SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ કમસ્તવ ૬૫ કારણ કે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામનાર વૈમાનિક દેવમાં જ' (મતાન્તરે અનુત્તરવિમાનમાં ) જાય છે અને ત્યાં ચોથું ગુણસ્થાનક જ હોય છે. પરંતુ અગિયારમાં ગુણસ્થાનકે આરૂઢ થયા પછી તે ગુણસ્થાનકનું કાલ (સમય) પૂર્ણ થવાથી ઉતરી જવું પડે તે કાલક્ષય કહેવાય છે. કાલક્ષયે પડનાર જેમ આરૂઢ થયો હતો તેમ જ ક્રમે ઉતરે છે. અને તે તે ગુણસ્થાનકોમાં અટકાવેલા બંધ-ઉદય-ઉદીરણા-સંક્રમ-અપવર્તનાઉદ્વર્તના આદિને શરૂ કરતો કરતો નીચે ઉતરે છે. યાવત્ ૭-૬ સુધી તો આવે જ છે. પરંતુ કોઇક જીવ ત્યાં વિરામ પણ પામે છે અને કોઇક જીવ વધુ ગબડતો પાંચમે-ચોથે-બીજે જઇને પહેલે ગુણઠાણે પણ જાય છે. અહીં ઉપશમશ્રેણી જ માત્ર હોવાથી જઘન્યથી ૧ સમયકાળ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તકાળ છે અને ભવચક્રમાં ૪ વાર, એકભવમાં કર્મગ્રંથના મતે ૨ વાર, અને સિદ્ધાન્તના મતે પણ ૨ વાર જીવ આવી શકે છે. જે જીવ એક ભવમાં એક વાર ઉપશમશ્રેણી માંડે છે તે જીવ તે જ ભવમાં કર્મગ્રંથના મતે ક્ષપક શ્રેણી માંડી શકે છે પરંતુ સિદ્ધાન્તના મતે તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. તથા જો એક જ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડી હોય તો કર્મગ્રંથના મતે પણ આ જીવ ક્ષપકશ્રેણી માંડતો નથી. (૧૨) ક્ષીણમોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનક મોહનીય કર્મની અઠ્યાવીસે પ્રકૃતિઓ જે આત્માએ સર્વથા ખપાવી નાખી છે. તેનું નામ ક્ષીણમોહ. મોહ સર્વથા ક્ષીણ થયેલ હોવાથી જે વીતરાગ બન્યા છે તે ક્ષીણમોહ વીતરગ. તેરમા-ચોદમાં ગુણસ્થાનકવાળા પરમાત્મા પણ આવા જ ક્ષણમહવીતરાગ છે તેમનાથી ૧. પૂ. ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મ0 કૂત “કર્મગ્રંથ ૧-૨ પ્રશ્નોત્તરીમાં પૃષ્ઠ ૧૦૬ પ્રશ્ન-ઉત્તર ૧૪૧માં એવો ખુલાસો કર્યો છે કે ઉપશમશ્રેણિનો પ્રારંભ જો પ્રથમ સંઘયણવાળો હોય અને જો મરે તો અનુત્તર વિમાનમાં જાય છે અને જો બીજા-ત્રીજા સંઘયણવાળો જીવ પ્રારંભક હોય અને જો મરે તો અનુત્તર વિના સિવાય શેષ વૈમાનિકમાં જાય. = = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy