Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra પાણિનીય તન્ત્રમાં આગમવિધાન www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહીએ તો સૂત્રકારે તો આવું કશું પ્રકટપણે કહ્યું નથી. એ સ્થિતિમાં આ પરિભાષાની વાત ગ્રાહ્ય બને ખરી ? તો નાગેશ ભટ્ટ કહે છે કે પ્રસ્તુત પરિભાષાવચનમાં જે 'ત'નુપુરા શબ્દ મૂક્યો છે. તે પોતે જ બીજકથન (=પ્રમાણ) છે.. જેવી રીતે લોકમાં દેવદત્તને છ આંગળી હોય તો, જ્યારે દેવદત્તને બોલાવવામાં આવે ત્યારે છઠ્ઠી - વધારાની- આંગળી સહિતના દેવદત્તનું જ આનયન થાય છે. એવી રીતે શાસ્ત્રમાં પણ જ્યારે આગમીને કોઈ કાર્ય કહ્યું હોય તો, જે આગમ તે (આગમી)નો અવયવ બની ગયો હોય તેનું પણ આગમીની સાથે સાથે ગ્રહણ થવાનું જ છે. આમ આ પરિભાષાવચન ભલે સૂત્રકાર દ્વારા પ્રક્ટપણે નિર્દેશવામાં ન આવ્યું હોય, પણ તે એક લોકન્યાયથી સિદ્ધ થતું વચન હોઈને પ્રમાણ ભૂત છે, અને પરિણામે ગ્રાહ્ય છે. ૧૧ પરિભાષાવચનની અભિનયના પણ્ ધાતુનું આત્મનેપદમાં વર્તમાન કૃદન્તનું રૂપ સાધતી વખતે પણ્ + તદ્ → પર્ + શવ્ + જ્ઞાનવ્ → પર્ + અ + આન → પત્ર + ઞાન । અહીં આને મુશ્ / ૭-૨-૮૨ સૂત્રથી ‘હ્રસ્વ ઍ કારાન્ત અંગને મુક્ આગમનું' વિધાન કરવામાં આવે છે. જેથી વચ + મુદ્ + આન → પદ્મમ્ + ઞાન - પદ્મમાન । રૂપ બને છે. અહીં અને મુદ્ । ૭-૨-૮૨ એવા સૂત્રથી જે નુ આગમનું વિધાન કર્યું છે, તેથી એવું જ્ઞાપિત થાય છે કે આ પરામામડળીમા । પરિભાષા અનિત્ય છે. કેમકે જો આ પરિભાષા અનિત્ય ન હોય તો પણ્ ઞાન । ની સ્થિતિમાં ‘હ્રસ્વ ત્ર કારાન્ત અંગ' તરીકે મુક્ આગમ સહિતના (અમ)નું ગ્રહણ થાત. તો ‘અન્ ને ‘અ માનીને પક્ + આન ની વચ્ચે અા સવળૅ રીર્થ | ૬-૧-૧૦૧ સૂત્રની પ્રવૃત્તિ પણ થાત. તો પાન જેવું અનિષ્ટ રૂપ બની જાત, અને અંતતોગત્વા મુદ્ આગમનું શ્રવણ જ બંધ થાત. આમ પાણિનિએ કરેલું મુ આગમનું વિધાન (અને પુણ્ । ૭-૨-૮૨ એવું સૂત્ર) જ વ્યર્થ બની જાત. પરંતુ પાણિનિનું કોઈ સૂત્ર નો વ્યર્થ ના જ જવું જોઈએ, માટે આ પરિભાષાને અનિત્ય માનવી જરૂરી બને છે, ૨. અહીં એવી પણ શંકા ન કરવી કે ક જેવા વર્ઝને મ આગમ કર્યો હોય (પવન્ ! આવા તો તે મ કાર જ્ઞ નો અવયવ કેવી રીતે ગણાતો હશે ? કેમકે - આ પરિભાષાવચનથી આગમભૂત વર્ણને આગમી વર્ગના અવયવ રૂપ જાહેર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો - આગમીનો આગમ અવયવ બને છે; માટે – નો અવયવ ય્ છે એમ બોલી શકાય. પરંતુ આ “નકાર નો અવયવ છે” એમ બોલીએ ત્યારે એનો અર્થ એવો સમજો કે તે ૫ કાર પ્રકારનો ‘અવયવસશ' છે. એટલે કે આ પરિભાષાથી આગમમાં સાક્ષાત્ અવષવત્વ આવતું નથી, પણ તેમાં આનુમાનિક (-કાલ્પનિક-) અવયવત્વ છે એમ કહેવાયું છે. હવે, આ પરિભાષાને અનિત્ય માનવાના ફાયદાનો વિચાર કરવામાં આવે છે ઃ જો આ પરિભાષાને નિત્ય માનીએ એટલે કે બધાં જ ઉદાહરણોમાં તેની પ્રવૃત્તિ થાય છે એમ માનીએ તો વિય । જેવાં રૂપોમાં આગમ સહિતના પ્રત્યયનું ગ્રહણ થઈને મળ વગેરે અનિષ્ટ કાર્યો પ્રાપ્ત થાય છે. જેમકે રાજ કે ધાતુના For Private and Personal Use Only तत्र तद्गुणीभूता इत्यंशो बीजकथनम् । लोकेऽपि देवदत्तस्याङ्गाधिक्ये तद्विशिष्टस्यैव देवदत्तग्रहणेन ग्रहणं दृश्यते ।। परिभाषेन्दुशेखरः पू. १८.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131