Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુદ્ધ્દક છન્દ
www.kobatirth.org
चिरकालमभिसम्भरन्त (न्तं) पिअं गाणत्त मुहिदं ण रोद्धम्
मुदिमाणइत्तडिदिदो काणणे घणे परिखेदिदे बहुविधे हि अणुगो वासराहरो ।
ઉપરના લક્ષણમાંથી આટલી વિગત મળે છે. જે છના દરેક પાદમાં ત્રીજો, ચોથો, પાંચમો, નવો, અગિયારમો, તેરમો, સોળમો અને અંતિમ અક્ષર ગુરુ હોય અને બાકીના અક્ષરો લધુ હોય તે ખુદ કહેવાય છે. અક્ષરની સંખ્યા બહારની ગણીએ તો ઇન્દનું ગણમાપ ‘સતસજભર' થાય. પરન્તુ આવું સ્વરૂપ તો ઉપરના લક્ષણના એકેય પાદમાં જોવા મળતું નથી. લક્ષણમાં રહેલી અશુદ્ધિ દૂર ન થાય ત્યાં સુધી તેનો અર્થ સરે તેમ નથી. લક્ષણને સમજવા ઉદાહરણની મદદ લઈએ.
तरसन्धुवज्जुहिआए संचसिलिओ भीदभीदओ
ક્રમ ખોષર વિસરા) પાબાપાને ટીટીયો ।। ગા.ઓ.સી. ભાગ-૪, પૃ. ૩૨.
સંસ્કૃત છાયા :
[चिरकालमभिसम्भरन्तं प्रियगानान् मुदितं न रोद्धुं
मोदमानायां तडितीतः कानने घने परिखेदिते बहुविधे ह्यनुगो वासराहरः ।
तरसन्धुवनं दष्ट्वैतच्चषको भीतभीतक
आशु कोहरं विशति पार्श्वपादपस्थो दीनदीनकः ।। ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાસને સમજવામાં ઉદાહરણ કંઈ જ મદદરૂપ બની શકે તેવું નથી. તેના કુલ અક્ષરોની સંખ્યા ૨૧ + ૩૨ + ૧૮ + ૨૦ = ૯૧ છે, જે ઉદાહરણમાં ભરપૂર અશુદ્ધિઓનો ખ્યાલ આપી જાય છે. ઉદાહરણથી છન્દનું બંધારણ તો ઠીક, તેની અક્ષરસંખ્યા પણ જાણી શકાય તેમ નથી. અભિનવભારતમાં આ પાઠને સ્વીકારવામાં આવ્યો નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં હેમચન્દ્રાચાર્યનું છન્દોનુશાસન મદદરૂપ બને છે. નાટ્યશાસ્ત્ર સિવાય છન્દોનુશાસન જ એક એવો ગ્રંથ છે, જે આ છન્દનું નિરૂપણ કરે છે. હેમચન્દ્રાચાર્યે આપેલું બુબુકનું લક્ષણ આ પ્રમાણે છે.
સ્નૌ સ્નૌ ત્રૌ બુબુમ્ । છં.શા. ૨.૩૨૦.
असमं दधन्नयपयो गभीरमध्यः सनातनो
विमलो जयत्यविरतं जिनेन्द्रसिद्धान्तवारिधिः ।
૨૩
બુબુદકના અઢાર અક્ષરો 'સજસત્તર' ગણમાપમાં હોય છે એમ હેમચન્દ્રાચાર્ય માને છે. તેઓ સુન્દર ઉદાહરણ પણ આપે છે, જેમાં મુદ્રા અલંકારના પ્રયોગ દ્વારા છન્દના નામને ગૂંથી લેવામાં આવેલ છે.
अतिपेशलैर्गमगणैस्तरङ्गिते यत्र सर्वदा
ક્ષળવૃષ્ટનવૃતનુમિ વૃષ્ટિમિવુન્નુચિતમ્ ॥ છે.શા. ૨.૩૨૦.૧
For Private and Personal Use Only
હેમચન્દ્રાચાર્યે આપેલ બુદ્ધ્દક છન્દ એ નાટ્યશાસ્ત્રમાંથી જ લેવામાં આવેલ છે. ના,શા.ના ટીકાકાર અભિનવગુપ્તાચાર્યના મતે બુદ્ધ્દક નવ અક્ષરનો છન્દ છે. હેમચન્દ્રાચાર્ય તેના અઢાર અક્ષરો સ્વીકારે છે. તેથી તેમની સમક્ષ રહેલ નાટ્યશાસ્ત્રની હસ્તપ્રતમાં આ છન્દ અઢાર અક્ષરનો કરો એમ કહી શકાય.