SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ દ્વિતીય કર્મગ્રંથ ગાથાર્થ- ઉપરોક્ત આઠનો ઉદયવિચ્છેદ થવાથી અને આહારક યુગલનો પ્રક્ષેપ થવાથી પ્રમત્તગુણઠાણે એક્યાશીનો ઉદય હોય છે. અને થીણદ્વિત્રિક તથા આહારકદ્વિકનો ઉદયવિચ્છેદ થવાથી અપ્રમત્તગુણઠાણે છોતેર પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે ૧૭ | વિવેચન- તિર્યંચગતિ આદિ ચાર પ્રકૃતિઓ તિર્યંચના ભવને યોગ્ય છે માટે, અને ત્રીજો કષાય સર્વવિરતિનો ઘાતક છે માટે છટ્ટ ગુણઠાણે આ આઠ પ્રકૃતિઓ ઉદયમાં હોતી નથી તેથી તે આઠનો પાંચમાના અત્તે ઉદય વિચ્છેદ થાય છે. પરંતુ છઠ્ઠા ગુણઠાણે ચૌદ પૂર્વોને ભણેલ મુનિ મહાત્મા પોતાના પ્રશ્નો પુછવા અથવા તીર્થકર પ્રભુનાં દર્શન કરવા અન્ય ક્ષેત્રમાં જવા માટે આહારક શરીર બનાવે છે તેથી આહારક શરીર અને આહારક અંગોપાંગ એમ યુગલ (બે પ્રકૃતિઓ) નો પ્રક્ષેપ કરવાથી કે ગુણઠાણે કુલ ૮૭-૮=૭૯ + ૨ = ૮૧ નો ઉદય હોય છે. પ્રશ્ન- તિર્યંચગતિ આદિ પ્રથમની ચાર પ્રકૃતિઓ તિર્યંચભવ યોગ્ય કહી તે બરાબર નથી. નીચગોત્રનો ઉદય મનુષ્યગતિમાં પણ ચંડાલાદિમાં સંભવી શકે છે. ઉદ્યોતનો ઉદય વૈક્રિય-આહારકની રચના કરનારા મુનિને હોય છે તથા દેવોને પણ હોય છે. તે પ્રથમકર્મગ્રંથાદિમાં કહ્યું છે. (છઠ્ઠા કર્મગ્રંથના ભાગોમાં પણ આવે છે). ઉત્તર- નારકી અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. તેથી નીચગોત્રને તિર્યંચયોગ્ય છે એમ ઉપર કહ્યું છે. પરંતુ નીચગોત્રનો ઉદય નરક-તિર્યંચોને જ હોય છે એવો નિયમ નથી. તેથી મનુષ્યોમાં પણે ચંડાલાદિમાં નીચગોત્રનો ઉદય હોઈ શકે છે. તથાપિ તેઓ જ્યારે દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મ સ્વીકારે, ત્યારે વિરતિના પ્રતાપે નીચગોત્રનો ઉદય અટકી જાય છે અને ઉચ્ચગોત્રનો જ ઉદય શરૂ થાય છે માટે મનુષ્યમાં પાંચ-છરે ગુણઠાણે નીચગોત્રનો ઉદય સંભવતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy