Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 9
________________ પ્રસ્તાવના વિશેષાવશ્યકભાષ્ય અને તે ઉપરની શ્રી મલધારી હેમચન્દ્રસૂરિ મ.ની ટીકાનો મુનિ પાર્શ્વરત્નસાગરજીએ કરેલ ભાવાનુવાદ ૧૧૬૮ પ્રશ્નોત્તરરૂપે (ભાગ ૧-૨) પ્રગટ થઈ રહ્યો છે. તે આનંદનો વિષય છે. ગ્રંથ-ગ્રંથકાર અને ટીકા-ટીકાકાર વિષે ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું છે. પં. દલસુખભાઈ માલવણિયાએ (ગણધરવાદની પ્રસ્તાવનામાં), ડૉ. મોહનલાલે (જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસમાં), ડૉ. સાધ્વી મુદિતયશાશ્રીએ (વિશેષાવશ્યકભાષ્ય ખંડ-૧ની ભૂમિકામાં) લખ્યું છે. એ બધાના આધારે અહીં કેટલીક વિગતો રજૂ કરીએ છીએ. ગ્રન્થ : આવશ્યકનિયુક્તિના સામાયિક અધ્યયન ઉપરનું વિશેષ પ્રકારનું ભાષ્ય છે વિશેષાવશ્યકભાષ્ય. • આ ભાષ્ય સર્વાનુયોગમૂલક છે. આને જાણીને જે પરિકર્મિતબુદ્ધિવાળો બને છે તે બાકીના બધા અનુયોગ માટે પણ યોગ્ય બને છે. (વિ.ભા.ગા. ૪૩૨૯) • સૈદ્ધાંતિક અને દાર્શનિક બાબતોની તર્કપૂર્ણ વિવેચન કરનાર અપૂર્વ ગ્રંથ. ♦ જૈન માન્યતાઓ સાથે અન્યદર્શનીય મંતવ્યોની તુલના કરતો અદ્ભુત ગ્રંથ. • ચૂર્ણિકાર જિનદાસગણિ, આ.હરિભદ્રસૂરિ, આ.અભયદેવસૂરિ, શ્રી શીલાંકાચાર્ય, શ્રીમલયગિરિસૂરિ આદિ ટીકાકારો ઉપર વિશેષા.નો વિશેષ પ્રભાવ જણાય છે. • મહો. યશોવિજયજીએ અનેકાંતવ્યવસ્થા, જૈનતર્કભાષા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથોમાં વિશેષા.માં બતાવેલ યુક્તિઓ પ્રયોજી છે. · આ ગ્રંથમાં અન્ય દર્શનો જોડે સામંજસ્ય સ્થાપનપૂર્વક આગમિક અવધારણાઓને સુરક્ષિત રાખી છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 408