SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ 1 TS દ્વિતીય કર્મગ્રંથ અને સમ્યકત્વમોહનીયમાં અસંખ્યાતગુણ પ્રતિસમયે સંક્રમાવે છે. સમ્યકત્વના પ્રથમ સમયે જ ત્રણ દર્શનમોહનીયની સત્તા (ત્રિપુજ) થઇ જાય છે. ત્યારબાદ પ્રતિસમયે તે જ સંક્રમ ચાલુ રહે છે અને સમ્યકત્વ મોહનીય તથા મિશ્રમોહનીયની લતા વધુ પુષ્ટ બને છે. કોઇ ઠેકાણે મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિના ચરમસમયે વર્તતો જીવ બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયના ત્રણjજે કરે છે એમ પણ આવે છે. સમ્યત્વવાળી અવસ્થામાં મિથ્યાત્વનો મિશ્નસમ્યત્વ મોહનીયમાં પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે સંક્રમ કરવાનું આ કામ ચાલુ જ રહે છે. તેનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે. અંતરકરણ | મિથ્યાત્વમોહનીય તીવ્ર ૨,૩,૪ ઠાણીયો રસ. જીવ સાસ્વાદન | મિશ્રમોહનીય મધ્યમ બેઠાણીયો રસ | સમ્યકત્વમોહનીય મંદર,તથાએકઠાણીયોરસ ત્રણ પુંજને કરતો, અંતરકરણમાં વર્તતો જીવ પરમ આફ્લાદ રૂપ ઉપશમ સમ્યત્વને અનુભવતો અંતરકરણમાં આગળ વધે છે. આ અંતરકરણનો કાળ અંતર્મુહૂર્ત છે તેમાં જઘન્યથી ૧ સમય અને - ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો અંતરકરણને કાળ બાકી હોય ત્યારે અંતરકરણમાં જ કોઈ જીવને સમ્યકત્વને મલીન કરી નાખે તેવો “અનંતાનુબંધી” કષાયનો ઉદય થાય છે. જો કે મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધીની એવી જોડી છે કે બન્ને સાથે જ લગભગ બંધ-ઉદયમાં આવે છે. એટલા જ માટે અંતરકરણમાં માત્ર મિથ્યાત્વમોહનીય કર્મનાં દલિકોને જ ઉપર-નીચેની સ્થિતિમાં નાખીને ખાલી કરેલ હતાં, પરંતુ અનંતાનુબંધીનાં દલિકોને ત્યાંથી ઉપાડીને ઉપર-નીચે નાખીને ખાલી કરેલ નથી, છતાં મિથ્યાત્વમોહનીયને ઉદય અટકી જવાથી તેને સાથીદાર અનંતાનુબંધી પણ ક્ષયોપશમભાવને પામે છે. જેથી આ આત્મા નિર્મળ શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કોઈ કોઈ જીવને અંતરકરણ પૂર્ણ થવા આવે ત્યારે અન્તિમ ૧ સમયથી ૬ આવલિકાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy