SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસ્તવ હવે બીજા ગુણઠાણ કેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે જણાવે છે सुहूमतिगायवमिच्छं, मिच्छंतं सासणे इगारसयं । निरयाणुपुव्विणुदया, अणथावरइगविगलअंतो ॥ १४ ॥ (सुक्ष्मत्रिकातप-मिथ्यं, मिथ्यान्तं सास्वादन एकादशशतम् । निरयानुपूर्व्यनुदयादनस्थावरैकविकलान्तः) શબ્દાર્થ- સુદૂમતિ” = સૂક્ષ્મત્રિક, આયવ = આતપનામકર્મ, મિર્જા = મિથ્યાત્વમોહનીય, મિઋતં= મિથ્યાત્વે અંત થાય છે. તેથી, सासणे સાસ્વાદન રૂારસયં એકસો અગિયાર હોય છે, નિરયાળુપુત્રિજીયા= નરકાનુપૂર્વીનો અનુદય હોવાથી ળ = અનંતા નુબંધી થાવર = સ્થાવરનામકર્મ, રૂ। = એકેન્દ્રિયજાતિ અને વિનયંતો વિકલેન્દ્રિયત્રિકનો અંત થાય છે. = = = ગાથાર્થ- સૂક્ષ્મત્રિક, આતપ, અને મિથ્યાત્વમોહનીયનો મિથ્યાત્વે અંત થવાથી સાસ્વાદને ૧૧૧ નો ઉદય હોય છે કારણ કે ત્યાં નરકાનુપૂર્વીનો અનુદય હોય છે. તથા અનંતાનુબંધી ૪, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, અને વિકલેન્દ્રિયત્રિક એમ ૯ નો સાસ્વાદને અંત થાય છે. ॥ ૧૪ || Jain Education International ૯૫ વિવેચન- સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વમોહ આ પાંચ પ્રકૃતિઓનો ઉદય સાસ્વાદન ગુણઠાણે સંભવતો નથી. કારણ કે (૧) સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મ એકેન્દ્રિયજીવોને હોય છે. (૨) અપર્યાપ્તનામકર્મનો ઉદય લબ્ધિ અપર્યાપ્તને (સ્વયોગ્ય પર્યાપ્તિઓ અપૂર્ણ રાખીને જ મૃત્યુ પામનારા જીવોને) જ હોય છે. અને (૩) સાધારણ નામકર્મનો ઉદય સાધારણ વનસ્પતિકાય જીવોને જ હોય છે. આ ત્રણે પ્રકારના જીવોમાં સાસ્વાદન ગુણસ્થાનક સંભવતું નથી. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન હોવાથી સાસ્વાદન ન સંભવે અને પારવિક સાસ્વાદન લઇને આવનારા જીવો પણ નિયમા બાદર લબ્ધિ પર્યાપ્તમાં જ ઉત્પન્ન થાય છે જયાં આ ત્રણ પ્રકૃતિઓનો ઉદય નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy