SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ દ્વિતીય કર્મગ્રંથ (૧૧) ઉપશાતમોહ ગુણસ્થાનક. આ ગુણસ્થાનક માત્ર ઉપશમશ્રેણિમાં જ આવે છે. ત્યાં આઠમા ગુણસ્થાનકમાં સમજાવ્યા મુજબ જ ૧૩૩ થી ૧૪૬ (૧૪૩ વિના)કુલ ૧૩ સત્તાસ્થાનો હોય છે. ક્ષપકશ્રેણિ વાળો જીવ આ ગુણસ્થાનકે આવતો નથી. માટે અધિક સત્તાસ્થાનો નથી. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક. બારમા ગુણસ્થાનકે માત્ર ક્ષપકશ્રેણિના જ જીવો આવે છે દસમા ગુણસ્થાનકના અંતે સંજવલન લોભનો ક્ષય થવાથી મોહનીય કર્મની બીલકુલ સત્તા હોતી નથી. તેથી તે વિના સત્તા આ પ્રમાણે છે. | | કયા જીવને આશ્રયી | શા. દર્શ.વિદ.| મોહ. આ. નામ.ગો. એ. ક્લ. જિનનામ - આહારક ૨ | 0 | ૧ | ૮૦ | ૨ | ૫ |૧૦૧ બન્ને હોય તેને જિનનામ વિના આહારક હોય તેને ૫ | ૬ | ૨ | 0 | ૧ | ૭૯ | ૨ | |૧૦૦ આહારક વિના જિનનામ હોય તેને ૪ | બન્ને ન હોય તેવા જીવને ૫ | ૬ | ૨ | 0 | ૧ | ૭૫ | ૨૫ | ૯૬ આ ચાર સત્તાસ્થાનો બારમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી કિચરમ સમય સુધી હોય છે. બારમાના દ્વિચરમસમયે નિદ્રા અને પ્રચલાની સત્તાનો ક્ષય થાય છે. તેથી આ જ ચાર સત્તાસ્થાનોમાંથી બે બે પ્રકૃતિ ઓછી કરવાથી બારમાના ચરમ સમયે ૯૯-૯૮-૯પ૯૪ એમ ચાર સત્તા હોય છે. તેથી બારમા ગુણઠાણે કુલ ૧૦૧ થી ૯૪ સુધી આઠ સત્તાસ્થાનો હોય છે. (૧૩) સયોગીકેવલી ગુણસ્થાનક બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અને અંતરાયકર્મ ૫, એમ ૧૪ પ્રકૃતિઓની સત્તાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy