Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ પૂજ્યશ્રીના જીવન અંગે બે બેલ પ. પૂ. શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી વિજય મેતીપ્રભસૂરીશ્વરજી મ. સા. ના પવિત્ર જીવનમાં એક દષ્ટિ. પૂજ્યપાદ ખરેખર મહાવિદેહ ક્ષેત્રમાંથી ભૂલાં પડેલા અને આપણુ જેવા પામર જીના ઉદ્ધાર માટે આપણને પૂજ્યશ્રીજીને સંયોગ સાંપડ્યો. સરળ અને નિખાલસ સ્વભાવના હતા. સ્ફટિકરન રન જેવું –નિર્મળને સાવ ભદ્રિક એમનું અંતઃકરણ હતું. વિનમ્રતા અને વિવેક શીલતાની મૂર્તિ સમા હતા. અમૃત સમાન મીઠી મધુર અને કલ્યાણકારી તેઓશ્રીની વાણી હતી. એ વાણી હૃદયને સ્પશી લાગણીઓની સરવાણી હતી. તેઓ બોલતા હોય ત્યારે ફૂલ વરસતા અને ભલભલા કઠોર માનવીને પણ કમળતામાં-પણ માનવીને - ઉદારતામાં, કુટિલજનને સરળતામાં પલટાવવાની અપૂર્વ શક્તિ ધરાવતા. એમનું વ્યક્તિત્વ ભલભલાને આકર્ષે તેવું હતું. તેઓશ્રીનું એક જ ધ્યેય, એક જ ભાવના સૌ જ વીતરાગ પરમાત્માને ધર્મ પામે અને ધર્મને ઓળખે. તપ-જપ-સંયમની આરાધના કરે અને મુક્તિ પદને પામે તે જ તેમની અંતરની ભાવના જોઈ અનેક લોકેના મસ્તક નમી જતા હતા. અદ્દભુત જીવન જીવવાની કળા તેઓએ વારસા તરીકે આપી છે. તેમને જીવનમંત્ર જેટલે ત્યાગ જેટલી જરૂરિયાત એછી તેટલો સંયમમાર્ગ સરળ. આ તેમનું ગણિત ખરેખર અદ્દભુત હતું અને સર્વત્ર સાધુતા અને સજજનતાની ફેરમ પ્રસરતી હતી. એમને વ્યવહાર આચરણ સર્વ જીવન કલ્યાણકારી હતા, તેઓના હાથને સ્પર્શ થતા અનેક જીવોનું કલ્યાણ થતું હતું. ખરેખર સામા યેગીનું ધ્યાન કેવળ આત્મદર્શન ઉપર જ એકાગ્ર થયેલું હોય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 532