SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ દ્વિતીય કર્મગ્રંથ જો બંધ થાય છે તો ત્રણ જ ભાગ પાડવા ઉચિત છે સાત ભાગ પાડવાનું પ્રયોજન શું ? દરેક ભાગે ભાગે તો ભિન્ન ભિન્ન બંધ છે જ નહી, બીજા ભાગથી છઠ્ઠા ભાગનો એક જ ભાગ કરીને ત્રણ જ ભાગ પાડવા યોગ્ય લાગે છે. ઉત્તર- ૫૮ અને ૨૬ ના બંધના કાળ કરતાં પ૬ ના બંધનો કાળ ઘણો વધારે (અર્થાત્ પાંચ ગણાવે છે તે સમજાવવા માટે સાતભાગ કરેલ છે. આઠમું ગુણસ્થાનક અંતર્મુહૂર્તકાળનું છે તેના ૭૦ સમયો છેએમ કલ્પના કરીએ તો સાતભાગ પાડવાથી ૫૮ને બંધ ૧થી૧૦ સમય સુધી, પ૬નો બંધ ૧૧થી૬૦ સમય સુધી, અને ર૬નો બંધ ૬૧થી૭૦ સમય સુધી થાય છે. એમ જે સમજાવવું છે તે સમજાવી શકાય છે. પરંતુ જો ત્રણ ભાગ કહ્યા હોત તો ૧થીર૩ સમય સુધી ૫૮નો બંધ, ૨૪થી૪૬ સમય સુધી પ૬નો બંધ અને ૪૭થી૭૦ સમય સુધી ર૬નો બંધ થાય છે એમ સમજાઈ જાત. જે બરાબર નથી. એટલે ૫૮ અને ર૬ ના બંધનો કાળ અલ્પ છે અને પ૬ના બંધનો કાળ પાંચગણો દીધું છે એ સમજાવવા માટે આઠમા ગુણસ્થાનકના સાત ભાગ કર્યા છે. નિદ્રાદ્ધિક દર્શનાવરણીયકર્મની છે. છઠ્ઠાભાગે વિચ્છેદ પામતી દેવદ્વિક આદિ ૩૦ નામકર્મની છે. અને છેલ્લાભાગે નીકળી જતી હાસ્યાદિ ૪ મોહનીય કર્મની છે. માટે તે તે ભાગે તે તે કર્મમાંથી તેટલી તેટલી પ્રકૃતિઓ બંધમાંથી ઓછી કરવી આઠમા ગુણસ્થાનકે બંધ (પ્રથમ ભાગે જ્ઞા. દ. | વે. મો. | આ. | ના. ગો. એ.) કુલા | બીજાથી | ૫ | ૬ | ૧ | ૯ | 0 | ૩૧ | ૧ | પપ૮] [છઠ્ઠા ભાગે | ૫ | ૪ | ૧ | ૯ | 0 | ૩૧ | ૧ | પપ૬ | સાતમાભાગે ૫ [૪] ૧ | ૯ | 0 | ૧ | ૧ | ૫ | ૨૬| હવે નવમા ગુણઠાણે બંધવિચ્છેદ જણાવે છે. अनियट्टि भागपणगे, इगेगहीणो दुवीसविहबंधो । पुमसंजलणचउण्हं, कमेण छेओ सतर सुहुमे ॥११॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy