SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસ્તવ ૧૧૧ ૩૦ માં ૧ વેદનીય વિના શેપ ૨૯ પ્રકૃતિ નામકર્મની છે અને તે શરીરની સાથે સંબંધવાળી હોય છે. તેરમા ગુણઠાણાના અંતે યોગનિરોધ થવાના કારણે શરીરનો વ્યાપાર અટકી જાય છે. તેથી તેની સાથે સંબંધ વાળી નામકર્મની ર૯ પ્રકૃતિઓનો ઉદય પણ તેરમે અટકી જાય છે. તેમાં પણ એટલી વિશેષતા છે કે યોગનિરોધ કરતાં કરતાં જ્યારે મનયોગ અને વચનયોગને નિરોધ થઇ જાય ત્યારે સ્વરનો ઉદય પહેલાં અટકી જાય છે. એટલે દુઃસ્વર-સુસ્વર પ્રથમ જાય છે ત્યારબાદ ઉચ્છવાસનો વિરોધ કરે ત્યારે ઉચ્છવાસનામકર્મનો ઉદય અટકી જાય છે અને જ્યારે કાયયોગનો સર્વથા નિરોધ કરે ત્યારે બાકીની નામકર્મની ર૬નો ઉદય તેરમા ગુણઠાણાના અન્તિમ સમયે જાય છે. પ્રથમ બે સ્વરનો ઉદય, પછી શ્વાસોચ્છવાનો ઉદય અને પછી શેષ ૨૬ નો ઉદય અટકે છે. ચૌદમે ગુણઠાણે માત્ર ૧૨ જે પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે સૌભાગ્ય-આદેય-યશનામકર્મ અને બેમાંથી કોઇ પણ એક વેદનીય (સાતા અથવા અસાતા) તથા. ૨૨. तसतिग पणिंदि मणुयाउ-गई जिणुच्चं ति चरमसमयंतो । उदउव्वुदीरणा परमपमत्ताई सगगुणेसु ॥ २३ ॥ (त्रसत्रिक पञ्चेन्द्रियमनुजायुगतिजिनोच्चमिति चरमसमयान्तः। . उदय इवोदीरणा परमप्रमत्तादि सप्तगुणेषु) શબ્દાર્થ = તતિ = ત્રસ, બાદર, પર્યાપ્ત, નિદ્રિ = પંચેન્દ્રિયજાતિ, અનુયાડ ફ= મનુષ્યાયુષ્ય અને મનુષ્યગતિ, નિપુર્વ = જિનનામ કર્મ અને ઉચ્ચગોત્ર ત = આ પ્રમાણે ૧૨ પ્રકૃતિઓ વરસમાચંતો = છેલ્લા સમયે અંત પામે છે. ૩૩ઘુવીર | = ઉદયની જેમ જ ઉદીરણા હોય છે. પરમ્ = પરંતુ અમારૂસળસુ = અપ્રમત્તાદિ સાત ગુણસ્થાનકોમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy