SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસ્તવ (अनिवृत्ति भागपञ्चके. एकेकहीनो द्वाविंशतिविधबन्धः । पुंसंज्वलन चतुर्णा, क्रमेणच्छेदः सप्तदश सूक्ष्मे ) શબ્દાર્થ= નિત્યક્રમ પણ = અનિવૃત્તિ નામના નવમા ગુણસ્થાનકના પાંચ ભાગોમાં, રૂ = એક એક પ્રકૃતિનો બંધ ઓછો થતાં, વિવદવંધ= જે બાવીસનો બંધ છે તે, પુસંગત દં= પુરુષ વેદ સંજવલન ચતુષ્કન, મેળ= અનુક્રમે, છેક છેદ થાય છે. તેથી સતર= સત્તરપ્રકૃતિઓનો બંધ, સુહુરે= સૂમસમપરાય ગુણસ્થાનકે હોય છે. ગાથાર્થ- અનિવૃત્તિગુણસ્થાનકના પાંચ ભાગોમાં પુરુષવેદ અને સંજવલન ચતુષ્કમાંનો અનુક્રમે એકેક બંધ ઓછો-ઓછો થતાં જે બાવીસનો બંધ છે તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સત્તરનો થાય છે. / ૧૧ || વિવેચન- આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના ચરમસમયે હાસ્યાદિચાર નોકષાયનો બંધવિચ્છેદ થતાં નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગે ૨૬-૪=૧૨ નો બંધ હોય છે. ત્યારબાદ નવમાં ગુણસ્થાનકના એકેક ભાગે એકેક પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે ત્યાં અનુક્રમે પ્રથમ ભાગે પુરુષવેદ, બીજા ભાગે સંજવલન ક્રોધ, ત્રીજા ભાગે સંજવલન માન, ચોથા ભાગે સંવલન માયા, અને પાંચમા ભાગે સંજ્વલન લોભ એમ એકેકનો બંધવિચ્છેદ થવાથી ૨૨ ૨૧ ૨૦૧૯૧૮ નો બંધ થાય છે. અને દસમાં ગુણસ્થાનકે ૧૭ નો બંધ થાય છે. તે તે પ્રકૃતિના બંધ યોગ્ય અધ્યવસાયોના અભાવના કારણે જ બંધનો વિચ્છેદ થાય છે. આ પાંચે પ્રકૃતિઓ મોહનીયકર્મની છે માટે મોહનીયકર્મમાંથી જ એક એક ઓછી ઓછી થતી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy