SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસ્તવ પ૯ અહીં અનંતા જીવોના અધ્યવસાયસ્થાનોની તરતમતા અસંખ્યાતામાં સમાઇ જાય છે. પ્રશ્ન- આઠમા ગુણસ્થાનકના પ્રતિસમયમાં જે અસંખ્યાતા અધ્યવસાયસ્થાનો છે તેની તરતમતા (વિશુદ્ધિની હાનિ-વૃદ્ધિ) સમજવા માટે શું કોઇ પ્રકારો બતાવ્યા છે ? ઉત્તર- હા, એકેક સમયના અસંખ્યાતા અધ્યવસાયસ્થાનકોમાં વિશુદ્ધિની છ જાતની હાનિ-વૃદ્ધિ હોય છે. તેને ષસ્થાનપતિત અથવા છઠ્ઠાણવડિયાં કહેવાય છે. તે આ પ્રમાણે આઠમા ગુણસ્થાનકના પ્રથમસમયવર્તી અનંતા જીવોમાં સૌથી ઓછામાં ઓછી વિશુદ્ધિ, જે જે જીવોની છે તેઓને પહેલું અધ્યવસાયસ્થાન, તેનાથી જે જીવોની યત્કિંચિત્ વિશુદ્ધિ વધારે છે તે જીવોને પૂર્વના અધ્યવસાયસ્થાનક કરતાં અનંતભાગ અધિક વિશુદ્ધિવાળું બીજું અધ્યવસાયસ્થાનક. તેના કરતાં કંઇક અધિક વિશુદ્ધિવાળા જે જે જીવો છે તે જીવોનું જે અધ્યવસાયસ્થાનક તે પહેલા અધ્યવસાયસ્થાન કરતાં કંઇક વધારે અનંતભાગઅધિક વિશુદ્ધ કહેવાય છે. એ જ રીતે ચોથું અધ્યવસાયસ્થાનક પહેલા કરતાં અતિવધુ અનંતભાગ અધિક 'વિશુદ્ધિ વાળું કહેવાય છે. આ પ્રમાણે અસંખ્યાતાં અધ્યવસાયસ્થાનો પહેલા અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ વધારે વધારે અનંતભાગ અધિક વિશુદ્ધિવાળાં બને છે. ત્યારપછીનું અધ્યવસાયસ્થાનક પહેલા અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ “અસંખ્યાતભાગઅધિક' વિશુદ્ધિવાળું બને છે. તેના પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાનકો પહેલાની અપેક્ષાએ વધારે વધારે અસંખ્યાતભાગ અધિક બનતાં જાય છે. આ પ્રમાણે પછી કેટલાંક અિધ્યવસાય સ્થાનો પહેલા અધ્યવસાયસ્થાનકની અપેક્ષાએ સંખ્યાતભાગ અધિક, પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાન સંખ્યાતગુણ અધિક, પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાનો અસંખ્યાતગુણ અધિક અને ત્યાર પછીનાં કેટલાંક અધ્યવસાયસ્થાનો પહેલાની અપેક્ષાએ અનંતગુણ અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy