Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન 3 અર્થની પ્રતીતિ થાય છે, તે અનુમાનજન્ય પ્રતીતિ છે. એ પ્રતીતિ વાચકાશ્રિત (=શબ્દાશ્રિત) લક્ષણાજન્ય છે તેવું સિદ્ધ થતું નથી.૧૦ (ક) લક્ષણો અને ધ્વનિ એકરૂપ છે. આનંદવર્ધને ભક્તિ અને ધ્વનિને એકરૂપ માનનારા ભાક્તવાદનું ખંડન કર્યું છે તે આપણે પ્રારંભે જોઈ ગયા. મહિમભટ્ટ આનંદવર્ધનના ભક્તિ અને ધ્વનિના પૃથકતાવાદનું ખંડન કરીને, તર્કસંગત યુક્તિઓ વડે ભક્તિ અને ધ્વનિની એકરૂપતા સિદ્ધ કરી બતાવે છે. ક્યાં પોષક એ ઉદાહરણમાં હમણાં જ જોયું કે મહિમભટ્ટ અહીં લક્ષણો અને વ્યંજના બંનેને અર્વાશ્રિત માનીને બંનેનો અનુમાનમાં અંતર્ભાવ દર્શાવ્યો છે. તેથી એવું સિદ્ધ થયું કે લક્ષણો અને ધ્વનિ પર્યાયવાચી છે. આ ચર્ચા પ્રસંગે મહિમભટ્ટે આનંદવર્ધનની જ કારિકાઓ લઈ, તેમાં થોડુંક શાબ્દિક પરિવર્તન કરી દઈ, સ્વમતને રસાળ શૈલીમાં રજૂ કર્યો છે. (૧) ધ્વનિકારની પ્રથમ દલીલ એવી હતી કે લક્ષણા વાચકત્વને આશ્રયે અને ધ્વનિ વ્યંજકત્વને આશ્રયે છે, આ તે બંને વચ્ચેનું પાર્થક્ય છે. વ્યક્તિવિવેકકારનો પ્રત્યુત્તર એવો છે કે લક્ષણો અને વ્યંજન - બંને અર્થ પર આશ્રિત છે. વળી, બંનેમાં જે અર્થાન્તરની પ્રતીતિ થાય છે તેના મૂળમાં ગમ્યગમકભાવ રહેલો છે અને લક્ષણા ગમતત્વમૂલક છે. ધ્વનિની વ્યંજકત્વમૂલકતા અસિદ્ધ છે. તેથી ગમતત્વમૂલક લક્ષણા ધ્વનિનો વિષય શા માટે ન બને ? પોતાનું આ મંતવ્ય તેમણે નીચેના કારિકાયુગ્મમાં વ્યક્ત કર્યું છે : वाचकत्वाश्रयेणैव गुणवृत्तिरसङ्गता । गमकत्वैकमूलस्य ध्वनेः स्याद् विषयो न किम् ।। व्यजकत्वैकमूलत्वमसिद्धञ्च ध्वनेर्यतः ।। गमकत्वाश्रयापीष्टा गुणवृत्तिस्तदाश्रयः ।।१५ (૨) ધ્વનિકારે કહ્યું છે કે ભક્તિને ધ્વનિનું લક્ષણ માનવાથી અતિવ્યામિ અને અવ્યામિ દોષો થાય છે. મહિમભટ્ટ જણાવે છે કે તેવા કોઈ દોષો થતા નથી. ભક્તિ એ ધ્વનિનું લક્ષણ છે તેવું આનંદવર્ધનના ઉદાહરણો વડે જ સિદ્ધ કરી બતાવ્યું છે. ધ્વનિકારે શીક્રયા: સન્તાd afસ વિલિનપત્રયનમ્ II ને લક્ષણાનું અને “સુવર્ણપુષ્પાં પૃથિવ વિન્વત પુરુષસ્ત્રિયઃ | લક્ષણામૂલક ધ્વનિનું ઉદાહરણ ગયું છે. પરંતુ વાસ્તવમાં આ બંને ઉદાહરણોમાં કશો જ ફરક દેખાતો નથી. બંને ઉદાહરણોમાં લક્ષણો છે. જો બીજા ઉદાહરણમાં લક્ષણાનો અસ્વીકાર કરવામાં આવે, તો તેને લક્ષણામૂલક ધ્વનિ પણ શી રીતે કહેવાય ? દ્વિતીય ઉદાહરણમાં લક્ષણાને માનવાથી ધ્વનિકારે દર્શાવેલો અવ્યામિદોષ ટળે છે. અમારા મતે તો લક્ષણા બે પ્રકારની હોઈ શકે છે : પ્રથમ ઉદાહરણમાં પદાર્થરૂપ અને દ્વિતીય ઉદાહરણમાં વાક્યાર્થરૂપ લક્ષણા દષ્ટિગોચર થાય છે. ગ્રંથકારના શબ્દોમાં - सुवर्णपुष्पामित्यादौ न चाव्याप्तिः प्रसज्यते । यतः पदार्थवाक्यार्थभेदात् भक्तिधिोदिता ।।१२ ૧૦. ૧૧. ૧૨. ભટ્ટ મહિમ, એજન – પૃ. ૧૨૧. ભટ્ટ મહિમ, એજન – ૧-૬૩, ૧-૬૪. ભટ્ટમહિમ, એજન – ૧-૫૯. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131