SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ કર્મસ્તવ સત્તા સંબંધી વિશેષ અધિકાર (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક પહેલા ગુણઠાણે વર્તતા જીવોમાં જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, અને અંતરાયની પ, એમ ચાર કર્મોની સર્વે ઉત્તર પ્રવૃતિઓની સત્તા હોય છે. પરંતુ મોહનીય-આયુષ્ય-નામ તથા ગોત્રમાં સર્વ ઉત્તરપ્રકૃતિઓ સત્તામાં હોય જ એવો નિયમ નથી. ઓછી-વધતી પણ સત્તામાં હોય છે. તેથી સર્વકર્મોની ઉત્તરપ્રકૃતિઓની સત્તાની સંખ્યા પણ જુદી જુદી બને છે. (૧) મોહનીય કર્મની સત્તા ૨૮-૨૭-૨૬ એમ ત્રણ જાતની હોય છે. જે જીવો ઉપશમ-ક્ષયોપશમ સમ્યક્ત-પામી પડીને પ્રથમ ગુણઠાણે આવ્યા છે તેઓએ ત્રણjજ કરેલા હોવાથી ૨૮ની સત્તા હોય છે. આ સત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. કારણકે પહેલે ગુણઠાણે આવ્યા પછી પ્રથમ સમયથી જ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ગલના કરવા માંડે છે, પલ્યોપમના ૧ અસંખ્યાતમા ભાગે સમ્યકત્વમોહનીયની ઉદ્વલના પૂર્ણ થાય છે અને ત્યારબાદ પલ્યોપમના બીજા અસંખ્યાતમા ભાગે મિશ્ર મોહનીયની ઉવલના પૂર્ણ થાય છે. જ્યાં સુધી ઉવલના ચાલુ હોય ત્યાં સુધી પ્રથમ ૨૮ ની સત્તા હોય છે. પલ્યોપમનો પ્રથમ અસંખ્યાતમો ભાગ ગયે છતે સમ્યકત્વ મોહનીયની ઉવલના જ્યારે પૂર્ણ થાય ત્યારે તે એક પ્રકૃતિ વિના ૨૭ની સત્તા હોય છે. અને પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ ગયે છતે મિશ્રમોહનીયની પણ ઉદ્વલના જ્યારે પૂર્ણ થાય ત્યારે તે બન્ને પ્રકૃતિ વિના મોહનીયની ૨૬ ની સત્તા હોય છે. તથા સમ્યકત્વ ન પામેલા અનાદિ મિથ્યાત્વી જીવને પણ ૨૬ ની જ સત્તા હોય છે. (૨) આયુષ્યકર્મની બાબતમાં જ્યાં સુધી પરભવનું આયુષ્ય જીવ બાંધે નહિ ત્યાં સુધી એક જીવને એક આયુષ્યની (ઉદિતની) જ સત્તા હોય છે. પરભવનું આયુષ્ય બાંધ્યા પછી મૃત્યુ ન પામે ત્યાં સુધી બાંધેલું અને વેચાતું એમ બે આયુષ્યની સત્તા હોય છે. (પરંતુ જો મનુષ્યનો જીવ હોય અને મનુષ્ય આયુષ્ય જ પરભવનું બાંધ્યું હોય, તથા તિર્યંચનો જીવ હોય અને તિર્યંચાયુષ્ય જ પરભવનું બાંધ્યું હોય તો સજાતીયહોવાથી બદ્ધાયુને પણ એક જ આયુષ્યની સત્તા ગણાય છે. માટે વિજાતીય આયુષ્ય બાંધનારને જ બે આયુષ્યની સત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy