩૯ = ૬૭ ૨૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૮૩ પાંચમા ગુણઠાણાના અંતે ત્રીજા (પ્રત્યાખ્યાનાવરણ) કપાયનો બંધ અટકી જાય છે. કારણકે છકે ગુણઠાણે ત્રીજા કષયનો ઉદય નથી અને જે કપાય ઉદયમાં હોય તે જ બંધાય છે. આ કષાય સર્વવિરતિનો ઘાતક હોવાથી સર્વવિરતિ આવે ત્યારે ઉદયમાં હોતો નથી. તેથી તે ચાર પ્રકૃતિઓ પાંચમા ગુણઠાણા કરતાં છેકે બંધમાં ન્યૂન જાણવી એટલે ૬૭%=૬૩ છટ્ટ બંધાય છે. આ ચાર મોહનીયની છે માટે મોહનીયમાંથી ઓછી કરવી. || ૬ | જ્ઞાનાવરણીયની ૫ | આયુષ્યકર્મની ૧ ] છટ્ટ દર્શનાવરણીયની ૬ | નામકર્મની ૩૨ | ગુણઠાણ વેદનીયકર્મની ર | ગોત્રકર્મની ૧ | બંધાય મોહનીય ૧૫–૪=૧૧ | અંતરાયકર્મની ૫ | છે ૨૪ ૩૯ ૨૬૩ तेवट्टि पमत्ते सोग, अरइ अथिरदुग अजस अस्सायं । वुच्छिज छच्च सत्त व, नेइ सुराउं जया निळं ॥ ७ ॥ (त्रिषष्टिः प्रमत्ते शोक, -अरति अस्थिरद्विकायशोऽसातम् । । व्यवच्छिद्यन्ते षट् च सप्त वा, नयति सुरायुर्यदा निष्ठाम्) શબ્દાર્થ તેવત્રિ ૬૩, ૫મત્તે= પ્રમત્તગુણઠાણે, સાગર= શોક અરતિ, થરા= અસ્થિરદ્ધિક, નસબસીયંત્ર અપયશ અને અસાતાવંદનીય છM= વિચ્છેદ પામે, છબૈ= ૬, સત્ત વૈ= અથવા ૭, તેડું થાય, સુરSિ= દેવાયુષ્ય, નયા= જયારે, નિર્ટ્સ = સમાપ્ત. ગાથાર્થ- પ્રમત્તગુણઠાણે ૬૩ બંધાય છે. શોક, અરતિ, અસ્થિરદ્રિક, અપયશ અને અસાતા એમ ૬ પ્રકૃતિનો બંધ છેકે વિચ્છેદુ પામે છે અથવા જો દેવાયુષ્ય પણ છકે સમાપ્ત કર્યું હોય તો ૭ પ્રકૃતિનો બંધ છકે વિચ્છેદ પામે છે. મેં ૭ II વિવેચન- છઠ્ઠી ગાથામાં સમજાવ્યા મુજબ પાંચમાં ગુણઠાણાના અંતે ૪ કષાયોને બંધવિચ્છેદ થવાથી ૬૩ પ્રકૃતિઓ છદ્દે ગુણઠાણે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ દ્વિતીય કર્મગ્રંથ બંધાય છે. આ ૬૩ માંથી શોક-અરતિ-અસ્થિરદ્રિક, અપયશ અને અસતાવેદનીય એમ કુલ ૬ પ્રકૃતિઓને છઠ્ઠા ગુણઠાણાના અંતે બંધવિચ્છેદ થાય છે. અથવા જો છ ગુણઠાણે બાંધવા માટે પ્રારંભેલું દેવાયુષ્ય પણ ત્યાં પૂર્ણ કરી લે, એટલે કે તેનો બંધ છકે જ જો સમાપ્ત થઇ જાય તો ૬+૧=૭ નો બંધવિચ્છેદ છડે ગુણઠાણે થાય છે. ત્રેસઠમાંથી ૬ અથવા ૭ ઓછી કરવાથી પ૭-૫૬નો બંધ સાતમે ગુણઠાણે થવો જોઇએ. પરંતુ વિશિષ્ટ સંયમ (અપ્રમાદભાવવાળું) હોય તો જ પ્રશસ્તરાગથી બંધાય એવું આહારદ્ધિક કે જે ઓધે ઓછું કરેલ છે તે બેનો બંધ સાતમે ગુણઠાણે અધિક સંભવે છે. તેથી બે પ્રકૃતિ બંધમાં ઉમેરાય છે માટે પ૭-પ૯ને બદલે ર ઉમેરતાં પ૯પ૮ બંધાય છે. આ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી જ સ્પષ્ટ કરે છે. ૭ | गुणसट्ठि अप्पमत्ते, सुराउं बंधंतु जइ इहागच्छे । अन्नह अट्ठावन्ना, जं आहारगदुगं बंधे ॥ ८ ॥ (एकोनषष्टिरप्रमत्ते, सुरायुर्बध्नन् यदि इहागच्छेत् । अन्यथाऽष्टपञ्चाशद्यदाहारकद्विकं बन्धे ) શબ્દાર્થ= ગુણટ્ટિ= ઓગણસાએઠ, અપ્રમત્તે= અપ્રમત્તગુણઠાણે, સુર૩= દેવાયુષ્ય, વંથંતુ= બાંધતો બાંધતો, ન$= જો, રૂઢ= અહીં, આચ્છે= આવે તો, અન= અન્યથા-નહીં તો, ગઠ્ઠાવના= અઠ્ઠાવન, i= જે કારણથી, શીદાર, આહારકદ્ધિક, વંધે= બંધમાં. ગાથાર્થ- જો દેવાયુષ્ય બાંધતો બાંધતો અહીં સાતમે ગુણઠાણે આવે તો ઓગણસાઠ પ્રકૃતિઓ બાંધે છે અન્યથા (જો છ દેવાયુષ્ય સમાપ્ત કરીને આવે તો) અઠ્ઠાવન બાંધે છે કારણકે અહીં સાતમે આહારકટ્રિક બંધમાં અધિક છે. | ૮ | વિવેચન- સાતમું અપ્રમત્તગુણસ્થાનક અતિવિશુદ્ધ છે. અને આયુષ્યકર્મનો બંધ ઘોલના પરિણામથી (ચડ-ઉતર-પરિવર્તનશીલ પરિણામથી) થાય છે. માટે અપ્રમત્તગુણઠાણે આયુષ્યના બંધનો જીવ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ કસ્તવ આરંભ કરતો નથી. પરંતુ છઠ્ઠા પ્રમત્ત ગુણકાણે દેવાયુષ્યના બંધન આરંભ કર્યો હોય અને પરિણામ વિશુદ્ધિ થવાથી જીવ જે સાતમે ગુણઠાણે આવે તો તે બંધાતા દેવાયુષ્યનો સાતમે પણ બંધ ચાલુ રહે છે અને ત્યાં સાતમે બંધ સમાપ્ત કરે છે. એટલે જો છકે દેવાયુષ્યના બંધની સમાપ્તિ કરી લીધી હોય તો ૬+૧ ૭ સાત ઓછી કરવી. અને જે દેવાયુષ્ય બાંધતો બાંધત સામે આવે તો સાતમે દેવાયુષ્યનો બંધ ચાલુ હોવાથી છ જ ઓછી કરવી. તથા અપ્રમાદભાવવાળું વિશિષ્ટ સંયમ હોતે છતે જ બંધાવાવાળું આહારફત્રિક હવે સાતમે બંધાવાનું સંભવે છે માટે તે બે પ્રકૃતિ ઉમેરવી. તેથી બંધ આ પ્રમાણે થાય છે. અરતિ, શોક એમ બે મોહનીયમાંથી ઓછી થાય છે. અસતાવેદનીય વેદનીયમાંથી ઓછી થાય છે. અસ્થિરદ્ધિક અને અપયશ ત્રણ નામકર્મમાંથી ઓછી થાય છે તેમજ આહારકટ્રિક નામકર્મની સંખ્યામાં વધે છે. | ૮ ! જ્ઞાનાવરણીય પ | આયુષ્યકર્મ ૧૦સિાતમે | દર્શનાવરણીય ૬ | નામકર્મ ૩૨+૨=૩૪૩૦ ૩૧ |કુલ ૫૯ વેદનીય ર–૧ ૧ | ગોત્રકર્મ ૧ અથવા૫૮ મોહનીય ૧૧-ર ૯ | અંતરાયકર્મ પ બંધાય છે. ૨૧ ૩૮ ૩૭ પ૯પ૮ હવે આઠમા ગુણઠાણે બંધ જણાવે છે. अडवन्न अपुव्वाइंमि, निद्ददुगंतो छप्पन्न पणभागे । सुरदुगपणिंदि सुखगइ, तसनवउरलविणुतणुवंगा ॥ ९ ॥ समचउरनिमिणजिणवन्न, अगुरुलहुचउ छलंसि तीसंतो । चरमे छवीसबंधो हासरईकुच्छभयभेओ ॥ १० ॥ (अष्टपञ्चाशदपूर्वादौ, निद्राद्विकान्तः षड्पञ्चाशत् पञ्चभागे । सुरद्विकपञ्चेन्द्रियसुखगतयः, त्रसनवकमौदारिकाद्विना तनूपांगानि) Page #87 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કમગ્રંથ (समचतुस्रनिर्माणजिनवर्णागुरुलघुचतुष्कं षष्ठांशे त्रिंशदन्तः । चरमे पड्विंशतिबन्धो. हास्यरतिकुत्साभयभेदः ) શબ્દાર્થ= દેવન= અઠ્ઠાવન, પુત્રીરૂંf= અપૂર્વકરણના પ્રથમભાગે, નિદાંતોષ નિદ્રાદિકનો અંત થાય છે. છપ્પન– છપ્પન્ન પ્રકૃતિ. VINT= પાંચ ભાગોમાં, સુર= દેવદ્રિક, પfir= પંચેન્દ્રિયજાતિ, સુવાડું= શુભવિહાયોગતિ, તનવં= ત્રસની નવ, ૩૨વિપુ= ઔદારિક વિના, તપુર્વ = શરીર અને અંગોપાંગ, સમવર= સમચતુરસ્ત્ર, નિમિvl= નિર્માણ, f= તીર્થકર નામકર્મ, વન= વર્ણચતુષ્ક, બારુદુ ૩= અગુરુલઘુચતુષ્ક, સિ= છઠ્ઠાભાગે, તસંત= ત્રીશપ્રકૃતિઓનો અંત થાય, વર= છેલ્લાભાગે, છવીસ= વંધો= છવ્વીસનો બંધ થાય છે. દાસર હાસ્ય, રતિ, છમક જુગુપ્સા અને ભયન, ભો= ભેદ થાય છે એટલે કે બંધવિચ્છેદ થાય છે. ગાથાર્થ- અપૂર્વકરણના પ્રથમભાગે પ૮ બંધાય છે. તેમાંથી નિદ્રાદ્ધિકનો અંત થાય એટલે (રથી૬ સુધીના) પાંચભાગોમાં પ૬ બંધાય છે. તેમાંથી દેવદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રાંસનવક, દારિક વિના શેષ ચાર શરીર અને બે ઉપાંગ, સમચતુરસ, નિર્માણ, જિનનામ, વર્ણચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, એમ કુલ ત્રીસ પ્રકૃતિનો છઠ્ઠી ભાગે અંત થાય છે તેથી ચરમ ભાગમાં ર૬ ને બંધ હોય છે તેમાંથી ઘરમભાગે હાસ્ય-રતિ, જુગુપ્સા અને ભયના બંધને વિચ્છેદ થાય છે. (તેથી નવમાં ગુણઠાણે ૨૨ બંધાય છે) II ૯/૧૦ વિવેચન- છ ગુણઠાણે આયુષ્યનો બંધ ચાલુ કર્યો હોય તો જ સાતમે ગુણઠાણે આયુષ્યબંધ ચાલુ રહે છે અન્યથા સાતમ ગુણઠાણે આયુષ્યનો નવો બંધ અતિવિશુદ્ધ હોવાથી આરંભતા નથી તો પછી આઠમું ગુણસ્થાનક તો તેનાથી પણ વધારે અતિવિશુદ્ધ છે તેથી આયુષ્યનો બંધ સંભવે જ નહીં. તે માટે અપૂર્વકરણ ગુણસ્થાનકે ૫૮ બંધાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૮૭ અત્યારસુધી દરેક ગુણસ્થાનક સમાપ્ત કરી ઉપરના ગુણસ્થાનકમાં જીવ ચડે ત્યારે જ અમુક-અમુક પ્રકૃતિઓનો બંધવિચ્છેદ સમજાવ્યો છે. પરંતુ આ આઠમા ગુણસ્થાનકમાં તો વચ્ચે-વચ્ચે કેટલીક કેટલીક પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થઇ જાય છે તેથી આઠમા ગુણઠાણામાં વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં કઇ કઇ પ્રકૃતિઓ બંધમાંથી વિચ્છેદ થાય છે. તે સમજાવવા માટે ફક્ત બંધને જ આશ્રયી આઠમા ગુણસ્થાનકના ૭ ભાગ પાડવામાં આવ્યા છે. ત્યાં પ્રથમભાગે ૫૮ બંધાય છે. તે પ્રથમભાગે નિદ્રા અને પ્રચલા એમ બે પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે. તેથી બીજાભાગે પ૬ પ્રકૃતિ બંધાય છે. નિદ્રાદ્વિકના બંધને યોગ્ય અધ્યવસાય સ્થાનોનો સંભવ માત્ર આઠમા ગુણસ્થાનકના પ્રથમભાગ સુધી જ હોય છે. આગળ હોતો નથી, તેથી બીજા ભાગ આદિમાં તે નિદ્રાદ્રિક બંધાતું નથી. બીજા-ત્રીજા-ચોથા-પાંચમા અને છઠ્ઠા ભાગે પણ પદ જ બંધાય છે. છઠ્ઠાભાગના અન્તિમ સમયે દેવદ્રિક (દેવગતિ-દેવાનુપૂર્વ), પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રસ દશકાની નવ, ઔદારિક શરીર વિના શેષ ૪ શરીર અને ૨ અંગોપાંગ, સમયચતુરસસંસ્થાન, નિર્માણ નામકર્મ, તીર્થંકરનામકર્મ, વર્ણચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, એમ કુલ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે. એટલે આઠમા ગુણસ્થાનકના ચરમભાગમાં (સાતમા ભાગમાં) ફક્ત ૨૬ પ્રકૃતિઓનો જ બંધ થાય છે. સાતમા ભાગે ત્રીસપ્રકૃતિઓનો બંધ ન થવાનું કારણ તેના બંધને યોગ્ય અધ્યવસાયોનો અભાવ, એ જ કારણ જાણવું. ત્યારબાદ સાતમા ભાગના અંતે (એટલે કે આઠમા ગુણસ્થાનકના અંતે) હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભય એમ ચાર પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે. (એટલે નવમા ગુણસ્થાનકે ૨૨ પ્રકૃતિઓ જ બંધાય છે જે આગળ ગાથામાં સમજાવાય છે). પ્રશ્ન- આઠમા ગુણસ્થાનકના પ્રથમભાગે ૫૮, બીજાથી છઠ્ઠા ભાગે ૫૬, અને અન્તિમ સાતમા ભાગે ૨૬ એમ ત્રણ પ્રકારનો જ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ દ્વિતીય કર્મગ્રંથ જો બંધ થાય છે તો ત્રણ જ ભાગ પાડવા ઉચિત છે સાત ભાગ પાડવાનું પ્રયોજન શું ? દરેક ભાગે ભાગે તો ભિન્ન ભિન્ન બંધ છે જ નહી, બીજા ભાગથી છઠ્ઠા ભાગનો એક જ ભાગ કરીને ત્રણ જ ભાગ પાડવા યોગ્ય લાગે છે. ઉત્તર- ૫૮ અને ૨૬ ના બંધના કાળ કરતાં પ૬ ના બંધનો કાળ ઘણો વધારે (અર્થાત્ પાંચ ગણાવે છે તે સમજાવવા માટે સાતભાગ કરેલ છે. આઠમું ગુણસ્થાનક અંતર્મુહૂર્તકાળનું છે તેના ૭૦ સમયો છેએમ કલ્પના કરીએ તો સાતભાગ પાડવાથી ૫૮ને બંધ ૧થી૧૦ સમય સુધી, પ૬નો બંધ ૧૧થી૬૦ સમય સુધી, અને ર૬નો બંધ ૬૧થી૭૦ સમય સુધી થાય છે. એમ જે સમજાવવું છે તે સમજાવી શકાય છે. પરંતુ જો ત્રણ ભાગ કહ્યા હોત તો ૧થીર૩ સમય સુધી ૫૮નો બંધ, ૨૪થી૪૬ સમય સુધી પ૬નો બંધ અને ૪૭થી૭૦ સમય સુધી ર૬નો બંધ થાય છે એમ સમજાઈ જાત. જે બરાબર નથી. એટલે ૫૮ અને ર૬ ના બંધનો કાળ અલ્પ છે અને પ૬ના બંધનો કાળ પાંચગણો દીધું છે એ સમજાવવા માટે આઠમા ગુણસ્થાનકના સાત ભાગ કર્યા છે. નિદ્રાદ્ધિક દર્શનાવરણીયકર્મની છે. છઠ્ઠાભાગે વિચ્છેદ પામતી દેવદ્વિક આદિ ૩૦ નામકર્મની છે. અને છેલ્લાભાગે નીકળી જતી હાસ્યાદિ ૪ મોહનીય કર્મની છે. માટે તે તે ભાગે તે તે કર્મમાંથી તેટલી તેટલી પ્રકૃતિઓ બંધમાંથી ઓછી કરવી આઠમા ગુણસ્થાનકે બંધ (પ્રથમ ભાગે જ્ઞા. દ. | વે. મો. | આ. | ના. ગો. એ.) કુલા | બીજાથી | ૫ | ૬ | ૧ | ૯ | 0 | ૩૧ | ૧ | પપ૮] [છઠ્ઠા ભાગે | ૫ | ૪ | ૧ | ૯ | 0 | ૩૧ | ૧ | પપ૬ | સાતમાભાગે ૫ [૪] ૧ | ૯ | 0 | ૧ | ૧ | ૫ | ૨૬| હવે નવમા ગુણઠાણે બંધવિચ્છેદ જણાવે છે. अनियट्टि भागपणगे, इगेगहीणो दुवीसविहबंधो । पुमसंजलणचउण्हं, कमेण छेओ सतर सुहुमे ॥११॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ (अनिवृत्ति भागपञ्चके. एकेकहीनो द्वाविंशतिविधबन्धः । पुंसंज्वलन चतुर्णा, क्रमेणच्छेदः सप्तदश सूक्ष्मे ) શબ્દાર્થ= નિત્યક્રમ પણ = અનિવૃત્તિ નામના નવમા ગુણસ્થાનકના પાંચ ભાગોમાં, રૂ = એક એક પ્રકૃતિનો બંધ ઓછો થતાં, વિવદવંધ= જે બાવીસનો બંધ છે તે, પુસંગત દં= પુરુષ વેદ સંજવલન ચતુષ્કન, મેળ= અનુક્રમે, છેક છેદ થાય છે. તેથી સતર= સત્તરપ્રકૃતિઓનો બંધ, સુહુરે= સૂમસમપરાય ગુણસ્થાનકે હોય છે. ગાથાર્થ- અનિવૃત્તિગુણસ્થાનકના પાંચ ભાગોમાં પુરુષવેદ અને સંજવલન ચતુષ્કમાંનો અનુક્રમે એકેક બંધ ઓછો-ઓછો થતાં જે બાવીસનો બંધ છે તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સત્તરનો થાય છે. / ૧૧ || વિવેચન- આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના ચરમસમયે હાસ્યાદિચાર નોકષાયનો બંધવિચ્છેદ થતાં નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે ૨૬-૪=૧૨ નો બંધ હોય છે. ત્યારબાદ નવમાં ગુણસ્થાનકના એકેક ભાગે એકેક પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે ત્યાં અનુક્રમે પ્રથમ ભાગે પુરુષવેદ, બીજા ભાગે સંજવલન ક્રોધ, ત્રીજા ભાગે સંજવલન માન, ચોથા ભાગે સંવલન માયા, અને પાંચમા ભાગે સંજ્વલન લોભ એમ એકેકનો બંધવિચ્છેદ થવાથી ૨૨ ૨૧ ૨૦૧૯૧૮ નો બંધ થાય છે. અને દસમાં ગુણસ્થાનકે ૧૭ નો બંધ થાય છે. તે તે પ્રકૃતિના બંધ યોગ્ય અધ્યવસાયોના અભાવના કારણે જ બંધનો વિચ્છેદ થાય છે. આ પાંચે પ્રકૃતિઓ મોહનીયકર્મની છે માટે મોહનીયકર્મમાંથી જ એક એક ઓછી ઓછી થતી જાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨C દ્વિતીય કર્મગ્રંથ નવમું ગુણ શા. ) દ. વેદ. મોહ. આયુ. નામ. ગોત્ર. અંત. કુલ ! પ્રથમ ભાગે ! પ | બીજા ભાગે ! ૫ | ૪ | ૧ | ૪ | 0 | ૧ | ૧ | ૫ | ૨૧ ત્રીજા ભાગે | ૫ | ૪ ૧ | ચોથા ભાગે ! પ | ૪ | ૧ | ૨ | 0 | ૧ | ૧ | ૫ | ૧૯? | પાંચમાભાગે પ ] ૪] ૧ ૧ ૧ ૦ ૧ | ૧ | પ [૧૮] સંજવલન લોભનો પણ નવમા ગુણસ્થાનકના અંતે બંધવિચ્છેદ થવાથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉપરોક્ત ૧૮ માંથી લોભ વિના ૧૭ પ્રકૃતિ બંધાય છે. જે ૧૧ || હવે ૧૧-૧૨-૧૩ માં ગુણસ્થાનકે કેટલી બંધાય ? તે કહે છે. चउदंसणुच्चजसनाणविग्घदसगंति सोलसुच्छेओ । તિરું સાયવંથછે, નોનવંયંતતો છે ૨૨ . ( चतुर्दर्शनोच्चयशोज्ञानविघ्नदशकमिति षोडशोच्छेदः । त्रिषु सातबन्धच्छेदः सयोगिनि बन्धान्तोऽनन्तश्च ) શબ્દાર્થ= વડળ= ચક્ષુર્દશનાદિ ચાર દર્શન, કનૈ= ઉચ્ચગોત્ર, નસ= યશનામકર્મ, નાગ= જ્ઞાનાવરણીય પાંચ, વિસા = અને અંતરાય પાંચ એમ ૧૦, સૌનપુછે= સોળ પ્રકૃતિઓનો ઉચ્છેદ થાય છે. તિસુર ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણસ્થાનકોમાં, સાવંધોઃ સાતાવેદનીયના બંધનો વિચ્છેદ થાય છે. નાળિ= સયોગિગુણઠાણે. વિંધંતુ= બંધનો અંત જે થાય છે તે કાંતો= અનંત છે. ગાથાર્થ- સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે ચક્ષુદર્શનાદિ ૪, દર્શના- વરણીય, ઉચ્ચ ગોત્ર, યશનામકર્મ, જ્ઞાનાવરણીય ૫. અંતરાય ૫. એમ કુલ ૧૬ નો બંધવિચ્છેદ થાય છે. તેથી અગિયાર-બાર-અને તેરમા ગુણસ્થાનકે એમ ત્રણ ગુણસ્થાનકોમાં ફક્ત એક સાતા વેદનીયનો બંધ થાય છે તેનો છેદ યોગિ ગુણાટાણાના અંતે થાય છે. આ થયેલો બંધનો અંત હેવ અનંતકાળ સુધી રહે છે. (કરીથી કમબંધ થતાં નથી) ૧ર In Page #92 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૯૧ વિવેચન- ચક્ષુદર્શન-અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કૈવલદર્શન, એમ ચાર દર્શનનાં આવરણીય કર્મો ચાર. ઉચ્ચગોત્ર, યશનામકર્મ, જ્ઞાનાવરણીય કર્મ પાંચ, અને અંતરાયકર્મ પાંચ એમ મળીને કુલ ૧૬ કર્મ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ દશમા ગુણસ્થાનકના ચરમસમયે થાય છે. તેથી અગિયારમે -બારમે અને તેરમે ગુણસ્થાનકે ફક્ત ૧ સાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે. આ ત્રણે ગુણસ્થાનકે કષાય નથી, માટે કષાય પ્રત્યયિક પ્રકૃતિઓનો બંધ હોતો નથી. પરંતુ ક્ત એક યોગ જ બંધહેતુ છે. તેથી યોનિમિત્તક સાતાવેદનીયનો જ બંધ ચાલુ રહે છે. તેરમા ગુણસ્થાનકના અંતે યોગનો નિરોધ થતાં યોગ નિમિત્તે બંધાનારી સાતાવેદનીયનો બંધ પણ અટકી જાય છે. તેથી ચૌદમા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિનો બંધ હોતો નથી માટે “સર્વસંવરભાવ” અથવા ‘“અનાશ્રવભાવ” કહેવાય છે. તેરમા ગુણસ્થાનકના અંતે થયેલો આ બંધવિચ્છેદ અનંતકાળ રહેવાવાળો છે. કદાપિ આ બંધવચ્છેદ પાછો જવાનો નથી. એટલે પુનઃ કર્મબંધ શરૂ થવાનો નથી. ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણસ્થાનકોમાં જે સાતાવેદનીયનો બંધ છે તે એકથી દશગુણસ્થાનકના બંધ કરતાં વિલક્ષણ છે. કારણકે ત્યાં કષાય હતો, જેથી સ્થિતિ-રસ બંધાતા હતાં અને અહીં માત્ર યોગ જ બંધહેતુ છે એટલે સાતાવેદનીયમાં સ્થિતિ-રસ બંધાતાં નથી. પ્રથમસમયે સાતાવેદનીય બંધાય છે. બીજા સમયે સાતાવેદનીય ઉદયથી ભોગવાય છે અને ત્રીજા સમયે નિર્જરી જાય છે. જે જે ગુણસ્થાનકે જે જે બંધહેતુ હોય છે તે તે ગુણસ્થાનકે તે તે બંધહેતુનિમિત્તક પ્રકૃતિ બંધ ચાલુ હોય છે. તે પછીના ગુણસ્થાનકોમાં બંધહેતુ અટકી જવાથી બંધ અટકી જાય છે. જેમકે નરકત્રિકાદિ ૧૬ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વપ્રત્યયિક છે માટે મિથ્યાત્વે ૧૬ બંધાય છે અને સાસ્વાદનાદિમાં ૧૬ બંધાતી નથી, એમ સર્વત્ર જાણવું | ૧૨ | Page #93 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ બંધય ગુણસ્થાનક જ્ઞા. દ. વ. | મા. આ. નામ ગા. | અં. મૂળ બંધાતી | ન કમ ઉત્તર બંધાતી પ્રકૃતિ | ઉત્તર પ્રકૃતિ મિથ્યાત્વ ૨ | સાસ્વાદન ૮ | ૧૦૧ | ૧૯ | ૫ | ૯ | ૨ | ૨૪ | ૩ | ૫૧ | ૨ | ૫ ૩ | મિશ્ર ૭૪ | ૪૬ ૫ 0 | ૩૬ ૪ | અવિરતસમ્ય, ૮િ ૭૭ | ૪૩ ૫ ૧૯ | ૨ ૩૭ | ૧ | ૫ | ૫ દેશવિરત | | ૬૭ | પ૩ | ૫ | ૬ | ૨ | ૧૫ ૧ | ૩૨. ૧ ૫ | | | | ૬૩ | પ૭ | ૫ | ૬ | ૨ | ૧૧ | ૧ | ૩૨! ૧ | ૫ અપ્રમત્ત સં. ૮૭ પહ ૧૦ | ૩૧ છે કે પહેલો ભાગ ૭ | ૫૮ 7 | બીજો ભાગ ૭ | પ૬ ત્રીજો ભાગ ૧૭ | | ૬૪ | ૫ | ૪] ૧ | ૯ | 0 | ૩૧ | ૧ | ૫ | | ચોથો ભાગ ||૭ ૭ | પ૬ | ૬૪ | ૫ : ૪ ૩૧ | ૧ | ૫ ૦ ૦ ૦ ૦ ૦ ? | પાંચમાભાગ ૫૬ | ૬૪ | ૫. ૩૧ | ૧ | ૫ ૩૧ ૧ અનિવૃત્તિનાદર | અપૂર્વકરણ ગુણસ્થાનક 0 | ૧ 0 | ૧ | ૧. ક | | 0 | = | છઠ્ઠો ભાગ ૫૬ | ૬૪ | ૫ સાતમોભાગ ૭ ૨૬ ૯૪ | ૫ ૪ પહેલો ભાગ ૭ બીજો ભાગ ૭ ર૧ ૯૯ | ૫ ત્રીજા ભાગ ૨૦ ૧૦૦ ૫ | ચોથો ભાગ ૧૯ | ૧૦૧ ૫. પાંચમો ભાગ ૭ | ૧૮ ૧૦૨ ૫ ૧૦| સૂક્ષ્મ.સંપ. ૫. ૬ ૧૭ | ૧૦૩ ૫. ૧૧] ઉપશાનામોહ | | ૧ ૧૧૯ ૦ 0 | 0 | { ક્ષીણમાહ ૧ ૧૯ 0 ૧૩ સયાગી કેવલી | ૧ ૧૯ ૦ ૧૪! અયોગીકવલી | | 0 ૧ ૨0 0 આ પ્રમાણે બંધ અધિકાર સમાપ્ત થયા. | ૧ | ૫ 4 1 3 | ૦ | | o - Page #94 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ઉદય અધિકાર હવે ઉદય અને ઉદીરણાની વ્યાખ્યા કહીને ઓથે અને મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય તે જણાવે છે उदओ विवागवेयणमुदीरणमपत्ति इह दुवीससयं । सतरसय मिच्छे मीससम्मआहारजिणणुदया ॥ १३॥ (उदयो विपाकवेदनमुदीरणमप्राप्त इह द्वाविंशतिशतम् । सप्तदशशतं मिथ्यात्वे मिश्रसम्यगाहारकजिनानुदयात्) શબ્દાર્થ- ૩ = ઉદય વવાય = વિપાકથી વેદવું તે, ૩ીર = ઉદીરણા આપત્તિ = અપ્રાપ્ત-ઉદયમાં ન આવેલ કર્મોને, રૂઢ = અહીં, કુવીરસર્ચ = એકસી બાવીશ પ્રકૃતિઓ, સંતરયં= એકસો સત્તર પ્રવૃતિઓ, fછે = મિથ્યાત્વ ગુણઠાણે, નીમ્ન = મિશ્ર મોહનીય, સમ્યકત્વ મોહનીય, સાદાઈનન = આહારકઢિક, અને જિન નામકર્મનો, અનુયા = અનુદય હોવાથી. ગાથાર્થ- પૂર્વબદ્ધ કર્મને વિપાકથી વેદવું તે ઉદય, અને ઉદયકાલને ન પામેલા કર્મોને પ્રયત્ન વિશેષથી વહેલાં ભોગવવાં તે ઉદીરણા, ઉદયમાં ઓધે ૧૨૨ પ્રકૃતિઓ છે. તેમાંથી મિશ્ર, સમ્યકત્વમોહનીય, આહારદ્રિક, અને તીર્થકર નામકર્મ એમ પાંચ કર્મનો મિથ્યાત્વે અનુદય હોવાથી ત્યાં ૧૧૭ છે. તે ૧૩ || વિવેચન- પૂર્વે બાંધેલાં અને વિપાકકાળને પામેલાં કર્મદલિકોને વિપાકથી (રસોદયથી) ભોગવવાં તે ઉદય કહેવાય છે. જે કર્મ જે ભાવે ફળ આપવા માટે પૂર્વે બાંધ્યું હોય, તે કર્મને તે ફળરૂપે તેનો ઉદયકાળ આવે છતે ભોગવવું તે ઉદય કહેવાય છે. અથવા સંક્રમાદિ દ્વારા પ્રાપ્ત કર્મને પણ રસોઇયથી ભોગવવું તેને પણ ઉદય કહેવાય છે. જે કર્મનો ઉદયકાળ હજા પાક્યો ન હોય તેને ઉદીરણાકરણ નામના વીર્યવિશેષ વડે ઉદયાવલિકામાં લાવીને વહેલું રસોદયથી ભોગવવું તેને ઉદીરણા કહેવાય છે. ઉદય અને ઉદીરણા એમ બન્નેમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ દ્વિતીય કર્મગ્રંથ ઓધે ૧૨૨ પ્રકૃત્તિઓ હોય છે. સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય આ બે પ્રકૃતિઓ બંધમાં નથી અને ઉદયમાં છે કારણ કે મિથ્યાત્વ મોહનીય જ બંધાય છે. તેને જ હીન-હીનતર રસવાળી કરવાથી મિશ્રમોહનીય ને સમ્યત્વમોહનીય કહેવાય છે. માટે બંધકાળે એક મિથ્યાત્વ જ છે અને ઉદયકાળે યથાસંભવ તે તે ગુણસ્થાનકે ત્રણમાંની કોઇ એક હોઇ શકે છે. તેથી બંધમાં ૧૨૦ અને ઉદય-ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ છે. ઘ' એટલે સામાન્યથી કોઇ પણ વિવક્ષિત એક ગુણસ્થાનકની અપેક્ષા વિચાર્યા વિના સર્વ ગુણસ્થાનકોને સાથે લઇને વિચારીએ તે થે કહેવાય છે. ઓઘથી ઉદય-ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭ કર્મપ્રકૃતિઓનો ઉદય છે. પૂર્વોક્ત ૧૨૨માંથી પાંચ પ્રકૃતિઓનો ઉદય પહેલે ગુણઠાણે હોતો નથી. કારણકે મિશ્રમોહનીયનો ઉદય મિશ્રગુણઠાણે જ હોય છે. સમ્યકત્વ મોહનીયનો ઉદય સમ્યષ્ટિ ગુણઠાણાઓમાં જ હોય છે. - આહારકદ્ધિકનો ઉદય ચૌદ પૂર્વના જ્ઞાનવાળા સાધુ ભગવંતોને હોઈ શકે છે. અને તીર્થકર નામકર્મનો ઉદય કેવલજ્ઞાની ભગવન્તોને જ (૧૩મે ૧૪મે ગુણઠાણે જ) હોય છે. તેથી આ પાંચ પ્રકૃતિઓનો ઉદય પહેલા ગુણઠાણે નથી. આ પાંચમાં બે પ્રકૃતિ મોહનીયની છે અને શેષ ૩ - નામકર્મની છે. માટે તેમાંથી તેટલી ઓછી ઓછી ઉદયમાં હોય છે એમ જાણવું. || ૧૩ || ગુણસ્થાનક જ્ઞા. | દર્શાવેદમોહ. આયુ.નામ.ગોત્ર. અંત. કુલ ઓથે | ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ | ૬૭ | ર | ૫ | ૧૨ ૨ પહેલે [ ૧ ૧ ૦. Page #96 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ હવે બીજા ગુણઠાણ કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે જણાવે છે सुहूमतिगायवमिच्छं, मिच्छंतं सासणे इगारसयं । निरयाणुपुव्विणुदया, अणथावरइगविगलअंतो ॥ १४ ॥ (सुक्ष्मत्रिकातप-मिथ्यं, मिथ्यान्तं सास्वादन एकादशशतम् । निरयानुपूर्व्यनुदयादनस्थावरैकविकलान्तः) શબ્દાર્થ- સુદૂમતિ” = સૂક્ષ્મત્રિક, આયવ = આતપનામકર્મ, મિર્જા = મિથ્યાત્વમોહનીય, મિઋતં= મિથ્યાત્વે અંત થાય છે. તેથી, सासणे સાસ્વાદન રૂારસયં એકસો અગિયાર હોય છે, નિરયાળુપુત્રિજીયા= નરકાનુપૂર્વીનો અનુદય હોવાથી ળ = અનંતા નુબંધી થાવર = સ્થાવરનામકર્મ, રૂ। = એકેન્દ્રિયજાતિ અને વિનયંતો વિકલેન્દ્રિયત્રિકનો અંત થાય છે. = = = ગાથાર્થ- સૂક્ષ્મત્રિક, આતપ, અને મિથ્યાત્વમોહનીયનો મિથ્યાત્વે અંત થવાથી સાસ્વાદને ૧૧૧ નો ઉદય હોય છે કારણ કે ત્યાં નરકાનુપૂર્વીનો અનુદય હોય છે. તથા અનંતાનુબંધી ૪, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, અને વિકલેન્દ્રિયત્રિક એમ ૯ નો સાસ્વાદને અંત થાય છે. ॥ ૧૪ || ૯૫ વિવેચન- સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વમોહ આ પાંચ પ્રકૃતિઓનો ઉદય સાસ્વાદન ગુણઠાણે સંભવતો નથી. કારણ કે (૧) સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મ એકેન્દ્રિયજીવોને હોય છે. (૨) અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધિ અપર્યાપ્તને (સ્વયોગ્ય પર્યાપ્તિઓ અપૂર્ણ રાખીને જ મૃત્યુ પામનારા જીવોને) જ હોય છે. અને (૩) સાધારણ નામકર્મનો ઉદય સાધારણ વનસ્પતિકાય જીવોને જ હોય છે. આ ત્રણે પ્રકારના જીવોમાં સાસ્વાદન ગુણસ્થાનક સંભવતું નથી. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોવાથી સાસ્વાદન ન સંભવે અને પારવિક સાસ્વાદન લઇને આવનારા જીવો પણ નિયમા બાદર લબ્ધિ પર્યાપ્તમાં જ ઉત્પન્ન થાય છે જયાં આ ત્રણ પ્રકૃતિઓનો ઉદય નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ આતપ નામકર્મનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય રત્નોને જ હોય છે. ત્યાં પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી, માટે સાસ્વાદન નથી. તથા પરભવથી સાસ્વાદન લઇને આવનારા જીવો આ બાદર પર્યાપ્ત રત્નોમાં ઉત્પન્ન થઇ શકે છે, પરંતુ ત્યાં સાસ્વાદન માત્ર છ આવલિકામાં પણ કંઇક ન્યૂનકાળ સુધી જ ટકે છે અને આતપ નામકર્મનો ઉદય તો અંતર્મુહૂર્ત બાદ શરીર-ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ થાય છે માટે સાસ્વાદન ગુણસ્થાનકે આતપનો ઉદય નથી. તથા મિથ્યાત્વમોહનો ઉદય મિથ્યાત્વે જ સંભવે છે. આમ કુલ પાંચ પ્રકૃતિઓનો ઉદય સાસ્વાદને હોતો નથી. તેથી તે પાંચનો ઉદયવિચ્છેદ થાય છે. જે પ્રકૃતિઓનો ફરીથી આગળના ગુણસ્થાનકોમાં પણ ઉદય થવાનો નથી. તેનો ઉદયવિચ્છેદ કહેવાય છે. તથા નરકાનુપૂર્વીનો ‘‘અનુદય” હોય છે. સાસ્વાદન ગુણસ્થાનક હોતે તે જીવ નરકમાં જતો નથી અને નરકાનુપૂર્વીનો ઉદય નરકમાં જતાં જ હોય છે. માટે તેનો અહીં સાસ્વાદને અનુદય કહેવાય છે. આગળ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે પુનઃ નરકાનુપૂર્વીનો ઉદય આવવાનો છે માટે ઉદયવિચ્છેદ ન કહેતાં અનુદય શબ્દનો પ્રયોગ કર્યો છે. એમ પછીના ગુણઠાણાઓમાં પણ ઉદયવિચ્છેદ અને અનુદય શબ્દની વચ્ચે તફાવત સમજી લેવો. ૯૬ ૧૧૭માંથી પાંચનો ઉદયવિચ્છેદ અને એકનો અનુદય થવાથી કુલ છ બાદ કરતાં ૧૧૧ નો ઉદય સાસ્વાદનગુણઠાણે હોય છે. આ છ પ્રકૃતિઓમાં ૧ મોહનીયની છે. અને પાંચ નામકર્મની છે. તે બાદ ક૨વી. તેથી કર્મવાર પ્રકૃતિઓનો ઉદય આ પ્રમાણે છે. જ્ઞાના. ૫, દર્શ. ૯, વેદ. ૨, મોહ. ૫૯, ગોત્ર. ૨, અને અંત. ૫, એમ કુલ ગુણઠાણે જાણવો. ૨૫, આયુ. ૪, નામ. ૧૧૧નો ઉદય બીજે Page #98 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ હવે બીજા ગુણઠાણાના છેડે ૯નો ઉદયવિચ્છેદ, ૩ નો અનુદય એમ ૧૨, ઉદયમાંથી ઓછી થાય છે અને એકનો ઉદય વધે છે એમ ૧૧૧-૧૨ = ૯૯ + ૧ = ૧૦૦ સો પ્રકૃતિઓનો ઉદય મિશ્રગુણઠાણે હોય છે. જે નવ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે તે આ પ્રમાણેઅનંતાનુબંધી ૪, સ્થાવરનામકર્મ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ. એમ ૯ નો ઉદયવિચ્છેદ જાણવો. અનંતાનુબંધી કષાયનો ઉદય સમ્યક્ત્વનો ઘાતક છે. તેથી સમ્યક્ત્વગુણઠાણે કે મિશ્રગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય સંભવતો નથી. અને સમ્યક્ત્વ પામેલા જીવને અનંતાનુબંધીનો ઉદય થાય તો તે જીવ નિયમા સાસ્વાદન-મિથ્યાત્વભાવને જ પામે છે માટે મિત્રે અનંતાનુબંધીનો ઉદય સંભવતો નથી. સ્થાવર નામકર્મનો ઉદય એકેન્દ્રિય જીવોમાં જ હોય છે અને એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જાતિનો ઉદય અનુક્રમે એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જીવોને જ હોય છે. ત્યાં મિશ્ર કે સમ્યક્ત્વ ગુણસ્થાનક સંભવતું નથી. કારણ કે મિશ્ર કે સમ્યક્ત્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ પામે છે. માટે આ નવ પ્રકૃતિઓનો બીજા ગુણઠાણાના છેડે ઉદયવિચ્છેદ થાય છે તથા- || ૧૪ || मीसे सयमणुपुवी - णुदया मीसोदएण मीसंतो । चउसयमजए सम्मा-णुपुव्विखेवा बियकसाया ॥ १५ ॥ (मिश्रे शतमानुपूर्व्यनुदयान्मिश्रोदयेन मिश्रान्तः । चतुः शतमयते सम्यगानुपूर्वीक्षेपाद् द्वितीयकषायाः ) શબ્દાર્થ- મીત્તે = મિશ્રગુણઠાણે, સયં = સો પ્રકૃતિઓનો ઉદય હોય છે, અનુપુથ્વીનુયા = આનુપૂર્વીનો અનુદય થવાથી, મીસોળ મિશ્રમોહનીયનો ઉદય થવાથી, મીસંતો = મિશ્રમોહનીયનો અન્ત થાય છે, વડસયં એકસો ચારનો ઉદય હોય છે, અજ્ઞ = અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે, સમ્માળુપુત્રિદેવા = સમ્યક્ત્વમોહનીય અને ચાર આનુપૂર્વી ઉમેરવાથી, વિયસાયા બીજો કષાય. ૭ *** = 6) = Page #99 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- ત્રણ આનુપૂર્વાનો અનુદય થવાથી અને મિશ્રમેહનીયનો ઉદય થવાથી મિશ્ર ગુણઠાણે ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તથા મિશ્ર ગુણઠાણાના છેડે મિશ્રમોહનીયના ઉદયનો અંત થાય છે અને સમ્યકત્વ મોહનીય તથા ચાર આનુપૂર્વીનો ઉદય ઉમેરાય છે જેથી અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે ૧૦૪ નો ઉદય થાય છે ત્યાં બીજો કષાય તથા- / ૧પ છે વિવેચન- સાસ્વાદન ગુણસ્થાનકે નરકાનુપૂર્વીને અનુદય પૂર્વે કહેલો હોવાથી આ ગાથામાં કહેલા “અજુપુત્રી'' શબ્દથી તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી સમજવી. એમ ત્રણ આનુપૂર્વીનો ઉદય મિશ્રગુણઠાણે હોતો નથી. આગળ ચોથા ગુણઠાણે ઉદય આવવાનો છે એટલે આ ત્રણનો ઉદયવિચ્છેદ ન કહેતાં અનુદય કહેલ છે. મિશ્રગુણઠાણે વર્તનારો જીવ ચાર કાર્યો કરતો નથી, તેમાં મૃત્યુ પામતો નથી એ વાત પણ આવી ચૂકી છે. અને મૃત્યુ વિના પરભવગમન અને આનુપૂર્વી ઉદય સંભવતો નથી. ન સમ્મમ છો કુળ શાન્ત આવું શાસ્ત્રવચન છે. અને આ મિશ્રદષ્ટિ ગુણસ્થાનક છે એટલે મિશ્રમોહનીયનો ઉદય નિયમ હોય છે માટે સાસ્વાદને જે ૧૧૧ ઉદયમાં છે તેમાંથી ૯ નો ઉદય વિચ્છેદ, ૩ નો અનુદય એમ ૧૨ દૂર કરાય છે અને ૧ મિશ્ર મોહનીય ઉમેરાય છે જેથી ૧૧૧ ૧૨=૯૯+૧=૧૦૦નો ઉદય ત્રીજે હોય છે. ત્રીજે ગુણસ્થાનકે જે ૧૦૦-પ્રકૃતિઓનો ઉદય છે, તેમાંથી ૧ મિશ્રમોહનીયનો ઉદયવિચ્છેદ અને સમ્યકત્વ મોહનીય તથા ચાર આનુપૂર્વીનો ઉદય ઉમેરવાથી ચોથે ગુણઠાણે ૧૦૮–૧=૯૯+૫=૧૦૪નો ઉદય હોયછે. મિશ્રમોહનીયનો ઉદય મિશ્રગુણઠાણે જ હોય, અને સમ્યકત્વમોહનીયનો ઉદય ૪થી ગુણઠાણે જ હોય તેથી મિશ્રનો ઉદય અહીં ચોથે ગુણઠાણે દૂર કરાય છે અને સમ્યકત્વમોહનીયનો ઉદય ઉમેરાય છે. તથા ચોથે ગુણઠાણે મૃત્યુનો યોગ છે. જીવ મરીને નરક આદિ ચારે ગતિમાં જઇ શકે છે, તેથી ચાર આનુપૂર્વીને ઉદય હોઇ શકે છે. માટે ચોથે ૧૦૪ નો ઉદય છે. For Private & Personal Use Ortly Page #100 -------------------------------------------------------------------------- ________________ 'ત્રીજે કમસ્તવ કર્મવાર વિચારીએ તો ત્રીજે ગુણઠાણે મોહનીયકર્મમાં ૪ અનંતાનુબંધી ઓછી થાય છે અને ૧ મિશ્રમોહનીય ઉમેરાય છે. બાકીની સ્થાવર-એકેન્દ્રિય-વિકલેન્દ્રિયત્રિક અને ત્રણ આનુપૂવી એમ ૮ નામકર્મમાંથી જ ઓછી થાય છે. ચોથે ગુણઠાણે મોહનીયમાં ૧ ઓછી થાય છે અને ૧ (સમ્યકત્વમોહનીય) ઉમેરાય છે. જેથી સંખ્યા સરખી જ રહે છે. અને નામકર્મમાં ૪ આનુપૂર્વી ઉમેરાય છે. ગુણસ્થાનક | શના. દર્શ. વિદ. મોહ. આ. નામગોત્ર અં. કુલ | | ૫ | ૯ | ૨ | ૨૨ | ૪ | પ૧ | ૨ | પ૧૦ | ચોથે | ૫ | ૯ | ર | ૨૨ | ૪ | પપ | ૨ | ૫૧૦૪ ચોથા ગુણસ્થાનકના અંતે બીજા પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય વિચ્છેદ થાય છે. કારણ કે આ બીજો કષાય દેશવિરતિનો ઘાતક છે. તેથી આ કષાયનો ઉદય હોય ત્યાં દેશવિરતિ ન આવે, અને દેશવિરતિ આવે ત્યારે આ કષાયનો ઉદય ન હોય. માટે ચારકષાય ઓછા કરવા. તથા / ૧પો. मणुतिरिणुपुव्वि विउवट्ठ, दुहग अणाइजदुग सतरछेओ । सगसीइ देसि तिरिगइ, आउ निउज्जोय तिकसाया ॥ १६ ॥ (मनुज-तिर्यगानुपूर्वी-वैक्रियाष्टकं, दुर्भगं, अनादेयद्विकं सप्तदशच्छेदः । सप्ताशीतिर्देशे तिर्यग्गत्यायुर्नीचोद्योततृतीयकषायाः) શબ્દાર્થ= મજુતિરિણુપુત્રિ = મનુષ્ય-તિર્યંચની આનુપૂર્વી, વિડવ = વૈક્રિય અષ્ટક, ટુરા = દૌર્ભાગ્ય, ગાડું નવું = અનાદેઢિક, અતિરે છેમો = એમ ૧૭ પ્રકૃતિઓનો છેદ થાય છે, સાક્ષીરું = સત્યાશી પ્રકૃતિઓ, રેસ = દેશવિરતિ ગુણઠાણે તિરા બોર્ડ = તિર્યંચગતિ અને તિર્યંચ આયુષ્ય, નિરજનોએ = નીચગોત્ર અને ઉદ્યોતનામકર્મ, તિલીયા = ત્રીજો કષાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧0 દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, વૈક્રિય અષ્ટક, દૌર્ભાગ્ય, અને અનાદેદ્રિક એમ કુલ ૧૭ પ્રકૃતિના ઉદયને વિચ્છેદ ચોથાના અંતે થાય છે જેથી દેશવિરતિગુણઠાણે ૮૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. ત્યાં દેશવિરતિ ગુણઠાણે તિર્યંચગતિ-તિર્યંચાયુષ્ય-નીચગોત્રઉદ્યોતનામકર્મ તથા ત્રીજા કષાયના ઉદયનો વિચ્છેદ થવાથી- I/૧૬I વિવેચન- મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીને ઉદય મનુષ્ય - તિર્યંચના ભવમાં જતાં વિગ્રહગતિમાં આવે છે અને વિગ્રહગતિમાં જીવ નિયમા અવિરત જ હોય છે. કારણ કે દેશવિરતિનાં અણુવ્રતોનું પચ્ચકખાણ અને સર્વવિરતિનાં મહાવ્રતોનું પચ્ચકખાણ માત્ર યાજજીવ” સુધીનું જ હોય છે. તેથી દેશવિરતિ-સર્વવિરતિવાળાં ગુણસ્થાનક ભવસ્થ જીવને આઠવર્ષની ઉમર પછી જીવે ત્યાં સુધી જ હોય છે પરંતુ વિગ્રહગતિમાં હોતાં નથી. અને ભવમાં વર્તનારાને આનુપૂર્વીનો ઉદય હોતો નથી. તથા વૈક્રિય અષ્ટક (દેવત્રિક-નરકત્રિક-અને વૈક્રિયદ્રિક) નો ઉદય પણ દેશવિરતિ ગુણઠાણે હોતો નથી. કારણ કે દેવ-નારકીનો ભવ વિરતિ વિનાનો જ હોય છે. અને ત્યાં જ આ આઠ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેથી પાંચમે ગુણઠાણે આ આઠનો ઉદય હોતો નથી. પ્રશ્ન- દેશવિરતિ ગુણસ્થાનકે વર્તતા શ્રાવક-શ્રાવિકા જો વૈક્રિયલબ્ધિવાળા હોય તો અંબડશ્રાવકની જેમ વૈક્રિય શરીર બનાવી શકે છે. તે વખતે પાંચમે ગુણઠાણે વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગ નામકર્મનો ઉદય સંભવી શકે છે તો તે બેનો વિચ્છેદ કેમ કહો છો ? ઉત્તર- મનુષ્ય-તિર્યચોમાં લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે, પરંતુ ઘણું કરીને તે લબ્ધિ ચાર ગુણસ્થાનક સુધીના જીવોમાં જ હોય છે. અને અંબડશ્રાવક-વિષ્ણુકુમાર-સ્થૂલિભદ્રજી આદિને પાંચમા-છઠ્ઠા ગુણઠાણે પણ વૈક્રિયલબ્ધિ હોવાનો શાસ્ત્રપાઠ છે તથાપિ તે ક્યારેક જ અને કોઇકને જ હોય છે તેથી પૂર્વાચાર્યોએ તેની વિવક્ષા કરી નથી માટે અમે પણ અહીં લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીરની વિવક્ષા કરી નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૦૧ અહીં દેવ-નારકીના ભવપ્રત્યયિક વૈક્રિયની જ વિવક્ષા કરી છે અને તે ચોથા ગુણઠાણા સુધી જ છે પાંચમે નથી. દુર્ભાગ, અનાદેય, અને અપયશ, આ ત્રણ અશુભપ્રકૃતિઓ છે. પાંચમું ગુણસ્થાનક વિરતિયુક્ત હોવાથી એટલું બધું વિશુદ્ધ છે કે તે ગુણના પ્રભાવથી ઉપરોક્ત અશુભનો ઉદય અહીં ટકતો નથી. એમ કુલ ૧૭ નો ઉદયવિચ્છેદ ચોથાના અંતે થાય છે માટે પાંચમે ૮૭નો ઉદય હોય છે. તથા પાંચમા ગુણઠાણાના અંતે તિર્યંચગતિ, તિર્યંચ આયુષ્ય, નીચગોત્ર, ઉદ્યોતનામકર્મ, અને ત્રીજો કષાય એમ કુલ ૮ નો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે તિર્યંચગતિ આદિ પ્રથમની ચારપ્રકૃતિઓ તિર્યંચભવને યોગ્ય છે માટે તિર્યંચગતિમાં જ ઉદયમાં આવે છે અને તિર્યંચગતિમાં ફક્ત પાંચ જ ગુણસ્થાનક છે. મહાવ્રતવાળું છઠ્ઠું ગુણસ્થાનક ત્યાં નથી, તેથી છઠ્ઠ ગુણઠાણે તિર્યંચગતિ આદિ ચારેયનો ઉદય સંભવતો નથી. તથા ત્રીજો કષાય સર્વવિરતિનો ઘાતક છે. માટે સર્વવિરતિ આવે ત્યારે ત્રીજા કષાયનો ઉદય સંભવતો નથી. એમ ૮૭માંથી આઠનો ઉદયવિચ્છેદ થવાથી છઠ્ઠ ગુણઠાણે ૭૯ નો ઉદય થવો જોઇએ પરંતુ આહારકદ્વિકનો ઉદય અહીં ચૌદપૂર્વધારી સાધુને સંભવે છે માટે બેનો ઉદય ઉમેરતાં છઠ્ઠ કુલ ૮૧નો ઉદય થાય છે, તે જ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે. ॥ ૧૬॥ अट्ठच्छेओ इगसी, पमत्ति आहारजुगलपक्खेवा । थीणतिगाहारगदुगछेओ, छस्सयरि अपमत्ते ॥ १७ ॥ (अष्टच्छेद एकाशीतिः प्रमत्ते आहारकयुगलप्रक्षेपात् । स्त्यानर्द्धित्रिकाहारकद्विकच्छेदः षट्-सप्ततिरप्रमत्ते) શબ્દાર્થ= અનુચ્છે = આઠનો ઉદયવિચ્છેદ, રૂસી એક્યાશીનો ઉદય, પત્તિ = પ્રમત્તગુણઠાણે, આહારનુ તપવુંવા = આહારક યુગલનો પ્રક્ષેપ કરવાથી, થીતિIFTરાવુ અને આહારક ટ્રિકનો વિચ્છેદ થવાથી, ઇસરિ ઉદય, અપમત્તે = અપ્રમત્ત ગુણઠાણે હોય છે. = છે = થીણદ્વિત્રિક, છોંતેર પ્રકૃતિઓનો = Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- ઉપરોક્ત આઠનો ઉદયવિચ્છેદ થવાથી અને આહારક યુગલનો પ્રક્ષેપ થવાથી પ્રમત્તગુણઠાણે એક્યાશીનો ઉદય હોય છે. અને થીણદ્વિત્રિક તથા આહારકદ્વિકનો ઉદયવિચ્છેદ થવાથી અપ્રમત્તગુણઠાણે છોતેર પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે ૧૭ | વિવેચન- તિર્યંચગતિ આદિ ચાર પ્રકૃતિઓ તિર્યંચના ભવને યોગ્ય છે માટે, અને ત્રીજો કષાય સર્વવિરતિનો ઘાતક છે માટે છટ્ટ ગુણઠાણે આ આઠ પ્રકૃતિઓ ઉદયમાં હોતી નથી તેથી તે આઠનો પાંચમાના અત્તે ઉદય વિચ્છેદ થાય છે. પરંતુ છઠ્ઠા ગુણઠાણે ચૌદ પૂર્વોને ભણેલ મુનિ મહાત્મા પોતાના પ્રશ્નો પુછવા અથવા તીર્થકર પ્રભુનાં દર્શન કરવા અન્ય ક્ષેત્રમાં જવા માટે આહારક શરીર બનાવે છે તેથી આહારક શરીર અને આહારક અંગોપાંગ એમ યુગલ (બે પ્રકૃતિઓ) નો પ્રક્ષેપ કરવાથી કે ગુણઠાણે કુલ ૮૭-૮=૭૯ + ૨ = ૮૧ નો ઉદય હોય છે. પ્રશ્ન- તિર્યંચગતિ આદિ પ્રથમની ચાર પ્રકૃતિઓ તિર્યંચભવ યોગ્ય કહી તે બરાબર નથી. નીચગોત્રનો ઉદય મનુષ્યગતિમાં પણ ચંડાલાદિમાં સંભવી શકે છે. ઉદ્યોતનો ઉદય વૈક્રિય-આહારકની રચના કરનારા મુનિને હોય છે તથા દેવોને પણ હોય છે. તે પ્રથમકર્મગ્રંથાદિમાં કહ્યું છે. (છઠ્ઠા કર્મગ્રંથના ભાગોમાં પણ આવે છે). ઉત્તર- નારકી અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. તેથી નીચગોત્રને તિર્યંચયોગ્ય છે એમ ઉપર કહ્યું છે. પરંતુ નીચગોત્રનો ઉદય નરક-તિર્યંચોને જ હોય છે એવો નિયમ નથી. તેથી મનુષ્યોમાં પણે ચંડાલાદિમાં નીચગોત્રનો ઉદય હોઈ શકે છે. તથાપિ તેઓ જ્યારે દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ સ્વીકારે, ત્યારે વિરતિના પ્રતાપે નીચગોત્રનો ઉદય અટકી જાય છે અને ઉચ્ચગોત્રનો જ ઉદય શરૂ થાય છે માટે મનુષ્યમાં પાંચ-છરે ગુણઠાણે નીચગોત્રનો ઉદય સંભવતો નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૦૩ પ્રશ્ન- જો વિરતિના પ્રભાવે નીચનો ઉદય અટકી ઉચ્ચનો ઉદય શરૂ થતો હોય તો તિર્યંચગતિમાં પણ દેશવિરતિ સ્વીકારે ત્યારે મનુષ્યોની જેમ જ નીચગોત્રનો ઉદય અટકી ઉચ્ચનો ઉદય શરૂ થવો જોઇએ અને તે કારણથી છઠ્ઠા ગુણઠાણાની જેમ જ પાંચમા ગુણઠાણે પણ નીચનો ઉદય ન કહેવો જોઇએ? ઉત્તર- તિર્યંચગતિમાં ભવસ્વભાવે જ નીચગોત્રનો ઉદય ધ્રુવોદયી છે. તેથી દેશવિરતિ ગ્રહણ કરવા છતાં નીચનો ઉદય અટકતો નથી પરંતુ નીચગોત્રનો જ ઉદય ચાલુ રહે છે. સ્વોપજ્ઞ ટીકામાં ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે. કે નીચૈત્ર તુ તિર્યરતસ્વામીવ્યાત્ ધ્રુવોય न परावर्तते, ततश्च देशविरतस्यापि तिरश्चो नीचैर्गोत्रोदयोऽस्त्येव, मनुजेषु पुनः सर्वस्य देशविरतादेर्गुणिनो गुणप्रत्ययादुच्चैर्गोत्रमेवोदेतीत्युत्तरत्र नीचैर्गोत्रोदयाभावः । તથા ઉદ્યોતનો ઉદય જો કે વૈક્રિય-આહારક શરીરની રચના કરનારા મુનિને તથા દેવોને પણ હોય છે પરંતુ તે અતિઅલ્પ છે. તથા જન્મજાત મૂલ ઔદારિક શરીરમાં નથી અને તિર્યંચગતિમાં મૂલ ઔદારિક શરીરમાં છે. તેથી અલ્પતા આદિ કારણોને લીધે તે ઉદ્યોતના ઉદયની અહીં પૂર્વાચાર્યોએ વિવક્ષા કરી નથી. અને દેવોને તો ફક્ત ચાર જ ગુણસ્થાનક છે. પાંચમું છે જ નહીં * આ પ્રમાણે આઠ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. અને આહારદ્ધિક ઉમેરાય છે જેથી છકે ગુણઠાણે ૮૧ નો ઉદય જાણવો. - છઠ્ઠ ગુણસ્થાનક પ્રમાદ અવસ્થાવાળું છે અને સાતમું ગુણસ્થાનક અપ્રમાદ અવસ્થાવાળું છે. તેથી થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક એમ કુલ પાંચ પ્રકૃતિઓનો ઉદય છેકે ગુણઠાણે હોય છે પરંતુ સાતમા ગુણઠાણે હોતો નથી. કારણ કે થીણદ્વિત્રિકનો (નિદ્રાનિદ્રાપ્રચલાપ્રચલા અને થીણદ્ધિ એમ ત્રણનો) ઉદય અતિશય પ્રમાદવાળી અવસ્થા છે. તથા આહારકશરીરની રચના કરનાર મુનિ મહાવિદેહક્ષેત્રમાં જવાની ઉત્સુકતા વાળા હોવાથી પ્રમાદવાળી અવસ્થા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દ્વિતીય કર્મગ્રંથ છે. માટે સાતમે અપ્રમત્ત ગુણઠાણે આ પાંચ પ્રકૃતિઓનો ઉદય સંભવતો નથી. શાસ્ત્રોમાં કોઇ કોઇ સ્થાને એમ પણ આવે છે કે સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત હોવાથી નવા વૈક્રિયશરીરની કે આહારકશરીરની રચનાનો પ્રારંભ કરતા નથી. પરંતુ છઢે ગુણઠાણે વર્તતા મુનિએ વૈક્રિય-આહારકની રચના કરી હોય તો તે શરીર સંબંધી સર્વપર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી આહારકશરીર અને આહારક અંગોપાંગનો (તથા વૈક્રિયદ્વિકનો) ઉદય સાતમે ગુણસ્થાને સંભવી શકે છે પરંતુ તેવું બહુ જ ક્વચિત્ જ બને છે માટે અલ્પ હોવાથી પૂર્વાચાર્યોએ અવિવક્ષા કરી છે. એમ સ્વયં ખુલાશો સમજી લેવો. આઠે કર્મની પ્રકૃતિઓ આ પ્રમાણે હોય છે. । ૧૭ | ગુણસ્થાનક જ્ઞાના. દર્શ. વેદ મોહ. આયુ. નામ. ગોત્ર. અંત. કુલ પાંચમે ૫ ર ૧૮ ૨ ૪૪ ૨ ૫ ૮૭ છત્રે ૧૪ ૧ ૪૪ ૧ ૫ ૮૧ સાતમે ૧૪ ૧ ૪૨ ૧ ૫ ૭૬ ૫ \) ૯ હવે આઠમા-નવમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય? તે કહે છે. सम्मत्तंतिमसंघयणतियगच्छेओ बिसत्तरि अपुव्वे । हासाइछक्कअंतो, छसट्ठि अनियट्टिवेयतिगं ॥ १८ ॥ (सम्यक्त्वान्तिमसंहननत्रिककच्छेदो द्वासप्ततिरपूर्वे । हास्यादिषट्कान्तः षट्षष्टिरनिवृत्तौ वेदत्रिकम् ) = જ | જ શબ્દાર્થ=સમ્મત્ત = સમ્યક્ત્વમોહનીય, અંતિમસંષયતિયાન્ઝેગો = અન્તિમ સંધયણ ત્રણનો છેદ થાય છે. તેથી વિસત્તર = બોંતેર પ્રકૃતિઓ પુજે અપૂર્વકરણ ગુણઠાણે, દાસાફ જીવવ ંતો = હાસ્યાદિષટ્કનો અંત થાય છે છă = છાસઠ, અનિયટ્ટિ = અનિવૃત્તિ ગુણઠાણે, વૈયતિમાં = વેદત્રિક. - Page #106 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૦૫ ગાથાર્થ- સમ્યકત્વમોહનીય અને અંતિમ ત્રણ સંઘયણ, એમ ચારનો ઉદયવિચ્છેદ થવાથી અપૂર્વકરણ ગુણઠાણે બોતેરનો ઉદય હોય છે. અને હસ્યાદિ ષકનો અંત થવાથી નવમે ગુણઠાણે છાસઠનો ઉદય હોય છે. ત્યાં વેદત્રિક તથા- || ૧૮ | - વિવેચન- સમ્યક્ત્વ મોહનીય અને અર્ધનારાચ-કાલિકા-છેવહૂં એમ ૩ સંઘયણ, કુલ ચાર પ્રકૃતિઓનો ઉદય અપ્રમત્ત ગુણઠાણાના અંતે વિચ્છેદ પામે છે તેથી અપૂર્વકરણ ગુણઠાણે ૭૨ નો ઉદય હોય છે. કારણ કે અપૂર્વકરણ ગુણસ્થાનકથી શ્રેણી શરૂ થાય છે. ત્યાં દર્શન સતકનો કાં તો ઉપશમ કરીને જવાય છે કાંતો ક્ષય કરીને જવાય છે. તેથી જ સમ્યકત્વ મોહનીયનો ઉદય સાત ગુણસ્થાનક સુધી જ હોય છે. અન્તિમ ત્રણ સંઘયણવાળા જીવોને તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ હોવાથી જ તેઓ શ્રેણીમાં ચડવાને શક્તિમાન નથી માટે આઠમે ગુણઠાણે અન્તિમ ત્રણ સંઘયણનો ઉદય સંભવતો નથી. એમ મોહનીયમાંથી ૧ અને નામકર્મમાંથી ૩નો ઉદય ઓછો થાય છે. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના અંતે હાસ્યાદિષકનો પણ ઉદય વિચ્છેદ થાય છે જેથી નવમા અનિવૃત્તિકરણ ગુણઠાણે ૭૨૬ = ૬૬ નો ઉદય હોય છે. આ ગુણસ્થાનકવર્તી જીવો અતિવિશુદ્ધ હોવાથી તેઓને હાસ્યાદિ પક્નો ઉદય સંભવતો નથી. આઠમાં ગુણસ્થાનકથી આગળ વધતા જીવોમાં વીતરાગ પરમાત્મા પ્રત્યેનો રાગ, અને કર્મ-શરીર આદિ પ્રત્યેને વૈષ કે જે વ્યવહારથી પ્રશસ્ત રાગ-દ્વેષ કહેવાય છે, તે પણ ઉદયમાંથી દૂર થતો જાય છે. નવમા ગુણઠાણે આવા પ્રશસ્ત રાગ-દ્વેષાદિના ઉદયનો સર્વથા અભાવ જ હોય છે. કારણ કે અપ્રશસ્તને દૂર કરવા પ્રશસ્તનું આલંબન માત્ર જ ઉપકારી હતું. અન્ત તો તે પણ હય જ છે. પગમાં વાગેલા કાંટાને કાઢવા સોય નાખવી ઉપકારી છે. પરંતુ અત્તે તો સોય પણ કાઢી જ નાખવાની હોય છે. આ રીતે નવમા ગુણઠાણે મોહનીયમાંથી ૬ ઓછી થાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ • દ્વિતીય કર્મગ્રંથ નવમા ગુણઠાણેથી દસમા ગુણઠાણે જતાં વેદત્રિક તથા સંજ્વલન ક્રોધ-માન-માયાનો ઉદય નીકળી જાય છે તે વાત આગળની ગાથા સાથે સંબંધવાળી છે. તેથી આગળની ગાથામાં સમજાવીશું ૧૮ संजलणतिगं छछेओ, सट्टि सुहुमंमि तुरियलोभंतो । उवसंतगुणे गुणसट्ठि, रिसहनारायदुगअंतो ॥ १९ ॥ (संज्वलनत्रिकं षट्छेदः, षष्टिः सूक्ष्मे तुरीयलोभान्तः । उपशान्तगुण एकोनषष्टिः ऋषभनाराचद्विकान्तः) શબ્દાર્થ = સંગનતિi = સંજવલનત્રિક, છછેaછનો છેદ થાય છે, સુદુifમ =સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે, તુરિયો ખેતી = ચોથા સંજ્વલન લોભનો અંત થાય છે, ૩વસંતકુળ = ઉપશાન્ત ગુણસ્થાનકે, સુષ્ટિ = ઓગણસાએઠ. રિસદારામંતો = ઋષભનારાચદ્ધિકનો અંત થાય છે. ગાથાર્થ- (વેદત્રિક તથા)સંજ્વલનત્રિક એમ છ નો છેદ થવાથી સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકે સાએઠનો ઉદય હોય છે. ત્યાં સંવલનલોભનો અંત થવાથી ઓગણસાએઠનો ઉદય ઉપશાન્તમોહ ગુણઠાણે હોય છે. ત્યાં ઋષભનારાદિકનો અંત થવાથી (બારમે પ૭ નો ઉદય હોય છે) ૧૯ || વિવેચન- નવમા ગુણસ્થાનકમાં વર્તતા જીવોને પ્રથમ ત્રણવેદનો ઉદય અને પછી સંજવલન ક્રોધ-માન-માયા એમ ત્રણ કષાયનો ઉદય વિચ્છેદ પામે છે પરિણામની ધારા અતિશય અતિશય વિશુદ્ધ થતી જતી હોવાથી અને શ્રેણીના કારણે મોહનો પરાભવ જ થતો જતો હોવાથી મોહનીય કર્મની પ્રકૃતિઓ ઉદયમાંથી નીકળતી જાય છે. તેમાં પણ સ્વપજ્ઞટીકામાં આટલી વિશેષતા જણાવેલી છે કે જો શ્રેણીનો પ્રારંભક સ્ત્રીજીવ હોય તો તો પ્રથમ સ્ત્રીવેદનો ઉદય ટળે છે પછી અનુક્રમે પુરુષવેદનો, નપુંસકવેદનો, અને સંજ્વલનત્રિકનો ઉદય અટકે છે. શ્રેણીનો પ્રારંભક જો પુરૂષજીવ હોય તો પ્રથમ પુરુષવેદનો ઉદય અટકે છે. ત્યારબાદ અનુક્રમે સ્ત્રીવેદ, નપુંસકવેદ અને સંજવલનત્રિકનો ઉદય અટકે છે. એ જ પ્રમાણે શ્રેણીનો પ્રારંભક જો Page #108 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૦૭ નપુંસકજીવ હોય તો પ્રથમ નપુંસકવેદનો ઉદય અટકે છે ત્યારબાદ સ્ત્રીવેદ-પુરૂપવેદ અને સંજવલનત્રિકનો ઉદય વિચ્છેદ થાય છે. નવા ગુણસ્થાનકથી દસમે ગુણસ્થાનકે જતાં ઉપર કહ્યા મુજબ ૩ વેદ અને (૩) સંજ્વલનત્રિકનો ઉદય વિચ્છેદ થવાથી શેષ ૬૦ નો ઉદય હોય છે. દસમા ગુણસ્થાનકથી અગિયારમા ગુણઠાણે જતાં ૫૯ નો ઉદય હોય છે અગિયારમું ગુણસ્થાનક સર્વથા મોહના ઉપશમવાળું હોવાથી બાકી રહેલ લોભનો ઉદય પણ દસમાના છેડે ટાળીને અહીં આવે છે. ત્યારબાદ અગિયારમા ગુણઠાણાના અંતે બીજા-ત્રીજા (ઋષભનારા અને નારાચ એમ બે) સંઘયણનો ઉદય અટકી જાય છે. જેથી બારમા ગુણઠાણે પ૭ નો ઉદય હોય છે. કારણ કે ઉપશમશ્રેણી પ્રથમના ત્રણ સંઘયણ વાળો જીવ પ્રારંભે છે અને ક્ષપકશ્રેણી માત્રા પ્રથમ સિંઘયણ વાળો જ પ્રારંભે છે. અગિયારમા ગુણસ્થાનક સુધી જ ઉપશમશ્રેણી હોય છે. બારમા ગુણસ્થાનકે માત્ર ક્ષપકશ્રેણી જ હોય છે તેથી પ્રથમ સંઘયણનો જ ઉદય હોય છે. માટે બીજા-ત્રીજા સંઘયણનો ઉદય અટકી જાય છે અગિયારમે પ૯ અને તેમાંથી બે સંઘયણ બાદ કરતાં બારમે પ૭ ઉદયમાં હોય છે એમ ઉપર જે કહ્યું. ત્યાં અગિયારમે ૫૯ હોય, અને ક્ષપકશ્રેણિમાં ચડીને બારમે જનારને પ૭ હોય એમ સમજવું. પરંતુ અગિયારમેથી બારમે જાય છે એમ ન સમજવું. કારણ કે ઉપશમ શ્રેણિવાળો નિયમો પડે જ છે. ત્યાંથી બારમે જતો નથી. || ૧૦ || એકેક કર્મની પ્રકૃતિઓની સંખ્યા આ પ્રમાણે જાણવી. | ગુણસ્થાનક જ્ઞાના. દર્શ. વિદ, મોહઆયુ નામ ગોત્ર અંતકુલ, | આઠમે | ૫ | ૬ | ર ]૧૩ | ૧ | ૩૦ | ૧ | ૫ | 9 | | નવમે | ૫ | ૬ | ર | 9 | ૧ | ૩૯ | ૧ | ૫ | ૬૬ દસમે | ૫ | ૬ | ૨ | ૧ | ૧ | ૩૯ ૧ | ૫ | ૬૦| અગિયારમે | ૫ | દ | ર | 0 | ૧ રૂ| ૧ | ૫ | પ૦ બારમે | ૫ | ૬ | ૨ | ૯ | ૧ | 39 | ૧ | પ પપપ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દ્વિતીય કર્મગ્રંથ सगवन्न खीण दुचरमि निद्ददुगंतो अ चरमि पणपन्ना । नाणंतरायदंसणचउ, छेओ सजोगि बायाला ॥ २० ॥ (सप्तपञ्चाशत् क्षीणविचरमे, निद्राद्विकान्तश्च चरमे पञ्चपञ्चाशत् । ज्ञानान्तरायदर्शनचतुश्छेदः सयोगिनि द्विचत्वारिंशत्) શબ્દાર્થ= સાવન = સત્તાવન, વીજળ,વરમ = ક્ષીણમાં ગુણસ્થાનકના દ્વિચરમસમયે,નિદડુતો = નિદ્રાદ્ધિકને અંત થાય છે, અ= અને, વરમ = છેલ્લાસમયમાં, પપપન્ના = પંચાવનનો ઉદય હોય છે, નાપાંતરતિંસ૩ = જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, એમ ચૌદનો છે = છેદ થાય છે, અની િસયોગિ ગુણઠાણે, વીયાના = બેંતાલીસનો ઉદય હોય છે. ગાથાર્થ- ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી ૫૭ નો ઉદય હોય છે. ત્યાં નિદ્રાહિકનો અંત થવાથી ચરમ સમયે પંચાવનનો ઉદય હોય છે. ચરમ સમયે જ્ઞાનાવરણીયની પાંચ, અંતરાયની પાંચ, અને દર્શનાવરણીયની ચાર એમ ચૌદનો ઉદયવિચ્છેદ થવાથી (અને તીર્થકર નામકર્મ ઉદયમાં આવવાથી) ૪ર નો ઉદય સયોગિએ હોય છે. || ૨૦ || વિવેચન- અગિયારમા ગુણસ્થાનકે જે પ૯ પ્રકૃતિઓનો ઉદય છે. તેમાંથી બીજા અને ત્રીજા સંઘયણના ઉદયનો અંત થવાથી બારમા ગુણઠાણાના પ્રથમસમયથી દ્વિચરમ સમય સુધી ૫૭નો ઉદય હોય છે. અને દ્વિચરમ સમયે (અન્તિમ સમયની પૂર્વનો સમય તે દ્વિચરમ સમય કહેવાય છે. અથવા તેને ઉપાસ્ય સમય પણ કહેવાય છે તે સમયે) નિદ્રા તથા પ્રચલાનો ઉદય વિચ્છેદ થવાથી ચરમસમયે પંચાવનનો ઉદય હોય છે. બારમાં ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, અને દર્શનાવરણીય કર્મની ચાર એમ કુલ ૧૪નો ઉદયવિચ્છેદ થાય છે Page #110 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ ૧૦૯ ૫૫ માંથી ૧૪ જાય તો ૪૧ નો ઉદય થવો જોઇએ પરંતુ તેમા ગુણઠાણે તીર્થંકર ભગવન્તો કેવળજ્ઞાન પામે છે ત્યારે તીર્થકરનામ કર્મનો ઉદય શરૂ થાય છે. જે આગળની ગાથામાં કહેવામાં આવશે, તે ઉમેરતાં કુલ ૪૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. આ ૪રમાં ઘાતકર્મ ચારે નાશ પામેલ હોવાથી માત્ર ચાર અઘાતીનો જ ઉદય હોય છે. વેદનીય ૨, આયુષ્ય ૧, નામકર્મ ૩૮, અને ગોત્રકમ ૧ એમ ૪૨ નો ઉદય તેરમે ગુણઠાણે હોય છે. જે ર૦ || तित्थुदया उरलाथिर-खगइदुग-परित्ततिग-छ-संठाणा । अगुरुलहुवन्नचउ-निमिण-तेयकम्माइसंघयणं ॥ २१ ॥ (तीर्थोदयादौदारिकास्थिरखगतिविकप्रत्येकत्रिकषट्संस्थानानि । अगुरुलघुवर्णचतुष्क-निर्माणतेजः कर्मादि संहननम्) શબ્દાર્થ= તિસ્થય = તીર્થંકરનામકર્મનો ઉદય થવાથી, ૩રત્નાથાદુ = ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પરિતિક =પ્રત્યેકત્રિક, સંતાપ = છ સંસ્થાન,મયુરધુવન૩ = અગુરુલઘુચતુષ્ક અને વર્ણ ચતુષ્ક, નિખ = નિમાર્ણનામકર્મ, તૈયારૂäથયાં = તૈજસ-કાર્પણ અને પ્રથમસંઘયણ. ગાથાર્થ તીર્થકર નામકર્મનો ઉદય ઉમેરવાથી તેરમે ૪રનો ઉદય થાય છે. તેરમાના ચરમ સમયે ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પ્રત્યકત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ તેજસ, કાર્મણ, તથા પ્રથમ સંઘયણ વગેરે આગળની ગાથામાં જણાવે છે તે સાથે ૩૦ નો ઉદયવિચ્છેદ થાય છે). | ૨૧ || વિવેચન- બારમા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ અંતરાય પાંચ અને દર્શનાવરણીય ૪ એમ કુલ ૧૪ નો ઉદયવિચ્છેદ થાય છે પરંતુ તીર્થંકર નામકર્મને ઉદય (તીર્થકર ભગવત્તાના આત્માને) શરૂ થાય છે માટે ૧૪ ઓછી કરતાં અને એક ઉમેરતાં તેરમે ગુણઠાણે કુલ ૪ર પ્રકૃતિઓનો ઉદય હોય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ તેરમા ગુણઠાણાના અંતે ૨૯ નામકર્મની અને ૧ વેદનીયની એમ બન્ને મળીને ૩૦ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. જેથી ચૌદમે ગુણઠાણે ૧૨ નો ઉદય હોય છે. હવે તે ૨૯ નામકર્મની અને ૧ વેદનીયની કઇ કઇ તેરમાના અંતે ઉદયમાંથી જાય છે. તે ગ્રંથકારશ્રી ગણાવે છે- ઔદારિક દ્વિક, અસ્થિરદ્વિક, ખગતિદ્રિક, (ગાથામાંનો ટુ શબ્દ આ ત્રણેમાં જોડવો), પ્રત્યેકત્રિક (પ્રત્યેક-સ્થિર-શુભ), છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણનામકર્મ, તૈજસ, કાર્મણ, પ્રથમસંઘયણ, એમ સત્તાવીસ તથા વળી. ॥ ૨૧ ॥ ૧૧૦ दूसर सूसर साया - साएगयरं च तीस वुच्छेओ । बारस अजोगि सुभगा इज्ज जसन्नयरवेयणीयं ॥ २२ ॥ ( दुःस्वरसुस्वर सातासातैकतरं च त्रिंशद्व्युच्छेदः । द्वादशायोगिनि सुभगादेययशोन्यतरवेदनीयम्) દૂભરતુસર = દુઃસ્વર-સુસ્વર, સાયાસ યાં – સાતા શબ્દાર્થ અને અસાતા એ બેમાંથી એક, તીસવુછેમો ત્રીશપ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. बारस = બાર પ્રકૃતિઓનો ઉદય, અખોળિ અયોગિગુણઠાણે સુમશાન = સૌભાગ્ય અને આદેય, નસ = બેમાંથી ગમે તે એક વેદનીય કર્મ. ગાથાર્થ- દુઃસ્વર, સુસ્વર, સાતા અને અસાતામાંથી એક, એમ ત્રીશ પ્રકૃતિઓનો (તેરમા ગુણઠાણના અંતે) ઉદયવિચ્છેદ થાય છે. જેથી અયોગિગુણઠાણે ૧૨ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે સૌભાગ્યઆદેય-યશનામકર્મ, બેમાંથી બાકી રહેલ એકવેદનીય તથા. ।। ૨૨।। યશનામકર્મ, અન્નયરવેચીઝં વિવેચન- ઉપરની ગાથામાં કહેલી ૨૭ તથા દુઃસ્વર, સુસ્વર એમ નામકર્મની ૨૯, સાતા-અસાતામાંથી એક વેદનીય એમ કુલ ૩૦ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ તેરમા ગુણઠાણાના અંતે થાય છે. કારણકે આ = = = = Page #112 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૧૧ ૩૦ માં ૧ વેદનીય વિના શેપ ૨૯ પ્રકૃતિ નામકર્મની છે અને તે શરીરની સાથે સંબંધવાળી હોય છે. તેરમા ગુણઠાણાના અંતે યોગનિરોધ થવાના કારણે શરીરનો વ્યાપાર અટકી જાય છે. તેથી તેની સાથે સંબંધ વાળી નામકર્મની ર૯ પ્રકૃતિઓનો ઉદય પણ તેરમે અટકી જાય છે. તેમાં પણ એટલી વિશેષતા છે કે યોગનિરોધ કરતાં કરતાં જ્યારે મનયોગ અને વચનયોગને નિરોધ થઇ જાય ત્યારે સ્વરનો ઉદય પહેલાં અટકી જાય છે. એટલે દુઃસ્વર-સુસ્વર પ્રથમ જાય છે ત્યારબાદ ઉચ્છવાસનો વિરોધ કરે ત્યારે ઉચ્છવાસનામકર્મનો ઉદય અટકી જાય છે અને જ્યારે કાયયોગનો સર્વથા નિરોધ કરે ત્યારે બાકીની નામકર્મની ર૬નો ઉદય તેરમા ગુણઠાણાના અન્તિમ સમયે જાય છે. પ્રથમ બે સ્વરનો ઉદય, પછી શ્વાસોચ્છવાનો ઉદય અને પછી શેષ ૨૬ નો ઉદય અટકે છે. ચૌદમે ગુણઠાણે માત્ર ૧૨ જે પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે સૌભાગ્ય-આદેય-યશનામકર્મ અને બેમાંથી કોઇ પણ એક વેદનીય (સાતા અથવા અસાતા) તથા. ૨૨. तसतिग पणिंदि मणुयाउ-गई जिणुच्चं ति चरमसमयंतो । उदउव्वुदीरणा परमपमत्ताई सगगुणेसु ॥ २३ ॥ (त्रसत्रिक पञ्चेन्द्रियमनुजायुगतिजिनोच्चमिति चरमसमयान्तः। . उदय इवोदीरणा परमप्रमत्तादि सप्तगुणेषु) શબ્દાર્થ = તતિ = ત્રસ, બાદર, પર્યાપ્ત, નિદ્રિ = પંચેન્દ્રિયજાતિ, અનુયાડ ફ= મનુષ્યાયુષ્ય અને મનુષ્યગતિ, નિપુર્વ = જિનનામ કર્મ અને ઉચ્ચગોત્ર ત = આ પ્રમાણે ૧૨ પ્રકૃતિઓ વરસમાચંતો = છેલ્લા સમયે અંત પામે છે. ૩૩ઘુવીર | = ઉદયની જેમ જ ઉદીરણા હોય છે. પરમ્ = પરંતુ અમારૂસળસુ = અપ્રમત્તાદિ સાત ગુણસ્થાનકોમાં. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- રાસ-બાદર-પર્યાપ્ત-પંચેન્દ્રિય જાતિ, મનુષ્પાયુષ્ય, મનુષ્યગતિ, જિનનામકર્મ અને ઉચ્ચગોત્ર એમ ૧૨ પ્રકૃતિઓનો ઉદય ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે વિચ્છેદ પામે છે. ઉદયની જેમ જ ઉદીરણા છે, પરંતુ અપ્રમત્તાદિ “સાત ગુણસ્થાનકોમાં (હવે કહેવાતી વિશેષતા છે. | ૨૩ . વિવેચન- બાવીસમી ગાથામાં કહેલ સૌભાગ્ય-આદેય-યશ અને એક વેદનીય એમ ચાર, તથા ત્રાસ-બાદર-પર્યાપ્ત-પંચેન્દ્રિયજાતિ. મનુષ્પાયુષ્ય, મનુષ્યગતિ, તીર્થંકર નામકર્મ અને ઉચ્ચગોત્ર એમ કુલ બાર પ્રકૃતિઓનો ઉદય ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે વિચ્છેદ પામે છે આ પ્રમાણે ચોદે ગુણસ્થાનકોમાં ઉદયાધિકાર સમાપ્ત થાય છે. પ્રશ્ન- તેરમા ગુણઠાણે ૪રમાં સાતા-અસાતા બન્નેનો ઉદય કહ્યો. તો શું કેવલી ભગવાનને અસતાનો ઉદય હોય ? તથા ચૌદમે ૧૨ પ્રકૃતિના ઉદયમાં પણ સાતા-અસાતા બેમાંથી એકનો ઉદય કહ્યો તો ચૌદમે શરીર નામકર્મનો ઉદય નથી તો સાતા-અસાતા કેવી રીતે હોય ? અને ચૌદમે આટલા ઉંચા જીવને અસાતાનો ઉદય કેમ સંભવે? ઉત્તર- સાતા-અસાતા વેદનીય કર્મ છે અને તે અઘાતકર્મ છે ક્વલી ભગવન્તોએ ઘાતકર્મો ખપાવ્યાં છે અઘાતી કર્મો હજુ બાકી છે માટે સાતા-અસાતાનો ઉદય હોઇ શકે છે માત્ર સાતીકાલે રતિ, અને અસાતા કાલે અરતિનો ઉદય હોતો નથી. મોહ નથી માટે. જેમ ખંધક મુનિના ઘાણીમાં પીલાતા શિષ્યો, ગજસુકુમાલ મુનિ, તથા મેતારજ ઋષિ, આદિને પ્રાપ્ત અસાતાના કાળમાં સમભાવ રાખવાથી ક્ષપકશ્રેણી અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. પરંતુ કેવલજ્ઞાન થયા પછી પણ તેરમા ગુણઠાણાના અંતર્મુહૂર્તમાં અને ચૌદમા ગુણઠાણાના પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારણકાળ પ્રમાણ કાળમાં પીડા-વેદનાઅસાના ચાલુ જ રહી છે. ઘાણીનું સિંહાસન થઇ ગયું નથી. આગની પાઘડીને બદલે પાણી થઇ ગયું નથી. માટે સારા સમભાવે ભોગવતાં Page #114 -------------------------------------------------------------------------- ________________ આ હરર- હા, આ મહાવીર કસ્તવ ૧૧૩ કેવલજ્ઞાન થયું અને કેવલજ્ઞાન થયા પછી પણ અસાતા ચાલુ રહી. એમ જાણવું. તેથી કેવલી ભગવત્તાને પણ અઘાતી એવી સાતા-અસાતા બન્નનો ઉદય હોઇ શકે છે. તથા સાતા-અસાતા જીવવિપાકી પ્રકૃતિ હોવાથી શરીર નામકર્મનો ઉદય ન હોવા છતાં પણ ચૌદમે ગુણઠાણે ઉદયમાં હોઇ શકે છે. પ્રશ્ન- સામાન્ય કેવલી ભગવન્તોને અસાતાનો ઉદય ઉપરના દૃષ્ટાન્તથી હજુ માનવામાં આવે છે. પરંતુ તીર્થકર કેવલી ભગવન્તોને આ ૧૩-૧૪ મા ગુણઠાણે શું અસાતાનો ઉદય હોઈ શકે ? ઉત્તર- હા, અઘાતી હોવાતી અસાતાનો પણ ઉદય હોઈ શકે, જેમ કે ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામીને ગોશાળાએ તેજોવેશ્યા મુકવાથી છ માસ શરીર રોગગ્રસ્ત રહ્યું તે કાળે કેવલી હોતે છતે અસાતાનો ઉદય ઘટી શકે છે. બહુધા સાતા જ ઉદયમાં હોય છે. પરંતુ અસતાનો ઉદય ન જ હોય એમ ન જાણવું. પ્રશ્ન- ચૌદમે ગુણઠાણે શરીર-અંગોપાંગ નામકર્મનો ઉદય નથી તો ત્રસ-બાદર-પર્યાપ્ત-આદિ નામકર્મનો ઉદય કેમ સંભવે ? ઉત્તર- આ બાર પ્રકૃતિઓ “જીવવિપાકી” છે જીવને ફળ આપનારી છે એટલે ચૌદમે ઉદયમાં હોય છે. શરીર નામકર્મનો ઉદય નથી, એટલે ગમનાગમન નથી. પરંતુ ગમનાગમનની ત્રસનામકર્મના ઉદયથી મળેલી લબ્ધિ આત્મવિષયક હોવાથી ચૌદમે ત્રસનામકર્મનો ઉદય અને તજજન્ય લબ્ધિ હોય છે. એમ બારે પ્રકૃતિમાં સમજવું. પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો જ ઉદય અટકે છે જેમ વિગ્રહગતિમાં શરીર નથી શરીરનામકર્મનો ઉદય નથી, છતાં આ પ્રકૃતિઓ જીવવિપાકી હોવાથી ઉદયમાં ચાલુ જ હોય છે. ઇત્યાદિ સુયુક્તિઓ વિદ્વાન પુરુષોએ જોડવી. ઉદીરણા ઉદયની જેમ જ છે. અર્થાત્ જે જે ગુણઠાણે જે જે કર્મની જેટલી જેટલી પ્રકૃતિઓ ઉદયમાં કહી છે તે તે ગુણઠાણે તે તે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દ્વિતીય કર્મગ્રંથ કર્મની તેટલી તેટલી પ્રકૃતિઓની જ ઉદીરણા હોય છે. પરંતુ તેમાં કંઇક વિશેષતા છે તે જણાવે છે કે અપ્રમત્તાદિ સાતગુણઠાણાઓમાં અર્થાત્ સાતમાથી તેરમા ગુણસ્થાન સુધીનાં ગુણસ્થાનકોમાં (બે વેદનીય અને મનુષ્યાયુષ્યનો એમ) ત્રણનો ઉદય છે પરંતુ ઉદીરણા હોતી નથી. તે આગળની ગાથામાં સમજાવે છે. | ૨૩ / एसा पयडितिगूणा वेयणीयाहारजुगल थीणतिगं । મજુબાડપત્તતા, મનોાિ મyલીપળો માવં ( વ)ર૪ (एषा प्रकृतित्रिकोना वेदनीयाहारक युगलस्त्यानद्धित्रिकम् मनुजायुः प्रमत्तान्ता अयोग्यनुदीरको भगवान्) શબ્દાર્થ :- પક્ષી = આ ઉદીરણા, પરિતિકૂળ = ત્રણ પ્રકૃતિઓથી ન્યૂન-ન્યૂન જાણવી, વેયીયારનુ નથતિ = બે વેદનીય, આહારક દ્વિક, થીણદ્વિત્રિક, જુવાડ = મનુષ્પાયુષ્ય એમ ૮ નો પત્તતા = પ્રમત્તગુણઠાણે અંત થાય છે. = અયોગિગુણઠાણે વીમો = અનુદીરક મજાવું = ભગવાન ગાથાર્થ - (અપ્રમત્તાદિ સાત ગુણસ્થાનકોમાં) આ ઉદીરણા ત્રણ ત્રણ પ્રકૃતિઓથી ન્યૂન ન્યૂન જાણવી. તેથી બે વેદનીય, આહાર,દ્વિક, થણદ્વિત્રિક, અને મનુષ્યાયુષ્ય એમ કુલ આઠ પ્રકૃતિઓની ઉદીરણા પ્રમત્તગુણસ્થાનકના અંતે વિચ્છેદ પામે છે. તથા અયોગી ભગવાન્ અનુદીરક (ઉદીરણા વિનાના)હોય છે. ૨૪ છે વિવેચન - ઉદય અને ઉદીરણા બને લગભગ સમાન છે. જે જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય પૂર્વે ગાથાઓમાં જણાવ્યો * ૨૪મી ગાથાના અંતે ટીકામાં ભાવ પાઠ છે અને કેટલાક ગુજરાતી પુસ્તકોમાં પર્વ પાઠ દેખાય છે. પ્રાકૃતભાષા પ્રમાણે બન્ને પાઠો ઉચિત લાગે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કર્મસ્તવ છે તે તે ગુણસ્થાનકે તેટલી તેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા હોય છે એમ સમજવું. તેમાં જે જે વિશેષતા છે. (જુદાપણું છે.) તે આ ચોવીસમી ગાથામાં જણાવે છે. અપ્રમત્તગુણસ્થાનકથી સયોગી કેવલી ગુણસ્થાનક સુધી કુલ સાત ગુણસ્થાનકોમાં જેટલી જેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તેના કરતાં સા= આ ઉદીરણામાં ત્રણ પ્રકૃતિઓ ઓછી કરવી. સાતા-અસાતા વેદનીય અને મનુષ્યાયુષ્ય એમ કુલ ત્રણ પ્રકૃતિનો ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે પરંતુ તે ત્રણની ઉદીરણા ફક્ત મિથ્યાત્વથી પ્રમત્ત સુધી એમ છ જ ગુણસ્થાનકોમાં હોય છે. તે ત્રણની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયો સાતમથી હોતા નથી. તેથી તથાસ્વભાવે આ ત્રણની ઉદીરણાનો છકે વિચ્છેદ થાય છે. માટે સર્વત્ર ઉદીરણામાં ૩ ઓછી કરવી. છઠ્ઠા ગુણઠાણાના અંતે ઉદયમાંથી થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક એમ કુલ પાંચ વિચ્છેદ પામે છે. પરંતુ ઉદીરણામાં છઠ્ઠાના અંતે ઉપરોક્ત કારણને લીધે આ પાંચની સાથે બે વેદનીય અને મનુષ્યાયુષ્ય એમ કુલ આઠની ઉદીરણા વિચ્છેદ પામે છે. તથા ચૌદમા ગુણસ્થાનકે જો કે અઘાતકર્મની ૧૨ પ્રકૃતિઓનો ઉદય છે તથાપિ અયોગી હોવાથી ઉદીરણાકરણ સ્વરૂપ યોગ (વીર્ય) નથી. યોગાત્મક વીર્ય નથી માટે ઉદ્વર્તના-અપવર્તનાસંક્રમ-અને ઉદીરણા આદિ કરણ નથી તેથી એક પણ પ્રકૃતિની ઉદીરણા ચૌદમે ગુણઠાણ નથી. ચૌદમાં ગુણઠાણે બીરાજમાન ભગવાન અનુદીરક (ઉદીરણા વિનાના) છે. શેષ સર્વ ઉદયની જેમ જ ઉદીરણામાં જાણવું છે ૨૪ . Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ દ્વિતીય કર્મગ્રંથ ઉદયયંત્ર મૂળ હદયમાં ઉદયમાં જ્ઞા. દ. | વ. | માં. આ. | નામ, ગાં. એ કમ આવનાર ન આવ ગુણસ્થાનક નાર ૧૨૨ [ ૦| ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ | ૬૭ મિથ્યાત્વ સાસ્વાદન c મિશ્રદૃષ્ટિ ૧૦૦ | ૫ | ૯ ૪ અવિરત ૮ ૫૧૦૪ 0 દિશવિરત 0 0 0 પ્રમત્ત ૫ અપન ૪૨ ૧ l 2 અપ્રમત્ત | | ૦૧ ૪૬૫ ૯ ૨ ૧૪|૧|૪|૧|| - અપૂર્વકરણ | | ૦૨ ૫૦૫] ૨ | | | | | | - અનિવૃત્તિકરણ | | ૨૨ ૫ | | | | | | | | | સૂમસંપરાય - ૦ ૧ || || ||se ] પ૬ | ૫ | | ૬૦| ૬૨ | ૫ | |૧૧|ઉપશાન્ત મોહ ક્ષીણ૦ મોહના ૭ | પ૭| ૬૫ | | ૬ | ૨ | ૦ | હિચરમ સમય સુધી ૧૨ ક્ષીણ ચરમ સમયે ૭ | પપ | ૬૭ | | ૪ | ૨ | | ૧ | ૩૭] ૧૩ સયોગીકવલી |૪| ૪૨ | ૮૦ || ૦| ૨ | 0 | ૧ [૩૮] ૧ | ૦. ૧૪|અયોગી કેવલી |૪ | ૧૨ ૧૧૦ ૦ ૦ ૧ | 0 | ૧ | ૯ | ૧ | આ પ્રમાણે ઉદય અધિકાર સમાપ્ત થયો. Page #118 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૧૭ ગુણસ્થાનક ઉદીરણા યંત્ર - મૂળ ઉત્તર ઉદીરણ શા. દ. વ. | માં. આ. | નામ કર્મ કર્મ અયોગ્ય | ૮ | ૧૨૨ ૦ ૫ ૯ ૨ | ૨૮ | ગા. ઓ મિથ્યાત્વ ૬૪, સાસ્વાદન ૩ મિશ્રદૃષ્ટિ ૮ | ૧૦૦ ૪ અવિરત (૮ ૧૦૪ પ દિશવિરત | ૮ ૮ | ૮૭ [ ૩૫ | ૫ ૮૭ ૯ ૨ | ૧૮ | ૨ | ૪૪ પ્રિમ | ૭ અપ્રમત્ત | અપૂર્વકરણ | ૯ અનિવૃત્તિકરણ ૬ ૬૩ | ૧૦ સૂક્ષ્મસંપરાય ૬ | ૧૧|ઉપશાન્તમોહ | ૧૨ ક્ષીણ મોહ | ૫ | ૫૪ ૧૩ સયોગી કેવલી ૨ | ૩૯ | ૮૩ ૦ ૦ ૦ ૦ | ૭ | ૦ ૧૪ અયાગી કેવલી ૨ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દ્વિતીય કર્મગ્રંથ - ઉદય અને ઉદીરણા સમાન છે. માત્ર જે વિશેષતા છે તે બે બાબત મૂળ ગાથામાં ગ્રંથકારશ્રીએ જણાવી છે. (૧) સાતમા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી સાતા-અસાતા અને મનુષ્પાયુષ્યનો ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૨) ચૌદમા ગુણઠાણે બાર પ્રકૃતિઓનો ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. આ બે મુખ્ય અપવાદ વિના બીજા પણ કેટલાક અપવાદો ઉદયઉદીરણા વચ્ચે છે. પરંતુ ગુણસ્થાનકોમાં જણાવાતી ઉદીરણામાં બહુ સંખ્યાભેદ થતો નથી એટલે ગ્રંથકારે તે બીજા અપવાદો જણાવ્યા નથી. પરંતુ અભ્યાસકે નીચે મુજબ અપવાદો ઉદય-ઉદીરણામાં અધિક છે તે સમજી લેવા. તેથી કંઈક માત્ર સંખ્યાભેદ છે. (૩) બારમા ગુણઠાણાની છેલ્લી એક આવલિકામાં જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અને અંતરાય ૫, એમ ૧૪ નો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. કારણકે ઉદીરણા એટલે ઉદયાવલિકા બહારના દલિકોને ઉદયાવલિકામાં પ્રક્ષેપવાં તે. અહીં કર્મ માત્ર એક આવલિકા જ છે માટે ઉદીરણા નથી. (૪) દસમા ગુણસ્થાનકની છેલ્લી એક આવલિકામાં સંજવલન સૂક્ષ્મ લોભનો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૫) બારમા ગુણઠાણાની સમયાધિક એક આવલિકા બાકી રહે ત્યારે નિદ્રા-પ્રચલાનો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૬) મિથ્યાત્વ ગુણઠાણે સમ્યકત્વ પામતાં પહેલાં અનિવૃત્તિકરણની અંતિમ આવલિકામાં મિથ્યાત્વ મોહનીયનો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૭) ક્ષાયિક સમ્યકત્વ પામતાં ૪ થી ૭ ગુણસ્થાનકોમાં સમ્યકત્વ મોહનીયના ક્ષયની છેલ્લી આવલિકામાં સમ્યકત્વ મોહનીયને માત્ર ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૧૯ (૮) કોઇ પણ જીવોને ઉત્પત્તિ કાલે શરીર પર્યામિ પૂર્ણ કર્યા પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરતાં પહેલાં નિદ્રાપંચકન ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૯) સંસારી સર્વ જીવોને પોત પોતાના ભવમાં જીવનની અંતિમ એક આવલિકા બાકી રહે ત્યારે તે તે ભવના આયુષ્યકર્મનો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. આ પ્રમાણે ઉદીરણા અધિકાર સમાપ્ત થયો. સત્તા અધિકાર હવે સત્તાની વ્યાખ્યા જણાવી ચૌદગુણસ્થાનકોમાં જે સત્તા હોઈ શકે છે તે જણાવે છે सत्ता कम्माण ठिई, बन्धाईलद्धअत्तलाभाणं । संते अडयालसयं, जा उवसमु विजिणु बियतइए ॥ २५ ॥ (सत्ता कर्मणां स्थितिबन्धादिलब्धात्मलाभानाम् सत्तायां अष्टचत्वारिंशत्, यावदुपशमो विजिनो द्वितीयतृतीये ) શબ્દાર્થ- સત્તા = કર્મોનું હોવું - અર્થાત્ સત્કર્મ ટિ = કર્મોની વિદ્યમાનતા. ન્યારૂદ્ધમત્તામાળ = બન્ધ વગેરે દ્વારા પ્રાપ્ત કર્યું છે કર્મપણાનું સ્વરૂપ જેણે એવાં, સંતે = સત્તામાં એડલિવું = એકસો અડતાલીસ, ના = યાવતું, વસમું = ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી, વિન" = જિનનામ કર્મ વિના, વિયતરૂપ = બીજા-ત્રીજા ગુણસ્થાનકે. ગાથાર્થ- બંધાદિ વડે પ્રાપ્ત થયું છે આત્મલાભ (કર્મપણાનું સ્વરૂપ) જેને એવા કર્મોનું આત્માની સાથે હોવું તે સત્તા કહેવાય છે. થાવત્ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ૧૪૮ ની સત્તા હોય છે. બીજાત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મ વિના ૧૪૭ની સત્તા હોય છે. મેં ૨૫ II વિવેચન= આત્માની સાથે કર્મોનું હોવું, કર્માની વિદ્યમાનતા તેને સત્તા કહેવાય છે. બંધ-સંક્રમ-આદિ દ્વારા જે પુદગલોમાં “કર્મ–” Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ | દ્વિતીય કર્મગ્રંથ ન (કર્મપણે પરિણામ પામવા રૂપ આત્મત્વનો) લાભ થયો છે તે સત્તા. આત્માની સાથે કર્યો કાં તો બાંધવા દ્વારા આવે છે. અથવા સાતાદિ અન્ય પ્રકૃતિઓ બાંધીને અન્ય અસાતાદિમાં સંક્રમાવવા દ્વારા પણ “અસાતાદિ” રૂપે કર્મવ આવે છે. તથા ઉદ્વર્તના-અપવર્તના દ્વારા પણ દીર્ઘસ્થિતિરૂપે અને લઘુસ્થિતિરૂપે કર્મવ આવે છે. આ રીતે બંધાદિ (બંધ-સંક્રમાદિ) દ્વારા જે પુગલ પરમાણુઓમાં “કર્મ–” આવ્યું છે તે કર્મોનું આત્માની સાથે રહેવું. તેને સત્તા કહેવાય છે. બંધમાં આઠ કર્મોની ઉત્તર પ્રવૃત્તિઓ ૧૨૦ છે. ઉદય અને ઉદીરણામાં ૧૨૨ છે. પરંતુ સત્તામાં ૧૪૮ અથવા ૧૫૮ ની સંખ્યાની પૂર્વાચાર્યોએ વિવક્ષા કરી છે. અહીં ગ્રંથકારશ્રી ૧૪૮ની સંખ્યા સ્વીકારીને સત્તા જણાવે છે. પાંચ બંધન, અને પાંચ સંઘાતન એમ ૧૦ પ્રકૃતિઓ બંધ-ઉદય-ઉદીરણામાં શરીરની અંદર જે ગણાય છે તે સત્તામાં જુદી ગણાય છે. તથા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એમ સામાન્ય ચાર ભેદોના અનુક્રમે ૫-૨-૫-૮=૨૦ જે ઉત્તરભેદો છે તે ગણાય છે એટલે કુલ ૧૪૮ની સત્તા અહીં વિચારાશે. મિથ્યાત્વ ગુણસ્થાનકથી ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી ૧૪૮ની સત્તા હોય છે. ફક્ત બીજા-ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી, એટલે ૧૪૭ની સત્તા હોય છે. કારણકે જિનનામકર્મ સમ્યક્ત્વવાળા ગુણસ્થાનકોમાં જ બંધાય છે. માટે ત્યાં જ સત્તા હોઇ શકે છે. તથા જિનના બાંધ્યા પછી ચૌદમા ગુણસ્થાનક સુધી ઉપર જીવ જાય છે તેથી ત્યાં પણ જિનનામની સત્તા હોય છે. પરંતુ જિનનામ કર્મ બાંધ્યા પછી જીવ તેવા પ્રકારના અધ્યવસાયોના અભાવે બીજે-ત્રીજે ગુણકાણે આવતો નથી. માટે બીજા-ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી.. પ્રશ્ન- જો જિનનામકર્મ બાંધ્યા પછી બીજે-ત્રીજે ગુણઠાણે આ જીવ ન આવતો હોય તો પહેલા ગુણઠાણે તો નહીં જ આવતું હોય. માટે પહેલા ગુણઠાણે પણ જિનનામકર્મની સત્તા ન સંભવવી જોઇએ? Page #122 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૨૧ ઉત્તર- જો કે જિનનામ કર્મ બાંધ્યા પછી આ જીવ પહેલા ગુણઠાણે પણ આવતો નથી. પરંતુ અન્તર્મુહૂર્ત કાળ એવો પણ આવે છે કે કોઇક જીવને પહેલા ગુણઠાણે જવું પડે છે. તે સિવાય પહેલા ગુણઠાણે પણ જિનનામની સત્તા નથી હોતી. જે જીવે પ્રથમ મિથ્યાત્વ અવસ્થામાં જ રહીને નરકગતિમાં જવા માટેનું આયુષ્ય કર્મ બાંધી લીધું હોય, ત્યારબાદ ક્ષયોપશમ સમ્યકત્વ પામે, અને ત્યારબાદ અધ્યવસાયોની નિર્મળતા વધતાં તીર્થકર નામકર્મ બાંધે તે જીવને આ મનુષ્યભવનું આયુષ્ય જ્યારે પૂર્ણ થવા આવે અને નરકમાં જવાનો સમય થાય ત્યારે નિયમો સમ્યકત્વ વમીને મિથ્યાત્વે જવું જ પડે છે. કારણકે ક્ષયોપશમ સમ્યકત્વ હોતે છતે નરકમાં જવાતું નથી. આ જીવ નરકમાં ગયા પછી સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ પુનઃ ક્ષયોપશમ સમ્યકત્વ પામી જાય છે. તેથી નરકમાં જતાં પહેલાં અન્તર્મુહૂર્ત અને નરકમાં ગયા પછી અન્તર્મુહૂર્ત એમ (બન્ને અન્તર્મુહૂર્ત સાથે મળીને પણ મોટા એક) અંતર્મુહૂર્તકાળ પ્રમાણ પહેલા ગુણઠાણે જિનનામકર્મની સત્તા હોય છે. તે સિવાય પહેલા ગુણઠાણે પણ નિનામકર્મની સત્તા કદાપિ હોતી નથી. પ્રશ્ન- ઉપર ૧ થી ૧૧ ગુણસ્થાનકોમાં ૧૪૮ની અને બીજે ત્રીજે ૧૪૭ની સત્તા તમે કહી. પરંતુ નરક-તિર્યંચાયુષ્યની સત્તા ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં કેમ હોઈ શકે ? કારણકે તે તે ગતિમાં માત્ર ચાર અને પાંચ જ ગુણસ્થાનકો છે. માટે નરકગતિ અને તિર્યંચ ગતિમાં તો ૮ થી ૧૧ ગુણસ્થાનક આવી શકે તેમ નથી. અને કોઈ મનુષ્યના જીવે નરક અથવા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો વધુમાં વધુ સાત ગુણસ્થાનક સુધી જ તે જીવ જઇ શકે છે. કારણકે ઉપશમશ્રેણીમાં જો કાળ કરે તો નિયમા દેવલોકમાં જ જાય છે. માટે દેવાયુષ્ય જ સત્તામાં હોય છે. જો નરક અને તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ૮ થી ૧૧ માં ચડાતું હોય તો ત્યાં મૃત્યુ પામનાર નરક-તિર્યંચમાં પણ જુવો જોઇએ અને જતો નથી. માટે આ બું આયુષ્યની સત્તા ત્યાં નથી. અને ઉદયમાં મનુષ્યાયુષ્ય For Private & Personat Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ | દ્વિતીય કર્મગ્રંથ હોવાથી મનુષ્યાયુષ્ય સત્તામાં હોય છે. શેષ બે આયુષ્યની સત્તા હોઈ શકતી નથી તો ૧૪૮ ની સત્તા કેમ કહો છો ? ઉત્તર- તમારી વાત સત્ય છે. નરક-તિર્યંચ આયુષ્ય બાંધ્યા પછી સાતમા ગુણસ્થાનકની ઉપર આ જીવ ચડી શકતો નથી, તેથી આ બે આયુષ્યની સત્તા હકીકતથી ૮ થી ૧૧ માં નથી. એટલે સદ્ભૂત સત્તા નથી. પરંતુ ઉપશમશ્રેણીમાં ચડી અગિયારમા ગુણસ્થાનક સુધી આવીને પાછા પડતા જીવને પહેલે-બીજે ગુણઠાણે આવે ત્યારે ભાવિમાં આ બે આયુષ્ય બંધાવાનો સંભવ છે, સત્તામાં આવવાનો સંભવ છે તે અપેક્ષાએ રાજાના પુત્રને ભાવિમાં રાજા થવાનો હોવાથી જેમ રાજા કહેવાય, તેમ અહીં ભાવિમાં સત્તા આવવાનો સંભવ છે એ અપેક્ષાએ સંભવસત્તાને આશ્રયી આ સત્તા કહેલી છે. સદ્દભૂત સત્તા નથી. પરંતુ ભાવિને આશ્રયી સંભવસત્તા છે. જુદી જુદી અપેક્ષાએ આ સત્તા અનેક પ્રકારે હોઈ શકે છે જેમ કે પહેલે ગુણસ્થાનકે અનેક ભવ્યજીવ લઇએ તો ૧૪૮ની સત્તા. એક ભવ્ય જીવ લઇએ તો બદ્ધાયુષ્કને બે આયુષ્ય હોવાથી અને આહારદ્ધિક-જિનનામ સાથે ન હોવાથી જિનનામ વિના ૧૪૫ની સત્તા, અબદ્ધાયુષ્ક ભવ્ય જીવ લઇએ તો ૧૪૪ની સત્તા. જિનનામ બાંધ્યું હોય પણ આહારક ચતુષ્ક ન બાંધ્યું હોય તો બદ્ધાયુ ને ૧૪૨, તથા અબદ્ધાયુને ૧૪૧ વગેરે અનેક પ્રકારે સત્તા થઇ શકે છે. પરંતુ તે વધારે સૂક્ષ્મ વાતો સત્તા પ્રકરણની ૨૫ થી ૩૪ ગાથા પૂર્ણ થયા પછી સમજાવીશું. ૨૫ - હવે અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકોમાં ૧૪૨ અને અવિરત સમ્યક્ત્વાદિમાં ૧૪૧ની સત્તા હોય છે. તે સમજાવે છે. अपुव्वाइचउक्के, अण तिरिनिरयाउ विणु बिआलसयं । सम्माइचउसु सत्तग-खयंमि इगचत्तसयमहवा ॥ २६ ॥ (अपूर्वादिचतुष्केऽनतिर्यग्निरयायुर्विना द्वाचत्वारिंशच्छतम् । सम्यगादिचतुर्षु सप्तकक्षय एकचत्वारिंशच्छतमथवा) Page #124 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૨૩ શબ્દાર્થ - કાવ્યરૂં૩ = અપૂર્વકરણ આદિ ચાર ગુણસ્થાનકોમાં, = અનંતાનુબંધી, સિનિયર = તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય, વિષ્ણુ = વિના, વિયાનસ = એકસો બેતાલીસની સત્તા હોય છે, અમ્પારૂલું = સમ્યકત્વાદિ ચાર ગુણસ્થાનકોમાં, સત્તરવયંતિ = સાતનો ક્ષય થયે છતે રૂad = એકસો એકતાલીસની સત્તા, અહવા = અથવા. ગાથાર્થ- અથવા અપૂર્વકરણ આદિ ચાર ગુણસ્થાનકોમાં અનંતાનુબંધી મનુષ્ય-તિર્યંચાયુષ્ય એમ છ વિના ૧૪૨ ની સત્તા હોય છે. અને અવિરતસમ્યક્ત્વાદિ ચાર ગુણસ્થાનકોમાં દર્શન સપ્તકનો ક્ષય થયે છતે ૧૪૧ ની સત્તા હોય છે અથવા તે ૨૬ છે. વિવેચન- ૨૫મી ગાથામાં સંભવસત્તાને આશ્રયી ૮ થી ૧૧ ગુણસ્થાનકમાં ૧૪૮ની સત્તા કહી. આ ગાળામાં આ જ ૮ થી ૧૧ ગુણસ્થાનકોમાં સદ્ભાવસત્તાને આશ્રયી સત્તા જાણવે છે. જ્યારે ઉપશમશ્રેણીમાં આઠમે ગુણસ્થાનકે આરોહણ કરે છે ત્યારે જો બદ્ધાયુ હોય તો દેવાયુષ્ય જ બાંધેલું હોય છે અને પોતાનું મનુષ્પાયુષ્ય ઉદયમાં વેદે છે તેથી બે જ આયુષ્યની (દેવાયુષ્ય અને મનુષ્પાયુષ્યની) સત્તા હોય છે. નરક-તિર્યંચાયુષ્યની સત્તા હોતી નથી. કારણકે જો તે બેમાંનું કોઇ પણ એક આયુષ્ય બાંધ્યું હોય તો ઉપશમ શ્રેણીનું આરોહણ થતું નથી. તથા કેટલાક આચાર્યોના મતે અનંતાનુબંધીની ઉપશમના કરીને ઉપશમશ્રેણી પ્રારંભાય છે તેમના મતે ૨૫મી ગાથામાં સત્તા કહીને હવે જે આચાર્યો અનંતાનુબંધીની વિસંયોજના કરીને શ્રેણી પ્રારંભાય એમ માને છે તેઓના મતે ૧૪રની સત્તા આ ગાળામાં સમજાવે છે. ' ઉપશમ શ્રેણીમાં આરોહણ કરતાં પહેલાં ૪ થી ૭ ગુણસ્થાનકોમાં જ્યારે ક્ષયોપશમ સમ્યકત્વ જીવને હોય છે ત્યારે જે જીવે ચાર અનંતાનુબંધી કપાયોની વિસંયોજના (મૂળથી ક્ષય-વિનાશ)કરેલ હોય. અને દર્શનત્રિકને ઉપશમાવી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરેલું હોય. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દ્વિતીય કર્મગ્રંથ અને ત્યારબાદ આઠમથી ઉપશમશ્રેણીનું આરોહણ કર્યું હોય તેવા જીવને ચાર અનંતાનુબંધીની પણ સત્તા હોતી નથી. તેથી બે આયુષ્ય અને ચાર અનંતાનુબંધી એમ કુલ છ પ્રકૃતિ વિના ૧૪૨ ની સત્તા ૮ થી ૧૧ માં હોય છે. આ ૧૪૨ની સત્તા અનંતાનુબંધિના વિસંયોજકને જાણવી. ૪ થી ૭ ગુણસ્થાનકોમાં ૨૫ મી ગાથામાં ૧૪૮ની સત્તા જે કહી છે તે ક્ષાયોપથમિક અને ઔપશમિક સમ્યકત્વને આશ્રયી જાણવી. કારણ કે તેવા સમ્યકત્વવાળા જીવોને દર્શનસપ્તકની પણ સત્તા હોય છે અને અનેક જીવોમાં જુદાં-જુદાં ચારે આયુષ્ય પણ સત્તામાં હોય છે. પરંતુ ક્ષાયિક સમ્યત્વીને કેટલી સત્તા હોય ? તે આ ૨૬મી ગાથામાં જણાવે છે ક્ષાયિક સમ્યત્વીને દર્શનસપ્તકનો (અનંતાનુબંધી ૪, મિથ્યાત્વ, મિશ્ર, અને સમ્યકત્વમોહનીય એમ ૭ નો) સત્તામાંથી જ ક્ષય થયેલો હોય છે. તેથી તેવા જીવને ૧૪૧ ની સત્તા હોય છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરીને ચારે ગતિમાં જાય છે. માટે અનેક જીવોને આશ્રયી ચારે આયુષ્યની સત્તા હોય છે. અથવા કોઇ પણ ગતિનું આયુષ્ય બાંધ્યા પછી મનુષ્યનો જીવ ક્ષાયિકસમ્યકત્વ પામી શકે છે અને સાતમા ગુણસ્થાનક સુધી ચડી શકે છે માટે પણ ૪ થી ૭ ગુણસ્થાનકમાં ચારે આયુષ્યની સત્તા હોય છે. | અથવા આ જ ચાર ગુણસ્થાનકોમાં (૪ થી ૭ માં બીજી રીતે પણ સત્તા હોય છે તે સમજાવે છે. खवगं तु पप्प चउसु वि, पणयालं नरयतिरिसुराउ विणा । सत्तग विणु अडतीसं, जा अनियट्टी पढमभागो ॥ २७ ॥ (क्षपकं तु प्राप्य चतुर्वपि, पञ्चचत्वारिंशन्नरकतिर्यक्सुरायुर्विना । सप्तकं विनाष्टात्रिंशद्यावदनिवृत्ति प्रथमभागः) | શબ્દાર્થ - રવ = ક્ષેપકને તુ = વળી, પપ્પ = આશ્રયી, વરસુવિ = ચારે પણ ગુણસ્થાનકોમાં. પાયાન્ન = એકસો પીસ્તાલીસ, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કર્મસ્તવ નિયતિરિસુર ૩ = નરક-તિર્યંચ અને દેવાયુષ્ય, વિUT = વિના, સત્તર = દર્શનસપ્તક, વિષ્ણુ = વિના, એકતી = એકસો આડત્રીસ, ના = યાવતું, નિયટ્ટી = અનિવૃત્તિકરણ ગુણઠાણાના, પદમમા=પ્રથમભાગ સુધી. ગાથાર્થ- અથવા આ ચાર ગુણસ્થાનકોમાં ક્ષપકને આશ્રયી નરક-તિર્યંચ અને દેવાયુષ્ય વિના ૧૪પ ની સત્તા હોય છે. અને તેમાંથી દર્શનસપ્તક વિના ૧૩૮ની સત્તા પણ હોય છે. અને તે ૧૩૮ ની સત્તા યાવત્ અનિવૃત્તિના પ્રથમભાગ સુધી હોઈ શકે છે. જે ૨૭ વિવેચન- ક્ષપકશ્રેણીનો પ્રારંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે એટલે “ક્ષપક” શબ્દનો વ્યવહાર વાસ્તવિકપણે આઠમાથી જ થાય છે. તો પણ જે જીવ મનુષ્યના ભવમાં છે. દેવ-નરક અને તિર્યંચ સંબંધી ભવો સમાપ્ત કરીને આવેલ છે. ચરમ મનુષ્યનો ભવ જ છે. અને ક્ષાયોપશર્મિક સભ્યત્વવાળો છે, હવે ક્ષાયિકસમ્યકત્વ પામવાનો છે અને પછી અબદ્ધાયુ હોવાથી તુરત જ ક્ષપકશ્રેણી પણ માંડવાનો જ છે. એવા જીવને નજીકના જ કાળમાં ક્ષાયિકસમ્યકત્વ પામી શપક શ્રેણી માંડનાર હોવાથી ચોથા ગુણસ્થાનકથી જ વ્યવહારનયને આશ્રયી ક્ષપક કહેવાય છે. તેવા ક્ષપક જીવને આશ્રયી ૪ થી ૭ ગુણસ્થાનકોમાં દેવ-નરક અને તિર્યંચ આયુષ્ય વિના ૧૪૫ની સત્તા હોય છે. કારણ કે આ ત્રણ આયુષ્યો તે તે ભવમાં પૂર્ણ કરીને આ જીવ અહીં આવેલ છે. અને નવાં આયુષ્યો હવે બાંધવાનાં જ નથી. તે જ ભવે મોક્ષે જવાનું છે માટે. આ પ્રમાણે ક્ષાયોપથમિક સમ્યકત્વી એવા ક્ષેપકને ૪ થી ૭ માં ૧૪પની સત્તા હોય છે. તથા ગાળામાં કે ટીકામાં લખ્યું નથી તો પણ તદ્ભવ મોક્ષગામી મિથ્યાત્વી જીવોને આશ્રયી મરૂદેવા માતાની જેમ સમ્યકત્વ ન પામે ત્યાં સુધી પહેલે ગુણઠાણે પણ ૧૪પની સત્તા સંભવી શકે છે. તે જ જીવને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં દર્શનસપ્તકનો ક્ષય થવાથી ૧૩૮ની સત્તા પણ ૪ થી ૭ ગુણસ્થાનકમાં તો હોય જ છે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દ્વિતીય કર્મગ્રંથ પરંતુ તદુપરાન્ત ક્ષપકશ્રેણી માંગે તો પણ આઠમાં ગુણસ્થાનકે અને નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી પણ આ જ ૧૩૮ ની જ સત્તા હોય છે. એમ જાણવું. ૫ ૨૭ || હવે નવા ગુણસ્થાનકના બીજાભાગે કેટલી સત્તા હોય! તે જણાવે છેथावरतिरिनिरयायव-दुग थीणतिगेग विगल साहारं । सोलखओ दुवीससयं, बिअंसि बिअतियकसायंतो ॥ २८..॥ (स्थावरतिर्यग्निरयातपद्विकस्त्यानद्धित्रिकैकविकलसाधारणम् । षोडशक्षयः द्वाविंशतिशतं द्वितीयांशे द्वितीयतृतीयकषायान्तः) શબ્દાર્થ- થાવર = સ્થાવર, તિરિ =તિર્યંચ, નિરય = નરક, કાયવ = આતપ, તુલા = આ ચારે દ્વિક, થીતિ | = થીણદ્વિત્રિક, TI = એ કેન્દ્રિયજાતિ, વિહિન = વિકલેન્દ્રિયત્રિાક, સાદાઈ = સાધારણનામકર્મ, સૌરવો = આ ૧૬નો ક્ષય, તુવીરસર્ચ = એકસો બાવીશ પ્રકૃતિઓ, વિધ્વંસ = નવમા ગુણસ્થાનકના બીજા ભાગે, વિતિય સાયંતી = બીજા અને ત્રીજા કષાયનો અંત થાય છે. ગાથાર્થ સ્થાવરદ્ધિક, તિર્યંચદ્ધિક, નરકદ્વિક, આતપદ્રિક, થીણદ્વિત્રિક, એકેન્દ્રિયજાતિ, વિલેન્દ્રિયત્રિક, અને સાધારણનામકર્મ, એમ કુલ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય થવાથી નવમાના બીજા ભાગે ૧૨૨ની સત્તા હોય છે અને ત્યાં બીજા ભાગના અંતે બીજા-ત્રીજા કષાયનો ક્ષય થવાથી (ત્રીજા આદિ ભાગોમાં કેટલી સત્તા હોય છે તે આગળની ગાથામાં જણાવે છે.) ૨૮ છે. વિવેચન- નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે ૧૩૮ ની સત્તા હોય છે. તેમાંથી પ્રથમભાગના અંતે સ્થાવરદ્ધિક આદિ ૧૬ પ્રકૃતિની સત્તા ક્ષય પામે છે. એટલે નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે ૧૨૨ની સત્તા હોય છે. અને બીજા ભાગના અંતે ૧૨૨ ની સત્તામાંથી બીજાત્રીજા એમ બે કષાયનો અંત થવાથી ત્રીજા ભાગે ૧૧૪ ની સત્તા હોય છે જે આગળની ગાથામાં જણાવાશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૨૭ મૂળગાથામાં કહેલો કુTM શબ્દ થાવર આદિ ચારેની સાથે જોડવો. જેથી સ્થાવરત્રિક, તિર્યંચટ્રિક, નરકટ્રિક અને આતપદ્રિક એમ ચારે ક્રિક લેવાથી કુલ ૧૬ પ્રકૃતિઓ થશે. અહીં ક્ષપકશ્રેણીમાં ૧૩૮માંથી પ્રથમ ૧૬નો ક્ષય અને ત્યારબાદ આઠ કષાયનો ક્ષય થાય, જેથી ૧૨૨ અને ૧૧૪ની સત્તા થાય. એમ કહ્યું છે- ત્યાં કેટલાક આચાર્યો પ્રથમ આઠ કષાયનો ક્ષય અને પછી સ્થાવરક્રિકાદિ ૧૬ નો ક્ષય થાય-એમ પણ માને છે. તેઓના મતે ૧૩૮માંથી પ્રથમ ૮ ઓછી કરતાં ૧૩૦ અને પછી ૧૬ ઓછી કરતાં ૧૧૪ ની સત્તા પણ હોઇ શકે છે. પરંતુ ગ્રન્થકારને માન્ય અને પ્રસિદ્ધ મત તેઓશ્રીએ જણાવ્યો છે. એમ જાણવું. ॥ ૨૮ || હવે ત્રીજા આદિ ભાગોમાં કેટલી સત્તા હોય ! તે જણાવે છેतइयाइसु चउदसतेर- बारछपणचउतिहियस्य कमसो । नइत्थिहासछगपुंस- तुरियकोहमयमायखओ ॥ २९ ॥ (तृतीयादिषु चतुर्दशत्रयोदशद्वादशषट्पञ्चचतुस्त्र्यधिकशतं क्रमशः 1 नपुंसकस्त्रीहास्यषट्कपुंस्तुर्य क्रोधमदमायाक्षयः) ત્રીજા આદિ ભાગોમાં, વડસ ૧૪, શબ્દાર્થ- તડ્યાનું तेर = ૧૩, વાર = ૧૨, छ ૬, પળ = ૫, વડ = ૪, ત્તિ = ૩, અયિસયં = અધિક સો, મો - અનુક્રમે, इत्थी સ્ત્રીવેદ, હાલછા = હાસ્યષટ્ક, પુંસ પુરુષવેદ, તુરિય = ક્રોધ, મય = મદ-માન, માયવો = અને નવું = નપુંસકવેદ, ચોથો સંજ્વલન, જોઇ માયાનો ક્ષય થાય છે. = = = = , ગાથાર્થ- નવમા ગુણસ્થાનકના ત્રીજા આદિ ભાગોમાં નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષટ્ક, પુરુષવેદ, સંજ્વલન ક્રોધ-માન અને માયાનો ક્ષય થવાથી અનુક્રમે ચૌદ અધિક, તેર અધિક, બાર અધિક, છ અધિક, પાંચ અર્થિંક, ચાર અધિક, અને ત્રણ અધિક સો પ્રકૃતિની સત્તા હોય છે. ॥ ૨૯ || = Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ દ્વિતીય કર્મગ્રંથ વિવેચન- નવમા સ્થાનકના સત્તાને આશ્રયી ૯ ભાગ કલ્પવામાં આવ્યા છે. પહેલા ભાગે ૧૩૮, અને બીજા ભાગે ૧૨૨ ની સત્તા હોય છે. હવે ત્રીજા આદિ ભાગોમાં કેટલી કેટલી સત્તા હોય અને કઇ કઇ પ્રકૃતિઓ સત્તામાંથી નીકળી જાય તે આ ગાળામાં સ્પષ્ટ સમજાવે છે. બીજા-ત્રીજા કષાયની ૮ વિના ત્રીજા ભાગે ૧૧૪ ની સત્તા હોય છે. નપુંસક વેદ વિના ચોથા ભાગે ૧૧૩ ની સત્તા હોય છે. સ્ત્રીવેદ વિના પાંચમા ભાગે ૧૧૨ ની સત્તા હોય છે. હાસ્યષક વિના છઠ્ઠા ભાગે ૧૦૬ ની સત્તા હોય છે. પુરુષવેદ વિના સાતમા ભાગે ૧૦પ ની સત્તા હોય છે. સંજવલન ક્રોધ વિના આઠમા ભાગે ૧૦૪ ની સત્તા હોય છે. સંજ્વલનમાન વિના નવમા ભાગે ૧૦૩ ની સત્તા હોય છે. સંજવલન માયા વિના દસમા ગુણસ્થાનકે ૧૦૨ ની સત્તા હોય છે. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગથી દસમા ગુણસ્થાનક સુધી મોહનીયકર્મની પ્રકૃતિઓ સત્તામાંથી ક્ષય થતી જાય છે. જેમ જેમ સત્તામાંથી ક્ષય થતી જાય છે તેમ તેમ ઉપર-ઉપરના ભાગોમાં તેટલી તેટલી કર્મ પ્રકૃતિઓની સત્તા ઓછી ઓછી હોય છે. એમ કરતાં દસમા ગુણઠાણે ૧૦૨ની સત્તા થાય છે. | ૨૯ | सुहुमि दुसय लोहंतो, खीणदुचरिमेगसओ दुनिद्दखओ । नवनवइ चरमसमये, चउदंसणनाणविग्धंतो ॥ ३० ॥ (सूक्ष्मे द्विशतं लोभान्तः क्षीणद्विचरम एकशतं द्विनिद्राक्षयः । નવનવતQરમસમયે, વતુર્વર્શનજ્ઞાનવMાન્ત:) શબ્દાર્થ- સુમિ = સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને, સુસ = એકસો બેની સત્તા હોય છે, નોરંત = સંજવલન લોભનો અંત થવાથી, રવીણકુરિમ = ક્ષણમહ ગુણસ્થાનકના વિચરમ સમય સુધી પ્રસંગો = એકસી એકની સત્તા હોય છે. દુનિgો = બે નિદ્રાનો ક્ષય થતાં, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ કર્મસ્તવ નવનવફ =નવ્વાણુની સત્તા, चरमसमये – છેલ્લા સમયે હોય છે, चउदंसणनाणविग्घंतो = ચાર દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય, પાંચ અંતરાય એમ ૧૪ ની સત્તા ક્ષય થવાથી. • ગાથાર્થ- સૂક્ષ્મસંપરાય ગુણઠાણે ૧૦૨ ની સત્તા હોય છે. તેમાંથી સંજ્વલન લોભની સત્તા જવાથી બારમાના દ્રિચરમ સમય સુધી ૧૦૧ ની સત્તા હોય છે. તેમાંથી બે નિદ્રાનો ક્ષય થવાથી બારમાના ચરમસમયે ૯૯ ની સત્તા હોય છે. તેમાંથી ચાર દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય, અને પાંચ અંતરાય એમ કુલ ૧૪ ની સત્તાનો ક્ષય થવાથી (તેરમા ગુણઠાણે ૮૫ ની સત્તા હોય છે)॥ ૩૦ ॥ વિવેચન- નવમા ગુણસ્થાનકના છેલ્લા ભાગે સંજ્વલન માયાનો ક્ષય થવાથી દસમા ગુણસ્થાનકે ૧૦૨ ની સત્તા હોય છે. તે દસમા ગુણઠાણાના અંતે સંજ્વલન લોભનો અંત થવાથી બારમા ગુણઠાણે ૧૦૧ ની સત્તા હોય છે. તે બારમા ગુણઠાણાના દ્વિચરમ સમયે (ઉપાત્ત્વ સમયે) નિદ્રાદ્વિક (નિદ્રા અને પ્રચલા)ની સત્તાનો ક્ષય થવાથી બારમા ગુણસ્થાનકના ચરમ સમયે ૯૯ ની સત્તા હોય છે. બારમા ગુણઠાણાના ચરમ સમયે ચાર દર્શનાવરણીય, પાંચ જ્ઞાનાવરણીય, અને પાંચ અંતરાયકર્મની સત્તાનો ક્ષય થવાથી તેરમા ગુણઠાણે ૮૫ ની સત્તા હોય છે. જે આગળની ગાથામાં સમજાવે જ છે. ।। ૩૦ ॥ पणसीइ सजोगि अजोगि, दुचरिमे देवखगइगंधदुगं । फासट्ठ वन्नरसतणु-बंधण-संघायपण निमिणं ॥ ३१ ॥ संघयण अथिर संठाण, छक्क अगुरुलहु चउ अपज्जत्तं । सायं व असायं वा, परित्तुवंगतिग सुसर नियं ॥ ३२ ॥ (पञ्चाशीतिस्सयोगिन्ययोगिनि द्विचरमे देवखगतिगन्धद्विकम् । स्पर्शाष्टक वर्णरसतनुबन्धनसंघातनपञ्चकनिर्माणम्) Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ દ્વિતીય કર્મગ્રંથ (संहननास्थिरसंस्थानषट्कागुरुलघुचतुष्कापर्याप्तम् । सातं वाऽसातं वा प्रत्येकोपाङ्गत्रिकसुस्वरनीचम्) શબ્દાર્થ પાલીઙ = પંચાસી પ્રકૃતિઓ, નોnિ = સયોગી ગુણઠાણે, મનોવુિરિ = અયોગી ગુણઠાણાના કિચરમ સમયે, તેવરફથતુi = દેવદ્રિક, ખગતિદ્ધિક અને ગંધદ્ધિક, કાલ = આઠ સ્પર્શ, વU = વર્ણ ૫, રસ = રસ ૫, તy = શરીર ૫, વંથળ = બંધન ૫, સંધાય૫ = સંઘાતન ૫, નિકળ = નિર્માણ, સંય = સંઘયણ ૬, થિર = અસ્થિર ષક, સંગછટ્સ = સંસ્થાન ૬, મુરદુર = અગુરુલઘુ ચતુષ્ક, અપઝાd = અપર્યાપ્ત, સાથે ૩ માર્યા વા = સાતા અથવા અસાતા, પરિતૃવંતિ = પ્રત્યેક ત્રિક તથા ઉપાંગત્રિક, સુસજ્યિ = સુસ્વર અને નીચગોત્ર. ગાથાર્થ= સયોગી ગુણઠાણે ૮૫ પ્રકૃતિઓની સત્તા હોય છે. તથા અયોગી ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૮૫ ની સત્તા હોય છે. ત્યાં વિચરમ સમયે દેવદ્ધિક, વિહાયોગતિદ્ધિક, ગંધઢિક, સ્પર્શ આઠ, વર્ણ પાંચ, રસ પાંચ, શરીર ૫, બંધન પાંચ, સંઘાતન પાંચ, નિર્માણનામકર્મ, સંઘયણ છે, અસ્થિર પક, સંસ્થાન છે, અગુરુલઘુ ચતુષ્ક, અપર્યાપ્ત નામકર્મ, સાતાઅસાતા બેમાંથી એક, પ્રત્યકત્રિક, ઉપાંગત્રિક, સુસ્વર, અને નીચગોત્ર. (એમ ૭ર પ્રકૃતિની સત્તાનો ક્ષય થવાથી ચૌદમાના ચરમસમયે ૧૩ પ્રકૃતિઓની સત્તા હોય છે) ૩૧-૩૨ | વિવેચન= ૩૦ મી ગાથાના અંતે કહ્યા મુજબ ચક્ષુદર્શનાવરણીયાદિ ૧૪ પ્રકૃતિઓની સત્તા બારમા ગુણઠાણાના અંતે વિચ્છેદ પામે છે તેથી તેરમા ગુણઠાણે તથા ચૌદમા ગુણઠાણે પણ (ચૌદમા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી) ૮૫ની જ સત્તા હોય છે. તે ચૌદમા ગુણઠાણાના દ્વિચરમ સમયે નીચે મુજબ ૭૨ પ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થાય છે તેથી શેષ ૧૩ પ્રકૃતિઓની સત્તા ચૌદમાં ગુણઠાણાના ચરમ સમયે હોય છે. કિચરમ સમયે જે ૭૨ પ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થાય છે તે આ પ્રમાણે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧. કસ્તવ ૨ દેવદ્રિક (દેવગતિ અને દેવાનુપૂર્વી). ૨ ખગતિશ્ચિક (શુભ-અશુભ વિહાયોગતિ). ૨ ગધંદ્રિક (સુરભિ-દુરભિ ગંધ). ૮ સ્પર્શ આઠ (શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ,ગુરુ લઘુ-મૃદુ-કર્કશ). ૫ વર્ણ પાંચ (કૃષ્ણ-નીલ-લોહિત-હાલિદ્ર-શ્વેત). ૫ રસ પાંચ (તિક્ત-કટુ-કષાય-આસ્લ-મધુર). ૫ શરીર પાંચ (ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ) ૫ બંધન પાંચ ' , પ સંઘાતન પાંચ , , , ૧ નિર્માણ નામકર્મ ૬ સંઘયણ ષક. (વજઋષભનારાચ વગેરે). ૬ અસ્થિર ષક. (અસ્થિર-અશુભ-દુર્ભગ આદિ). ૬ સંસ્થાન ષટ્રક. (સમચતુરસ વગેરે). ૪ અગુરુલઘુ ચતુષ્ક (અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત-ઉચ્છવાસ). ૧ અપર્યાપ્ત નામકર્મ. ૧ સાતા-અસતાવેદનીયમાંથી ૧, (જે અનુદયવાળી હોય તે). ૩ પ્રત્યેકત્રિક (પ્રત્યેક-સ્થિર-શુભ) ૩ ઉપાંગત્રિક. (ઔદારિક અંગોપાંગ વગેરે). ૨ સુસ્વર નામકર્મ તથા નીચગોત્ર. ૭૨ આ બોતેર પ્રકૃતિની સત્તા ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નાશ પામે છે માટે ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે ૧૩ પ્રકૃતિઓની સત્તા હોય છે. જે આગળની ગાથાઓમાં સમજાવાશે. || ૩૧-૩૨ // बिसयरिखओ य चरिमे, तेरस मणुयतसतिग जसाइजं । सुभगजिणुच्चपणिंदिय, सायासाएगयरछेओ ॥ ३३ ॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ દ્વિતીય કર્મગ્રંથ (द्वासप्ततिक्षयश्च चरमे, त्रयोदश मनुजत्रसत्रिक यश आदेयम् । सुभगजिनोच्चपञ्चेन्द्रियसातासातैकतरच्छेदः) શબ્દાર્થ વિસર= બોતેર પ્રકૃતિને, વૉ= ક્ષય થવાથી, રમે= ચૌદમાના ચરમસમયે, તેરસન્નતેર પ્રકૃતિઓની સત્તા, મgયતતા = મનુષ્યત્રિક અને સંસરિક, નસીરૂ i= યશ અને આદેયનામકર્મ, ગુમાન- સૌભાગ્ય અને જિનનામકર્મ, ઉચ્ચગોત્ર, પfir= પંચેન્દ્રિયજાતિ. સાથોસાયરે છે= સાતાઅસાતામાંથી કોઇપણ એકનો છેદ થાય છે. ગાથાર્થ= ચૌદમાં ગુણઠાણાના ઢિચરમ સમયે ૭ર નો ક્ષય થવાથી ચરમ સમયે ૧૩ ની સત્તા હોય છે. તે આ પ્રમાણે-મનુષ્યત્રિક, ત્રસત્રિક, યશનામકર્મ, આદેયનામકર્મ, સોભાગ્ય, જિનનામકર્મ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, અને સાતા અસાતા બેમાંથી એક, એમ ૧૩ ની સત્તાનો ચૌદમા ગુણઠાણાના ચરમ સમયે વિનાશ થાય છે. ૩૩ વિવેચન= જે જે પ્રકૃતિઓનો ચૌદમે ગુણસ્થાનકે ઉદય નથી. તે તે પ્રકૃતિઓની સત્તા ચૌદમા ગુણઠાણાના દ્વિચરમસમયે જ નાશ પામે છે. કારણકે અનુદયવતી પ્રવૃતિઓનું દલિક સ્તિબૂકસંક્રમ દ્વારા ચરમ સમયમાં ઉદયવતીમાં ભળી જાય છે. એટલે કે ઉદયવતી રૂપે જ ભોગવાય છે. માટે તેની પોતાના રૂપે સત્તા ચરમ સમયે હોતી નથી. માટે ૭૨ની સત્તાનો દ્વિચરમસમયે નાશ થાય છે. બાકીની ૧૩ જ પ્રકૃતિની સત્તા ચરમસમયે હોય છે. ૩ મનુષ્યત્રિક (મનુષ્ય ગતિ, આનુપૂર્વી અને આયુષ્ય), ૩ ત્રસત્રિક (ત્રીસ-બાદર-પર્યાપ્ત), યશનામકર્મ, આદેય, સૌભાગ્ય, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, સાતા-અસાતામાંથી એક એમ આ ૧૩ પ્રકૃતિઓની સત્તાને ચૌદમા ગુણઠાણાના ચરમ સમયે નાશ થાય છે. પછી કર્મ રહિત થયેલા આ કેવલજ્ઞાની ભગવાન એક જ સમયની સમશ્રેણીથી મોક્ષે જાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ ૧૩૩ અહીં કૃર પ્રકતિઓનો અનુદય હોવાથી તેની સત્તા જેમ દિચરમ સમયે નાશ પામે છે તેમ મનુષ્યાનુપૂર્વીના પણ અનુદય જ છે. કારણકે ચારે આનુપૂર્વી ક્ષેત્રવિપાકી હોવાથી પોત-પોતાના ભવથી વિગ્રહગતિ રૂપ ક્ષેત્રમાં જ ઉદયમાં આવનારી છે. ભવસ્થ જીવને તેનો વિપાકોદય હોતો નથી. તેથી તેની સત્તા પણ દ્વિચરમસમયે ચાલી જવી જોઇએ. તે બાબત ગ્રંથકારથી મતાન્તર રૂપે આગળની ૩૪મી ગાથામાં જણાવે છે. ૩૩ . नर अणुपुव्वि विणा वा, बारस चरिमसमयंमि जो खविडं। पत्तो सिद्धिं देविंदवंदियं नमह तं वीरं ॥ ३४ ॥ (नरानुपूर्वी विना वा, द्वादश चरमसमये यः क्षपयित्वा । प्राप्तः सिद्धिं देवेन्द्रवन्दितं नमत तं वीरम् ) શબ્દાર્થ = નર અનુપુત્રિ = મનુષ્યાનુપૂર્વી, વિI = સિવાય, વી = અથવા, વીરસ = બાર, મિસયંમિ = ચરમસમયમાં, નો = જે, ઘવિરું = ખપાવીને, પત્તો = પામ્યા, સિદ્ધિ = મોક્ષપદને, વિંદ્રવંત્ર્યિ = દેવેન્દ્રો વડે વંદાયેલા, (અથવા દેવેન્દ્રસૂરિજી વડે વંદાયેલા) નર્મદ = નમસ્કાર થાઓ, તે વીરું = તે વીર ભગવાનને, ગાથાર્થ= અથવા મનુષ્યાનુપૂર્વી વિના ચૌદમા ગુણઠાણાના ચરમ સમયે ૧૨ પ્રકૃતિઓની સત્તા ખપાવીને જે ભગવાન સિદ્ધિપદને પામ્યા છે, તે દેવેન્દ્રો વડે વંદાયેલા વીર ભગવાનને તમે નમસ્કાર કરો. | ૩૪ / વિવેચન= ઉપરની ગાથામાં ચૌદમા ગુણઠાણાના વિચરમસમયે ૭૨ ની સત્તાનો ક્ષય અને ચરમસમયે ૧૩ની સત્તાનો ક્ષય કહેલ છે. આ ગાળામાં અથવા કહીને ગ્રંથકારશ્રી પોતે જ મતાન્તર જણાવે છે કે ઉપાજ્ય સમયે ઉર ની સાથે મનુષ્યાનુપૂર્વાની પણ સત્તાને વિચ્છેદ થાય છે. તેથી ૭૩ની સત્તા જવાથી ચરમસમયે માત્ર ૧૨ની જ સત્તા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દ્વિતીય કર્મગ્રંથ રહે છે. તે ૧૨ પ્રકૃતિની સત્તાને નાશ કરી જે પ્રભુ મહાવીરસ્વામી સિદ્ધિપદને પામ્યા છે, તે વીર ભગવાનને તમે નમસ્કાર કરો. તે વીર ભગવાન દેવેન્દ્રો વડે પણ વંદાયેલા છે. અહીં સેવિંર્વાાિં શબ્દ લખીને ગર્ભિત રીતે દેવેન્દ્ર અર્થાત્ દેવેન્દ્રસૂરિજી એમ પોતાનું નામ પણ કર્તા તરીકે સૂચવ્યું છે. ચૌદમા ગુણસ્થાનકના વિચરમસમયે ૭૩, અને ચરમસમયે ૧૨ પ્રકૃતિઓ સત્તામાંથી નાશ પામે છે આ હકીકત ગ્રંથકારશ્રી મતાન્તર રૂપે રજુ કરે છે. અને પોતાના અભિપ્રાય વિચરમસમયે ૭૨ અને ચરમસમયે ૧૩ની સત્તાનો નાશ જણાવે છે. તથા દિગંબર સંપ્રદાયને માન્ય “ગોમટસાર” નામના ગ્રંથના કર્મકાર્ડમાં ગાથા ૩૪૧ માં પણ ચૌદમાના દ્વિચરમસમયે ૭૨ અને ચરમસમયે ૧૩ની સત્તા નાશ પામે છે. એમ લખ્યું છે. તે ગાથા આ પ્રમાણે છે. अणुदयतदियं णीचमजोगिदुचरिमम्मि सत्तवोच्छिन्ना । उदयगबार णराणू तेरस चरिमम्हि योच्छिना ॥ ३४१ ॥ શ્વેતાંબર આમ્નાયમાં કર્મગ્રંથકારશ્રી દેવેન્દ્રસૂરિજીનો અને દિગમ્બર આમ્નાયમાં ગોમટસારના કર્તા શ્રી નેમિચંદ્રસૂરિજીનો ૭૨ અને ૧૩ ની સત્તાનો વિચ્છેદ માનવામાં શો આશયવિશેષ હશે તે તથાવિધ ગુરુગમના અભાવથી બરાબર સમજાતું નથી. એટલે અહીં તત્ત્વ કેવલિગમ્ય જાણવું. બીજા અને ત્રીજા કર્મગ્રંથમાં જે બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાના અધિકારનું વર્ણન છે તથા બાસઠ માર્ગણા ઉપર જે બંધનું વર્ણન છે. તે જ વર્ણન દિગમ્બર આમ્નાયમાં ગોમટસારના કર્મકાંડમાં બીજા અધિકારમાં ગાથા ૮૭ થી ૩પ૭ ગાથામાં છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૩૫ કઈ કઈ કર્મપ્રકૃતિના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા કયા કયા ગુણસ્થાનક સુધી હોય છે તેનું યંત્ર કર્મપ્રકૃતિ T બંધ | ઉદય | ઉદીરણા સતા . જ્ઞાનાવરણીય-૫ થી ૧૦ |૧થી૧૨ ૧થી૧૨(ચરમા- ૧થી ૧૨ વલિકા વિના). દર્શનાવરણીય-૪ ૧થી૧૦ ૧થી૧૨ ૧થી ૧૨ ૧થી૧૨ ચરમાવ, વિના નિદ્રા-પ્રચલા ૧ થી ૮ ૧ J૧ થી ૧૨ ૧થી૧૨ ૧થી૧રમાના ચરમસમયવિના સમયાધિકાવલિકા ઉપન્ય સમય વિના સુધી થીણદ્વિત્રિક પહેલે અને ૧ થી ૬ ૧ થી ૬ ઉપશમશ્રેણીમાં ૧૧ બીજે સુધીક્ષપકશ્રેણીમાં ૯ ૧ સુધી. સાતાવંદનીય ૧ થી ૧૩ ૧ થી ૧૪ ૧ થી ૬ J૧ થી ૧૪ અસાતાવંદનીય ૧ થી ૬ ૧ થી ૧૪ ૧ થી ૬ મિથ્યાત્વ પહેલે જ પહેલે જ પહેલે જ ૧ થી ૧૧ સુધી. મોહનીય ચરમાવલિકવિના |ક્ષપ. ૪થી૭ સુધી મિશ્ર મોહનીય ત્રીજ ત્રીજે ૧ થી ૧૧ સુધી પ. ૪થી૭ સુધી સમત્વમોહનીય [ x ૪ થી ૭ સુધી ૪ થી ૭ સુધી ] થી ૧૧ સુધી ક્ષપ. ૪થી૭ સુધી અનંતાનુબંધી-૪ પહેલે-બીજે પહેલે-બીજે પહેલે બીજે ૧ થી ૧૧ સુધી લપ. ૪થી૭ સુધી અપ્રત્યાખ્યા ૧થી૪ સુધી ૧ થી ૪ સુધી ૧ થી ૪ સુધી ૧ થી ૧૧ સુધી ક્ષપ. ૯ર સુધી પ્રત્યાખ્યાની-૪ ૧થી૫ સુધી ૧ થી ૫ સુધી ૧ થી ૫ સુધી ૧ થી ૧૧ સુધી પ. ૯૨ સુધી સંજવલમજોધ ૧થી ૨ સુધી ૧ થી ૯ સુધી ૧ થી ૯ સુધી ૧ થી ૧૧ સુધી ક્ષપ. ૯ ૭ સુધી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કર્મપ્રકૃતિ સંજવલનમાન સંજવલનમાયા સંજવલનલોભ હાસ્ય-રુતિ અરતિ-શાક ભય-જુગુપ્તા પુરુષવેદ સ્ત્રીવેદ દ્વિતીય કર્મગ્રંથ | બંધ | ઉદય | ઉદીરણા | સત્તા | ૧થી સુધી ૧ થી ૯ સુધી | ૧ થી ૯ સુધી ૧ થી ૧૧ સુધી લય. - ૮ સુધી |૧થી ૪ સુધી ૧ થી ૯ સુધી | ૧ થી ૯ સુધી |૧ થી ૧૧ સુધી પ. ૯ ૯ સુધી |૧થી ૫ સુધી ૧ થી૧૦ સુધી ૧ થી૧૦ સુધી |૧ થી ૧૧ સુધી | (ચરમાવ૮વિના) પ. ૧૦ગુણ સુધી |૧થી૮ સુધી ૧ થી ૮ સુધી | ૧ થી ૮ સુધી |૧ થી ૧૧ સુધી ક્ષપ. ૯ ૫ સુધી |૧થી૬ સુધી ૧ થી ૮ સુધી | ૧ થી ૮ સુધી |૧ થી ૧૧ સુધી ૧થી૮ સુધી ૧ થી ૮ સુધી | ૧ થી ૮ સુધી ૧ થી ૧૧ સુધી ૧થી ૧સુધી ૧ થી ૯ સુધી | ૧ થી ૯ સુધી ૧ થી ૧૧ સુધી ક્ષપ. ૯ ૬ સુધી પહેલે બીજે |૧ થી ૯ સુધી | ૧ થી ૯ સુધી ૧ થી ૧૧ સુધી ગુણઠાણે ક્ષપ. ૯ ૪ સુધી માત્ર પહલે |૧ થી ૯ સુધી ૧ થી ૯ સુધી |૧ થી ૧૧ સુધી ક્ષપ. ૯ ૩ સુધી પહેલે ||૧ થી ૪ સુધી |૧ થી ૪ સુધી સંભવસત્તાગુણઠાણે ૧થી૧૧ સુધી સદ્ભાવસત્તા ૧ થી ૭ સુધી પહેલે-બીજ |૧ થી ૫ સુધી |૧ થી પ સુધી સંભવસત્તા ૧ થી ૧૧ સુધી સંભાવના ૧ થી ૭ સુધી ૧થી૪ સુધી ૧ થી ૧૪ | ૧ થી ૬ ૧ થી ૧૪ (ત્રીજા વિના) ૧થી૩ સુધી ૧ થી ૪ સુધી |૧ થી ૪ સુધી ૧ થી ૧૧ સુધી (ત્રીજી વન ડે પહેલે જ ૧ થી ૪ સુધી | ૧ થી ૪ સુધી | ૫.૧થી૧૧ સુધી ક્ષપ.૧થી૮ સુધી નપુસંકતંદ ગુણઠાણે નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય મનુગાયુષ્ય દેવાયુપ્ય નરકગતિ Page #138 -------------------------------------------------------------------------- ________________ કમસ્તવ ૧૩૭ કમપ્રકૃતિ બંધ | ઉદય | ઉદીરણા સત્તા તિયંચગતિ પહલ-બા ૧ થી ૫ સુધી ! ૧ થી ૫ સુધી ઉ૫.૧થી૧૧થી | ૫.૧થી ૧ સુધી મનુષ્યગતિ ૧થી૪ સુધી [૧થી૧૪ સુધી [૧થી૧૨ સુધી ૧ થી ૧ દેવગતિ ૧થી૮ ૬ સુધી |૧ થી ૪ સુધી |૧ થી ૪ સુધી ૧ થી ૧૪ માના ઉપન્ય રસમય સુધી એકેન્દ્રિયજાતિ | પહેલે જ પહલે-બીજે | પહેલે બીજે .૧થી૧૧ સુધી ક્ષ.૧થી ૧સુધી બેઇન્દ્રિયજાતિ પહેલે જ પહલ-બીજે પહેલી-બીજે તેઇન્દ્રિયતિ |પહેલ જ પહેલે-બીજે પહેલી-બીજે ચઉરિન્દ્રિયતિ પહેલ-બીજે પહેલે-બીજે પંચેનિયતિ ૧થી૮ ૬ સુધી |૧થી૧૪ સુધી | ૧થી૧૨ સુધી | ૧ થી ૧૪ સુધી દા.શ.નામ ૧થી૪ સુધી |૧થી૧૨ સુધી ૧થી૧૨ સુધી |૧ થી ૧૪ માના ઉપાજ્ય સમય સુધી | વૈક્રિય..નામ. |૧થી૮ ૬ સુધી ૧ થી ૪ સુધી |૧ થી ૪ સુધી આહા...નામ. સાતમે તથા માત્ર છટ્ટ |માત્ર છઠ્ઠ ૮ ૬ભાગ સુધી તેજસ શ.નામ. |૧થી૮ ૬ સુધી [૧થી૧૩ સુધી |૧થી૧૩ સુધી કાર્પણ શ.નામ. ૧થી૮ ૬ સુધી ૧થી૧૩ સુધી |૧થી૧૩ સુધી દા.અંગો.નામ. ૧થી૪ સુધી |૧થી૧૨ સુધી | ૧થી૧૩ સુધી વૈ.અંગો.નામ. ૧થી૮ ૬ સુધી ૧થી૪ સુધી ૧ થી ૪ સુધી આહા.અંગો.નામ. સાતમે તથા માત્ર છટ્ટ | માત્ર છ8 ૮ ૬ભાગ સુધી પાંચ બંધન X | Y | પાંચ સંઘાતન વજ ઋષભનારા |૧થી૪ સુધી |૧થી૧૨ સુધી | ૧થી૧૨ સુધી ૧થી૧૧ સુધી | ૧થી૧૧ સુધી પહલ બી૬ ૧થી૧૧ સુધી ૧થી૧૧ સુધી અર્ધનારાચ પહલ બીજ ૧૧ થી ૭ સુધી [૧ થી ૭ સુધી અપભનારાજ નારાય Page #139 -------------------------------------------------------------------------- ________________ વામન ૧૩૮ દ્વિતીય કર્મગ્રંથ | કર્મપ્રકૃતિ | બંધ | ઉદય | ઉદીરણા | સત્તા કીલિકા પહેલ-બીજે |૧ થી ૭ સુધી | ૧ થી ૭ સુધી ૧ થી ૧૪ના ઉપા© રસમય સુધી છેવટું માત્ર પહેલેજ ૧ થી ૭ સુધી | ૧ થી ૭ સુધી સમચતુરસ |૧થી૮ ૬ સુધી ૧થી૧૩ સુધી | ૧થી૧૩ સુધી ! વગ્રોધપરિમંડળ પહેલે-બીજે ૧થી૧૨ સુધી | ૧થી૧૩ સુધી સાદિ પહેલે-બીજે |૧થી૧૩ સુધી | ૧થી૧૩ સુધી પહેલે બીજે ૧થી૧૩ સુધી | ૧થી૧૩ સુધી કુજુ પહેલે-બીજે |૧થી૧૩ સુધી ૧થી૧૩ સુધી માત્ર પહેલે જ ૧થી૧૩ સુધી ૧થી૧૩ સુધી વર્ણ-(પાંચ) ૧થી૮ ૬ સુધી ૧થી૧૩ સુધી ૧થી૧૩ સુધી ગંધ-(બે) ૧થી૮૬ સુધી [૧થી૧૩ સુધી ૧થી૧૩ સુધી રસ (પાંચ) ૧થી૮૬ સુધી |૧થી૧૩ સુધી [૧થી૧૩ સુધી સ્પર્શ (આઠ) ૧થી૮ ૬ સુધી ૧થી૧૩ સુધી ૧થી૧૩ સુધી નરકાનુપૂર્વી માત્ર પહેલે ૧થી૪ સુધી પહેલે-ચોથે ૧પ.૧થી૧૧ સુધી (બીજા-ત્રીજા વિના) ક્ષપ.૧થી ૧સુધી તિર્યંચાનુપૂર્વી પહેલે બીજે ૧ થી ૪ સુધી ૧ થી ૪ (ત્રીજા વિના) (ત્રીજા વિના) મનુષ્યાનુપૂર્વી ૧થી ૪ સુધી ૧ થી ૪ સુધી ૧ થી ૪ ૧૧ થી ૧૪ સુધી (ત્રીજા વિના) |(ત્રીજા વિના) મતાન્તરે ઉપાજ્ય સમય સુધી દેવાનુપૂર્વી I૧થી૮૬ સુધી {૧ થી ૧૪ માના ઉપાસ્ય સમ્ય સુધી શુભવિહાયોગતિ ૧થી૮ ૬ સુધી ૧થી૧૨ સુધી | ૧થી૧૨ સુધી અશુભ પહલે બીજે વિહાયોગતિ પરાઘાત ૧થી૮ ૬ સુધી [૧થી૧૨ સુધી ૧થી૧૨ સુધી ઉચ્છવાસ ૧થી૮ ૬ સુધી ૧થી૧૨ સુધી ૧થી૧૩ સુધી Page #140 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ કર્મપ્રકૃતિ આપ ઉદ્યોત અગુરુલઘુ તીર્થંકરનામ નિર્માણ ઉપઘાત સ નામ બાદરે નામ પર્યાપ્ત નામ પ્રત્યેક નામ સ્થિર નામ શુભ નામ સૌભાગ્ય નામ બંધ ઉદય માત્ર પહેલે માત્ર પહેલે પહેલે-બીજે ૧ થી ૫ સુધી ૧થી૮ ૬ સુધી ૧થી૧૩ સુધી ૪થી૮ ૬ સુધી તેરમે ચૌદમે ૧થી૮ ૬ સુધી ૧થી૧૩ સુધી ૧થી૮ ૬ સુધી ૧થી૧૩ સુધી ૧થી૮ ૬ભાગ ૧થી૧૪ સુધી સુધી ૧થી૧૪ સુધી ૧થી૧૪ સુધી ૧થી૮ ૬ ભાગ |૧થી ૧૩ સુધી |સુધી 27 ૧થી ૧૨ સુધી ૧થી ૧૩ સુધી ૧થી ૧૪ સુધી ઉદીરણા માત્ર પહેલ ૧ થી ૫ સુધી ૧થી ૧૩ સુધી તેરમે માત્ર ૧થી૧૩ સુધી ૧થી ૧૩ સુધી ૧થી૧૩ સુધી ૧થી૧૩ સુધી ૧થી૧૩ સુધી ૧થી ૧૩ સુધી ૧થી ૧૩ સુધી ૧થી ૧૩ સુધી ૧થી ૧૨ સુધી ૧૩૯ સત્તા ૬.૧થી૧૧ સુધી ૫. ૧ થી ૮ ૧ |સુધી ૧ થી ૧૪ માના પાન્ય સમય સુધી |બીજા-ત્રીજા વિના સર્વત્ર ૧ થી ૧૪ માના ઉપાન્ય સમય સુધી ૧ થી ૧૪ માના ઉપાન્ય સમય સુધી ૧ થી ૧૪ માના ચરમ સમય સુધી ૧ થી ૧૪ માના ચરમ સમય સુધી 39 ૧ થી ૧૪ માના ઉપાન્ય સમય સુધી ૧ થી ૧૪ માના ચરમ સમય સુધી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪) કર્મપ્રકૃતિ સ્વર નામ સુધી આદેય નામ દ્વિતીય કર્મગ્રંથ | બંધ | ઉદય | ઉદીરણા | સત્તા ૧થી ૮ ૨ ભાગ૧થી ૧૨ સુધી | થી ૧૨ સુધી ]૧ થી ૧૪ માના ઉપન્ય સમય સુધી ૧થી ૧૪ સુધી | ૧થી ૧૨ સુધી ૧ થી ૧૪ માના ચરમ સમય સુધી |૧થી૧૦ સુધી ]૧થી ૧૪ સુધી | ૧થી ૧૩ સુધી માત્ર પહેલજ પહેલે બીજે પહલે-બીજ પ.૧થી૧૧સુધી ક્ષપ.૧થી૮ ૧સુધી માત્ર પહેલજ માત્ર પહેલે માત્ર પહેલે ઉ૫.૧થી૧૧સુધી ક્ષપ.૧થી૮ ૧સુધી માત્ર પહેલજ માત્ર પહેલ માત્ર પહેલે ૧થી ૧૪ માના ઉપન્ય સમય યશનામ કર્મ સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સુધી સાધારણ અસ્થિર અશુભ દભય દુસ્વર માત્ર પહેલે જ માત્ર પહેલા માત્ર પહેલે ઉપ.૧થી૧૧સુધી ક્ષપ.૧થી ૧સુધી ૧થી ૬ સુધી ૧થી ૧૨ સુધી | ૧થી ૧૩ સુધી ૧ થી ૧૪ માના ઉપન્ય સમય સુધી ૧થી ૬ સુધી ૧થી ૧૨ સુધી ૧થી ૧૩ સુધી પહલે-બીજે |૧થી ૪ સુધી ૧થી ૪ સુધી પહેલે-બીજે |૧થી ૧૩ સુધી | ૧થી ૧૩ સુધી પહેલે બીજે |૧થી ૪ સુધી | ૧થી ૪ સુધી ૧થી ૬ સુધી ૧થી ૪ સુધી | ૧થી ૪ સુધી પહેલે-બીજે |૧થી ૫ સુધી ૧થી ૫ સુધી ૧થી૧૦ સુધી ]૧થી ૧૪ સુધી ૧૧થી ૧૩ સુધી |૧ થી ૧૪માના ચરમ સમય સુધી ૧થી૧૦ સુધી |૧થી ૧૨ સુધી | ૧ થી ૧૨ સુધી ૧ થી ૧૨ સુધી ચરમાવલિકાવિના અનાદેય અયશ નીચગોત્ર ઉચ્ચગોત્ર અંતરાય પાંચ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ કર્મસ્તવ સત્તા સંબંધી વિશેષ અધિકાર (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક પહેલા ગુણઠાણે વર્તતા જીવોમાં જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, અને અંતરાયની પ, એમ ચાર કર્મોની સર્વે ઉત્તર પ્રવૃતિઓની સત્તા હોય છે. પરંતુ મોહનીય-આયુષ્ય-નામ તથા ગોત્રમાં સર્વ ઉત્તરપ્રકૃતિઓ સત્તામાં હોય જ એવો નિયમ નથી. ઓછી-વધતી પણ સત્તામાં હોય છે. તેથી સર્વકર્મોની ઉત્તરપ્રકૃતિઓની સત્તાની સંખ્યા પણ જુદી જુદી બને છે. (૧) મોહનીય કર્મની સત્તા ૨૮-૨૭-૨૬ એમ ત્રણ જાતની હોય છે. જે જીવો ઉપશમ-ક્ષયોપશમ સમ્યક્ત-પામી પડીને પ્રથમ ગુણઠાણે આવ્યા છે તેઓએ ત્રણjજ કરેલા હોવાથી ૨૮ની સત્તા હોય છે. આ સત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. કારણકે પહેલે ગુણઠાણે આવ્યા પછી પ્રથમ સમયથી જ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ગલના કરવા માંડે છે, પલ્યોપમના ૧ અસંખ્યાતમા ભાગે સમ્યકત્વમોહનીયની ઉદ્વલના પૂર્ણ થાય છે અને ત્યારબાદ પલ્યોપમના બીજા અસંખ્યાતમા ભાગે મિશ્ર મોહનીયની ઉવલના પૂર્ણ થાય છે. જ્યાં સુધી ઉવલના ચાલુ હોય ત્યાં સુધી પ્રથમ ૨૮ ની સત્તા હોય છે. પલ્યોપમનો પ્રથમ અસંખ્યાતમો ભાગ ગયે છતે સમ્યકત્વ મોહનીયની ઉવલના જ્યારે પૂર્ણ થાય ત્યારે તે એક પ્રકૃતિ વિના ૨૭ની સત્તા હોય છે. અને પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ ગયે છતે મિશ્રમોહનીયની પણ ઉદ્વલના જ્યારે પૂર્ણ થાય ત્યારે તે બન્ને પ્રકૃતિ વિના મોહનીયની ૨૬ ની સત્તા હોય છે. તથા સમ્યકત્વ ન પામેલા અનાદિ મિથ્યાત્વી જીવને પણ ૨૬ ની જ સત્તા હોય છે. (૨) આયુષ્યકર્મની બાબતમાં જ્યાં સુધી પરભવનું આયુષ્ય જીવ બાંધે નહિ ત્યાં સુધી એક જીવને એક આયુષ્યની (ઉદિતની) જ સત્તા હોય છે. પરભવનું આયુષ્ય બાંધ્યા પછી મૃત્યુ ન પામે ત્યાં સુધી બાંધેલું અને વેચાતું એમ બે આયુષ્યની સત્તા હોય છે. (પરંતુ જો મનુષ્યનો જીવ હોય અને મનુષ્ય આયુષ્ય જ પરભવનું બાંધ્યું હોય, તથા તિર્યંચનો જીવ હોય અને તિર્યંચાયુષ્ય જ પરભવનું બાંધ્યું હોય તો સજાતીયહોવાથી બદ્ધાયુને પણ એક જ આયુષ્યની સત્તા ગણાય છે. માટે વિજાતીય આયુષ્ય બાંધનારને જ બે આયુષ્યની સત્તા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દ્વિતીય કર્મગ્રંથ હોયછે.) તથા ચારે ગતિના અનેકજીવોને સાથે વિચારીએ તો ચારે આયુષ્યની પણ સત્તા સમૂહને આશ્રયી ગણાય છે. પરંતુ આ સત્તા સમૂહ આશ્રિત હોવાથી સત્તાસ્થાનક કહેવાતું નથી. (૩)નામકર્મમાં પહેલા ગુણઠાણે જિનનામકર્મ અને આહારકચતુષ્ક (આહા૨કશરીર-અંગોપાંગ-બંધન અને સંઘાતન)ની સત્તા જુદી જુદી હોય છે. કારણકે ચોથે ગુણઠાણે જઇ જિનનામ કર્મ બાંધી ક્ષયોપશમ સમ્યક્ત્વવાળો બદ્ધનરકાયુષ્ય યુક્ત જીવ નરકમાં જતાં મિથ્યાત્વે આવે છે, માટે જિનનામની સત્તા પણ પહેલે ગુણઠાણે હોઇ શકે છે. તથા સાતમે ગુણઠાણે જઇ આહારક ચતુષ્ક બાંધી પડીને પહેલા ગુણઠાણે જીવ આવી શકે છે. તેને આશ્રયી આહારક ચતુષ્કની સત્તા પણ હોઇ શકે છે. પરંતુ એટલી ખાસ વિશેષતા છે કે જિનનામ તથા આહારક ચતુષ્ક આ બન્નેની જે જીવને સત્તા હોય છે તે જીવ પહેલા ગુણઠાણે આવતો નથી. પાંચમા કર્મગ્રંથમાં કહ્યું છે કે ‘‘નોમયસંતે મિન્હો'' (ગાથા-૧૨).તેથી નામકર્મની જે ૯૩પ્રકૃતિઓ છે. તેમાંથી એક જીવ આશ્રયી જિનનામ વિના ૯૨ની સત્તા હોઇ શકે છે. આહારક ચતુષ્ક વિના અને જિનનામ સહિત ૮૯ ની સત્તા હોઇ શકે છે. અને આ પાંચે પ્રકૃતિ જેઓએ બાંધી નથી તેઓને તે પાંચ વિના ૮૮ ની સત્તા હોઇ શકે છે. જે જીવો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જાય છે તે જીવો નરકદ્ધિકદેવદ્વિક-અને વૈક્રિય ચતુષ્ક એમ કુલ ૮ પ્રકૃતિઓની (વૈક્રિયાષ્ટકની) ઉલના કરે છે. તેમાંથી એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગયે છતે પ્રથમ દેવદ્વિકની જ ઉલના પૂર્ણ થાય છે. પછી પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ ગયે છતે શેષ ૬ ની ઉલના પૂર્ણ થાય છે. તેથી ૮૮ માંથી દેવદ્વિકની ઉલના થવાથી ૮૬ અને શેષ ૬ ની ઉલના થવાથી ૮૦ ની સત્તા હોય છે. (જુઓ કમ્મપયડિ, સંક્રમણકરણ ગાથા-૬૬) તે ૮૦ ની સત્તા વાળો જીવ જ્યારે તેઉકાય અથવા વાઉકાયમાં જાય છે ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળવડે મનુષ્યદ્વિકની પણ ઉદ્ભવલના કરે છે. તેથી ૮૦ માંથી મનુષ્યતિક બાદ કરતાં ૭૮ ની પણ સત્તા હોય છે. આ પ્રમાણે કુલ ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ એમ છ પ્રકારની સત્તા હોય છે. (૪) ગોત્રકર્મમાં સામાન્યથી બન્ને ગોત્રકર્મ વારાફરતી બંધાતાં હોવાથી Page #144 -------------------------------------------------------------------------- ________________ નં. ૧ ર 3 ૪ પ ક ৩ કયા જીવને આશ્રયી વિજાતીય બદ્ઘાયુ એક જીવાશ્રયી અબદ્ઘાયુ એક જીવાશ્રયી અથવા સજાતીય બદ્ઘાયુ આશ્રયી જિનનામવાળા, અને આહારક વિનાના વિ. બદ્ઘાયુ એક જીવ આશ્રયી જિનનામવાળા અને આહારક વિનાના સત બદ્ધાયુ કે અબદ્ઘાયુ એક જીવ આશ્રયી જિનનામ અને આહારક બન્ને વિનાના વિ. બદ્ઘાયુ એક જીવ આશ્રયી જિનનામ અને આહારક બન્ને વિનાના સત બદ્ધાયુ કે અબાયુ એક જીવ આશ્રયી સમ્યક્ત્વમોહનીયની ઉર્દૂલના થયા પછી વિ. બદ્ધાયુ એક જીવ આશ્રયી સમ્યક્ત્વમોહનીયની ઉલના થયા પછી સ બદ્ધાયુ કે અબદ્ઘાયું એક જીવ આશ્રયી મિશ્રની ઉદ્દ્ગલના થયા પછી વિ. બદ્ધાયુ એક જીવ આશ્રયી ૧૦ મિશ્રની ઉદ્ભવલના થયા પછી સ૦ બદ્ધાયુ અથવા અબદ્ધાયુ એક જીવ આશ્રયી मिथ्यादृष्टि गुणस्थानपु su. ૬. વે. ૫ ૫ ૫ પ ૫ ૫ ૫ ર પ ૫ - ૩:૩ ૯ ૯ ક ૯ ૯ U ' 3) ર ર ર ૨ | ર ૨ ર ૨ ૨ અં. ૧ ૫ ૫ ૫ પ ૧ મ ૫ ૫ ૫ મો. |આ. ૨૮ ર ૨૮ ૧ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૭ ૨૭ | ૨૬ ૨૬ | ર في ૧ ૨ ૧ રે ૧ لی રે 1 . નામ [3] ૯૨ ૮૯ ૮૯ ८८ ८८ ८८ ८८ |સ 222 ८८ ગો. ર ર ર ર ર ર ૨ ર કુલ. ૧૪૫ ૧૪૪ ર ૧૪૨ ૧૪૧ ૧૪૧ ૧૪૦ ૧૪૦ ૧૩૯ ર ૧૩૯ ૧૩૮ કર્મસ્તવ ૧૪૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ длъ નં. કયા જીવને આશ્રયી જ્ઞા. દ. | વે. | અં. મો. આ. નામ ગો. | કુલ. ૧૧ અનાદિ મિથ્યાત્વી વિ. બધ્ધાયુ આશ્રયી ૫. ૯ | ૨ ૫ ૨૬ ૨ ૮૮ ૨ | ૧૩૯ | અનાદિ મિથ્યાત્વી સ0 બદ્ધાયુ અથવા ૫ ૯ ૨ ૨ ૨ ૨ ૧ ૮૮ | ૨ | ૧૩૮ અબધ્ધાયુ આશ્રયી ૧૩ દેવદ્ધિકની ઉવલના કર્યા પછી ૫ | ૯ | ૨ | ૫ ૨૬ ૨ ૮૬ | ૨ | ૧૩૭ વિ. બધ્ધાયું ૧ જીવ આશ્રયી | દેવદ્ધિકની ઉવલના કર્યા પછી સજા ૧૩૬ બદ્ધાયુ અથવા અબધ્ધાયુ ૧ જીવ આશ્રયી ૧૫ વૈક્રિયાષ્ટકની ઉદ્વલના કર્યા પછી | ૮૦ ૨ | ૧૩૧ વિ. બધ્ધાયું ૧ જીવ આશ્રયી ૧૬ | વૈકિયાષ્ટકની ઉવલના કર્યા પછી સજા | ૫ | ૯ | ૨ | ૫ | ૨૬ | ૧ | ૮૦ | ૨ | [ ૧૩) બદ્ધાયુ અથવા અબધ્ધાયું ૧ જીવ આશ્રયી તે-વાઉમાં ઉચ્ચગોત્રની ઉર્વલના બાદ બધ્ધાયુ કે અબધ્ધાય એમ બન્નેને તેલ-વાઉમાં મનુષ્યદ્ધિકની ઉદ્વલના ૫ | ૯ | ૨ | ૫ ર૬ | ૧ | ૭૮ | ૧ | ૧૨૭ બાદ બધ્ધાયુ કે અબધ્ધાય એમ બન્નેને પહેલા ગુણઠાણે ઉપર મુજબ સત્તાસ્થાનો હોઇ શકે છે. ૧૨૭, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૫, અબધ્ધાયુને જે જે સત્તા હોય છે. તે તે સજાતીય બધ્ધાયુને પણ જાણી લેવી. તથા તેઉવાઉમાં પ્રથમ ઉચ્ચગોત્રની અને પછી મનુષ્યદ્ધિકની ઉદ્વલના થાય છે. (જુઓ કમ્મપડિ સંક્રમ કરણ ગાથા-૬૭) ૧૮ દ્વિતીય કર્મગ્રંથ Page #146 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૪૫ ૨ ની સત્તા હોય છે. પરંતુ જ્યારે જીવ તેઉકાય-વાઉકાયમાં જાય છે ત્યારે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાય ત્યારે ઉચ્ચગોત્રની પણ ઉવલના કરે છે. તેથી શેષ ૧ માત્ર નીચગોત્રકર્મની જ સત્તા હોય છે. આ પ્રમાણે ચારકર્મોમાં સત્તાનો તફાવત હોવાથી આઠ કર્મોની સત્તા પહેલે ગુણઠાણે આ પ્રમાણે જુદી જુદી હોઇ શકે છે. (જુઓ ચિત્ર પૃષ્ઠ ૧૧૭ ૧૧૮) (૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક આ ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વથી પડતા જીવને જ આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય, વેદનીય ૨, મોહનીય નિયમા ૨૮, ગોત્રકર્મ ૨, અને અંતરાયકર્મ ૫, એમ છ કર્મની સત્તા નિશ્ચિત સંખ્યામાં જ હોય છે. ફક્ત આયુષ્ય અને નામકર્મમાં જ તફાવત છે. તે આ પ્રમાણે-ચાર ગતિના અનેક જીવો જો લઈએ તો ચારે આયુષ્યની સત્તા, વિજાતીય બદ્ધાયુ ૧ જીવને બે આયુષ્યની સત્તા, સજાતીય બદ્ધાયુ અને અબદ્ધાયુને માત્ર એક જ આયુષ્યની સત્તા હોય છે. નામકર્મમાં જો આ જીવ સાતમે જઇ આહારક બાંધીને આવ્યો હોય તો ૯૨ અને જો આહારક બાંધ્યા વિના પડેલ હોય, અથવા સાતમે ગયેલ જ ન હોય તેવા જીવને આહારક ચાર વિના ૮૮ની સત્તા હોય છે. જિનનામકર્મ તો બીજે-ત્રીજે ગુણઠાણે સત્તામાં હોતું જ નથી. તેથી આઠે કર્મોની સત્તા આ પ્રમાણે બને છે. S સાસ્વાદન ગુણસ્થાનક ન ક્યા જીવને આશ્રયી દ. વે) મો. આ નામ ગો. અ.) કુલ. ૧|આહારકવાળા બદ્ધાયું ૧ જીવને |પ || ર | ૨૮/ ૨ ૯૨ ર પ [૧૪૫ આહારવાળા અબદ્ધાયું ૧ જીવન પ |ર | ૨૮૧ ૧૯૨ | | |૧૪૪ અથવા સજાતીય બદ્ધાયુને ૩ આહારક વિનાના વિ. બદ્ધાયુ | | ર | ૨૮ ર |૮૮ ૫ર ૫ | ૧૪૧ | ૧ જીવને ૨ | ૯ | ર | ૨ ૮ ૧ | ૮૮ 1ર ૫ ૧૪૦ ૪|આહારક વિનાના અબદ્ધાયું ૧ જીવને અથવા સજાતીય બદ્ધાયુને ૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ દ્વિતીય કર્મગ્રંથ અહીં ૧૪૩ ની સત્તા ચાર ગતિના અનેક જીવો સાથે લેવાથી ૪ આયુષ્ય સાથે ગણીને હોય છે. પરંતુ તેને સત્તાસ્થાન કહેવાતું નથી તથા એક જીવને કદાપિ ૧૪૩ ની સત્તા કોઇ પણ ગુણઠાણે સંભવતી નથી. (૩) મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક ત્રીજા મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, ગોત્રકર્મ ૨, અને અંતરાયકર્મ ૫, એમ કુલ પાંચ કર્મોની સત્તા નિયત જ હોય છે. બાકીના મોહનીય, આયુષ્ય અને નામકર્મ એમ ત્રણ કર્મોની સત્તા ઓછી વધતી હોય છે તે આ પ્રમાણે- * મોહનીયકર્મની ૨૮-ર૭-૨૪ એમ ત્રણ જાતની સત્તા હોય છે. જે જીવો ઉપશમ-ક્ષયોપશમ સમ્યકત્વ પામી પડીને ત્રીજે આવે છે. તેઓને ત્રણે પુંજની સત્તા હોવાથી ૨૮, પહેલા ગુણઠાણે જઈ સમ્યક્ત મોહનીયની ઉર્વલના કર્યા પછી મિશ્ર મોહનીયની ઉવલના કરતાં કરતાં પહેલેથી ત્રીજે આવે તેવા જીવને સમ્યત્વ મોહનીય વિના ૨૭, અને ચોથા આદિ ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરીને ઉપરના ગુણઠાણેથી ત્રીજે આવનારને ચાર અનંતાનુબંધી વિના ૨૪ની સત્તા પણ હોય છે. એમ ૨૮-૨-૨૪ હોય છે. આયુષ્યકર્મમાં સર્વજીવો સાથે લઈએ તો ચારે આયુષ્ય ગણવાથી ચારની સત્તા કહેવાય છે. પરંતુ તેને સત્તાસ્થાનક કહેવાય નહીં તથા વિજાતીય બદ્ધાયુ એક જીવને આશ્રયી બે આયુષ્યની સત્તા, અને સજાતીય બદ્ધાયુ તથા અબદ્ધાયુ એક જીવને આશ્રયી એક આયુષ્યની સત્તા હોય છે. નામકર્મમાં આહારક બાંધીને પતિત થયેલા જીવને ૯૨, આહારક બાંધ્યા વિના પતિત થયેલાને, અથવા પહેલા ગુણઠાણેથી આવેલા જીવન ૮૮ની સત્તા હોય છે. ત્રીજા ગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. હવે આ કર્મોની સત્તા ત્રીજે ગુણઠાણે જોઇએ. Page #148 -------------------------------------------------------------------------- ________________ કુલ કસ્તવ ૧૪૭ મિશ્ર ગુણસ્થાનક નં. કયા જીવને આયી | જ્ઞા. દo| વેવ માં આ.ના.ગો. અનંતા અને આહારકવાળા | પ ૯ | ૨ | ૨૮ ૨ |૯૨ ૨ ૨ ૧૪૫ વિજાતીય બદ્ધાયુ ૧ જીવને અનંતા અને આહારકવાળા | પ ૯ | ૨ | ૨૮ / ૧ /૯૨/ર/પ ૧૪૪ સજાતીય બદ્ધાયુ અને અબદ્ધાયુને અનંતા) વિના આહારકવાળા ૫ ૧૯ | ર | ૨૪ ૨ ૯િ૨ િર પ [૧૪૧ વિજાતીય બદ્ધાયું ૧ જીવને અનંતા વિના આહારવાળા | ૫ |૯| ૨ | ૨૪] ૧ ૯૨ ૨ ૨ ૧૪૦ સજાતીય બદ્ધાયુ તથા અબદ્ધાયુ ૧ જીવન અનંતાવાળા, આહારક વિનાના 1પ | ૨ ૮૮ ૨ [૧૪૧ વિજાતીય બદ્ધાયું ૧ જીવને અન્તાવાળા આહાર વિનાના ૫ ૯િ | ૨ | ૨૮ | ૧ ૮િ૮૨ ૩૫ ૧૪૦ સજાતીય બદ્ધાયુ અને અબદ્ધાયું ૧ જીવને અનંતા૦ વિના, આહારક | ૫ |૯| ૨ | ૨ ૮૫ ૨ | |૧૩૭ વિના વિજાતીય બદ્ધાયું ૧ જીવને ! અનતા વિના આહારવિનાના | ૫ | | ૨ | ૨૪] ૧ ૮૮૨ ૫૫ [૧૩૬ સજાતીય બદ્ધાયુ તથા અબદ્ધાયુને ૯ | સમ્યત્વની ઉવલના કરી | ૨ | ૯ | ૨ | ર૭. ૧૮૮1ર/પ ૧૪૦ ત્રીજ આવનાર વિજાતીય બદ્ધાને ૧૦ સમ્યક્તની ઉદ્દલના કરી | | | ૨ | ૨૭૧ |૮૮૧ ૨ ૧૩૯ ત્રીજે આવનાર સજાતીય બદ્ધાયુ અને અબદ્ધાયુને પહેલે ગુણઠાણે જઈ સમ્યકત્વ મોહનીયની ઉવલના કરી ત્રીજે આવનાર જીવને આહારકની સત્તા હોતી નથી. સાતમે જવા છતાં આહારક ન બાંધનારને તો સત્તા હતી જ નથી, અને બાંધીને પડનારને પણ અવિરતિ પ્રત્યયિક આહારકની ઉદ્વેલના પ્રથમ થતી હોવાથી સમ્યકત્વ મોહનીયની ઉદ્વલના પૂર્ણ કરતાં પહેલાં આહારક સત્તામાંથી નીકળી જ જાય છે. માટે સમ્યકત્વ મોહનીયના ઉદ્ઘલકને નામકર્મની ૮૮ની જ સત્તા હોય છે. ૨ ૪ | ૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક અહીં ઉપશમ, ક્ષયોપશમ, તથા ક્ષાયિક એમ ત્રિવિધ સમ્યક્ત્વ હોય છે. ત્યાં ઉપશમ સમ્યક્ત્વવાળાને દર્શનત્રિકનો નિયમા ઉપશમ હોય છે અને અનંતાનુબંધી ૪ નો અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઉપશમ પામે ત્યારે ક્ષયોપશમ અને શ્રેણીમાં વિસંયોજના અથવા ઉપશમ હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને દર્શન સપ્તકનો નિયમા ક્ષય હોય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વવાળો જીવ સમ્યક્ત્વ મોહનીયનો વૈદક જ હોય છે. અનંતાનુબંધીના ક્ષયોપશમવાળો, વિસંયોજનાવાળો, અથવા ક્ષાયિક પામતાં ક્ષયવાળો પણ હોય છે. મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષયોપશમ અથવા ક્ષય હોય છે. તેથી (૧) ઉપશમવાળાને ૨૮૨૪, ક્ષાયિકવાળાને ૨૧, અને ક્ષયોપશમવાળાને ૨૮/૨૪|૨૩૨૨૨ ની સત્તા હોય છે. દ્વિતીય કર્મગ્રંથ નામકર્મમાં ૯૩૯૨૮૯૮૮ એમ ચાર સત્તાસ્થાનક હોઇ શકે છે. સાતમે જઇ આહારક બાંધીને આવનારને તે સત્તામાં હોય, અન્યને ન હોય, સત્તામાં જિનનામ પણ ચોથે સર્વને બંધાતું નથી, જેને બંધાય તેને હોય, અને ન બંધાય તેને ન હોય, તેથી ઉપર મુજબ ચાર સત્તા સંભવે છે. આયુષ્યકર્મમાં સર્વત્ર વિજાતીય બદ્ધાયુને બે, અને સજાતીય બદ્ધાયુને તથા અબદ્ઘાયુને ફક્ત એક જ આયુષ્યની સત્તા હોય છે. તેથી આઠ કર્મોની સત્તા આ પ્રમાણે બને છે. (જુઓ કોષ્ટક પૃષ્ઠ ૧૨૩૧૨૪૧૨૫) આ પ્રમાણે ચોથે ગુણઠાણે ૧૩૩ થી ૧૪૬ સુધીનાં ૧૪૩ વિના કુલ ૧૩ સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક પામતા જીવો મનુષ્ય જ હોય છે તેને પૂર્વે જુદા જુદા ચારે આયુષ્ય બાંધેલાં હોઇ શકે છે. અથવા અબદ્ધાયુ પણ હોઇ શકે છે. પરંતુ જિનનામની સત્તાવાળાને જો આયુષ્ય બાંધેલું હોય તો દેવ અથવા નરકનું જ બાંધેલું હોય છે. સજાતીય બાંધેલું સંભવતું નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ કર્યસ્તવ ૫ | ૧૪૧ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કયા જીવને શા. દ. | વે. | મો. આયુ. નામ ગોત્ર. અંત. કુલ. માહ. ૨૮, નામ ૯૩, વિ. બધ્ધાયું ૧ જીવા ૫ | ૯ | ર | ૨૮ ૨ | ૯૩ ૨ | ૫ ૫ [ ૧૪૬ મોહ. ૨૮, નામ ૯૩, અબધ્ધાયુ અથવા સ. બદ્ધાયુને | ૫ | ૯ | ૨ | ૨૮ ૧ | ૯૩ ૨ | ૫ ૧૪૫ ૩ | માહ. ૨૮, નામ ૯૨, વિ. બધ્ધાયુને ૫ | ૯ | ૨ | ૨૮| ૨ | ૯૨ ૨ | ૫ ૫ | ૧૪૫ મોહ. ૨૮, નામ ૯૨, સજા, બધ્ધાયુ તથા અબધ્ધાયુને | ૫ | ૯ | ર | ૨૮ ૧ | ૯ર ર ૧૪૪ મોહ. ૨૮, નામ ૮૯, બધ્ધાયુને ૫ | ૯ | ૨ | ૨૮ ર | ૮૯ ૨ ૧૪૨ મોહ. ૨૮, નામ ૮૯, અબધ્ધાયુને ૫ | ૯ | ૨ | ૨૮ ૧ | ૮૯ ૨ | ૧૪૧ ૭મહ. ૨૮, નામ ૮૮, વિ. બધ્ધાયુને ર | ૨૮] ૨ | ૮૮) ૨ | ૮ | મહ. ૨૮, નામ ૮૮, સજા. બધ્ધાયુ અથવા અબધ્ધાયુને ૫ | ૯ | ૨ | ૨૮ ૧ | ૮૮| ૨ | ૫ | ૧૪૦ ૯ | મોહ. ૨૪. નામ ૯૩, બધ્ધાયુને ૫ | ૯ | ૨ | ૨૪ ૨ | ૯૩ ૨ | ૫ | ૧૪૨ ૧૦ માહ. ૨૪, નામ ૯૩, અબધ્ધાયુને ૫ | ૯ | ૨ | ૨૪ ૧ / ૯૩ ૨ | ૫ | ૧૪૧ ૧૧ માહ. ૨૪. નામ ૯૨, વિજા. બધ્ધાયુને ૧૨ મોહ. ર૪. નામ ૯૨, સજા. બધ્ધાયુ તથા અબધ્ધાયુને | પ | ૯ | ૨ | ૨૪, ૧ | ૯૨ ૨ | ૫ | ૧૪૦ ૧૩ માહ. ર૪, નામ ૮૯, બધ્ધાયુને | ૫ | ૯ | ૨ | ૨૪] ૨ | ૯૯ ૨ | ૫ | ૧૩૮ ૧૪ મોહ. ૨૪, નામ ૮૯, અબધ્ધાયુને | ૫ | ૯ | ૨ | ૨૪ ૧ | ૮૯ ૨ | ૫ | ૧૩૭ ૧૫ માંહ. ૨૪, નામ ૮૮, વિજા. બધ્ધાયુને _ | ૫ | ૯ | ૨ | ૨૪ ૨ | ૮૮| ૨ | ૫ | ૧૩૭ ૧૪૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ નં. કયા જીવને ૧૬ મોહ. ૨૪, નામ ૮૮, સજા. બધ્ધાયુ તથા અબધ્ધાયુને ૧૭ ક્ષાયિક પામતાં મોહ. ૨૩, નામ ૯૩, બધ્ધાયુને ૧૮] ક્ષાયિક પામતાં મોહ, ૨૩, નામ ૯૩, અબધ્ધાયુને ૧૯ ક્ષાયિક પામતાં મોહ. ૨૩, નામ ૯૨, વિજા. બધ્ધાયુને ૨૦ ક્ષાયિક પામતાં મોહ. ૨૩, નામ ૯૨, સજા. મનુષ્યાયુના બંધકને, તથા અબધ્ધાયુને ક્ષાયિક પામતાં મોહ, ૨૩, નામ ૮૯, બધ્ધાયુને ૨૧ રેર ક્ષાયિક પામતાં મોહ. ૨૩, નામ ૮૯, અબધ્ધાયુને થાયિક પામતાં મોહ, ૨૩, નામ ૮૮, વિજાતીય બધ્ધાયુને ૨૪ ક્ષાયિક પામતાં મોહ. ૨૩, નામ ૮૮, યુગલિક સજા. મનુષ્યાયુના બંધકને, તથા અબધ્ધાયુને ૨૫ ક્ષાયિક પામતાં મિશ્ર ક્ષય કર્યા પછી મોહ. ૨૨, નામ ૯૩, બધ્ધાયુ જીવને ર૬ ક્ષાયિક પામતાં મિશ્ર ક્ષય કર્યા પછી - મોહ. ૨૨, નામ ૯૩, અબધ્ધાયુ જીવને મોહ. ૨૨, નામ ૯૨, વિજા. બધ્ધાયુને M. ૫ પ્ ૫ પ ૧ ૫ ૫ | ૧ પ્ C &. ૯ ૯ ૯ પ U પ્ ૫ ૯ ૯ U ૯ ૯ ૯ વે. | મો. આયુ. નામ ગોત્ર. અંત. કુલ. ર ૨૪ ૧ ર ૫ ૧૩૬ ૨૩ ર ૫ ૧૪૧ ૨૩ પ ૧૪૯ ૨૩ ૧૪૦ ૨૩ ૧૩૯ || ર ર ર ry ર n ૨ ર ૨૩ ૨૩ ૨૩ ૨૩ રે રે ૨૨ ૨૨ ૧ ર سی ૧ ર ૧ ૨ ૧ ર ૧ r # [ 3 ] Y] Y ૯૨ ૯૨ ૮૯ ૮૯ ८८ ૯૩ ૯૩ ' | ८८ । ર ૯૨ ર ર ૨ ર ru ર ર ૫ ૫ પ ૧ ૧ ૫ ૧ ૧ પ ૧૩૭ ૧૩૬ ૧૩૬ ૧૩૫ ૧૪૭ ૧૩૯ ૧૩૯ ૧૫૦ દ્વિતીય કર્મગ્રંથ Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૨૮ | કયા જીવને | શા. દ. | વે. | માં આયુ. નામ ગોત્ર. અંત. કુલ. મોહ, ૨૨, નામ ૯૨, સજા. યુગલિક મનુષ્પાયુના બંધકને તથા અબધ્ધાયુને ૨૯ મોહ. રર, નામ ૮૯, બધ્ધાયુ જીવને ૫ | ૯ | ર ) રર . ર | ૮૯ ૨ | ૫ | ૧૩૬ ૩૦ માહ. રર, નામ ૮૯, અબધ્ધાયુ જીવને ૨ | ૯ | R | S | T | ૯ | ર | ૫ | ૧૩૫ ૩૧ માહ. ૨૨, નામ ૮૮, વિજાતીય બધ્ધાયુને ૫ | ૯ | ર ) રર : | ૮૮ ર | ૫ | ૧૩૫ ૩૨ મોહ. રરે, નામ ૮૮, સજા. યુગલિક | ૫ | ૯ | ૨ | ૨૨ | ૧ | ૮૮૨ | ૫ | ૧૩૪ મનુષ્યાયુના બંધકને તથા અબદ્ઘાયુને ૩૩ માહ, ૨૧, નામ ૯૩, બધ્ધાયુ જીવને ૫ | ૯ | ર | ૨૧ | ૨ | ૯૩ ૨ | ૫ | ૧૩૯ ઉ૪ માહ. ૬૧, નામ ૯૩, અબધ્ધાયુ જીવને | ૫ | ૯ | ૨ | ૨૧ / ૧ / ૯૩ ૨ | ૫ | ૧૩૮ ૩૫ માહ. ર૧, નામ ૯૨, વિજાતીય બદ્ધાયુને | ૫ | ૯ | ૨ | ૨૧, ૨ | ૯૨ ૨ | ૫ | ૧૩૮ ઉદ| મેહ. ૨૧, નામ ૯૨, સજા. બધ્ધાયુને અથવા અબધ્ધાયુને ‘| ૫ | ૯ | ૨ | ૨૧| ૧ | ૯૨ | ૨ | ૫ | ૧૩૭ ૩૭ મોહ. ૨૧, નામ ૮૯, બધ્ધાયુને ૨ | ૯ | ૨ | ૨૧ | ૨ | ૮૯| ૨ | ૫ | ૧૩૫ ૩૮ મોહ, ૨૧, નામ ૮૯, અબધ્ધાયુને - ૫ | ૯ | ૨ | ૨૧, ૧ | ૮૯ ર | ૫ | ૧૩૪ ૩૯ મહ. ૨૧, નામ ૮૮, વિજાતીય બધ્ધાયુને | ૫ | ૯ | ૨ | ૨૧ | ૨ | ૮૮ | ૫ | ૧૩૪ ૪૦ મોહ. ૨૧, નામ ૮૮, સજા. બધાયુને અથવા અબદ્ઘાયુને | ૫ | ૯ | ૨ | ૨૧ [ ૧ | ૮૮ ૨ | ૫ | ૧૩૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ | દ્વિતીય કર્મગ્રંથ પાંચમા ગુણઠાણે, છઠ્ઠા ગુણઠાણે, અને સાતમા ગુણઠાણે પણ ચોથા ગુણદાણાની જેમ જ સત્તાસ્થાનો હોય છે. કારણકે ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ઉપશમસમ્યકત્વ, ક્ષયોપશમસમ્યક્ત અને ક્ષાયિકસમ્યક્ત એમ ત્રણે સમ્યત્વ હોય છે. તેથી મોહનીયકર્મની૨૮-૨૪-૨૩-૨૪ અને ૨૧ની સત્તા હોઇ શકે છે. આયુષ્યકર્મમાં પણ ચોથું ગુણસ્થાનક ચારે ગતિમાં, પાંચમું ગુણસ્થાનક તિર્યંચ-મનુષ્યને, અને છઠું-સાતમું ગુણસ્થાનક મનુષ્યને હોય છે. અને ચારે ગતિમાનું કોઇપણ આયુષ્ય બાંધ્યા પછી તે આયુષ્યની સત્તા હોતે છતે સાતમા ગુણસ્થાનક સુધી ચઢી શકાય છે. માટે વિજાતીય બદ્ધાયુ એક જીવ આશ્રયી બે આયુષ્યની સત્તાઅને અબદ્ધાયુ તથા સજાતીય બદ્ધાયુ એવા એક જીવ આશ્રયી એક આયુષ્યની સત્તા હોય છે. નામકર્મની સત્તા ૯૩-૯૨-૮૯ અને ૮૮ની હોય છે. માટે સંપૂર્ણપણે ચોથા ગુણસ્થાનકની જેમ જ સત્તાસ્થાન જાણવાં. (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક આઠમા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનો પ્રારંભ થાય છે. ઉપશમશ્રેણી ઉપશમ સમ્યત્વવાળા જીવો પણ પ્રારંભે છે અને ક્ષાયિક સમ્યકત્વી જીવો પણ પ્રારંભે છે. અને ક્ષપકશ્રેણી તો માત્ર ક્ષાયિક સમ્યકત્વી જ પ્રારંભે છે. જે ઉપશમ સમ્યકત્વવાળા જીવો ઉપશમશ્રેણી પ્રારંભે છે. તેમાં પણ કેટલાક જીવો દર્શનસપ્તકને ઉપશમાવીને મોહનીયની ૨૮ની સત્તાવાળા થયા છતા ઉપશમશ્રેણી પ્રારંભે છે અને કેટલાક જીવો ચાર અનંતાનુબંધી કષાયની વિસંયોજના કરીને દર્શનત્રિક ઉપશમાવીને ૨૪ ની સત્તાવાળા થયા છતા પણ ઉપશમ શ્રેણી પ્રારંભે છે. તેથી મોહનીયકર્મની ઉપશમને આશ્રયી ૨૮-૨૪-અને ક્ષાયિકને આશ્રયી ૨૧ની સત્તા હોય છે. કમ્મપડિકાર અનંતાનુબંધીના વિસંયોજકને અથવા ક્ષેપકને જ ઉપશમશ્રેણિ માને છે. આયુષ્યકર્મમાં નરક અને તિર્યંચનું આયુષ્ય બંધાયા પછી ઉપશમશ્રેણી પ્રારંભાતી નથી. માટે દેવ-મનુષ્ય એમ બે જ આયુષ્યની સત્તા બદ્ધાયુને હોય છે અને અબદ્ધાયુને માત્ર એક મનુષ્પાયુષ્યની જ સત્તા હોય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ નં. ૧ ર ૪ પ C ૧૦ ૧૧ અપૂર્વકરણ ગુણસ્થાનક દ. કયા જીવને આશ્રયી મોહનીયની ૨૮ અને નામની ૯૩ વાળા બધ્ધાયુને મોહનીયની ૨૮ અને નામની ૯૩ વાળા અબધ્ધાયુને મોહનીયની ૨૪, નામની ૯૩ વાળા બધ્ધાયુને મોહનીયની ૨૪, નામની ૯૩ વાળા અબધ્ધાયુને મોહનીયની ૨૧, નામની ૯૩ વાળા બધ્ધાયુને મોહનીયની ૨૧, નામની ૯૩ વાળા અબધ્ધાયુને મોહનીયની ૨૮, નામની ૯૨ વાળા બધ્ધાયુને મોહનીયની ૨૮, નામની ૯૨ વાળા અબધ્ધાયુન મોહનીયની ૨૪, નામની ૯૨ વાળા બધ્ધાયુને મોહનીયની ૨૪, નામની ૯૨ વાળા અબધ્ધાયુને મોહનીયની ૨૧, નામની ૯૨ વાળા બધ્ધાયુને શા. ૧ ૫ ૫ ૫ ૫ ૫ ૯ મ ૫ ૫ ૫ U ૧ ૯ ૯ U ૩ ૯ ૩ ૯ ૩ - વે. ૯ ર ૨ ૯ ૨ ર d ર * × .. રે મો. ર ૨૮ ર૮ ૨૪ ૨૪ . ૨૧ ૨૮ આ. ૨૪ ર ne ૧ - | v રે ૨૮ ૧ ૧ ૨૧ • ૯૩ d ૨૪ ર ર ૧ ૯૩ ૧ નામ ગો. | અં. | કુલ. - ૯૩ ર ૯૩ ૯૩ ૯૩ ૯૨ ૯૨ ૯૨ ૯૨ ર ¥ ર ર ץ ર ૐ ર . Al ર ' ર ૯૨ ર ૧ ૫ ૫ ૫ ૫ પ ૫ ૫ પ ૫ ૫ ૧૪૬ ૧૪૫ ૧૪૨ ૧૪૧ ૧૩૯ ૧૩૮ ૧૪૫ ૧૪૪ ૧૪૧ ૧૪૦ ૧૩૮ કર્મસ્તવ ૧૫૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ 2hb નં. | કયા જીવને આશ્રયી ૧૨ | માનીયની ૨૧, નામની ૯ર વાળા અબધ્ધાયુને ૧૩) મોહનીયની ૨૮. નામની ૮૯ વાળા બધ્ધાયુને ૧૪ | મોહનીયની ૨૮, નામની ૮૯ વાળા અબધ્ધાયુને જ્ઞા. દ. | વે. મો. આ. નામ ગો. અં. | કુલ. ૫ | ૯ | ર | ૨૧ | ૧ | ૯૨ | ૨ | ૫ | ૧૩૭ ૯ | ર | ૨૮ | ૨ | ૯ | ૨ | ૫ | ૧૪૨ ૯ | ર | ૨૮ | ૧ | ૮૯ | ર | ૫ | ૧૪૧ ૫ | ૯ | ૨ | ૨૪ ૨ | ૯ | ૨ | ૫ | ૧૩૮ ૯ | ૨ | ૨૪ | ૧ | ૮૯ | ૨ | ૫ | ૧૩૭ ૫ | ૯ | ૨ | ૨૧ ર | ૮૯ | | ૫ | ૧૩૫ | ૧૫ | મોહનીયની ૨૪, નામની ૮૯ વાળા બધ્ધાયુને | ૯ | ૨ | ૨૧ | ૧ | ૮૯ | ૨ | ૫ | ૧૩૪ | | | | ૧૬ મોહનીયની ૨૪, નામની ૮૯ વાળા અબધ્ધાયુને ૧૭ | મોહનીયની ૨૧, નામની ૮૯ વાળા બધ્ધાયુને ૧૮ મોહનીયની ર૧, નામની ૮૯ વાળા અબધ્ધાયુને ૧૯| મોહનીયની ૨૮, નામની ૮૮ વાળા બધ્ધાયુને ૨૦' મોહનીયની ૨૮. નામની ૮૮ વાળા અબધ્ધાયુને ર૧ | મોહનીયની ૨૪, નામની ૮૮ વાળા બધ્ધાયુને ૨૨ | મોહનીયની ૨૪, નામની ૮૮ વાળા અબધ્ધાયુને મોહનીયની ૨૧, નામની ૮૮ વાળા બધ્ધાયુને મોહનીયની ૨૧, નામની ૮૮ વાળા અબધ્ધાયુને ૯ | ૨ | ૨૮| ૨ | ૮૮ | ૨ | ૫ | ૧૪૧ ૯ | ર | ૨૮ | ૧ | ૮૮ | ૨ | ૫ | ૧૪૦ ૯ | ર | ૨૪ ૨ | ૮૮ ] ર | ૫ | ૧૩૭ ૯ | ૨ | ૨૪| ૧ | ૮૮ | | ૫ | ૧૩૬ ૯ | ર | ૨૧ | ૨ | ૮૮ | ૨ | ૫ | ૧૩૪ ૫ | ૯ | ૨ | ૨૧/ ૧ | ૮૮ | | ૫ | ૧૩૩ દ્વિતીય કર્મગ્રંથ Page #156 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૫૫ નામકર્મની ૯૩-૯૨-૮૯-૮૮ એમ ચારે સત્તા હોય છે. તેથી સર્વકર્મનાં સત્તાસ્થાનો આ પ્રમાણે છે. ઉપર મુજબ આઠમા ગુણઠાણે ૧૪૬ થી ૧૩૩ સુધીનાં પણ તેમાં ૧૪૩ વિના કુલ ૧૩ સત્તાસ્થાનો હોય છે. ઉપશમશ્રેણીમાં નવમેદસમે-અગિયારમે ગુણઠાણે મોહનીયનો ઉપશમ જ થતો હોવાથી અને ઉપશમેલું કર્મ સત્તામાં વિદ્યમાન હોવાથી સત્તામાં કોઇપણ જાતનો ફેરફાર થતો નથી. માટે આઠમા ગુણસ્થાનકની જેમ જ નવમે દસમે અને અગિયારમે ગુણસ્થાનકે ઉપશમશ્રેણિમાં ૧૩૩ થી ૧૪૬ સુધી (૧૪૩ વિના) ૧૩ સત્તાસ્થાનો જાણવાં. હવે માત્ર ક્ષપકશ્રેણી આશ્રયી જ સમજાવાય છે. (૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક આ ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિમાં વચ્ચે વચ્ચે સત્તા ચાલી જતી હોવાથી સત્તાને આશ્રયી ૯ ભાગ પાડવામાં આવ્યા છે. ત્યાં દર્શનાવરણીય કર્મની પ્રથમથી ૯ ની સત્તા છે. પરંતુ પ્રથમભાગે ૨૮ મી ગાથામાં કહ્યા મુજબ થિણદ્ઘિત્રિકનો (૧૬ પ્રકૃતિઓની સાથે) ક્ષય થાય છે. તેથી બીજા આદિ ભાગોમાં દર્શનાવરણીયની ૬ ની સત્તા હોય છે. નામકર્મનાં ૯૩, ૯૨, ૮૯, ૮૮, એમ ચાર જાતનાં સત્તાસ્થાનકો હોય છે પરંતુ બીજા આદિ ભાગોમાં ૧૬ નો ક્ષય થાય ત્યારે તેમાં ૧૩ નામકર્મની હોવાથી તે ૧૩ બાદ કરતાં ૮૦, ૭૯, ૭૬, ૭૫ ની સત્તા હોય છે. મોહનીય કર્મમાં ૨૮-૨૯ ગાથામાં કહ્યા મુજબ પ્રકૃતિઓનો ક્રમશઃ ક્ષય થવાથી ૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧ની સત્તા હોય છે. આયુષ્યકર્મમાં ક્ષપકશ્રેણિમાં અબદ્ધાયુ જ હોય છે. માટે ૧ ની જ સત્તા હોય છે. ક્ષપકશ્રેણિને જ આશ્રયી સર્વકર્મપ્રકૃતિઓની સત્તાનું કોષ્ટક આ પ્રમાણે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ દ્વિતીય કર્મગ્રંથ ક્ષપકશ્રેણિ નવમું ગુણસ્થાનક નવમાના નામની ૯૩ નામની ૯૨ નામની ૮૯નામની ૮૮ ભાગ વાળા | વાળા | વાળા | વાળા જીવો ૧૩૮ ૧૩૦ ૧૩૩ ૧૩૪ ૧૧૮ ૧૨૧ ૧૧૭ ૧૧૪ ૧૧૩ ૧૧૦ ૧૦૯ પહેલા ભાગે બીજા ભાગે ત્રીજા ભાગે ચોથા ભાગે પાંચમા ભાગે છઠ્ઠા ભાગે સાતમા ભાગે ૧૧૩ ૧૧ર ૧૦૯ ૧૦૮ ૧૧૨ ૧૧૧ ૧૦૮ ૧૦૭. ૧૦૫ ૧૦૧ ૧૦૬ ૧૦૫ ૧૦૨ ૧૦૧ ૧૦૪ ૧૦૦ આઠમાં ભાગ ૧૦૪ ૧૦૩ ૧૦૦ ૯૯ ૯૮ નવમા ભાગે ૧૦૩ ૧૦૨ ૯૯ નવમા ભાગમાં ૧૦૨ ૧૦૧ ૯૮ માયા ગયા પછી બાદર લાભ માત્ર હોય ત્યારે આ પ્રમાણે નવમા ગુણઠાણે ૯૭ થી નિરંતર ૧૧૪ સુધી, તથા ૧૧૭, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૩૩, ૧૩૪, ૧૩૭, ૧૩૮, એમ કુલ ૨૬ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં સંભવે છે. તેમાં ઉપશમશ્રેણિનાં ૧૩૩ થી (૧૪૩ વિના) ૧૪૬ સુધીનાં ૧૩ ઉમેરવાથી ૨૬+૧૩=૩૯ સત્તાસ્થાન થવાં જોઇએ પરંતુ ૧૩૩, ૧૩૪, ૧૩૭, ૧૩૮ આ ચાર બન્ને શ્રેણિમાં આવતાં હોવાથી બે વાર ન ગણતાં તે ચાર બાદ કરતાં કુલ ૩પ સત્તાસ્થાનો થાય છે. અહીં એક વાત એ ધ્યાનમાં રાખવી કે નરકદ્રિકાદિ ૧૬ પ્રકૃતિઓના ક્ષય પછી આઠ કષાયનો ક્ષય થાય છે એમ માનનારા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ કર્મસ્તવ આચાર્યોના મતે અમે આ સત્તાસ્થાનો લખ્યાં છે. પરંતુ જે આચાર્યો પ્રથમ આઠ કપાયનો ક્ષય થયા પછી ૧૬ નો ક્ષય થાય એમ માને છે તેઓના મતે સત્તાસ્થાનોમાં જે ફેરફાર આવે તે સ્વયં સ્વબુદ્ધિથી વિચારી લેવા. તથા બીજા કર્મગ્રંથમાં નવમા ગુણઠાણાના નવમા ભાગે સંજવલ માયા જાય એમ જે કહ્યું છે તે સામાન્યવચન છે. વિશેષ વિચારીએ તો નવમા ભાગના પ્રાથમિકકાળમાં સંજવલન માયાની સત્તા હોય છે. પછી નવમા ભાગમાં જ તેની સત્તાનો ક્ષય કરી બાદર સંજવલન લોભને અશ્વકકરણદ્ધા અને કિટ્ટિકરણાદ્ધા વડે હરસવાળો કરીને સૂક્ષ્મ કિટ્ટિકૃત લોભ બનાવે છે. તે વખતે સંજવલન માયા વિના ૧૦૨, ૧૦૧, ૯૮, ૯૭ ની સત્તા પણ સંભવે છે. એટલે સંજવલન માયાની સત્તા નવમાના ચરમ સમયે જાય છે એમ ન જાણવું. અન્યથા બાદરલોભને સૂક્ષ્મલોભ કરવાનો કાળ જ રહેતો નથી. તેના વિના દસમું ગુણઠાણું આવે નહીં. (૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પણ ઉપશમશ્રેણિને આશ્રયી પૂર્વે જણાવ્યા મુજબ જ ૧૩૩ થી ૧૪૬ (૧૪૩ વિના) ૧૩ સત્તાસ્થાનો હોય છે. પરંતુ ક્ષપકશ્રેણિમાં સંજવલન માયાનો ક્ષય થવાથી મોહનીયકર્મમાં ૧ સંજવલન લોભ જ સત્તામાં હોય છે. તેથી (૧) જિનનામ અને આહારક બન્ને બાંધ્યું હોય તેને. ૧૦૨ (૨) નિનામ વિના માત્ર આહારક જ બાંધ્યું હોય તેને. ૧૦૧ (૩) આહારક વિના માત્ર જિનનામ જ બાંધ્યું હોય તેને. ૯૮ (૪) આહારક તથા જિનનામ બન્ને ન બાંધ્યું હોય તેને. ૯૭ આ ચાર સત્તાસ્થાનકો ક્ષપકશ્રેણિમાં સમજવાં. એટલે કે ૧૩+૪=૧૭ સત્તાસ્થાન કુલ બન્ને શ્રેણિ આશ્રયી દશમે ગુણઠાણે હોય Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દ્વિતીય કર્મગ્રંથ (૧૧) ઉપશાતમોહ ગુણસ્થાનક. આ ગુણસ્થાનક માત્ર ઉપશમશ્રેણિમાં જ આવે છે. ત્યાં આઠમા ગુણસ્થાનકમાં સમજાવ્યા મુજબ જ ૧૩૩ થી ૧૪૬ (૧૪૩ વિના)કુલ ૧૩ સત્તાસ્થાનો હોય છે. ક્ષપકશ્રેણિ વાળો જીવ આ ગુણસ્થાનકે આવતો નથી. માટે અધિક સત્તાસ્થાનો નથી. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક. બારમા ગુણસ્થાનકે માત્ર ક્ષપકશ્રેણિના જ જીવો આવે છે દસમા ગુણસ્થાનકના અંતે સંજવલન લોભનો ક્ષય થવાથી મોહનીય કર્મની બીલકુલ સત્તા હોતી નથી. તેથી તે વિના સત્તા આ પ્રમાણે છે. | | કયા જીવને આશ્રયી | શા. દર્શ.વિદ.| મોહ. આ. નામ.ગો. એ. ક્લ. જિનનામ - આહારક ૨ | 0 | ૧ | ૮૦ | ૨ | ૫ |૧૦૧ બન્ને હોય તેને જિનનામ વિના આહારક હોય તેને ૫ | ૬ | ૨ | 0 | ૧ | ૭૯ | ૨ | |૧૦૦ આહારક વિના જિનનામ હોય તેને ૪ | બન્ને ન હોય તેવા જીવને ૫ | ૬ | ૨ | 0 | ૧ | ૭૫ | ૨૫ | ૯૬ આ ચાર સત્તાસ્થાનો બારમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી કિચરમ સમય સુધી હોય છે. બારમાના દ્વિચરમસમયે નિદ્રા અને પ્રચલાની સત્તાનો ક્ષય થાય છે. તેથી આ જ ચાર સત્તાસ્થાનોમાંથી બે બે પ્રકૃતિ ઓછી કરવાથી બારમાના ચરમ સમયે ૯૯-૯૮-૯પ૯૪ એમ ચાર સત્તા હોય છે. તેથી બારમા ગુણઠાણે કુલ ૧૦૧ થી ૯૪ સુધી આઠ સત્તાસ્થાનો હોય છે. (૧૩) સયોગીકેવલી ગુણસ્થાનક બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અને અંતરાયકર્મ ૫, એમ ૧૪ પ્રકૃતિઓની સત્તાને Page #160 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૫૯ ક્ષય થવાથી ૧૪ પ્રકૃતિઓ સત્તામાંથી ઓછી થાય છે. માટે ૮૫-૮૪૮૧-૮૦ એમ કુલ ૪ સત્તાસ્થાનો તેરમા ગુણઠાણે હોય છે. (૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક. ચૌદમા ગુણસ્થાનકે પણ સામાન્યથી આ જ ચાર ૮૫-૮૪૮૧-૮૦ સત્તાસ્થાન હોય છે. પરંતુ ચૌદમાં ગુણસ્થાનકના ઢિચરમ સમયે ૭ર પ્રકૃતિઓની સત્તાનો ક્ષય થાય છે. જેથી ૭૨ બાદ કરતાં ચરમ સમયે ૧૩-૧૨-ની બે જ સત્તા હોય છે. જે જીવોએ આહારક બાંધેલું છે તેઓને ૭૨ ની સત્તા ક્ષય થાય છે. પરંતુ જેઓએ આહારક બાંધેલું જ નથી તેઓને આહારક તો પ્રથમથી જ સત્તામાં નથી. માટે ૬૮ ની જ સત્તા ક્ષય થાય છે. તે કારણે ૮૫ માંથી ૭૨ જાય ત્યારે ૧૩ ૮૪ માંથી ૭૨ જાય ત્યારે ૧૨ ૮૧ માંથી ૬૮ જાય ત્યારે ૧૩ ૮૦ માંથી ૬૮ જાય ત્યારે ૧૨ જે આચાર્યો મનુષ્યાનુપૂર્વીની પણ સત્તા દ્વિચરમ સમયે ચાલી જાય એમ માને છે તેઓના મતે દ્વિચરમ સમયે ૭૩ અને ૬૯ ની સત્તાનો ક્ષય થાય છે તેથી ચરમ સમયે ૧૨-૧૧ ની સત્તા હોય છે. એમ ચૌદમા ગુણઠાણે કુલ ૬ સત્તાસ્થાનો હોય છે. આ પ્રમાણે ચૌદે ગુણસ્થાનકોમાં બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં આવેલી આઠે કર્મોની સર્વ ઉત્તર પ્રવૃતિઓને જે પ્રભુ મહાવીરસ્વામીએ ખપાવી છે તે પ્રભુ શ્રી મહાવીરસ્વામીને અમારા વારંવાર નમસ્કાર હોજો. તથા તેવા મહાવીર પ્રભુને તમે પણ નમસ્કાર કરો કે જે મહાવીર પ્રભુ દેવેન્દ્રો વડે વારંવાર વંદાયેલા છે. અહીં ગ્રન્થકારે “રેવેન્દ્ર” શબ્દનો પ્રયોગ કરીને ગર્ભિત રીતે પોતાનું નામ પણ સૂચવ્યું છે. समाप्तोऽयं कर्मस्तवनामा द्वितीयकर्मग्रन्थः આ પ્રમાણે કર્મસ્તવ નામનો બીજો ફર્મગ્રંથ તથા તેની મૂળગાથાઓ, સંસ્કૃત છાયા શબ્દાર્થ અને ગાથાર્થની સાથે ગુજરાતી ભાષામાં લખાયેલું આ સરળ વિવેચન સમાપ્ત થયું. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દ્વિતીય કર્મગ્રંથ દ્વિતીય કર્મગ્રંથની સંક્ષિપ્ત સમાલોચના. (૧) પ્રશ્ન- બીજા કર્મગ્રંથનું નામ શું ? અને તેનું નામ શા માટે છે? ઉત્તર- બીજા કર્મગ્રંથનું નામ “કર્મસ્તવ' છે. કર્મોનું સ્વરૂપ સમજાવતાં સમજાવતાં ગ્રંથકારે પ્રભુશ્રી મહાવીરસ્વામિની સ્તુતિ કરી છે. તે કારણથી આ નામ છે. ' (૨) પ્રશ્ન- બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાની વ્યાખ્યા શું ? ઉત્તર- મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કામણવર્ગણોનું આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીરવત્ અથવા લોહાગ્નિવત્ કર્મરૂપે પરિણમીને ચોંટી જવું. એકમેક થઇ જવું તે બંધ. બાંધેલાં કે પરિવર્તિત કરેલાં કર્મોને વિપાકરૂપે ભોગવવાં તે ઉદય. ઉદયકાળને ન પામેલાં કર્મોને બળાત્કારે વિપાકમાં લાવવાં તે ઉદીરણા. કર્મોનું આત્માની સાથે વિદ્યમાનપણું તે સત્તા. (૩) પ્રશ્ન- ગુણસ્થાનક એટલે શું ? તે ચૌદ જ કેમ છે ? ઉત્તર- ગુણોની હીનાધિકતા, ગુણોની તરતમતા, તે ગુણસ્થાનક, જીવે જીવે ગુણો પ્રગટપણે હીનાધિક હોવાથી અપરિમિત ગુણસ્થાનકો છે. તો પણ તે ગણનાતીતના મુખ્ય વિભાગો કરીને સંક્ષેપમાં ચૌદ કહ્યાં છે. (૪) પ્રશ્ન- મિથ્યાષ્ટિ ગુણસ્થાનક એટલે શું ? તેનો કાળ કેટલો ? ઉત્તર- સત્ય વસ્તુને સત્યરૂપે ન સમજે. ઉલટસુલટ સમજે-સ્વીકારે. તે મિથ્યાષ્ટિ, તેનું ગુણસ્થાનક તે મિથ્યાદૃષ્ટિગુણસ્થાનક. તેનો અનાદિ-અનંત, અનાદિ-સાન્ત, સાદિ-સાન્ત એમ ત્રિવિધ કાળ છે. અભવ્યને અનાદિ-અનંત, ભવ્યને અનાદિ-સાન્ત, અને પતિતને આશ્રયી સાદિ-સાન્ત, તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોને અર્ધપુગલ પરાવર્તન જાણવો. (૫) પ્રશ્ન- જો આ જીવ મિથ્યાદૃષ્ટિ છે તો ગુણસ્થાનક કેમ ? અને ગુણસ્થાનક છે, તો મિથ્યાદૃષ્ટિ કેમ કહો છો ? ઉત્તર- વ્યાવહારિક ગુણો સમ્યગ્દષ્ટિ જેવા જ છે માટે સ્થૂલદષ્ટિએ Page #162 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૬૧ અલ્ય ગુણો હોવાથી ગુણસ્થાનક કહેવાય છે. તાત્વિક બાબતમાં દૃષ્ટિ ઉલટી હોવાથી મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે. તથા સર્વથા આ ઘટ જ છે એમ એકાન્તવાદી હોવાથી મિથ્યાષ્ટિ છે. પ્રશ્ન- “કરણ'' એટલે શું ? કરણો કેટલાં છે ? કયાં કયાં ? અને કયા ગુણસ્થાનકે થાય છે ? ઉત્તર- કરણ એટલે અધ્યવસાય સ્થાનક, તેના ત્રણ ભેદો છે. યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ, આ ત્રણે કરણો સમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં પ્રથમ ગુણસ્થાનકે થાય છે. અને શ્રેણિને આશ્રયી સાતમે, આઠમે અને નવમે પણ થાય છે.. (૦) પ્રશ્ન- ચરમ યથાપ્રવૃત્તકરણ એટલે શું ? તે કેવા જીવો કરે ? ઉત્તર- યથાપ્રવૃત્તકરણ સામાન્ય વેરાગ્ય પરિણામરૂપ હોવાથી અનેક વખત થાય છે. પરંતુ તેમાં કોઇક વખત સવિશેષ વૈરાગ્ય પરિણામ આવી જાય કે જે ગ્રન્થિ ભેદ કરાવનારા અપૂર્વકરણને લાવે જ, તે ચરમ યથાપ્રવૃત્તકરણ. આ ચરમ યથા પ્રવૃત્તકરણ ભવ્ય જીવ જ કરે છે. તથા ચરમાવતમાં જે યથાપ્રવૃત્ત થાય તેને પણ ચરમ- યથાપ્રવૃત્તકરણ કહેવાય. એમ પૂ. ઉ. કૃત ધર્મપરીક્ષામાં કહેલ છે. (૮) પ્રશ્ન- ગ્રન્થિભેદ થવાથી શું રાગ-દ્વેષ બીલકુલ નાશ થઇ જતા હશે? અને જો એમ બને તો તે જીવને વીતરાગ કેમ ન કહેવાય? ઉત્તર- ગ્રન્થિભેદ એટલે રાગ-દ્વેષનો ““સર્વથા નાશ'' એવો અર્થ ના કરવો. પરંતુ તેને ઢીલા કરવા, ચુરી નાખવા, તેનું બળ ઓછું કરવું, તેની પરવશતા હણી નાખવી. એવો અર્થ કરવો. તેથી હજુ રાગ-દ્વેષ. છે માટે વીતરાગ કહેવાય નહીં. પરંતુ તે રાગ-દ્વેષ દુર્બળ છે. (૯) પ્ર- અત્તરકરણ કરવાનું પ્રયોજન શું ? તેના દલિકોનો પ્રક્ષેપ ક્યાં કરે? ઉત્તર- મિથ્યાત્વની જે સળંગ સ્થિતિ છે તેને વચ્ચેથી છેદવી. તોડવી. વચ્ચેથી ખાલી કરવી તેનું નામ અંતરકરણ. આ કરવાનું પ્રયોજન એ છે કે પ્રતિસમયે તે બંધાય છે અને વેદાય પણ છે. પાર આવે તેમ છે જ નહીં, તેથી વચ્ચે વિરહ કરીને કાઢવાની કોશિષ આ જીવ કરે છે. તેનાં દલિકો નીચેની પ્રથમ, અને ઉપરની દ્વિતીય સ્થિતિમાં નાખે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ દ્વિતીય કર્મગ્રંથ (૧૦) પ્રશ્ન- એક રસઘાતમાં સ્થિતિઘાતો કેટલા થાય ? ઉત્તર- એક રસઘાતમાં સ્થિતિઘાતો થતા નથી. પરંતુ એક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થાય છે. સ્થિતિઘાતનું અંતર્મુહૂર્તી મોટું છે અને રસઘાતનું અંતર્મુહૂર્ત નાનું છે. હજારો સ્થિતિઘાતો એક અપૂર્વકરણમાં થાય છે. (૧૧) પ્રશ્ન- દ્વિતીયસ્થિતિનો ઉપશમ કરે એટલે શું કરે ? ઉત્તર- બીજી સ્થિતિમાં દલિકો જે ઉદીરણા અને અપવર્નના વડે વહેલાં પણ ઉદયમાં આવી શકે તેમ હતાં, તેને ત્યાં જ એવાં દબાવી નાખે કે જે વહેલાં ઉદયમાં ન આવે તે ઉપશમ કહેવાય છે. ઉદયમાં આવેલાને હીન રસવાળાં કરીને ભોગવવાં અને અનુદિતની વર્તમાનકાળમાં ઉદયમાં આવવાની યોગ્યતાને ટાળવી તેને ક્ષયોપશમ કહેવાય છે. (૧૨) પ્રશ્ન- ઉપશમ સમ્યક્ત્વમાં જીવ કેટલો કાળ રહે ? અને ત્યાંથી પડીને ક્યાં જાય ? અને ત્યાં જ જવાનું કારણ શું ? ઉત્તર- જીવ ઉપશમસમ્યકત્વમાં અંતર્મુહૂર્ત વર્તે છે. ત્યાંથી પડીને સાસ્વાદને, મિથ્યાત્વે, મિશે, અને ક્ષયોપશમસમ્યકત્વમાં જાય છે. જો અનંતાનુબંધી અંતરકરણની અંદર વહેલો ઉદયમાં આવે તો સાસ્વાદને જાય છે. અને કરેલા ત્રિપુંજમાંથી જે પુંજ ઉદયમાં આવે તે પુંજના ઉદયના કારણે જીવ મિથ્યાત્વે, મિશે, અને ક્ષયોપશમાં સમ્યક્ત્વમાં આ ઉપશમવાળો જીવ જાય છે. (૧૩) પ્રશ્ન- ઉપશમ સમ્યકત્વ પામીને પડી પહેલે ગુણઠાણે ગયેલો જીવ પુનઃ સમ્યકત્વ પામે તો તેને પામવા માટેની પ્રક્રિયા શું ? ઉત્તર- પડેલો જીવ પહેલે ગુણઠાણે આવીને સમ્યકત્વ તથા મિશ્ર મોહનીયની ઉર્વલના કરે છે. તેમાં સમ્યકત્વ મોહનીયની ઉદ્ગલના કરતાં કરતાં જે સમ્યક્ત્વ પામે તો ક્ષયોપશમાં સમ્યકત્વ પામે, મિશ્ર મોહનીયની ઉદ્ગલના કરતાં કરતાં જ મિશ્રપુજનો ઉદય થાય તો મિશ્ર ગુણઠાણે જાય છે. અને બન્ને મોહનીયની ઉદ્ગલના કર્યા પછી જો સમ્યકત્વ પામે તો પૂર્વની જેમ ત્રણ કરણ કરવા વડે ફરીથી ઉપશમ સમ્યકત્વ પામે છે. પરંતુ ક્ષયોપશમ પામતો નથી. Page #164 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૬૩ (૧૪) પ્રશ્ન- ચૌદ ગુણસ્થાનકોમાં જઘન્યથી પણ અંતર્મુહૂર્ત જ કાળ હોય તેથી ઓછો કાળ જેનો ન હોય એવાં ગુણસ્થાનકો કેટલાં? ઉત્તર- પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, બારમું, તેરમું, અને ચૌદમું એમ કુલ છ ગુણસ્થાનકો એવાં છે કે જેનો કાળ જધન્યથી પણ અંતર્મુહૂર્ત જ છે. બાકીનાં સાત ગુણસ્થાનકોનો જઘન્યથી કાળ ૧ સમય છે. (૧૫) પ્રશ્ન- વધુમાં વધુ અંતર્મુહૂર્ત જ કાળ હોય એવાં ગુણસ્થાનકો કેટલાં અને ક્યાં કયાં? ઉત્તર- બીજું, ત્રીજું, છઠ્ઠ, સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયારમું, બારમું, અને ચૌદમું, એમ કુલ ૧૦ ગુણસ્થાનકોનો કાળ ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ છે. પહેલું, ચોથું, પાંચમું, અને તેરમું એમ ચારનો કાળ અધિક છે.. (૧૬) પ્રશ્ન- કયું કયું ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જઇ શકે ? ઉત્તર- માત્ર પહેલું-બીજું અને ચોથું એમ ત્રણ જ ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જાય છે. શેષ ગુણસ્થાનકો લઇને જવાતું નથી. (૧૭) પ્રશ્ન- કયા કયા ગુણસ્થાનકોમાં જીવ મૃત્યુ પામી શકે છે? ઉત્તર- ત્રીજા-બારમા અને તેરમા વિના સર્વગુણસ્થાનકોમાં જીવ મૃત્યુ પામી શકે છે પરંતુ ૮ થી ૧૧ ગુણસ્થાનોમાં માત્ર ઉપશમશ્રેણીમાં જ મૃત્યુ સંભવી શકે છે, ક્ષપકશ્રેણિમાં નહિં. (૧૮) પ્રશ્ન- ઉપશમાદિ ત્રણે સમ્યક્ત્વો કયા કયા ગુણસ્થાનકો સુધી હોય છે ? ઉત્તર- ઉપશમ સમ્યક્ત્વ ચારથી અગિયાર સુધી, ક્ષયોપશમ સમ્યક્ત્વ ચારથી સાત સુધી, અને ક્ષાયિક સમ્યક્ત્વ ચારથી ચૌદ ગુણસ્થાનકો સુધી હોય છે. (૧૯) પ્રશ્ન- વ્રતોના જાણે આદરે અને પાલે ના ૮ ભાંગામાં વર્તતો જીવ કયા કયા ગુણસ્થાનક વાળો કહેવાય ? તેનું કારણ શું? ઉત્તર- પ્રથમના ચાર ભાંગે મિથ્યાદૃષ્ટિ, પાંચ-છ-સાત ભાંગે અવિરત સમ્યગ્દષ્ટિ અને છેલ્લા ભાંગે દેશવિરત તથા પ્રમત્તસંયતાદિ કહેવાય Page #165 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ છે. કારણકે પ્રથમના ચાર ભાંગામાં અજ્ઞાની છે. પાછળના ત્રણ ભાંગામાં જ્ઞાની છે અને છેલ્લા ભાંગામાં વ્રતધારી પણ છે. (૨૦) પ્રશ્ન- પૌદ્ગલિક અને અપૌદ્ગલિક સમ્યક્ત્વ એટલે શું ? ઉત્તર- જ્યાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય છે ત્યાં પુદ્ગલવેદન હોવાથી પૌદ્ગલિક કહેવાય છે. અને જ્યાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય નથી તે અપૌદ્ગલિક કહેવાય છે. ઉપશમ-ક્ષાયિક-અને સાસ્વાદન આ ત્રણ અપૌદ્ગલિક છે કારણકે ત્યાં સમ્યક્ત્વ મોહનીયનું વેદન નથી. અને ક્ષયોપશમ તથા વેદક સમ્યક્ત્વ પૌદ્ગલિક છે. કારણકે ત્યાં સમ્યક્ત્વ મોહનીયનું વેદન છે. (૨૧) પ્રશ્ન શુદ્ધ અને અશુદ્ધ (પૌદ્ગલિક-અપૌદ્ગલિક) કોને કહેવાય છે? ૧૬૪ ઉત્તર- જ્યાં સમ્યક્ત્વ મોહનીયની સત્તા પણ નથી તે શુદ્ધ, અને સત્તા છે તે અશુદ્ધ, માત્ર ક્ષાયિક શુદ્ધ, શેષ ચારે અશુદ્ધ કહેવાય છે. (૨૨) પ્રશ્ન- ત્રણ અનુમતિ કઇ ? તેના અર્થો શું ? ક્યાં સુધી દેશવિરતિ કહેવાય ? ઉત્તર- પ્રતિસેવનાનુમતિ, પ્રતિશ્રવણાનુમતિ, સંવાસાંનુમતિ, તેના અર્થો આ પ્રમાણે- પોતાના અને પરના માટે કરાયેલા ભોજન આદિનો ઉપયોગ કરે તે પ્રતિસેવનાનુમતિ, માત્ર કુટુંબની વાત સાંભળે અને વાત કરે તથા તેમાં રસ ધરાવે તે પ્રતિશ્રવણાનુમતિ, કુટુંબમાં મમત્વ માત્ર જ રાખે, તે સંવાસાનુમતિ. દેશવિરતિ શ્રાવક-શ્રાવિકા પ્રથમની બે અનુમતિ ત્યજી શકે છે પરંતુ સંવાસાનુમતિ, ત્યજી શકતા નથી, જો સંવાસાનુમતિ છુટી જાય તો સર્વવિરતિ પામે. (૨૩) પ્રશ્ન- પ્રમત્ત-અપ્રમત્તનો ભિન્ન ભિન્ન કાળ કેટલો અને સાથે કાળ કેટલો? અને ઉત્કૃષ્ટથી ઉત્તર- ભિન્ન ભિન્ન કાળ જઘન્યથી ૧ સમય, અંતર્મુહૂર્ત છે. પરંતુ બન્નેનો સાથે કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૬૫ (૨૪) પ્રશ્ન- કોઇ કોઇ જગ્યાએ એકલા પ્રમત્તનો અને એકલા અપ્રમત્તનો કાળ પણ જઘન્યી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સંભળાય છે તે કેવી રીતે ઘટે ? ઉત્તર- ‘સાન્તર'' કાળને આશ્રયી આ વાત પણ સંભવે છે. કોઇ પ્રમાદી જીવ પ્રમત્તે ઘણો વર્તે અને વચ્ચે વચ્ચે અપ્રમત્તે માત્ર ૧-૨ સમય જ આવી જાય તો દેશોન પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા સંયમી મનુષ્યના આખા ભવમાં આવેલા પ્રમત્તનો કાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ પણ બને છે. એ જ રીતે વધારે અપ્રમત્તે રહેનારનો અપ્રમત્તનો કાળ પણ આ રીતે દેશોનપૂર્વક્રોડ બની શકે છે. (૨૫) પ્રશ્ન- શ્રેણિ એટલે શું ? શ્રેણિ ક્યાંથી ક્યાં સુધી હોય ? વચ્ચેથી પતન પામે કે નહીં ? ઉત્તર- શ્રેણિ એટલે નિસરણી-ચડતા પરિણામ, અટક્યા વિના તુરત ચડી જવું તે, ૮ થી ૧૧માં ઉપશમશ્રેણી છે. અને ૧૧ મા વિના ૮ થી ૧૨ માં ક્ષપકશ્રેણી છે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે તો વચ્ચેથી પત્તન પામી શકે છે: પરંતુ ક્ષપકશ્રેણીમાં આ જીવ પતન પામતો જ નથી. (૨૬) પ્રશ્ન- નિવૃત્તિકરણ અને અનિવૃત્તિકરણ એટલે શું ? છઠ્ઠાણવડીયાં એ વળી શું છે ? ઉત્તર- એક સમયમાં વર્તતા જીવોના પરિણામો જુદા જુદા હોય તે નિવૃત્તિકરણ. અને એક સમયવર્તી સર્વ જીવોના પરિણામો સરખા હોય તે અનિવૃત્તિકરણ. એક સમયમાં નિવૃત્તિકરણની અંદર અનંતા જીવો વચ્ચે અસંખ્યાતા અધ્યવસાયસ્થાનો હોય છે. તેમાં છ જાતની વિશુદ્ધિની તરતમતા હોય છે. તે છ જાતની જે વિશુદ્ધિ-તરતમતા તે જ છઠ્ઠાણવડીયાં. (ષટ્યાનપતિત). (૨૦) પ્રશ્ન- નવમા ગુણઠાણે જો અધ્યવસાયો સર્વ જીવોના સરખા જ હોય તો ક્ષેપકશ્રેણી કરતાં ઉપશમક, અને ઉપશમક કરતાં પડતો જીવ વધારે (ડબલ) સ્થિતિ બાંધે, અશુભનો ડબલ રસ બાંધે અને શુભનો અર્ધો અર્ધો રસ બાંધે આવું આવે છે તે કેમ ઘટે ? Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ દ્વિતીય કર્મગ્રંથ ઉત્તર- ક્ષપક-ક્ષપકના સરખા હોય છે. ઉપશમક-ઉપશમકના સરખા હોય છે અને પતિત થતાના માંહે માંહે સરખા. અધ્યવસાયો હોય છે એમ સમજવું. (૨૮) પ્રશ્ન- ક્ષાયિકસમ્યકત્વી જીવ ઉપશમશ્રેણી શા માટે માંડતો હશે? તથા ક્ષાયિક હોતે છતે પણ જેમ ઉપશમશ્રેણિ મંડાય છે તેમ ઉપશમ હોતે છતે ક્ષપકશ્રેણી મંડાય કે નહિ ? ઉત્તર- ક્ષાયિક સમ્યકત્વી ક્ષપકશ્રેણી જ માંડે, ઉપશમશ્રેણી ન માંડે, પરંતુ જો બદ્ધાયુ હોય તો ક્ષપકશ્રેણી માંડવાની નથી. કારણકે ક્ષપકશ્રેણી પૂર્ણ થાય એટલે કેવળ જ્ઞાન થાય, અને કેવળી થયેલો આત્મા મોક્ષે જ જાય, પરભવમાં ન જાય. માટે આવા બદ્ધાયુ જીવો. ક્ષપકશ્રેણી ન માંડવાની હોવાથી ઉપશમશ્રેણી માંડે છે. ઉપશમાં સખ્યત્વી જીવ ક્ષપકશ્રેણી ન જ માંડે, કારણ કે અંદર મોહ દબાવ્યો હોય તો કેવળજ્ઞાન અને મોક્ષ થતાં નથી. (૨૯) પ્રશ્ન- ચોદે ગુણસ્થાનકો એક જીવને સંસારચક્રમાં કેટલીવાર આવી શકે છે ? ઉત્તર- પહેલું ગુણસ્થાનક અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. બીજું ગુણસ્થાનક ઉપશમના આધારે સામાન્યથી જાતિની અપેક્ષાએ પાંચ વાર આવી શકે છે. ત્રીજાથી સાતમા સુધીનાં ગુણસ્થાનકો અસંખ્યાતી વાર આવી શકે છે. ૮ થી ૧૦ ગુણસ્થાનકો નવ વાર આવી શકે છે. ચારવાર ઉપશમ શ્રેણીએ ચડતાં, ચાર વાર ઉપશમશ્રેણીથી પડતાં , અને એકવાર ક્ષપકશ્રેણીમાં. ૧૧મું ગુણસ્થાનક માત્ર ચારવાર જ આવી શકે છે. ૧૨-૧૩-૧૪ મું ગુણસ્થાનક એકજીવને એકવાર જ આવે છે. (૩૦) પ્રશ્ન- ધ્યાન એટલે મનની એકાગ્રતા-સ્થિરતા, વિચારોમાં ઓતપ્રોત બનવું તે. કેવલીને તેરમાના છેડે અને ચૌદમે મન નથી તો ધ્યાન કેવી રીતે સંભવે ? ઉત્તર- તેરમાના છેડે અને ચૌદમે ગુણઠાણે “મનની સ્થિરતા'' એ અર્થવાળું ધ્યાન ન સમજવું. પરંતુ “આત્મપ્રદેશોની સ્થિરતા ' એ અર્થવાળું ધ્યાન સમજવું. તેમાં પણ ચૌદમે સર્વથા Page #168 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૬૭ આત્મપ્રદેશોની સ્થિરતા છે માટે વ્યરિચ્છન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન છે. અને તેરમે આંશિક આત્મપ્રદેશોની સ્થિરતા છે માટે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન છે. (૩૧) પ્રશ્ન- મિથ્યાત્વાદિ ચાર બંધનાં કારણો કહેવાય છે. અને પહેલા ગુણઠાણે જિન નામ તથા આહારકના બંધનો અભાવ છે તેમાં સમ્યકત્વ અને સંયમના અભાવે બંધનો અભાવ કહ્યો છે. તો શું આ બરાબર છે ? ઉત્તર- બંધનાં કારણો મિથ્યાત્વાદિ ચાર (અથવા પ્રમાદ સાથે પાંચ) જે કહ્યાં છે તે બરાબર જ છે. જિનનામ અને આહારકના બંધમાં પણ આ ચાર કારણોમાંનો (પ્રશસ્ત-શુભ વસ્તુઓ પ્રત્યેનો રાગ રૂપ) કષાય જ બંધહેતુ છે પરંતુ આવા પ્રશસ્તરાગાદિ સંયમ તથા સમ્યકત્વ આવે છતે જ હોય છે અન્યથા અપ્રશસ્તરાગાદિ જ હોય છે તેથી જિનનામ તથા આહારકના બંધનો હેતું. સમ્યકત્વ અને સંયમ જે કહ્યો છે, તે ઉપચારથી કહ્યો છે. (૩૨) પ્રશ્ન- ત્રીજે ગુણસ્થાનકે બાકી રહેલાં બે આયુષ્યનો પણ અબંધા કેમ કહ્યો ? ઉત્તર- ત્રીજે ગુણઠાણે જીવ પરભવનું આયુષ્ય બાંધવાનું, મરવાનું, અનંતાનુબંધીના બંધનું અને અનંતાનુબંધીના ઉદયનું કાર્ય કરતો નથી. માટે બાકી રહેલ બે આયુષ્યનો પણ અબંધ કહ્યો છે. (૩૩) પ્રશ્ન- બંધવિચ્છેદ અને અબંધમાં તફાવત શું ? ઉત્તર- જે જે ગુણઠાણે જે જે કર્મોનો બંધ અટકી જાય છે તે ફરીથી આગળના ગુણઠાણે બંધ ન થવાનો હોય તેને બંધવિચ્છેદ કહેવાય છે અને આ વિવક્ષિત ગુણઠાણે ભલે બંધ ન થતો હોય, પરંતુ આગળના ગુણઠાણે બંધ થતો હોય તો તેને અબંધ કહેવાય છે. એવી જ રીતે ઉદયવિચ્છેદ અને અનુદયમાં પણ સમજી લેવું. (૩૪) પ્રશ્ન- આઠમા ગુણસ્થાનકમાં ૫૮-૫૬-અને ૨૬ એમ ત્રણ પ્રકારનો જ બંધ આવે છે તો ત્રણ ભાગ પાડવાને બદલે સાત ભાગ કેમ પાડ્યા ? Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દ્વિતીય કર્મગ્રંથ ઉત્તર- પ૬નો બંધ લાંબો કાળ ચાલે છે અને પ૮-૨૬નો બંધ અલ્પકાળ જ ચાલે છે. તે સમજાવવા વધારે ભાગ પાડ્યા છે. (૩૫) પ્રશ્ન- જે કર્મ આત્માએ બાંધ્યું હોય તે જ ઉદયમાં આવે. સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કર્મ આ જીવે બાંધ્યાં જ નથી (કારણકે બંધમાં નથી. ૧૨૦ જ છે) તો પછી તે બેનો. ઉદય થાય છે અને ઉદયમાં ૧૨૨ છે એવું કથન યુક્તિસંગતા કેમ થાય ? ઉત્તર- સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય નથી બંધાતી એમ નહીં, પરંતુ પોતાના રૂપે નથી બંધાતી. આ બન્ને પ્રકૃતિઓ પણ પ્રથમ મિથ્યાત્વ મોહનીય રૂપે આ જીવે બાંધેલી જ છે. ફક્ત બંધાય ત્યારે મિથ્યાત્વ રૂપે જ બંધાય છે. પછીથી હરસવાળી કરીને મિશ્ર અને સમ્યકત્વ મોહનીય રૂપે પરિવર્તિત કરાય છે. માટે સર્વથા બંધાયા વિના અધૂરથી ટપકીને આ પ્રકૃતિઓ જીવને ઉદયમાં આવતી નથી. પરંતુ મિથ્યાત્વરૂપે તો બંધાઇ જ છે. (૩૬) પ્રશ્ન- ત્રીજે ગુણઠાણે આનુપૂર્વીનો ઉદય કેમ હોતો નથી ? ઉત્તર- ત્રીજે ગુણઠાણે જીવ મૃત્યુ પામતો નથી, મૃત્યુ વિના ભવાન્તરના ગમનરૂપ વિગ્રહગતિ હોતી નથી, વિગ્રહ વિના વક્રા હોતી નથી અને આનુપૂર્વીનો ઉદય વક્રગતિમાં જ આવે છે. માટે ત્રીજે ગુણઠાણે આનુપૂર્વીનો ઉદય નથી. (30) પ્રશ્ન- પાંચમે-છદ્દે ગુણઠાણે અંબડ અને વિષ્ણુકુમાર મુનિ આદિની જેમ લબ્ધિધારી જીવો વેક્રિય શરીર બનાવે છે, તેથી વેક્રિયશરીર અને અંગોપાંગનો ઉદય પાંચમે-છઠું હોઇ શકે છે તે અહીં કેમ ન કહ્યો. ચોથે ગુણઠાણે ઉદય અટકી જાય છે એમ કેમ કહ્યું ? ઉત્તર- પાંચમે-છદ્દે ગુણઠાણે વૈક્રિય શરીર લબ્ધિપ્રત્યયિક અર્થાત ગુણ નિમિત્તક છે અને અહીં ઉદયાધિકારમાં ભવપ્રત્યયિક વક્રિયની જ સર્વત્ર વિવક્ષા કરેલી છે. લબ્ધિ પ્રત્યયિક વેક્રિયનો ઉદય પાંચમે-છઠું હોઇ શકે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ ૧૬૯ (૩૮) પ્રશ્ન- સાતમે ગુણઠાણે આહારક શરીર-અંગોપાંગનો ઉદય ન હોય એમ ૧૦મી ગાથામાં કહ્યું છે. પરંતુ ભગવાનની અદ્ધિ જોવા માટે કે પ્રશ્નો પૂછવા માટે જતા ચૌદપૂર્વધર મુનિને શું પ્રમાદ દશા હોય ? આટલી ઉંચી સ્થિતિમાં પ્રમાદ કેવો ? ઉત્તર- એક શરીરમાંથી બીજા શરીરની રચના કરવી એ જ પ્રમાદ છે. ભલે આશય સારો છે પરંતુ સ્વાધ્યાય મગ્ન આત્માઓને આશ્રયી આ ગમનાગમન પણ સ્થિરતામાં વ્યાઘાતક હોવાથી પ્રમાદ છે. (૩૯) પ્રશ્ન- જો વિરતિ એ ગુણ છે તેથી તેના પ્રભાવે દર્ભાગ્ય-અનાદેય અને અપયશનો ઉદય ચોથે અટકી જ જાય છે તો પછી નીચગોત્રનો ઉદય પણ ચોથે જ અટકવો જોઇએ. પાંચમે કેમ અટકે છે ? ઉત્તર- તિર્યંચગતિના જીવોમાં નીચગોત્રનો ઉદય ભવસ્વભાવે જ ધુવોદયી છે માટે વિરતિગુણ અંશથી આવવા છતાં ભવસ્વભાવની પ્રબલતાએ નીચનો જ ઉદય ચાલુ રહે છે. માટે નીચનો ઉદય પાંચમે હોઇ શકે છે.. (૪૦) પ્રશ્ન- ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ માં પ્રથમનાં ત્રણ સંદાયણનો ઉદય હોય છે એમ ગાથા ૧૮-૧૯માં જણાવો છો. અને શાસ્ત્રોમાં ઉપશમથી મૃત્યુ પામી પડીને અનુત્તરમાં (સર્વાર્થસિદ્ધમાં)જ જાય. એમ કહેલ છે. તો બીજા-ત્રીજા સંઘયણવાળા અનુત્તર વિમાનમાં કેમ જાય ? ઉત્તર- ઉપશમશ્રેણીમાં ત્રણ સંઘયણનો ઉદય ગાથામાં જણાવ્યો છે, તેનાથી એવું સમજવું કે જે અનુત્તરમાં જ જાય છે તે પ્રથમ સંઘયણ વાળા જ હોય છે અને બીજા-ત્રીજા સંઘયણવાળા જીવો જો મરે તો મરીને શેષ વૈમાનિકમાં જ જાય છે. અથવા એમ પણ સંભાવના કરાય કે ઉપશમશ્રેણીમાં જે મૃત્યુ પામે તે પ્રથમ સંઘયણી જ હોય અને અનુત્તરમાં જ જાય, પરંતુ બીજા-ત્રીજા સંઘયણવાળા મૃત્યુ ન જ પામે, પરંતુ આરોહણની જેમ અવરોહણ માત્ર જ પામે. તથા ઉપશમ શ્રેણિમાં મૂત્યુ પામનાર વૈમાનિકદેવા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭) દ્વિતીય કર્મગ્રંથ થાય છે, એમ પાઠ આવે છે. એટલે ત્રણે સંઘયણ ઘટી શકે છે. જુઓ પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા-૯૨. (૪૧) પ્રશ્ન- સાતમાં ગુણસ્થાનકથી ઉદીરણામાં બે વેદનીય અને એક મનુષ્યાયુષ્ય ઓછુ કરવાનું કહો છો. તો સર્વત્ર ઉદયસમાના ઉદીરણા છે. અને અહીં આ પ્રમાણે કેમ ? આ ત્રણની ઉદીરણા ન હોવાનું કારણ શું ? ઉત્તર- તેની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયોનો અભાવ એ જ કારણ જણાય છે બીજો કોઇ હેતુ જાણવા મળેલ નથી. (૪૨) પ્રશ્ન- ચૌદમે ગુણઠાણે ઉદય હોવા છતાં પણ ઉદીરણા કેમ ન હોય? ઉત્તર- ઉદીરણા એ આઠ કરણોમાંનું ૧ કરણ છે. અને કરણ એ યોગાત્મક વીર્યવિશેષ છે. અને ચૌદમે ગુણઠાણે યોગ નથી માટે ઉદીરણા નથી. (૪૩) પ્રશ્ન- સત્તાના અર્થમાં “વન્યારું સંદ્ધનામા' બલ્વાદિ વડે પ્રાપ્ત કર્યો છે આત્મલાભ જેમણે એવો અર્થ આવે છે ત્યાં આત્મલાભ એટલે શું? અને બંધાદિમાં આદિ શબ્દથી શું સમજવું? ઉત્તર- બંધાદિમાં આદિ શબ્દથી સંક્રમ-ઉદ્વર્તના-અપવર્તના આદિ કરણો સમજવાં. આ બંધ વડે અથવા સંક્રમાદિ કરણો વડે પ્રાપ્ત કર્યો છે એટલે મેળવ્યું છે આત્મલાભ એટલે કર્મપણું જેમાં, જે જે કાર્પણ વર્ગણાઓમાં ‘‘કર્મપણું'' પ્રાપ્ત થયું છે. તેને સત્તા કહેવાય છે. (૪૪) પ્રશ્ન- જિનનામકર્મ જેવું વિશિષ્ટ પુણ્યકર્મ જો બીજે-ત્રીજે ગુણઠાણે સત્તામાં ન હોય તો પહેલે ગુણઠાણે તેની સત્તા કેમ હોય ? ઉત્તર- સામાન્યથી પહેલા ગુણઠાણે પણ જિનનામકર્મની સત્તા હોતી. નથી જ. તથાપિ પૂર્વે જેણે નરકાયુષ્ય બાંધ્યું હોય એવો જીવ યોપશમ સમ્યકત્વ પામી જે જિનનામકર્મને બાંધે તો તેને નરકમાં જતાં અંતર્મુહૂર્ત માસ પહેલા ગુણઠાણે જિનનામકર્મની સત્તા અવશ્ય હોય છે કારણકે ક્ષયોપશમ, સખ્યત્વ લઇને નરકમાં જવાતું નથી અને નરકાયુષ્ય બાંધેલું હોવાથી નરકમાં જવાનું આવશ્યક જ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૭૧ (૪૫) પ્રશ્ન- નરકાયુષ્ય અને તિર્યંચાયુષ્ય બાંધ્યા પછી ઉપશમશ્રેણીમાં આરોહણ થતું જ નથી તો પછી ૧૧ મા સુધી ૧૪૮ ની સત્તા કેમ ઘટે ? ઉત્તર- વાસ્તવિકપણે ન જ ઘટે અને સત્તા હોતી પણ નથી જ. પરંતુ અહીંથી ઉતરીને પડીને પહેલે ગુણઠાણે ગયા પછી બાંધવાનો સંભવ છે. માટે રાજાના પુત્રને જેમ ભાવિમાં રાજા થનાર હોવાથી વર્તમાનમાં પણ રાજા કહેવાય. તેમ સંભવસત્તાને આશ્રયી આ સામાન્ય વચન છે. વાસ્તવિકપણે ૧૪૬ થી વધારે સત્તા એકજીવમાં ન જ હોય. (૪૬) પ્રશ્ન- સત્તાવીસમી ગાથામાં “વવ! તુ પપ્પ રવિ '' માં ત્રણ આયુષ્યની સત્તા વિના ૧૪પની સત્તા ક્ષપકને આશ્રયી ૪ થી ૦ માં બતાવી છે ત્યાં ક્ષપક આંઠમાંથી કહેવાય છે. ચોથાથી કેમ કહ્યો ? ઉત્તર- આ મનુષ્યભવમાં આવેલો જે જીવ ચોથે છે પરંતુ નિયમા આ ભવમાં ક્ષપકશ્રેણી માંગવાનો જ છે તે જીવને અહીં ક્ષપક કહેલ છે. તથા તે જીવ તે તે ભવો પૂર્ણ કરીને અહીં આવેલા છે એટલે તે તે ભવનું ત્રણેય પ્રકારનું આયુષ્ય તે તે ભવમાં સમાપ્ત કરીને આવેલ હોવાથી આ જીવને સત્તામાં નથી. કારણકે નિયમા મોક્ષે જવાનું છે, માટે ક્ષપકશ્રેણી માંડનારા જીવને ચોથા ગુણઠાણાથી ત્રણ આયુષ્ય વિના ૧૪૫ ની જ સત્તા હોય છે. અને નજીકના કાળમાં જ ક્ષપક થવાનો હોવાથી ચોથાથી પણ ક્ષપક કહેવાય છે. તથા તભવ મોક્ષગામિ મિથ્યાત્વી જીવને ત્રણ આયુષ્ય અને જિનનામ, વિના ૧૪૪ની સત્તા હોઇ શકે છે. (૪૦) પ્રશ્ન- “મનુષ્યાનુપૂર્વી'' ચૌદમાં ગુણઠાણાના ચરમસમયે અનુય. વાળી છે અને અનુષ્યવાળાની સત્તા દ્વિચરમ સમયે જવી જ જોઇએ. કારણ કે સ્તિબૂકસંક્રમથી પરમાં તે પ્રકૃતિ ચાલી જાય છે. તો અહીં તેની સત્તા કેમ કહીં ? ઉત્તર- થવું તો તેમ જ જોઇએ. ૦૨ ને બદલે ૦૩ની જ સત્તાનો નાશ થવો જોઇએ. અને ચરમસમયે ૧૩ને બદલે ૧રની જ સત્તા Page #173 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કર્મગ્રંથ હોવી જોઇએ. પરંતુ ગ્રંથકારે આ પ્રમાણે કેમ કહ્યું તે બરાબર સમજાતું નથી, વળી છેલ્લી ગાથામાં પોતે જ આ વાત અન્ય આચાર્યોના મતના નામે ખુલ્લી કરે જ છે. માટે પોતાના હૃદયમાં કોઇ જુદી વિવક્ષા હશે પરંતુ તથાવિધ ગુરુગમના અભાવથી કારણ જાણવા મળતું નથી. (૪૮) પ્રશ્ન આ ગ્રંથ કોણે બનાવ્યો ? તથા તેમણે બીજા ક્યા ક્યા ગ્રંથો બનાવ્યા છે ? ૧૭૨ ઉત્તર- શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.શ્રીએ આ ગ્રંથ બનાવ્યો છે. તેઓએ કુલ ૫ કર્મગ્રંથ, ૩ ભાષ્ય, શ્રાદ્ધદિન કૃત્ય વૃત્તિ, સિદ્ધપંચાશિકાવૃત્તિ, સુદર્શનાચરિત્ર, સિદ્ધદંડિકા, આદિ અન્ય ગ્રંથો પણ ઘણા બનાવ્યા છે. (૪૯) પ્રશ્ન- આ કર્મગ્રંથ વિના શું જુના બીજા કર્મગ્રંથો છે ? ઉત્તર- હા, જુના પણ ૫ કર્મગ્રંથો છે અને તે જુદા જુદા કર્તાના બનાવેલા છે. જે અમે પ્રથમ કર્મગ્રંથની પ્રસ્તાવનામાં લખેલ છે. (૫૦) પ્રશ્ન- જિનનામકર્મ બાંધનાર જીવ જિનનામ બાંધ્યા પછી બીજેત્રીજે ગુણઠાણે જેમ જતો નથી તેમજ આહારકદ્ધિક બાંધ્યા પછી કયા ગુણઠાણે ન જઇ શકે ? ઉત્તર- સાતમે-આઠમે આહારકદ્ધિક બાંધનાર જીવ ત્યાં બાંધીને પડીને નીચેનાં સાતે ગુણઠાણે જઇ શકે છે અને ચડીને ઉપરનાં પણ સાતે ગુણઠાણાઓમાં જઇ શકે છે. અર્થાત્ ચૌદે ગુણસ્થાનકે જઇ શકે છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ કર્મસ્તવ ૧૦૩ આ પુસ્તકમાં આવેલ કઠીન પારિભાષિક શબ્દોના સરળ ગુજરાતી અર્થો કંઠસ્થ યાદ કરી, મુખપાઠ કરવો, 1 ગ્રન્થિભેદ- રાગ-દ્વૈપની ગાંઠને તોડી શિષ્ટાચાર- શિષ્ટ પુરુષોનો આચાર, | નાખવી. રાગ-દ્વપ હળવા કરવા. હીનાધિકતા- ઓછા-વધતાપણું. | તીવ્રભાવે- બહુ જ આવેશ પૂર્વક યથાર્થ- સાચો-સત્યસ્વરૂપ | અંતઃકોડાકોડી- એ ક કોડાકોડી અવ્યક્તમિથ્યાત્વ- અનાભોગિક સાગરોપમમાં કંઇક ઓછું મિથ્યાત્વ પ્રક્ષેપ કરવો- નાખવું. ભેળવી દેવું વ્યક્તમિથ્યાત્વ- અભિગ્રહિકાદિ. ઉદિત કર્મ-ઉદયમાં જે ચાલુ કર્મ છે મિથ્યાત્વ સ્મશાનીયા- સ્મશાનમાં આવે તે | અગ્રિમભાગ- ઉપરના ભાગ પરથી કોડાકોડી- એક ક્રોડને ૧ ક્રોડે | ભવાભિનંદીપણું- સંસારના સુખમાં ગુણવાથી જે થાય તે જ અતિશય આનંદ માનવો સાગરોપમ- દશ કોડાકોડી | 0 | અંતરકરણ- આંતર કરવું, ગેપ પાડવો પલ્યોપમનો ૧ સાગરોપમ. અપવર્તનાકરણ- ઉપરની સ્થિતિમાં લઘુકર્મી- હળવાં કર્મોવાળો રહેલાં દલિકોને નીચેની સ્થિતિમાં દ્વિર્બન્ધક- બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ | નાખવાં. મોહની બાંધે તે ઉદ્વર્તનાકરણ- નીચેની સ્થિતિમાં સકૃબંધક- માત્ર એક જ વાર | રહેલાં દલિકોને ઉપરની મહિના ઉત્કૃષ્ટ સ્થિતિ બા ત | સ્થિતિમાં નાખવાં અપુનર્બન્ધક- ફરી કદાપિ મોહની] ઉખરભમિ- ઉજ્જડભૂમિ, વાવેલું ન ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તે | ઉગે તેવી ભૂમિ. ચરમયથાપ્રક. છેલ્લું યથાપ્રવૃત્તકરણ | દાહ્યવસ્તુ- બાળવા લાયક વસ્તુ કે જેની પછી અવશ્ય ગ્રન્થિભેદ | દાવાનળ- ભયંકર આગ, મહાત્ થાય જ તે અથવા ચરમાવર્તમાં | અગ્નિ આવેલાં યથાપ્રવૃત્તકરણ | ત્રિપુંજીકરણ-ત્રણ પ્રકારના પુંજો કરવા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ દ્વિતીય કર્મગ્રંથ પ્રતિસમયે- પ્રત્યેક સમયમાં, દર | પ્રતિબંધક- રોકનાર, અટકાયત સમયે, કરનાર ઉવલના કરવી- સંક્રમનો એક | અયુગલિક- કર્મભૂમિના મનુષ્યો વિશિષ્ટ પ્રકાર કે જેના વડે | પ્રકર્ષ- વધારો, વૃધ્ધિ, વધતું જવું સંક્રમ્સમાણ પ્રકૃતિ નિર્મૂળ થાય | અપ્રકર્ષ- ઘટાડો, હાનિ, ઓછાશ. રસોઇય- પોતાના રૂપે ભોગવવું ગુણસંક્રમ- ગુણાકારે પ્રકૃતિઓ પ્રદેશોદય- સજાતીય બીજી પ્રકૃતિમાં | અન્યમાં નાખવી નાખીને ભોગવવું ઉપશમશ્રેણીગત- ઉપશમશ્રેણીમાં વિરતિધરતા- ત્યાગીપણું, I રહેલો આત્મા ત્યાગવાળાપણું ઘાતકર્મો- આત્માના ગુણોનો ઘાત અપેક્ષાવિશેષે- ભિન્ન ભિન્ન અપેક્ષાઓ કરે એવાં ચાર કર્મો દ્વારા સર્વલોકવ્યાપી- સમસ્તલોકમાં વ્યાપેલ સપ્તભંગી- સાત ભાંગાઓનો સમૂહ | શરીરસ્થ- ઔદારિકાદિ શરીરમાં અનન્યરૂચિ- જેની કોઈ ઉપમા ન | વર્તમાન આત્મા, શરીરધારી આપી શકાય તેવી અદ્વિતીય | ભવોપગાહી- સંસારમાં સહાય રૂચિ. બીજા જીવોમાં ન સંભવી | કરનારાં-સુખદુઃખ આપનારાં શકે તેવી રૂચિ. સ્થૂલત્યાગ- મોટાં મોટાં પાપોનો | વદન-ઉદરાદિ- મુખ અને પેટ વગેરે ત્યાગ શરીરના અંગો બળવત્તર ઉદય- તીવ્ર રસવાળો ઉદય | નિરૂધ્યમાન- રોકાતો, અટકાવાતો પ્રાણાતિપાત- બીજાના પ્રાણોનો નાશ, | ધ્યાનાન્તરિકા- ધ્યાનના વિરહવાળી હિંસા ધ્યાનના આંતરા વાળી દશા દેશવિરતિ- હિંસા આદિ પાપોનો | પ્રદેશાન્તર- બીજા આકાશ પ્રદેશને અલ્પત્યાગ સમશ્રેણી- આકાશ પ્રદેશોની સમાન સર્વવિરતિ- હિંસા આદિ પાપોનો | પંક્તિ, સરખી લાઈન. સર્વથા ત્યાગ સ્વગુણરમણતા- આત્માના પોતાના દીક્ષિત- દીક્ષા લીધેલું જીવન ગુણોમાં રમણતા છબસ્થાવસ્થા- કેવળ જ્ઞાન વિનાની ] અશરીરી- શરીર રહિત શુદ્ધ આત્મા | અધોગતિ- નીચે જવું તે કર્મો અવસ્થા Page #176 -------------------------------------------------------------------------- ________________ કસ્તવ ૧ ૭૫ ઉર્ધ્વગતિ- ઉપર જવું તે દ્વિચરમસમય- છેલ્લા સમયથી શરીરવતી- શરીરમાં રહેનાર પૂર્વનો સમય પૂર્વબદ્ધ- પૂર્વે બાંધેલાં કર્મો સંભાવસત્તા- હાલ વિદ્યમાન કર્મો, બંધહેતુ- કર્મના બંધનું કારણ જે કર્મોની સત્તા અત્યારે છે. અવિનાભાવ-ના વિના જે ન હોય તે | સંભવસત્તા- ભવિષ્યમાં જે કર્મો સુરાપુરુષ- સમજુ અને ડાહ્યા સત્તામાં આવવાનો છે તે. માણસા, બુદ્ધિશાળી બદ્ધાયુષ્ક- પરભવનું આયુષ્ય જેણે ઘાતક- નાશ કરનાર, વિનાશક બાંધી લીધું છે તે દેવગતિપ્રાયોગ્ય- દેવ ભવને યોગ્ય અબદ્ધાયુષ્ક- પરભવનું આયુષ્ય જેણે સર્વસંવરભાવ- કર્મોનું આવવાપણું બાંધ્યું નથી તે વિસંયોજના-અનંતાનુબંધીનો ક્ષય થયો સર્વથા અટકવું અનાશ્રવભાવ- કર્મોનું બીલકુલ ન હોય, પરંતુ તેના બીજભૂત મિથ્યાત્વનો ક્ષય ન થયો હોય તે આવવું અર્થાત્ ફરીથી બંધ-ઉદય અને ઉદયાવલિકા- ઉદય સમયથી સત્તામાં આવવાનો સંભવવાળો જે આરંભીને એક આવલિકા જેટલો ક્ષય તે જે કાળ તે પરિવર્તિત- સંક્રમાવેલાં, ફેરફાર અણુવ્રત- નાનાં નાનાં શ્રાવકનાં વ્રતો કરેલાં કર્મો મહાવ્રત- સાધુનાં મોટાં વ્રતો અપરિમિત- જેનું માપ નથી તે ભવસ્થ- સંસારમાં વર્તનારા જીવો | ગણનાતીત- જે ગણી ન શકાય તે ઉત્સુક્તા- અધીરાઈ-તાલાવેલી વિરહ કરવો-આંતરૂં કરવું, ખાલી કરવું ઉપા–સમય- છેલ્લા સમયથી યુક્તિસંગત- યુક્તિથી સહિત, દલીલ પૂર્વને સમય પૂર્વકનું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દ્વિતીય કર્મગ્રંથ સુભાષિત यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु ।। आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते ॥ ४-३ ॥ પુણ્ય-પાપકર્મના ઉદયજન્યસુખ-દુઃખના ભાવોમાં જે આત્મા મુંઝાતો નથી તે આત્મા કાદવથી જેમ આકાશ ન લેવાય તેમ પાપકર્મોથી લપાતો નથી. मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव सुकरः । . ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥ ५-१ ॥ ભુંડ જેમ વિષ્ટામાં આનંદ માને છે, તેમ અજ્ઞાની પુરુષ અજ્ઞાનમાં આનંદ માને છે. પરંતુ હંસ જેમ માનસ સરોવ્રરમાં આનંદ માને છે તેમ જ્ઞાનીપુરુષ જ્ઞાનમાં આનંદ પામે છે. स्वभावलाभसंस्कार-कारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ॥ ५-३ ॥ આત્માની સ્વભાવદશાના લાભારૂપ સંસ્કારનું જે જ્ઞાન કારણ બને તે જ જ્ઞાન કહેવાય છે. તે વિના શેષ જ્ઞાન બુદ્ધિની અંધતા માત્ર જ છે. એમ મહાત્મા પુરુષે કહ્યું છે. बिभेषि यदि संसारात् - मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥ ७-१ ॥ હે આત્મા ! જો તું સંસારથી ડરતો હોય અને મોક્ષપ્રાપ્તિને ઇચ્છતો હોય તો ઇન્દ્રિયોનો વિજય કરવા માટે વિશાળ પુરુષાર્થ ફોરવ. परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् ।। एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ १२-८ ॥ પરવસ્તુની સ્પૃહા એ જ મોટું દુઃખ છે અને સ્પૃહારહિતતા એ જ મોટું સુખ છે. સુખ અને દુઃખનું સંક્ષેપમાં મહાત્મા પુરુષોએ આ જ લક્ષણ કહ્યું છે. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #178 -------------------------------------------------------------------------- ________________ - Sજ્ઞાનાવરણીય વૈદનીય દર્શનાવરણીય મોહનીટ આયુષ્ય. ]ll ક 2 શામકર્મ. ગોઝ૪ર્મ |\ અંતeીયકર્મ