SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસ્તવ ૧૧૯ (૮) કોઇ પણ જીવોને ઉત્પત્તિ કાલે શરીર પર્યામિ પૂર્ણ કર્યા પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરતાં પહેલાં નિદ્રાપંચકન ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૯) સંસારી સર્વ જીવોને પોત પોતાના ભવમાં જીવનની અંતિમ એક આવલિકા બાકી રહે ત્યારે તે તે ભવના આયુષ્યકર્મનો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. આ પ્રમાણે ઉદીરણા અધિકાર સમાપ્ત થયો. સત્તા અધિકાર હવે સત્તાની વ્યાખ્યા જણાવી ચૌદગુણસ્થાનકોમાં જે સત્તા હોઈ શકે છે તે જણાવે છે सत्ता कम्माण ठिई, बन्धाईलद्धअत्तलाभाणं । संते अडयालसयं, जा उवसमु विजिणु बियतइए ॥ २५ ॥ (सत्ता कर्मणां स्थितिबन्धादिलब्धात्मलाभानाम् सत्तायां अष्टचत्वारिंशत्, यावदुपशमो विजिनो द्वितीयतृतीये ) શબ્દાર્થ- સત્તા = કર્મોનું હોવું - અર્થાત્ સત્કર્મ ટિ = કર્મોની વિદ્યમાનતા. ન્યારૂદ્ધમત્તામાળ = બન્ધ વગેરે દ્વારા પ્રાપ્ત કર્યું છે કર્મપણાનું સ્વરૂપ જેણે એવાં, સંતે = સત્તામાં એડલિવું = એકસો અડતાલીસ, ના = યાવતું, વસમું = ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી, વિન" = જિનનામ કર્મ વિના, વિયતરૂપ = બીજા-ત્રીજા ગુણસ્થાનકે. ગાથાર્થ- બંધાદિ વડે પ્રાપ્ત થયું છે આત્મલાભ (કર્મપણાનું સ્વરૂપ) જેને એવા કર્મોનું આત્માની સાથે હોવું તે સત્તા કહેવાય છે. થાવત્ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી ૧૪૮ ની સત્તા હોય છે. બીજાત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મ વિના ૧૪૭ની સત્તા હોય છે. મેં ૨૫ II વિવેચન= આત્માની સાથે કર્મોનું હોવું, કર્માની વિદ્યમાનતા તેને સત્તા કહેવાય છે. બંધ-સંક્રમ-આદિ દ્વારા જે પુદગલોમાં “કર્મ–” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy